Home Blog Page 1241

જંગલમાં ઊભેલી કારમાંથી મળ્યા 52 કિલો સોનું, નવ કરોડ રોકડ

ભોપાલઃ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ઇન્કમ ટેક્સે પાડેલા દરોડામાં 52 કિલો સોનું અને રૂ. 15 કરોડ જપ્ત કર્યા છે. IT વિભાગે 100 પોલીસ કર્મચારીઓની ટીમ સાથે પાડેલા દરોડામાં મોટા પાયે બ્લેક મની પકડી પાડ્યું છે. જંગલમાં જે કારમાંથી સોનું અને પૈસા મળ્યા છે, એ કારમાં નંબર પ્લેટની ઉપરથી RTOનો ટેગ લાગેલો છે. આ કાર ગ્વાલિયરની છે અને 2020માં ખરીદવામાં આવી હતી.

મધ્ય પ્રદેશના બે દિવસથી લોકાયુક્ત અને ઇન્કમ ટેક્સના દરોડા ચાલી રહ્યા છે. IT વિભાગે ભોપાલ અને ઇન્દોરની એક કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળોએ દરોડા પાડ્યા હતા.  આ બેનામી રોકડ અને સોનું હાલમાં ચાલી રહેલા પૂર્વ RTO કોન્સ્ટેબલ સૌરભ શર્માના દરોડા સાથે લિંક છે. તેના સહકર્મી ચંદન સિંહ ગૌર પર સંકજો કસાયો છે.

લોકાયુક્તના સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટે ગુરુવારે શર્મા અને ગૌરના ઘરે દરોડા પાડી રૂ. 2.85 કરોડની રોકડ, સોના-ચાંદીના ઘરેણાં અને પ્રોપર્ટી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જેની કિંમત રૂ. 3 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. સૌરભ શર્માએ વર્ષ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આ દરોડામાં દરોડા રોકડ ઉપરાંત રૂ. 50 લાખનાં સોના-ચાંદી જપ્ત કરવામાં આવ્યાં હતાં.

સામાન્ય આરટીઓ કોન્સ્ટેબલ શર્માએ ભોપાલ સહિત વિવિધ જિલ્લામાં વિવિધ જમીનો, હોટલ અને શાળામાં રોકાણ કર્યું હતું. ભ્રષ્ટાચાર અને ગેરકાયદે જમીનનો ઉપયોગ કરવાની ફરિયાદને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

ભોપાલની નજીક મંડોરા ગામમાં આવેલા એક જંગલમાં મોડી રાત્રે એક લાવારિસ ઈનોવા કાર ઊભી હોવાની માહિતી મળી હતી. રાતના લગભગ બે વાગ્યે પોલીસ અને ઈનકમ ટેક્સ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, તેમને કારમાંથી બે બેગ મળી હતી. બે બેગમાંથી કુબેરનો ખજાનો મળ્યો છે. સોનાનું વજન આશરે 55 કિગ્રા હતું. જ્યારે રૂ. 15 કરોડ રોકડા મળી આવ્યા હતા.

સંસ્કૃત ભાષના પ્રચાર-પ્રસાર માટે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન

અમદાવાદઃ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃત એકેડેમી, સંસ્કૃત વિદ્યાપ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ફેસ્ટિવલ 21 અને 22 ડિસેમ્બરેનું આયોજન દિવ્યજીવન સાંસ્કૃતિક સંઘ શિવાનંદ આશ્રમ-અમદાવાદ અને સંસ્કૃત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સતત ત્રીજા વર્ષે થઈ રહ્યું છે.

આ ફેસ્ટિવેલના પ્રથમ દિવસે સ્વામી નિખિલેશ્વારનંદજી મહારાજ (અધ્યક્ષ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ), ડો. હર્ષદ પટેલ (કુલપતિ ગૂજરાત વિદ્યાપીઠ) રવીન્દ્ર ખતાળે (કમિશનર –AMC) પ્રવચનો આપશે, જ્યારે ચોથા અંતિમ સત્રમાં સંસ્કૃત સંગીતોત્સવમાં આકાશ જોષી, શ્રીમતી નમ્રતા શોધન તથા ડો. ધૈર્યા માંકડ દ્વારા સંસ્કૃ સ્તોત્રો તથા ઉત્તમ કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ ફેસ્ટિવેલમાં પ્રવેશ નિઃશુલ્ક છે અને એનો સમય બપોરના એક વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીનો છે.

