Home Blog Page 1239

Govinda Birthday: બાળપણ ગરીબીમાં વીત્યું,સખત મહેનત સાથે કરી 70 ફિલ્મો

મુંબઈ: 90ના દાયકામાં બોલિવૂડમાં ગોવિંદાનું નામ એક બ્રાન્ડ હતું. પછી તે કોઈ પણ ફિલ્મ હોય, કોઈ વાર્તા હોય કે પછી કોઈ પણ હિરોઈન હોય, ગોવિંદાનો જાદુ બોક્સ ઓફિસ પર હજુ પણ ચાલે છે. 90ના દાયકામાં બોલિવૂડની બોક્સ ઓફિસ પર રાજ કરનાર ગોવિંદા આજે પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બાળપણમાં ગોવિંદા તેની માતા સાથે રહેતા હતા અને ગરીબીમાં મોટા થયા હતા. આ પછી, યુવાનીમાં ગોવિંદાએ સખત મહેનત કરી અને સફળ થયા. બોલિવૂડમાં સર્વોચ્ચ રાજ કરનાર ગોવિંદાના જન્મદિવસ પર ચાહકો સહિત બોલિવૂડ સ્ટાર્સે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

Mumbai: Actor Govinda on the sets of reality television show “Dance Deewane” in Mumbai, on June 13, 2018. (Photo: IANS)

ડેબ્યૂ ફિલ્મથી જ અજાયબીઓ કરી અને 70 ફિલ્મો મેળવી

ગોવિંદાના પિતા અરુણ આહુજા પણ બોલિવૂડ પ્રોડ્યુસર રહી ચૂક્યા છે. પરંતુ ફિલ્મો ફ્લોપ થયા બાદ અરુણ આહુજા નાદાર થઈ ગયા અને પત્નીથી અલગ રહેવા લાગ્યા. ગોવિંદાને તેની માતાએ રાખ્યો અને ઉછેર્યો. ગોવિંદાનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. પરંતુ યુવાનીના દિવસોમાં ગોવિંદાએ ફિલ્મી દુનિયાનું સપનું જોયું અને 1986માં ગોવિંદાએ ફિલ્મ ‘લવ 86’થી પોતાના કરિયરની શરૂઆત કરી. ગોવિંદાની પહેલી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મ હિટ થતાં જ ગોવિંદાને 70 ફિલ્મો મળી ગઈ. આ વાતની જાણકારી ગોવિંદાએ પોતાના ઈન્ટરવ્યુમાં આપી હતી. આ ફિલ્મ બાદ ગોવિંદાએ ધૂમ મચાવી હતી. ગોવિંદાએ 90ના દાયકામાં બોક્સ ઓફિસ પર રાજ કર્યું અને ડઝનેક સુપરહિટ ફિલ્મો આપી. ગોવિંદાએ પોતાના કરિયરમાં 164 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

એક સાથે 5-5 ફિલ્મોનું શૂટિંગ
આ દિવસોમાં ગોવિંદા ફિલ્મોની સાથે રાજકારણમાં પણ સક્રિય છે. તાજેતરમાં ગોવિંદાએ ભૂલથી રિવોલ્વરથી પગમાં ગોળી વાગી ગઈ હતી. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોવિંદા અહીં સારવાર બાદ સ્વસ્થ થયા. પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ગોવિંદાની તબિયત બગડી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલમાં જ ગોવિંદા કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા. ગોવિંદા આજકાલ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ એક સમય હતો જ્યારે ગોવિંદા એક સાથે 5 ફિલ્મો શૂટ કરતા હતા. ચાહકોએ ગોવિંદાને તેના 61માં જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે.

એક વિડીયો ગીતે જિમી શેરગીલને ‘મોહબ્બતેં’ અપાવી

‘માચિસ’ અને ‘મોહબ્બતેં’ માટે જાણીતા રહેલા અભિનેતા જિમી શેરગીલે નિર્દેશક બનવાનું નક્કી કર્યું હતું પણ ગુલઝારે એનામાં અભિનેતાને જોયો હતો. જિમી મુંબઈમાં ફિલ્મોમાં કારકિર્દી બનાવવા આવ્યો હતો. એણે રોશન તનેજાના અભિનય ક્લાસમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે ગુલઝારે એને ફિલ્મ ‘માચિસ’ (૧૯૯૬) માટે બોલાવ્યો ત્યારે એ સહાયક નિર્દેશક બનવાના ઈરાદાથી જ ગયો હતો. એ માનતો હતો કે તે ફિલ્મી પરિવારમાંથી આવતો ન હતો અને એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખતું ન હોવાથી હીરો તરીકે તક મળવાની કોઈ શક્યતા ન હતી.

