Home Blog Page 1224

બજેટ 2025: નાણાપ્રધાન 80Cની મર્યાદા વધારે એવી શક્યતા

નવી દિલ્હીઃ મોદી સરકાર ત્રીજી ટર્મના પહેલા બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત આપે એવી શક્યતા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટ 2025માં ITની કલમ 80Cની મર્યાદા રૂ. 1.5 લાખથી વધારીને રૂ. ત્રણ લાખ કરે એવી શક્યતા છે. આ પગલાથી કરોડો કરદાતાઓને મોટી રાહત મળે એવી શક્યતા છે. હાલ જૂની ટેક્સ પદ્ધતિ પસંદ કરવાવાળા કરદાતા આ મર્યાદા હેઠળ ટેક્સ બચાવવાનો લાભ ઉઠાવે છે. જ્યારે નવી ટેક્સ પદ્ધતિ હેઠળ આ સુવિધા ઉપલબ્ધ નથી.

આ પહેલાં કલમ 80Cની મર્યાદા છેલ્લે 2014માં વધારવામાં આવી હતી, જ્યારે તત્કાલીન નાણાપ્રધાન અરુણ જેટલીએ એને રૂ. એક લાખથી વધારીને રૂ. 1.5 લાખ કરી હતી. આ ફેરફાર સરકારના પહેલા બજેટનો એક મુખ્ય ભાગ હતો. છેલ્લા એક દાયકામાં એમાં કોઈ ફેરફાર નથી થયો. ટેક્સપેયર્સ લાંબા સમયથી અપેક્ષા કરી રહ્યા છે કે કલમ 80Cની મર્યાદામાં વધારો કરવામાં આવશે, જેથી આવક અનુસાર એમાં રાહત મળી શકે.

કલમ 80Cમાં ફેરફારથી ટેક્સપેયર્સની ટેક્સની યોગ્ય આવક ઓછી થઈ જાય છે, જેનાથી તેમને સીધો લાભ મળે છે. છેલ્લાં 10 વર્ષોમાં વધતા ખર્ચ અને વધતા પગાર છતાં 80Cમાં કોઈ ફેરફાર નથી થયો. એનાથી અનેક ટેક્સપેયર્સે ટેક્સ બચાવવા માટે આ કલમ હેઠળ મર્યાદા વધારવાની માગ કરી છે.

બજેટ 2025થી અપેક્ષા?

નાણાપ્રધાન પહેલી ફેબ્રુઆરી, 2025એ બજેટ રજૂ કરશે. ટેક્સપેયર્સને અપેક્ષા છે કે નાણાપ્રધાન 80Cની મર્યાદાને વધારીને રૂ. ત્રણ લાખ કરશે, જેનાથી તેમને મૂડીરોકાણ અને બચતમાં વધુ છૂટ મળશે. જો આવું થશે તો સરકાર તરફથી ટેક્સપેયર્સ માટે એક મોટી રાહત સાબિત થશે.

વાસ્તુ: બ્રહ્મનો એક દોષ મિથ્યાભિમાન આપી શકે!