આ ફેસ્ટિવલના બીજા દિવસે ડો. હિમાંશુ જોષી (વૈદ્ય, શતાયુ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ તથા સંશોધન કેન્દ્ર-પાટણ), ડો. અવનિ જોષી (વૈદ્ય, શતાયુ વૈદિક ગર્ભસંસ્કાર તથા સંશોધન કેન્દ્ર-પાટણ) અને લેખક, ગીતકાર અને અભિનેતા મહારુદ્ધ શર્મા સંસ્કૃત શોર્ટ ફિલ્મ પર વાર્તાલાપ કરશે.

ડો. નારાયણ દત્ત મિશ્રા (સંસ્કૃત પત્રકાર), ડો. મહેશ ચંપકલાલ (પ્રોફેસર- ડ્રામા વિભાગ, MS યુનિવર્સિટી-વડોદરા) ભાર્ગવ ઠક્કર (સંસ્કૃત રંગકર્મીના ભૂતપૂર્વ વિદ્યાર્થી- દિલ્હીના રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય) બાળકો માટે સંસ્કૃત દ્વારા અમૂલ્ય શિક્ષણ પર પ્રવચનો આપશે.

આ બે દિવસના વિવિધતાથી ભરપૂર જ્ઞાનવર્ધક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા આયોજકો તરફથી સૌ નગરજનોને ભાવભીનું આમંત્રણ છે. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે અવિરત પ્રયત્નો એકલવ્ય સંસ્કૃત એકેડમી અને સંસ્કૃત વિદ્યાપ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયા કરે છે.

ડિવોર્સની અફવા વચ્ચે અભિષેક અને અમિતાભ સાથે જોવા મળી ઐશ્વર્યા

મુંબઈ: બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક દિવસોથી તેના છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. પરંતુ હાલમાં જ ઐશ્વર્યા રાયે તેના પતિ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપીને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. હવે ઐશ્વર્યા રાય ગુરુવારે તેના સસરા અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. ધીરુભાઈ અંબાણી સ્કૂલના વાર્ષિક કાર્યક્રમમાં બૉલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ ફંક્શનમાં ઐશ્વર્યા રાય પણ તેના પરિવાર સાથે પહોંચી હતી. અહીં એક ઈવેન્ટ દરમિયાન ઐશ્વર્યા રાય તેના સસરા અમિતાભ બચ્ચનનો હાથ પકડીને જોવા મળી હતી. ગુરુવારે ઐશ્વર્યા તેના સસરા અમિતાભ બચ્ચન સાથે મુંબઈમાં તેની પુત્રી આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં જોવા મળી હતી.

ઐશ્વર્યા અને અમિતાભ બચ્ચન વચ્ચેની વાતચીત ગુરુવારે સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયો દ્વારા કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેના વૈવાહિક મતભેદની અફવાઓને અંત આપે છે. મુંબઈના એક ફોટોગ્રાફરે પોસ્ટ કરેલા વીડિયોમાં ઐશ્વર્યા ગુરુવારે મુંબઈમાં ધીરુભાઈ અંબાણી સ્કૂલના વાર્ષિક ફંક્શનમાં બચ્ચન પરિવાર સાથે જોવા મળી હતી. ઐશ્વર્યા અમિતાભ સાથે ઈવેન્ટમાં પહોંચી હતી અને પછી તેના સસરાનો હાથ પકડીને તેમને અંદર લઈ જતી જોવા મળી હતી. વિડિયોમાં અભિષેક પરિવાર સાથે એક જ વાહનમાંથી બહાર નીકળતો જોવા મળે છે અને ઈવેન્ટ આયોજકોને ભેટતો દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

ઐશ્વર્યા અને અભિષેકના સંબંધોમાં મુશ્કેલીની અફવાઓને રદિયો આપતો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખુશ થયા હતા. એક યુઝરે આ વીડિયો પર એમ પણ લખ્યું કે, ‘હવે આ તમામ અફવાઓનો કાયમ માટે અંત લાવે છે.’

જુલાઈ 2024 માં અનંત અંબાણીના લગ્ન દરમિયાન ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે મુશ્કેલીની અફવાઓ શરૂ થઈ હતી. લગ્નમાં ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યા અલગ-અલગ પહોંચ્યા હતા. બચ્ચન પરિવારના બાકીના સભ્યો, અમિતાભ બચ્ચન, તેમની પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક, પુત્રી શ્વેતા, પૌત્ર અગસ્ત્ય નંદા અને પૌત્રી નવ્યા નવેલી સાથે જોવા મળ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં અભિષેક અથવા બચ્ચન પરિવારે ઐશ્વર્યાને તેના જન્મદિવસ પર શુભેચ્છા ન પાઠવી તે પછી અફવાઓએ વેગ પકડ્યો હતો. તેમણે હજુ સુધી આ ચર્ચા પર કોઈ નિવેદન આપ્યું નથી. અભિષેક અને ઐશ્વર્યાએ 2007માં લગ્ન કર્યા હતા. તેઓને એક પુત્રી છે, આરાધ્યા બચ્ચન, જેનો જન્મ 16 નવેમ્બર, 2011ના રોજ થયો હતો. જો કે તેઓએ જાહેરમાં અફવાઓ પર ધ્યાન આપ્યું નથી, પરંતુ તેમને જાહેરમાં એકસાથે જોઈને અટકળો દૂર થઈ રહી છે.

મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ સ્પેસના 80 વર્ષ પૂર્ણ થવાની કરાઈ ઉજવણી

મુંબઈ: મુંબઈમાં અમેરિકન સેન્ટર ‘દોસ્તી હાઉસ’ની સ્થાપનાને 80 વર્ષ પૂર્ણ થયા. 18 ડિસેમ્બર, 2024 ના રોજ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક કલાકારો, ગાયકો અને કવિઓ સહિત વિશેષ મહેમાનો હાજર રહ્યા હતા. દોસ્તી હાઉસ જે અગાઉ અમેરિકન સેન્ટર તરીકે ઓળખાતું હતું. એક એવી જગ્યા જેણે મુંબઈના સાંસ્કૃતિક અને બૌદ્ધિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 1944માં તેની શરૂઆત થઈ ત્યારથી દોસ્તી હાઉસ જ્ઞાન, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ખુલ્લા સંવાદની શોધમાં મુંબઈકરોની પેઢીઓ માટે એક મહત્વપૂર્ણ મેળાવડાનું સ્થળ છે. અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ તકે જાહેર મુત્સદ્દીગીરી માટેના મંત્રી કાઉન્સેલર ગ્લોરિયા બર્બેનાએ અમેરિકા અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો પર વાત કરી હતી. પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યુ હતું કે દોસ્તી હાઉસ આ સંબંધનું મહત્ત્વનું પ્રતીક છે. તેમણે વધુમાં કહ્યુ કે આ ઉજવણી ભૂતકાળનું પ્રતિબિંબ અને ભવિષ્ય માટે જોડાણ છે. એક ક્યુરેટેડ ફોટો પ્રદર્શન દ્વારા દોસ્તી હાઉસના સમૃદ્ધ ઈતિહાસ દ્વારા-યુ.એસ. ઈન્ફોર્મેશન સર્વિસિસ (યુએસઆઈએસ) તરીકેના શરૂઆતના દિવસોથી લઈને આધુનિક અમેરિકન અવકાશમાં તેના રૂપાંતરણ સુધીની ઝલક બતાવવામાં આવી હતી.

ગ્લોરિયા બર્બેનાએ વધુમાં કહ્યું કે,’જેમ જેમ આપણે દોસ્તી હાઉસ અને અન્ય અમેરિકન સ્પેસની નોંધપાત્ર સફર પર પ્રતિબિંબિત કરીએ છીએ, અમે એવા ભવિષ્યની રાહ જોઈ રહ્યા છીએ જ્યાં આ નવીનતા અને સાંસ્કૃતિક વિનિમયના કેન્દ્રો યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે સહયોગને આગળ વધારતા રહે. અમે તમને દોસ્તી હાઉસના વારસાના નિર્માણમાં અમારી સાથે જોડાવા અને દોસ્તી હાઉસના કાર્યક્રમોમાં તમારી ભાગીદારી દ્વારા યુ.એસ.-ભારત સંબંધોની વિકસતી વાર્તા લખવાનું ચાલુ રાખવા માટે આમંત્રિત કરીએ છીએ.”

આ કાર્યક્રમમાં કવિ રોશેલ પોટકર, વિદ્વાન કવિતા પીટર અને યુનિવર્સિટીની વિદ્યાર્થી પ્રિયંકા યાદવ સહિતના લોકોએ હાજરી આપી હતી. 1950ના દાયકામાં અમેરિકન લાઇબ્રેરીમાં જોડાનાર આશ્રયદાતાનું પુનઃમિલન અને આ વર્ષે હમણાં જ સાઇન અપ કરનાર નવા સભ્યનું એક ખાસ હાઇલાઇટ હતું. તેમની અંગત વાર્તાઓએ દોસ્તી હાઉસની પેઢીઓથી લોકોને જોડવાની, શીખવાની પ્રેરણા આપતી અને વિવિધ સંસ્કૃતિઓની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવાની ક્ષમતા દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન નિવૃત ન્યાયમૂર્તિ રોશન દલવી હતા.