ગુલઝારની સાથે પહેલી મુલાકાત થઈ ત્યારે એમણે પૂછ્યું હતું કે તું અભિનયના ક્લાસ કરી રહ્યો છે તો નિર્દેશનમાં કેમ આવવા માગે છે? ત્યારે જિમીએ કારણ આપ્યું હતું કે અહીં પાંચ-સાત વર્ષ સુધી કોઈને તક મળતી નથી અને હું ઘરે પાછો જવા માગતો નથી એટલે નિર્દેશનમાં મદદ કરવાનું વિચારું છું. પણ ગુલઝારે કશું કહ્યા વગર ‘માચિસ’ ની સ્ક્રિપ્ટ વાંચવા આપી. એક-બે દિવસ પછી ગુલઝારે જિમીને પૂછ્યું કે એમાં ચંદ્રચૂડસિંહ સિવાયની બીજા યુવાનોની ત્રણ ભૂમિકાઓ છે એમાંથી તારે એક કરવાની હોય તો કઈ પસંદ કરે. જિમીને બધી જ ભૂમિકાઓ સારી લાગી હતી પણ ‘જિમી’ ની ભૂમિકા વધુ પસંદ હોવાનું જણાવ્યું હતું.

ગુલઝારે કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે મારું લાડકું નામ એ જ છે. અસલમાં જિમીનું સાચું નામ જસજિત શેરગીલ છે. ‘માચિસ’ માં એનું સાચું નામ જ લખાયું હતું. ગુલઝારે એને તરત જ એ ભૂમિકા સોંપીને વાળ અને દાઢી વધારવાનું કહી દીધું હતું. જિમીએ ફિલ્મ ‘માચિસ’ સ્વીકારી એ પછી લોકોએ એના નિર્ણયની ટીકા કરી હતી. અને કહ્યું હતું નાની ભૂમિકા કરવાને બદલે રાહ જોવાની હતી. જિમી સિનેમાને સમજવા અને શીખવા માગતો હોવાથી ‘માચિસ’ સ્વીકારી હતી. ફિલ્મ વ્યાવસાયિક રીતે પણ સફળ રહી હતી અને જિમીનું નામ થયું હતું. એ પછી ઘણા વર્ષે આદિત્ય ચોપડા નિર્દેશિત ‘મોહબ્બતેં’ (2000) નસીબથી મળી હતી.

ફિલ્મની મોટાભાગની સ્ટારકાસ્ટ નક્કી થઈ ગઈ હતી. ફક્ત જિમીએ ભજવી હતી એ ભૂમિકા માટે એક યુવાનને પસંદ કરવાનો બાકી હતો. એ મળી રહ્યો ન હતો. અન્ય યુવા કલાકાર ઉદય, શમિતા વગેરેને તાલીમ આપવાનો વર્કશોપ છ મહિનાથી ચાલતો હતો. જિમી છેલ્લે એમાં જોડાયો હતો. ‘યશરાજ ફિલ્મ્સ’ તરફથી જિમીને મળવા માટે ફોન આવ્યો હતો. નિખિલ અડવાણીએ દસ દિવસ સુધી જુદી જુદી રીતે એનો સ્ક્રિન ટેસ્ટ લીધા પછી આદિત્યની સાથે મુલાકાત કરાવી હતી.

આદિત્યએ જિમીની ‘માચિસ’ ની ભૂમિકાના વખાણ કર્યા પછી એને ‘મોહબ્બતેં’ માટે પસંદ કરવાનું કારણ કહ્યું હતું. આદિત્યએ જિમીને ગુલઝારે લખેલા અને જગજીત સિંહે ગાયેલા ‘શામ સે આંખો મેં નમી સી હૈ’ ગીતના વિડીયોમાં જોયો હતો અને ‘મોહબ્બતેં’ ની ‘કરન ચૌધરી’ ની ભૂમિકા માટે એનો વિચાર કરીને બોલાવ્યો હતો. ‘મોહબ્બતેં’ પછી રોમેન્ટિક ભૂમિકાવાળી અડધો ડઝન ફિલ્મો મળી હતી. એની કારકિર્દી ભલે મુખ્ય હીરો તરીકે નહીં પણ સાઈડ હીરો તરીકે વર્ષોથી ધીમી ગતિએ આગળ વધી રહી છે. 2024 માં જિમીની ઔરોં મેં કહાં દમ થા, ફિર આયી હસીન દિલરૂબા, ખેલ ખેલ મેં અને ‘સિકંદર કા મુકદ્દર’ જેવી ચાર ફિલ્મો આવી હતી.