જિંદગીની ભાગદોડમાં માણસ ભૂલી જાય છે કે જીવન જીવવા માટે છે. પોતાની જાતને સાબિત કરવા માટે નહિ. હજુ વધારે પામવાની ભૂખ એને જે પ્રાપ્ત થયું છે એનો આંનદ લેવા નથી દેતી. પચાસ વરસનું પ્લાનિંગ શીખવાડવા વાળા ટ્રેઈનરને પોતાને પાંચ ક્ષણ પછી શું થશે એની ખબર હોય છે ખરી? થોડા ઊંડા શ્વાસ લઈને વિચારવું જોઈએ કે મારે કેવું જીવન જોઈએ છે? મૃત્યુ ક્યારે આવશે એ ખબર નથી પણ એના પહેલા જીવવાનું છે એ તો ખબર છે જ. તો પછી જેટલું પણ જીવન મળે છે તે ગમતું કરીને જીવી શકાય ને? ફરી માનવ દેહ મળશે કે નહિ એ ખબર નથી તો પછી જે મળ્યું છે એનો ઉત્સવ જ હોય ને?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: તમે વાસ્તુની વાતો કરો છો. પણ, શું તમને ખબર છે કે તમે કેટલું જીવવાના છો? જો વાસ્તુમાં તાકાત હોય તો અમર થઈને બતાવો. હું એક બિલ્ડર છું. ધંધાદારી માણસ એટલે કોઈને પુરા રૂપિયા દેતો નથી. વેચાણમાં પણ એવું જ. જે બતાવ્યું હોય એનાથી ઓછુ દેવાનું. કોઈ માપતું નથી. નવા નિયમ પ્રમાણે 25 વરસ ચાલે એવું બાંધકામ હોવું જોઈએ. એટલું કરી દઈએ. સારું કમાઉં છુ. પત્ની ઉપરાંત ગર્લ ફ્રેન્ડ પણ છે. છોકરો પોતાનો મેન્યુફેક્ચરિંગનો ધંધો કરે છે. એને ય બે ગર્લ ફ્રેન્ડ છે. બધું જ ખોટું કરીને સુખી છું. બોલો શું કરવાનું છે? વાસ્તુમાં મને ભરોસો નથી. ક્યારેક મન દુખે તો મંદિર જઈ આવું. ગુરુજીને દક્ષિણા આપી આવું. એમનું પણ માનવું છે કે રૂપિયાની તાકાત સહુથી મોટી છે. ખાલી પેટે ધરમ ન થાય.

એક ફોન કરું તો કોઈ પણ મોટો માણસ મારા માટે ફોન ઉપાડે. મોટા ડોકટરો ઘરે આવીને દવા આપી જાય. પૈસામાં તાકાત છે. બાકી શાસ્ત્ર જેવું કાઈ હોય નહિ. તો પણ તમારે કાઈ કહેવું હોય તો કહો.

જવાબ: ભાઈ શ્રી. મને તો ખબર નથી કે મારું મૃત્યુ ક્યારે થવાનું છે. આમેય જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આપની પાસે રૂપિયાની તાકાત છે. તેથી આપ તો મૃત્યુને ખરીદી શકશો ને? કદાચ. તમારા વતી મૃત્યુ માટે કોઈને તમારા વતી ઉભો પણ રાખી શકો. પ્રયત્ન કરી જુઓ. તમને રૂપિયાની સાચી તાકાત સમજાશે.

મારો જવાબ આપને કદાચ ન ગમ્યો હોય. પણ ધનને આપણે ત્યાં પૂજનીય માનવામાં આવે છે. એનું અભિમાન ન હોય. ડોક્ટર ભલે ઘરે આવીને દવા આપી જાય પણ એ ઘર કરી જાય એ પણ યોગ્ય નથી. અતિ હમેશા તકલીફ આપે છે. મારા વાસ્તુના જ્ઞાન થકી ઘણા લોકો સુખી થયા છે. કદાચ એમની સકારાત્મક ઉર્જાથી હું સુખી છું. આપ સુખી છો ખરા?

આપના ધનની નકારાત્મકતા આપની વાર્તામાં દેખાઈ રહી છે. આપણા વિચારોની દિશા અલગ છે. પણ હું કર્મમાં પણ માનું છુ. કારણ કે એ પણ ભારતીય વાસ્તુ સાથે જોડાયેલ વિષય છે. આપણા શાસ્ત્રો એ માત્ર ગ્રંથો નથી. એના નિયમોની રચના પાછળ ઘણું સંશોધન કરવામાં આવેલું છે. હા, ઘણા બિલ્ડર માત્ર કહેવા માટે વાસ્તુ કામ્પ્લાયંસ લખે છે એ અલગ વાત છે.