વીણાવાદક ડૉ. સુસાન ઇ. મેઝર, વુડવિન્ડ પરફોર્મર ડલ્લાસ સ્મિથ અને કથક નૃત્યાંગના અદિતિ ભાગવત પણ સાંસ્કૃતિક સહયોગના સારને દર્શાવતા ફ્યુઝન પર્ફોર્મન્સમાં જોવા મળ્યા હતા. અહીં આખા વર્ષ દરમિયાન જ્ઞાન અને મનોરંજન આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દોસ્તી હાઉસ મુંબઈના સભ્ય કોઈ પણ ભારતીય નાગરિક બની શકે છે. દોસ્તી હાઉસની મેમ્બરશિપ હજી પણ ઓપન છે.

 

શા માટે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ?

નવી દિલ્હી: યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ 20 ડિસેમ્બર 2005 ને આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ (International Human Solidarity Day) તરીકે જાહેર કર્યો. દર વર્ષે આ દિવસ નાગરિકોમાં સહકાર અને એકતાના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ વિવિધતામાં એકતાની ઉજવણી કરે છે અને આપણને ગરીબી નાબૂદી માટે નવી પહેલ કરવા પ્રોત્સાહિત કરે છે.

તેની પાછળનો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ 20 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તેના ફાઉન્ડેશન પર 2000માં સંયુક્ત રાષ્ટ્રની મિલેનિયમ સમિટમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ નેતાઓની આગેવાની હેઠળ આ સીમાચિહ્ન દસ્તાવેજ 21મી સદીના પાયા અને પ્રેરણા તરીકે “એકતા” ની કલ્પના કરે છે. તેણે માન્યતા આપી હતી કે વૈશ્વિકરણ તકો પૂરી પાડે છે, પરંતુ તેના લાભો અને બોજો અસમાન રીતે ફેલાયેલા છે, જે મોટી સંખ્યામાં લોકોને પાછળ છોડી દે છે.

તેથી, ઘોષણા સંયુક્ત વૈશ્વિક પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂકે છે જ્યાં જેઓ પીડાય છે અથવા ઓછામાં ઓછી મદદ કરે છે તેઓ જેઓ સૌથી વધુ લાભ મેળવે છે તેમની સહાયને પાત્ર છે. સહિયારી જવાબદારીનો આ વિચાર 2002માં વર્લ્ડ સોલિડેરિટી ફંડની સ્થાપનામાં પરિણમ્યો.

શું છે આ દિવસનું મહત્વ?

સંયુક્ત રાષ્ટ્ર આ દિવસની ઉજવણી એ ઉદ્દેશ્ય સાથે કરે છે કે ગરીબી સામે લડવા માટે એકતાની સંસ્કૃતિ અને વહેંચણીની ભાવનાને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે. આ દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે તેનો હેતુ સામાજિક અને આર્થિક વિકાસ, માનવ અધિકારો અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના દેશો અને લોકોને સાથે લાવવાનો છે.

આ દિવસ એ જાગૃતિ ફેલાવે છે કે વૈશ્વિક સહયોગ અને એકતાના પાયા પર વૈશ્વિક ભાગીદારીનું નિર્માણ કરી શકાય છે, જેમ કે સંયુક્ત રાષ્ટ્રનો ટકાઉ વિકાસ એજન્ડા લોકો અને ગ્રહને ગરીબી, ભૂખમરો અને રોગમાંથી બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે નિર્ધારિત વૈશ્વિક ભાગીદારી.

2005 આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની સ્થાપના

આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસને સત્તાવાર રીતે વર્ષ 2005માં જાહેર કરવામાં આવ્યો હતો. તે વાર્ષિક રીમાઇન્ડર તરીકે સેવા આપે છે કે આપણું એકબીજા સાથે જોડાયેલું વિશ્વ એકબીજાને ઉપર લાવવાની એકંદર પ્રતિબદ્ધતા પર આધાર રાખે છે, વ્યક્તિગત સફળતા તેમજ સમગ્ર માનવ પરિવારની સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.

 

દિલ્હીમાં ફરી પ્રદૂષણે માઝા મૂકીઃ AQI 450ને પાર, હાઇબ્રિડ પદ્ધતિ લાગુ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એક વાર લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલ થઈ રહ્યું છે, કેમ કે સવારે AQI 434 નોંધાયો છે, જે વાયુ પ્રદૂષણની ગંભીર શ્રેણી છે. દિલ્હીથી નજીક નોએડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં પણ સ્થિતિ બહુ ખરાબ છે.