ક્રિસમસ માર્કેટમાં ડોક્ટરે ભીડ પર કાર ચલાવતાં બેનાં મોત, 60 ઘાયલ

નવી દિલ્હીઃ જર્મનીના મેગડેબર્ગમાં એક કારે અનેક લોકોને કચડ્યા છે, જેમાં બે લોકોનાં મોત થયાં છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ક્રિસમસ બજારમાં થયો હતો. માર્કેટના ભીડવાળા વિસ્તારમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં ખરીદી કરેલા લોકો પર કાર ચઢી ગઈ હતી.  સિટી ચીફ રેનર હેસેલોફે જણાવ્યું હતું કે આરોપી ડ્રાઈવર જર્મનીનો હતો.

જર્મનીના મેગડેબર્ગમાં એક કાર ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી ગઈ અને લોકો પર ચઢી ગઈ હતી આ અકસ્માતમાં  સ્થાનિક જર્મની પોલીસે સાઉદી અરેબિયાના 50 વર્ષીય ડોક્ટરની ધરપકડ કરી છે. જે કાર ચલાવી રહ્યો હતો. આ પહેલાં દાવો કરવામાં આવ્યો હતો કે હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા, પરંતુ બાદમાં અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે અત્યાર સુધીમાં માત્ર બે જ મોત થયા છે.

મેગડેબર્ગ જર્મનીના સેક્સની-એનહાલ્ટ રાજ્યની રાજધાની છે, જ્યાં આ અકસ્માત થયો હતો. આ કેસ વિશે માહિતી આપતાં શહેરના વડા રેનર હેસેલોફે જણાવ્યું હતું કે આરોપી ડ્રાઇવર જર્મની હતો, જે છેલ્લા બે દાયકાથી દેશમાં રહેતો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે હાલની પરિસ્થિતિને જોતાં શહેરમાં અન્ય કોઈ ખતરો નથી, કારણ કે અમે આ કેસમાં માત્ર એક જ વ્યક્તિને જવાબદાર ઠેરવી છે, જે અમારી કસ્ટડીમાં છે.

જોકે  જર્મની પોલીસને શંકા છે કે વાહનમાં વિસ્ફોટક ઉપકરણ હતું. ઘટના સ્થળે  પોલીસ અને બચાવ કર્મચારીઓ પહોંચ્યા હતા. માઈકલ રીફ, જર્મન બ્રોડકાસ્ટર એમડીઆરના પ્રવક્તા કહ્યું કે  આ દુર્ઘટનામાં  ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ અને બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે. MDR એ જણાવ્યું હતું કે, ઘણા પોલીસ અધિકારીઓ અને ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માર્કેટ મેનેજરે લોકોને સિટી સેન્ટર છોડવા કહ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ બ્રોડકાસ્ટરને જણાવ્યું કે કાર સીધી ટાઉન હોલની દિશામાં બજારમાં ભીડમાં ઘૂસી ગઈ હતી.

 

 

 

 

ગુજરાતમાં વધશે ઠંડીનું જોર!, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતીમાં કડકડતી ઠંડીનું જોર યથાવત્ જોવા મળી રહ્યું છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં પણ ઠંડી રેકોર્ડ તોડી રહી છે. ત્યારે શુક્રવારે નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું હતું. જ્યારે રાજકોટમાં 9.5 ડિગ્રી સરેરાશ લધુતમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે શનિવારે નલિયા-રાજકોટ-પોરબંદરમાં કોલ્ડવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં શુક્રવારે 13.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ 14 ડિગ્રીની આસપાસ લધુતમ તાપમાનનો પારો રહેશે.