આપને તો ગુરુ પણ સગવડિયા મળી ગયા છે. આપણે ત્યાં ઉપવાસનું મહત્વ છે. એટલે ખાલી પેટ ધરમ પણ થતો. અન્ય માટે જીવવાની વાત પણ ભારતીય જ છે. જો ગુરુજીને દક્ષિણા માત્ર આપવાથી બધા ખોટા કામનો હિસાબ થઇ જતો હોત તો ગુરુજી બનવાની રેસ લાગી હોત. મને મારા શાસ્ત્રમાં પૂરો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે આપને પણ એમાં વિશ્વાસ આવશે. એને સમજવા પ્રયત્ન કરી જુઓ.

સુચન: બ્રહ્મનો એક દોષ મિથ્યાભિમાન આપી શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

પુસ્તકના ઢગલા, સિગારેટનાં પેેકેટ ને અમાપ ઊંડાણ…

સોમવારે ૨૩ ડિસેમ્બર, સોમવારે શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે અવસાન થયું. ચવાઈ ને ચુથ્થો થઈ ગયેલું વાક્ય વાપરીને કહીએ તો, ‘હિંદી સિનેમામાં એક યુગનો અંત આવ્યો.’ સોમવારથી આજ સુધી દેશ-દુનિયાનાં છાપાં, મેગેઝિનો, વેબપોર્ટલે એમના વિશે કહેવા જેવું બધું જ કહી દીધું છે. આથી આપણે શ્યામ બાબુ વિશે આ બધી વાત નથી કરવીઃ એમણે કેવી ને કેટલી ફિલ્મો, ટીવીસિરીઝ બનાવી? કે એમને કયા ને કેટલા પારિતોષિકોથી સમ્માનિત કરવામાં આવ્યા? કે કેવી રીતે એમણે ‘ગુજરાત મિલ્ક માર્કેટિંગ કો ઑપરેટિવ ફેડરેશન’ના ખેડૂતસભ્યોના બે-પાંચ રૂપિયાના ફંડફાળામાંથી, ટાંચા બજેટમાં ‘મંથન’ બનાવી…

ના, આ બધા વિશે વાત નથી કરવી. વાત કરવી છે એમની નસનસમાં વહેતા જન્મભૂમિના જોડાણ વિશે, એમની આરંભની ફિલ્મનાં કથાવસ્તુ વિશે અને એમના અખૂટ પ્રેરણાસ્રોત વિશે.

આંધ્ર પ્રદેશના સિકંદરાબાદ નજીક આવેલા અલવલ નગરમાં ૧૯૩૪માં જન્મેલા શ્યામ બાબુ રાજ્ય કક્ષાના સાઈકલિંગ ચેમ્પિયન હતા, અલવલથી ‘નિઝામ કોલેજ’ સાઈકલ પર જતા. સ્ટેટ સ્વિમિંગ એ બાબુ અલવલના કૂવામાં છલંગ લગાવતા ને તરતા, નગરના મેદાન પર ક્રિકેટ રમતા. અલવલમાં એમના પિતાનો ફોટો સ્ટુડિયો હતો.

કોલેજમાં ભણતાં ભણતાં એ મેગેઝિન ‘કોલેજિયન’નું સંપાદન પણ કરતા. ૧૯૫૮માં ગ્રેજ્યુએટ થઈને ફિલ્મ ક્ષેત્રે ઝંડા ફરકાવવા એ મુંબઈ આવ્યા ત્યારે પિતાએ આપેલો કેમેરા અને થોડું પરચૂરણ એ સિવાય કોઈ મૂડી હતી નહીં. થોડો સમય કઝિન ગુરુ દત્તને ત્યાં રહ્યા, મિત્રના ભાઈના રેલવે પાસ પર મુંબઈની લોકલ ટ્રેનમાં ધક્કા ખાતા પ્રવાસ કરતા. થોડા સમય બાદ એમને ટ્રેઈની તરીકે સાઉથ મુંબઈમાં આવેલી ‘બ્લેઝ ઍડ્વર્ટાઈઝિંગ એજન્સી’માં નોકરી મળી. તે પછી જગવિખ્યાત ‘લિન્ટાસ’ એડ એજન્સી, જે માટે એમણે ‘ડાલડા’ ઘી ને ડિલ ચોળવાના સાબુ ‘રેક્સોના’ જેવી પ્રોડક્ટ માટે એડ બનાવી. એમની પહેલી ડોક્યુમેન્ટરી ગુજરાતીમાં, ‘ઘેર બેઠાં ગંગા’ હતી. તે પછી આવી ફુલ લેન્ગ્થ ફિલ્મો.