દિલ્હીથી નજીક ગુરુગ્રામ અને ફરીદાબાદમાં AQI ખરાબ હોવાને કારણે અહીં સ્કૂલો અને ઓફિસોમાં હાઇબ્રિડ મોડ લાગુ કરી દેવામાં આવ્યું છે. હાઇબ્રિડ મોડ લાગુ થવાને કારણે સ્કૂલ અને માતાપિતા ઇચ્છે તો ઓનલઇન અને ઓફલાઇનમાં કોઈ પણ મોડમાં બાળકો માટે શિક્ષણ લેવાની વ્યવસ્થા કરી શકે છે. હાલ હાઇબ્રિડ મોડમાં સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ત્રણ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પ્રદૂષણ ઘટાડવા માટે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં, જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે.

દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યું હતું કે અમે રાજધાનીમાં ફટાકડાના આખા વર્ષના સ્ટોક અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારની દલીલ પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમારા નિર્ણયની અસર ત્યારે જ પડશે, જ્યારે NCRનાં અન્ય શહેરોમાં પણ આવો પ્રતિબંધ લાદવામાં આવે. તેથી જ ઉત્તર પ્રદેશ અને હરિયાણાં પણ આવો પ્રતિબંધ લાદો. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 15 જાન્યુઆરીએ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

 

 

 

 

LPG ટ્રક અને CNG ટેન્કરની ટક્કરમાં આઠનાં મોત, 40થી વધુ ઘાયલ

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ પમ્પની બહાર એક ગેસ ટેન્કર અને LPG ટ્રકની ટક્કર લાગતાં ભીષણ આગમાં કમસે કમ આઠ લોકોનાં મોત થયાં હતાં. જે ટ્રકે અન્ય વાહનોને ટક્કર મારી હતી, એમાં કેમિકલ ભરેલું હતું. જેથી અચાનક આગ લાગી જતાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેમાં આસપાસની 20થી વધુ ગાડીઓ ચપેટમાં આવી હતી. આ આગમાં 40થી વધ લોકો દાઝી ગયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  

આ ઘટનાની જાણકારી થતાં જ લગભગ 22 જેટલાં ફાયરબ્રિગેડનાં વાહનો ઘટનાસ્થળે આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. બીજી બાજુ આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુમાં ઊભેલા 40થી વધુ વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.

આ વિસ્ફોટ થતાં જ વાહનોથી ભરેલા વેરહાઉસમાં પણ આગ લાગી હતી. એકસાથે ડઝનબંધ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. CNG ટેન્કર અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ CNG ટ્રકમાં એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા. ધડાધડ વિસ્ફોટથી નજીકનાં વાહનો પણ લપેટમાં આવી ગયાં હતાં. ત્યારે એક બસમાં હાજર મુસાફરોએ નીચે ઊતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગમાં એક ડઝનથી વધુ લોકો દાઝી ગયાની માહિતી સામે આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ફાયર ફાયટર, સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.


આ દુર્ઘટના ડી ક્લોથોનની નજીક સવારે પાંચ વાગ્યે બની હતી. આ દુર્ઘટનામાં ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિકો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.

જયપુરમાં એસએમએસ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દીપક મહેશ્વરીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. લગભગ 25 લોકો ICUમાં દાખલ છે. હજુ ઘણા લોકોને લાવવામાં આવી રહ્યા છે. મોટાભાગના લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. લગભગ 15 લોકો 80 ટકા દાઝી ગયા છે. CM ભજનલાલ શર્મા પણ એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો.

 

વાસ્તુ: પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય ત્યારે છેતરાવાનો પ્રસંગ બની શકે!

જો સપના ઊંઘ ઉડાડી મુકે તો તે બિહામણા કહેવાય. જે સપના શાંતિથી ઊંઘવા દે અને હૃદયને આનંદ આપે તે જ સુખ આપે. સપનાની પાછળ ભાગવામાં ક્યાંક કોઈ રોગ ઘર ન કરી જાય એ પણ જોવું પડે. મોટા માણસ બનવાની ઈચ્છા જીવન ટૂંકાવી દે એવું ન જ થવા દેવાય. જે આપણાથી થઇ શકે છે તેને પામવાની ઈચ્છા રખાય. સપના આંખોથી મોટા થાય તો એ સપના ક્યારેક આંશુ પણ આપી શકે.

