વિપ્રો કંપનીના સ્થાપક અઝીમ પ્રેમજીની 2025માં સંપત્તિ 11.8 બિલિયન ડોલરથી 35.9 બિલિયન ડોલર વચ્ચે
આંકવામાં આવી. અકલ્પનીય આંકડા, પણ કહે છેને કે જીવનમાં મેળવેલી સાચી સિદ્ધિ સંપત્તિથી મપાતી નથી. અઢળક સંપત્તિ ધરાવતા હોવા છતાં અઝીમભાઈ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે, કંપનીની જ કેન્ટીનમાં જમે છે, કંપનીના કામે બીજાં શહેરમાં જાય ત્યારે ફાઈવ સ્ટાર હોટેલોમાં નહીં, પણ કંપનીના ગેસ્ટ હાઉસમાં રહે છે.
2019માં એ વિપ્રોના ચેરમેનપદેથી નિવૃત્ત થયા, પરંતુ આજે પણ એ ફાઉન્ડર ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર તરીકે કંપનીના દિશા-સૂચક બની રહ્યા છે. 2013માં ‘ધ ગિવિંગ પ્લેજ’ પર હસ્તાક્ષર કરનારા પ્રેમજી પ્રથમ ભારતીય બન્યા. પોતાની ઓછામાં ઓછી અડધી સંપત્તિ સમાજને અર્પણ કરી દેવાનો સંકલ્પ. ધ ગિવિંગ પ્લેજ હેઠળ તેમનું પહેલું દાન જ 2.2 બિલિયન ડોલરથી વધારે હતું.

ખરેખર ભગવાને મનુષ્યને આપેલી એક અદભુત ને અનોખી ભેટ છે સંવેદના. માણસને અનુભવાતી બીજી અનેક લાગણીઓનું એ જન્મસ્થાન છે. માનવીનો પરિચય પણ તેની સંવેદનાઓને આધારે જ થતો હોય છે.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રખર વિજ્ઞાની ડૉ. એ. પી. જે. કલામ કહેતાઃ ‘આઈ ઍમ નૉટ અ હૅન્ડસમ ગાય, બટ આઈ કૅન ગિવ માય ‘હૅન્ડ’ ટુ ‘સમ’ વન હુ નીડ્સ હેલ્પ.

સંત અથવા સંતત્વનો પરિયચ પણ આ જ રીતે આપી શકાય. અન્યનાં હિતનું સાતત્ય એ હકીકત જ સંતત્વનો પરિચય છે, પરોપકાર એ સંત-હૃદયનો સહજ ધબકાર છે, અને તેમાંય કોઈ પણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વ’ની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે.
રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છેઃ ‘અન્યનું હિત કરવાથી મોટું કોઈ કર્તવ્ય નથી.’
ભારતીય સંતપરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે. ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા, ત્યારે એક વાર તેમણે કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. અને એમનું હૃદય ભાવાર્દ થઈ ગયું. તેમણે સંત-મહાત્માઓના વરિષ્ઠ સાધુને કહ્યું, ‘મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.’
એ વરિષ્ઠ સંતે પૂછ્યું કે, ‘બેટા! આ પૈસા ક્યાંથી લાવ્યો?’
નાનકે કહ્યું, ‘પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.’
ત્યારે તે સાધુએ કહ્યું, ‘તો પછી વેપાર માટે જ વાપરને, અમને કેમ આપે છે ?’
ગુરુ નાનક સહસા બોલી ઊઠ્યા કે, ‘હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા એના કરતાં વધુ સારો વેપાર ક્યો?’

આપણી મહાન સંતપરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જ નહીં, પરંતુ મૂક-અબોલ પશુ- પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમ્- સમસ્ત પૃથ્વી એક પરિવારની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે.
૧૯૮૭માં ગુજરાત કારમા દુષ્કાળની ભીસમાં આવી ગયેલું, મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ. સમગ્ર ગુજરાતનું તે સમયનું આ રેખાચિત્ર હતું. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ અરસામાં ગુજરાતનું પશુધન બચાવવા કૅટલ કેમ્પો શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળો તથા ગૌશાળામાં પણ બનતી સહાય કરવી શરૂ કરી હતી. ‘પશુ કલ્યાણ કેન્દ્ર’ના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કૅમ્પોના સેવાકાર્યને સરકારશ્રીએ પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું, સાથે સાથે આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈ પણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી, જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શિલાલેખ સમાન કોતરાયેલી છે.
આપણાં શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદનાઓ આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્ય છે. તેઓની જીવનશૈલી છે. એમનાં પગલે લોકહિતની ભાવના-સંવેદનાને આપણા જીવનમાં સાકાર કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)


૨૦૨૬માં લાગુ થનારા ઉચ્ચ ટેરિફ
બેઠક દરમિયાન, તાજાનીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તરફથી PM મોદીને 2026માં ઇટાલીની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તાજાનીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની ઇટાલીની મુલાકાત અંગે ‘હા’માં જવાબ મળ્યો છે, પરંતુ હજુ સમય નક્કી થયો નથી.