ઠંડીને લઈ આગાહી કરતા હવામાન નિષ્ણાંતોએ 27 ડિસેમ્બર બાદ અમદાવામાં તાપમાનનો પારે 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે શનિવારે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી હતું. શુક્રવારે રાત્રિના અન્યત્ર જ્યાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં રાજકોટ, ભુજ, દાહોદ, અમરેલી, ડીસાનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં 13.3 ડિગ્રી સરેરાશ લધુતમ તાપમાન નોંધાયું હતું. સૂત્રો પાસેથી મળેલા આંકડા પ્રમાણે નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 9.5, ભુજમાં 10.2, દાહોદમાં 11.2, અમરેલીમાં 12.5, ડીસામાં 12.9, ગાંધીનગરમા 13.3, અમદાવાદ અને ડાંગમાં 13.4, કંડલામાં 13.5, જામનગર અને પોરબંદરમાં 14, વડોદરામાં 14.6, ભાવનગરમાં 15.4 અને સુરતમાં 16.8 ડિગ્રી લઘુતાપમાન નોંધાયું હતું.

ગુલકંદ – ૨૧ ડિસેમ્બર ૨૦૨૪

ઈન્સ્ટન્ટ તવા ટોસ્ટ સેન્ડવિચ

સવારની ઉતાવળમાં ઝટપટ બની જાય છે આ સેન્ડવિચ! બાળકોને ટિફિનમાં પણ પ્રિય થાય તેવી છે આ ઈન્સ્ટન્ટ તવા ટોસ્ટ સેન્ડવિચ!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 2
  • પ્રોસેસ્ડ ચીઝ 1
  • નાનો કાંદો 1
  • પનીર 50 ગ્રામ
  • સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
  • આદુ-મરચાં-લસણ પેસ્ટ 2 ટે.સ્પૂન
  • રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • માખણ અથવા ઘી
  • સેન્ડવિચ માટેની મોટી બ્રેડ સ્લાઈસ 8-10 (સાદી અથવા ઘઉંની)

રીતઃ દરેક બ્રેડ ઉપર વાટકી મૂકી તેની ગોળ સ્લાઈસ કરી લો.

એક બાઉલમાં બાફેલું બટેટું મોટી છીણીથી છીણી લઈ ચીઝ તેમજ પનીર પણ તેમાં છીણી લો. ત્યારબાદ તેમાં ઝીણાં સમારેલાં કાંદા તેમજ કોથમીર ઉમેરી દો. આદુ-મરચાં-લસણ પેસ્ટ, ચાટ મસાલો, રેડ ચિલી ફ્લેક્સ, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને એક ફોર્ક (કાંટા ચમચી) વડે હળવે હળવે મેળવી લો. જેથી તેમાંથી પાણી ના છૂટે.

નોનસ્ટીક તવો ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી લો.

બ્રેડની એક ગોળ સ્લાઈસ લઈ તેની ઉપર માખણ ચોપડી લો. તેની ઉપર તૈયાર કરેલું મિશ્રણ 1½ ટી.સ્પૂન જેટલું અથવા વધુ આવે તેટલું પાથરી દો. ફરીથી ઉપર બ્રેડની બીજી ગોળ સ્લાઈસ ગોઠવી દો. તેની  ઉપર માખણ અથવા ઘી ચોપડીને તવા ઉપર માખણવાળી બાજુ ઉંધી મૂકી દો. ઉપરવાળી કોરી બ્રેડની બાજુ ઉપર માખણ અથવા ઘી લગાડી દો. 1-2 મિનિટ બાદ સેન્ડવિચની નીચેની બાજુ સોનેરી રંગની થઈ જાય એટલે તવેથા વડે હળવેથી તેને ફેરવી દો. બીજી બાજુ પણ સોનેરી રંગની થવા દો. બધી સ્લાઈસની સેન્ડવિચ આ રીતે તૈયાર કરી લીધા બાદ તેને ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

બાળકોને જો ટિફિનમાં આપવી હોય તો આ સેન્ડવિચને પ્લેટમાં મૂકી ચપ્પૂ અથવા પિઝા કટર વડે વચ્ચેથી બે ભાગ કરી લો. દરેક ભાગના ગોળાકાર ઉપર ટોમેટો કેચ-અપ લગાડી ઉપરથી ઝીણી સેવ લગાડીને ટિફિનમાં ભરી આપો.