ઈશ્વરે તો દરેક માણસને સમાન બનાવ્યા છે. પણ માણસ પોતે નાનો મોટો બની જાય છે. જ્ઞાન પૂજાય કે પૈસો એ ચર્ચાનો વિષય છે. સત્તાનું જોર વધારે કે પૈસાનું એ પણ ચર્ચી શકાય. પણ માનવતાને અવગણીને કરવામાં આવેલુ દરેક કાર્ય સમાજને નકારાત્મક દિશા આપે છે તે હકીકત છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: કોઈ સામાજિક, રાજકીય કે આર્થિક વિચારધારા સાથે સંકળાયેલ વ્યક્તિ કશું ખોટું કરે તો એની જવાબદારી કોની ગણાય?

મેં એક સરપંચને એની વિચારધારા અને એમના નેતૃત્વને મન આપીને એક કામ સોંપ્યું હતું. એમને નેવું ટકા એડવાન્સ પણ આપ્યા. એ વરસાદનું બહાનું કાઢીને છટકી જતા. સરકારે રસ્તા તોડી નાખ્યા છે. પાણી ભરાઈ ગયું છે. જેવા બહાના પણ કાઢ્યા. અંતે મેં એમને મળીને વાત કરી કે તમે પૈસા લીધા છે. સરકારનો વાંક કાઢવાનો અર્થ નથી. વળી રસ્તા તો નવા છે અને પાણી પણ નથી. તો એમણે મને કહ્યું કે મોટા નેતા કૌભાંડ કરે છે એમને કહો ને. મને શા માટે કહો છો? મેં તો એમની વિચારધારાને માન આપીને વિશ્વાસ કર્યો હતો. એમના નેતા સજ્જન છે. આ માણસ તો એમને પણ બદનામ કરે છે. ,મારે શું કરવું જોઈએ? મેં તપાસ કરી તો ખબર પડી કે એમણે મારા જેવા ઘણા લોકોને છેતર્યા છે. એ તો એવું પણ કહે છે કે એમને ઉપરથી જ આવું કરવા કહે છે.

જવાબ: તમે જયારે આર્થિક વ્યવહાર કર્યો ત્યારે એમના નેતાને વચ્ચે રાખ્યા હતા? તો પછી એમને દોષ પણ ન આપી શકાય. કોઈ પણ વિચારધારા સાથે સમાન વિચારધારા ધરાવતા લોકો જ જોડાય એ સમય પૂરો થઇ ગયો છે. ક્યારેક પોતાના સ્વાર્થ માટે પણ લોકો આવી પ્રવૃતિમાં જોડાય છે. વળી આટલા બધા પૈસા એડવાન્સ તરીકે ન જ અપાય. પેલા ભાઈ એની જગ્યાએ ખોટા જ છે. એ પોતાના કારણે એમના નેતાને પણ બદનામ કરી રહ્યા છે. એમની પસંદગીમાં એમના નેતા થાપ ખાઈ ગયા હોય એવું બને. વળી પ્રચલિત લોકોને પસંદ કરવામાં ક્યારેક યોગ્યતા ન જોવાય એવું પણ બને. જે માણસ પોતાના નેતાને જ સન્માન નથી આપતો એની કોઈ વિચારધારા ન હોઈ શકે. એ માણસ ખોટો છે. પણ આવો આંધળો વિશ્વાસ મુકવાનું પણ યોગ્ય તો નથી જ. તમે જો કોઈ લખાણ કર્યું હોય તો એના આધારે એમના પર કેસ કરી શકો. એમના નેતાને પત્ર લખીને જાણ કરો. જો એ સાચે જ સારા હશે તો ચોક્કસ મદદ કરશે.

વળી કેટલાક લોકો મોટા માણસોનું નામ લઈને છેતરતા હોય છે. જેની એમના નેતાઓને જાણ પણ નથી હોતી. આવા લોકોને ચુંટવા એ મુર્ખામી છે. અને એ પછી ફરિયાદ કરવી એ પણ ખોટી વાત છે. દરેક વિચારધારા સારી જ હોય છે. એનું પાલન કરવાવાળા લોકો અલગ હોઈ શકે. તમારી સાચી વાત અન્યને પણ કહો જેથી અન્ય કોઈ ન છેતરાય. પશ્ચિમનો અક્ષ અથવા અગ્નિ દિશા નકારાત્મક હોય ત્યારે છેતરાવાનો પ્રસંગ બની શકે. ગુરુવારે શ્રી સૂક્તમ અને પુરુષ સુક્તમના પાઠ કરો.