શ્યામ બાબુ એક નંબરના વાંચોડી હતા. એ પ્રવાસ કરતા ત્યારે સુટકેસમાં કપડાં ઓછાં ને પુસ્તકો ઝાઝાં રહેતાં. સાથે સિગારેટનાં પેકેટ અને વિચારોથી ફાટ ફાટ થતી ખોપડીમાં હવે પછીની ફિલ્મ શેની પર હશે એનું વિઝન. મુંબઈના તારદેવ વિસ્તારમાં આવેલી એમની ઓફિસમાં હું પહેલી વાર ગયેલો ત્યારે ત્યાં પુસ્તકોનું કલેક્શન જોઈને આભો બની ગયેલો. મજાકમાં મેં એમને કહેલું, ‘મારે તમારી ઓફિસમાં ચોરી કરવી છે.’ સાંભળીને ખડખડાટ હસી પડેલા શ્યામ બાબુ.

એમની અનેક ફિલ્મો છાપાંના સમાચારોમાંથી આકાર લેતી. સમાચાર વાંચી, એનું કટિંગ લઈને એ સ્વ. વિજય તેંડુલકર જેવા લેખકો સાથે બેઠક જમાવતા. એમની આગળ કટિંગ ધરીને શું આના પરથી સશક્ત વાર્તા લખાય? એની ચર્ચા કરતા.

શ્યામ બેનેગલે અલવલ છોડ્યું, પણ હૈદરાબાદ અને અલવલે એમને ક્યારેય છોડ્યા નહીં. એમની આરંભની ફિલ્મો પણ હૈદરાબાદ તથા આસપાસનાં ગામડામાં બની. જેમ કે ‘અંકુર’ એમણે શૂટ કરી યેલ્લારેડ્ડીગુડામાં. આ ફિલ્મ સૂર્યમ્ નામના એમના મિત્રના જીવન પર આધારિત હતી. ‘નિશાંત’ એમણે શૂટ કરી ગુંડલપોચમપલ્લીમાં. એ પણ સત્ય ઘટના આધારિત હતી. ગ્રામ વિસ્તારમાં આડેધડ થયેલા ઈન્ડસ્ટ્રિયલાઈઝેશન પર આધારિત ‘સુસ્મન’ પોચમપલ્લીમાં શૂટ કરી. અહીંના વણકરોની વ્યથાકથા એમાં વણી લેવામાં આવેલી.

હૈદરાબાદ, અહીંનાં ગામડાં સાથે એમનું અટેચમેન્ટ ગજબનું હતું. આરંભની ફિલ્મ ઉપરાંત ‘બઝાર’ ફિલ્મમાં એમણે તેલંગણાના મેડકમાંથી આવતા ઉર્દૂ શાયર મખદૂમ મોહિઉદ્દીનની ગઝલ (“ફિર છિડી રાત, બાત ફૂલોં કી”) ઈસ્મેતાલ કરી, જેને સ્વર આપ્યો મૂળ હૈદરાબાદના તલત અઝીઝે. ૨૦૦૯માં આવેલી ‘વેલડન અબ્બા’ની પ્રેરણા હતી જીલાની બાનોની વાર્તા ‘નરસૈયાં કી બાવડી’ (નરસૈયાંનો કૂવો). મૂળ ઉત્તર પ્રદેશના બદાયુંનાં જિલાની બાનો હૈદરાબાદમાં વસી ગયેલાં.