૨૧ ડિસેમ્બર ૨૦૨૪

પંચાંગ 21/12/2024

4 હજાર રૂપિયામાં ડોક્ટર બનાવવાના રેકેટમાં થયા ચોંકાવનારા ખુલાસા

સુરત: ગુજરાતમાં પાછલા ઘણા સમયથી નકલીનો ખેલ ચાલી રહ્યો છે. અવાર નવાર ખોટા ડોક્યુમેન્ટથી લઈ સરકારી કર્મચારીઓ નકલી પકડાઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત નકલી ડોક્ટર બનાવવાનું રેકેટ સુરત પોલીસે ઝડપી પાડ્યુ હતું. આ રેકેટમાં સુરત પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ગુજરાતમાં એક પણ શહેર કે જિલ્લો બાકી નથી જ્યાં નકલી ડિગ્રી આપી ન હોય. આવા 4 હજાર ડૉકટરો ગુજરાતમાં છે જેમાં સૌથી વધુ સુરતમાં અને બીજા નંબરે અમદાવાદમાં છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત પોલીસને સરકારની રજિસ્ટર્ડ સાઈટ પરથી આવા 1281 બોગસ ડોકટરો મળ્યા છે જે હજુ સુધી પોલીસને હાથ લાગ્યા નથી અને પ્રેક્ટીસ કરી રહ્યાં છે જયારે 2719નો તો હજુ સુધી કોઈ અત્તોપત્તો નહીં હોવાનું જાણવા મળ્યું છે. જે બોગસ ડોકટરોના નામ પોલીસ તપાસમાં ખૂલ્યા છે તેમની યાદી જે તે શહેરની પોલીસને સોંપવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, પકડાયેલા દસ પૈકીનો એક નકલી ડોકટરની સારવાર દરમિયાન દોઢ વર્ષની બાળકીનું મોત થયુ હતુ અને તે પછી વાલીએ કેસ કરતા તેની ધરપકડ પણ થઈ હતી. જો કે, આ રેકેટ પકડાયુ પછી ખબર પડી કે તે નકલી ડોકટર હતો. સમગ્ર રેકેટમાં સુરત પોલીસે પકડેલા અમદાવાદના ડો.બી.કે.રાવત અને સુરતના રસેષ ગુજરાતી આ કાળો કારોબાર ચલાવતા હતા જેમાં બોગસ ડિગ્રી તૈયાર કરીને આપવાનું કામ બી.કે.રાવતનું હતુ. નકલી ડોકટર તરીકે ગ્રાહક લાવવાનુ કામ રસેષ ગુજરાતી કરતો હતો અને તે રાવતને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરતો અને દસ મિનિટમાં રાવત બોગસ ડિગ્રી મોકલી આપતો. 70 હજારમાં જ આ કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો.

જો બાઈડેન અને કમલા હેરિસે અચાનક કેમ ક્રિસમસ ટ્રીપ રદ કરી?

અમેરિકા: રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે અચાનક ક્રિસમસ રજાનો પ્લાન રદ કરી દીધો છે. જેના કારણે વ્હાઇટ હાઉસમાં કટોકટીની સ્થિતિની અટકળોનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર જો બાઇડેને ડેલાવેયરમાં નાતાલ ઉજવણીનું તેમનું આયોજન રદ કરી દીધું છે અને તે વ્હાઇટ હાઉસ પરત ફરી ગયા છે. બીજી તરફ ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે જાહેરાત કરી છે કે, તે કેલિફોર્નિયાની યાત્રા નહીં કરે.ગુરૂવારે મોડી રાત્રે બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેન પોતાના કાફલા સાથે ઝડપથી નીકળતા જોવા મળ્યાં હતાં. જો કે, વ્હાઇટ હાઉસે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ મામલે ઘણાં પ્રકારની અટકળો ચાલી રહી છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમુક યુઝર્સે અનુમાન લગાવ્યું છે કે, વ્હાઇટ હાઉસમાં કોઈ કટોકટી છે. જેના કારણે બાઇડેન અને કમલા હેરિસે પોતાના નાતાલના પ્લાન રદ કરવા પડ્યા છે. કમલા હેરિસે અચાનક કેલિફોર્નિયાની યાત્રા રદ કરી અને વ્હાઇટ હાઉસ તરફ રવાના થઈ ગયાં. બીજી તરફ બાઇડેન પણ હાલ DC પરત ફર્યા છે. જો કે, નાતાલ પછી પણ તેમની ડેલાવેયરમાં રહેવાની આશા હતી.’