સૂચન: કોઈને છેતરીને સુખી થવાતું નથી. સામે વાળી વ્યક્તિની નકારાત્મકતા સુખમાં બાધક બને છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ : ખાસ સબંધની સમજણ સાથે શરૂઆત

લગ્નજીવનની શરૂઆત એક એવી સ્વપ્નનગરી છે, જે દરેક માટે ખાસ છે. ખુલ્લી આંખોના શમણાં જયારે નજર સામે આકાર લઇ રહ્યા હોય અને ભાવિ પણ તમારા આ સબંધનો સુવર્ણ લેખ લખવા થનગની રહ્યું હોય ત્યારે ઉતાવળી બનતી જતી લાગણીઓનો આવેશ ઘણીવાર બેબાક બની જાય છે.

પરંતુ ક્યારેક એવું બને કે વાસ્દુતવની દુનિયામાં પ્રવેશતાં જ આ સપનાંઓ ચૂરચૂર થઇ જાય. એક સમય હતો, જયારે આપણી આસપાસનું વર્તુળ નાનું રહેતું. આજે સોશિયલ મિડીયાના કારણે એક જ ક્લિકમાં અનેકની જિંદગીમાં ઝાંકી શકાય છે એટલે એ ટાઇમલાઇન પર જે દેખાય છે એની અસર આપણા જીવન પર પડ્યા વિના રહેતી નથી. ટ્રેન્ડ, ફેશન અને દેખાદેખી અનેક સબંધોનો ભોગ લઇ રહ્યા છે. એવામાં યોગ્ય દિશામાં લેવાયેલા સાચા નિર્ણયોનું મહત્વ ઘણું જ વધી જાય છે.

સગાઈ પછી અને લગ્ન પહેલાં અથવા તો કોઈપણ રિલેશનશીપને નામ આપતાં પહેલાં તમે એના પ્રત્યે કેટલા ગંભીર છો એ જાણવું બહુ જ જરૂરી છે. અજાણતાં જ કે પછી ભાવાવેશમાં ઘણી વખત નિર્ણયો ખોટા સાબિત થતા હોય છે. ફક્ત લાગણીઓના ભાથાથી જીવનનિર્વાહ થઇ શકતો નથી. જો આ વાતથી તમે સભાન ના હોય અને માત્ર દુનિયાદારી, કુટુંબ અને ‘લોકો શુ કહેશે’ એ જ ભાવનાથી લગ્ન કરી રહ્યા હો તો એ એક ગુનો જ છે,પોતાના પ્રત્યે અને તમારા સાથી પ્રત્યે.

ખાસ કરીને અરેન્જ મેરેજમાં, જ્યાં એકબીજાને લગ્ન પહેલાં ઓળખવાનો અવસર ઓછો મળે છે, જે લોકોની રહેણીકહેણી અને ક્લ્ચર એકબીજાથી અલગ છે એ લોકોએ આ વિશે વધુ જાગૃત રહેવાની જરૂર હોય છે, કેમકે જયારે તમે તમારી જિંદગીની ખૂબસુરત સફર માટે સાથીની પસંદગી કરો છો ત્યારે તમે માત્ર એક સાથી જ નથી ચૂંટતા. તમે તેના સ્વભાવ, ઈમોશન્સ અને તેના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય સાથે પણ જોડાવ છો.

એક જ વાર ઉજવાતાં વેડિંગ-ડે માટે આપણે કેટલા સભાન હોઈએ છીએ કે વેડિંગ પ્લાનર્સ, સાથે મહિનાઓની ચર્ચા માત્ર એક જ દિવસની ઉજવણી માટે કરીએ છીએ, પણ જીવનભર નભતા સબંધના સારા સ્વાસ્થ્ય માટે આપણી પાસે ખરેખર કોઈ પ્લાન છે?

આનો જવાબ છે પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ.

પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ લગ્ન પહેલાં કપલને પોતાના જીવનના મહત્વના મુદ્દાઓ પર ખુલીને વાતચીત અને ચર્ચા કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ પુરુ પાડે છે. પ્રોફેશનલ કાઉન્સેલર્સ દ્વારા આપણે જિંદગીની સફરમાં ઘડાતી બદલાતી રહેતી લાગણીઓ, જરુરિયાતો, આદતો અને રહેણીકહેણીને પ્લાન કરી શકીયે છીએ.એક્સપર્ટ કાઉન્સેલર્સ તમને તમારા સાથી સાથે સબંધની મજબૂતી માટે ઈમોશનલી અને પ્રેક્ટિકલી તૈયાર કરે છે કે જેથી તમે સારા કોમ્યુનિકેશન અને બિહેવિયરથી તમારા સબંધને નવી દિશા આપી શકો.