એ માત્ર ફિલ્મો નહોતા બનાવતા, પણ પ્રેક્ષકનાં દિલદિમાગમાં સમાજમાં અસમાનતા, શોષણ તથા અસ્તિત્વની ઓળખ વિશે ચર્ચા જન્માવતા. થિએટરની બહાર નીકળ્યા પછી પણ પ્રેક્ષકના દિમાગમાં ફિલ્મ, ફિલ્મનાં પાત્રો રમ્યા કરતાં. સર્જક તરીકે આ એમની મોટી સિદ્ધિ.

શ્યામ બાબુ અનેકોના ગુરુ અને માર્ગદર્શક રહ્યા. પુણેની પ્રતિષ્ઠિત ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’ (‘એફટીઆઈઆઈ’)માં એમણે ચિત્રપટ-સર્જનના પાઠ ભણાવ્યા, બે વાર એના ચેરમેન રહ્યા, શબાના આઝમી અને સ્મિતા પાટીલ અને ઓમ પુરી અને નસીરુદ્દીન શાહ જેવી પ્રતિભાને આપણી સામે મૂકી આપી.

આવી બહુમુખી પ્રતિભા, સ્વભાવે વિનમ્ર અને જન્મભૂમિ સાથેની નાળ અંત સુધી અકબંધ રાખનારા, અતુલનીય સર્જકને છેલ્લા રામ રામ.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૭ ડિસેમ્બર ૨૦૨૪

Chitralekha Gujarati – 06 January, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

જાણો કેવી રીતે ડૉ.મનમોહન સિંહે બદલી દેશની દિશા

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની AIIMS ખાતે નિધન થયું હતું. અર્થશાસ્ત્રી બનવાથી લઈને દેશના વડાપ્રધાન પદ સુધી રહીને તેમણે દેશની સેવા કરી. કેન્દ્રીય નાણામંત્રી તરીકે રિઝર્વ બેંકના ગવર્નરનો હોદ્દો સંભાળી રહેલા ડૉ.મનમોહન સિંહે આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહેલા દેશને નવી આર્થિક નીતિની ભેટ આપી હતી અને વડાપ્રધાન પદ સંભાળતી વખતે તેમણે ઉદારવાદીઓને પ્રોત્સાહન આપ્યું હતું. આર્થિક નીતિ અને દેશની અર્થવ્યવસ્થાને નવી ઉડાન આપી.

ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને પીએમ નરેન્દ્ર મોદી પછી તેઓ ચોથા સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળતા હતા. ડૉ.મનમોહન સિંહ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન હતા. તેઓ જવાહરલાલ નેહરુ પછીના પ્રથમ વડા પ્રધાન પણ હતા જેઓ સંપૂર્ણ પાંચ વર્ષની મુદત પૂરી કર્યા પછી ફરીથી ચૂંટાયા હતા.

ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ ગાહ, પંજાબ, બ્રિટિશ ઈન્ડિયા (હવે પંજાબ, પાકિસ્તાન)માં એક શીખ પરિવારમાં ગુરમુખ સિંહ અને અમૃત કૌરને થયો હતો. તે ખૂબ જ નાનો હતો ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. તેની દાદીએ તેનો ઉછેર કર્યો અને તેની ખૂબ નજીક હતી. 1947માં ભાગલા સમયે તેમનો પરિવાર ભારત આવ્યો હતો.

દેશના ભાગલા બાદ પરિવાર ભારત આવ્યો હતો

ભારતના ભાગલા પછી, તેમનો પરિવાર ભારતના હલ્દવાનીમાં રહેવા ગયો. 1948 માં તેઓ અમૃતસર ગયા, જ્યાં તેમણે હિન્દુ કોલેજ, અમૃતસરમાં અભ્યાસ કર્યો. તેમણે પંજાબ યુનિવર્સિટી, પછી હોશિયારપુરમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને અનુક્રમે 1952 અને 1954માં સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવી, તેમની શૈક્ષણિક કારકિર્દીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેમણે 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સ ટ્રિપોસ પૂર્ણ કર્યું. તેઓ સેન્ટ જોન્સ કોલેજના સભ્ય હતા.

ડી ફિલ. પૂર્ણ થયા બાદ સિંઘ ભારત પરત ફર્યા. તેઓ 1957 થી 1959 સુધી પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વરિષ્ઠ લેક્ચરર હતા. વર્ષ 1959 અને 1963 દરમિયાન, તેમણે પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં રીડર તરીકે કામ કર્યું અને 1963 થી 1965 સુધી તેઓ ત્યાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા.

UNCTAD માં 1966 થી 1969 સુધી કામ કર્યું

તેઓ 1966 થી 1969 દરમિયાન યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) માટે કામ કરવા ગયા હતા. બાદમાં, અર્થશાસ્ત્રી તરીકે સિંઘની પ્રતિભાને ઓળખીને, લલિત નારાયણ મિશ્રાએ તેમને વિદેશ વેપાર મંત્રાલયના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. 1969 થી 1971 સુધી, સિંઘ દિલ્હી યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક્સની દિલ્હી સ્કૂલમાં ઇન્ટરનેશનલ ટ્રેડના પ્રોફેસર હતા.

ઓક્સફોર્ડમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછી, ડૉ. મનમોહન સિંહે 1966-1969 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કર્યું, ત્યારબાદ લલિત નારાયણ મિશ્રાએ તેમને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં સલાહકાર તરીકે નિયુક્ત કર્યા ત્યારે તેમણે તેમની અમલદારશાહી કારકિર્દી શરૂ કરી.

 

દેશમાં અનેક મહત્વના પદો પર કામ કર્યું

1970 અને 1980ના દાયકા દરમિયાન, મનમોહન સિંહ ભારત સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર (1972–1976), રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર (1982–1985) અને આયોજન પંચના વડા (1985– 1987).

1972માં સિંઘ નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બન્યા અને 1976માં તેઓ નાણા મંત્રાલયમાં સચિવ બન્યા. 1980-1982 માં તેઓ આયોજન પંચમાં હતા, અને 1982 માં, તેઓ તત્કાલીન નાણા પ્રધાન પ્રણવ મુખર્જીના હેઠળ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત થયા હતા અને 1985 સુધી આ પદ પર રહ્યા હતા.

તેઓ 1985 થી 1987 સુધી આયોજન પંચ (ભારત)ના ઉપાધ્યક્ષ બન્યા. પ્લાનિંગ કમિશનમાં તેમના કાર્યકાળ પછી, તેઓ 1987 થી નવેમ્બર 1990 સુધી, જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં મુખ્ય મથક ધરાવતી સ્વતંત્ર આર્થિક નીતિ થિંક ટેન્ક, દક્ષિણ કમિશનના સેક્રેટરી જનરલ હતા.

મનમોહન સિંહ નવેમ્બર 1990માં જીનીવાથી ભારત પરત ફર્યા અને ચંદ્ર શેખરના કાર્યકાળ દરમિયાન આર્થિક બાબતો પર ભારતના વડાપ્રધાનના સલાહકાર તરીકેનો હોદ્દો સંભાળ્યો. માર્ચ 1991માં તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ બન્યા.

પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી બન્યા

1991 માં, જ્યારે ભારત ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું હતું, ત્યારે નવા ચૂંટાયેલા વડા પ્રધાન પી.વી. નરસિમ્હા રાવે તેમના મંત્રીમંડળમાં બિન-રાજકીય સિંઘનો સમાવેશ કર્યો હતો, જોકે આ પગલાં કટોકટી ટાળવામાં સફળ સાબિત થયા હતા અને એક સુધારક તરીકે મનમોહન સિંઘની પ્રતિષ્ઠા વધારી હતી વૈશ્વિક સ્તરે અર્થશાસ્ત્રી, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ 1996ની સામાન્ય ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. જૂન 1991 માં, ભારતના તત્કાલિન વડા પ્રધાન પી.વી. નરસિમ્હા રાવે તેમના નાણાં પ્રધાન તરીકે સિંહને પસંદ કર્યા.

Manmohan_Singh

વર્ષ 2004માં દેશના વડાપ્રધાન બન્યા

ત્યારબાદ, સિંઘ 1998-2004ની અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન રાજ્યસભા (ભારતની સંસદના ઉપલા ગૃહ)માં વિરોધ પક્ષના નેતા હતા. જ્યારે 2004માં કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સત્તામાં આવ્યું ત્યારે તેના પ્રમુખ સોનિયા ગાંધીએ અણધારી રીતે સિંહને વડાપ્રધાન પદ સોંપ્યું.

તેમના પ્રથમ મંત્રાલયે નેશનલ રૂરલ હેલ્થ મિશન, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી, ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અને માહિતીનો અધિકાર અધિનિયમ સહિત ઘણા મોટા કાયદા અને પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હતા.

2008 માં, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સીમાચિહ્નરૂપ નાગરિક પરમાણુ કરારના વિરોધને કારણે ડાબેરી મોરચાના પક્ષોએ તેમનો ટેકો પાછો ખેંચી લીધા પછી મનમોહન સિંહની સરકાર લગભગ પડી ગઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થાનો ઝડપથી વિકાસ થયો હતો.

મનમોહન સિંહને ત્રણ દીકરીઓ છે

2009ની સામાન્ય ચૂંટણીમાં, યુપીએ વધેલા જનાદેશ સાથે પરત ફર્યા. મનમોહન સિંહે વડાપ્રધાન પદ જાળવી રાખ્યું. આગામી થોડા વર્ષોમાં, સિંઘની બીજી સરકારને 2010 કોમનવેલ્થ ગેમ્સના સંગઠન, 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કેસ અને કોલ બ્લોક્સની ફાળવણી અંગે ભ્રષ્ટાચારના અનેક આરોપોનો સામનો કરવો પડ્યો.

તેમની મુદત પૂરી થયા પછી તેમણે 2014ની ભારતીય સામાન્ય ચૂંટણી દરમિયાન વડા પ્રધાન પદની રેસમાંથી બહાર નીકળી ગયા. મનમોહન સિંહ ક્યારેય લોકસભાના સભ્ય રહ્યા નથી, પરંતુ 1991 થી 2019 સુધી આસામ રાજ્ય અને 2019 થી 2024 સુધી રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. મનમોહન સિંહે 1958માં ગુરશરણ કૌર સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ દીકરીઓ છે, ઉપિન્દર સિંહ, દમન સિંહ અને અમૃત સિંહ.

પંચાંગ 27/12/2024

મનમોહન સિંહનું નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે સાંજે તેમની તબિયત લથડી હતી. આ પછી તેમને દિલ્હી એમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર સિવાય કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી હોસ્પિટલમાં હાજર છે. તે દિલ્હીમાં જ હતા.  જો કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના બેલાગવીમાં હતા. તેઓ ગુરુવારે જ પાર્ટીના આગામી બે દિવસના કાર્યક્રમો માટે અહીં પહોંચ્યા હતા. પૂર્વ પીએમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેઓ ત્યાંથી રવાના થઈ ગયા છે અને દિલ્હી આવી રહ્યા છે. દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ તેના બીજા દિવસના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.

 

પીએમ મોદીએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી. તેણીએ તેમની સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું અને અમારી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી દીધી.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા એઈમ્સ પહોંચ્યા

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા દિલ્હીની AIIMS પહોંચ્યા છે. પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે.

રાજનાથ સિંહે પૂર્વ પીએમને યાદ કર્યા

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મનમોહન સિંહને યાદ કર્યા અને તેમની એક્સ પોસ્ટમાં લખ્યું, “ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ જીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમણે મુશ્કેલ સમયમાં ભારતની અર્થવ્યવસ્થાના પુનઃનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સેવા અને તેમની ભારતની પ્રગતિમાં ઓમ શાંતિનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન

પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું.

બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.