 

આ કાઉન્સેલર્સ તમને બહેતર ભવિષ્ય માટે ઘણા મુદ્દાઓ ચર્ચવા તૈયાર કરે છે. ઉદાહરણ તરીકે, ફાઇનાન્સ, ઇન્ટિમેસી ઇસ્યુઝ, કૌટુંબિક બાબતો, ધાર્મિક માન્યતાઓ, રિવાજો, વ્યક્તિગત માન્યતાઓ, બાળકો વિશેના વિચારો અને બીજું ઘણુંબધું. આ મુદ્દાઓ પર ચર્ચા કરીને એકબીજાના વિચારોને સારી રીતે સમજી શકો છો અને એકબીજાના નિર્ણયોને માન આપવાની ક્ષમતા કેળવી શકો છો.

તમે એકબીજા સાથે કેટલા ગંભીર અને પ્રતિબદ્ધ છો તે સમજવા કાઉન્સેલર્સ ઘણી વખત વ્યક્તિગત કાઉન્સેલિંગ કરે છે. લગ્ન પહેલાં ઘણી મહત્વપૂર્ણ પદ્ધતિથી કાઉન્સેલિંગ થાય છે. તેમાં ગોટમેન પદ્ધતિ, EFT પદ્ધતિ, સાયકોડાયનેમિક કપલ્સ થેરાપી મુખ્ય છે, જેમાં ભાવનાત્મક સબંધો પર ભાર મુકવામાં આવે છે.

પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગના ફાયદા

એનાથી એકબીજા સાથે ખુલીને ચર્ચા કરવાની તક મળે છે. એકબીજાના વ્યક્તિત્વના અવનવા પાસાંઓને સમજવાનો મોકો મળે છે. ઘણા કિસ્સાઓમાં વ્યક્તિ પોતાના ભૂતકાળ વિશે ચિંતિત હોય છે, પણ યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા તે ભવિષ્યમાં એ વિશે વધુ સભાન રહી શકે છે. કોઈપણ પ્રોબ્લેમ માટે એકબીજાને જવાબદાર ના ગણતાં પરિસ્થિતિ કે સંજોગો સાથે લડવા માનસિક રીતે તૈયાર થઇ શકે છે.

વર્તમાન સમયમાં દરેક પ્રકારની સગવડ હોવા છતાં એકબીજાને અનુરૂપ થઇને રહેવાનું કઠિન થતું જાય છે. સમાજમાં બનતા અનિચ્છનીય બનાવોના પરિણામે કપલ એકબીજા પ્રત્યે માનસન્માન ખોઈ રહ્યા છે. સમાજ એકાદ વ્યક્તિને લીધે પૂરી જેન્ડર વિશે જજમેન્ટ લઇ રહ્યો છે, પણ હકીકતમાં તો કોઈપણ સબંધ તૂટવામાં કે નિષ્ફળ જવામાં કોઈ એક વ્યક્તિનો વાંક હોતો જ નથી. ઘણી વખત પરિસ્થિતિ એટલી હદે બગડે છે કે તેમાં એક્સપર્ટ પણ કંઈ જ કરી શકતા નથી. સો, બેટર ટુ બી પ્રિપેર ઇન એડવાન્સ. પ્રિ-વેડિંગ કાઉન્સિલ એમાં મદદ કરી શકે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

…અને આર.કે.એ બધા સીન નાખ્યા કચરાટોપલીમાં!

હાલ હિંદી સિનેમાના મહાન શોમૅન રાજ કપૂરની જન્મશતાબ્દીની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે, એમની વિવિધ ફિલ્મોની, વિવિધ લોકો, વિવિધ વાતો કરી રહ્યા છે. આર.કે.ની ક્લાસિક ફિલ્મોની પંક્તિમાં બેસનારી એક ફિલ્મ એટલે ‘જાગતે રહો.’ આ ફિલ્મમાં આપણી ભાષાના તેજસ્વી એક્ટર-ડિરેક્ટર કૃષ્ણકાંત ભૂખણવાળા એટલે સ્વ. કે.કે. પણ હતા. કે.કે. સાથે સુરતના એમના નિવાસસ્થાને અવારનવાર લીધેલી મુલાકાતોમાંની એકમાં એમણે ‘જાગતે રહો’ના એમના અનુભવ વર્ણવેલા. તમે પણ મમળાવોઃ

૧૯૫૫માં રાજ કપૂરે એકસાથે હિંદી-બંગાળી ભાષામાં બનનારી આગામી ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી. બંગાળીના પ્રખ્યાત નાટ્યકાર-દિગ્દર્શક-અભિનેતા શંભુ મિત્રા અને અમિત મૈત્ર ફિલ્મો ડિરેક્ટ કરશે. ફિલ્મનાં શીર્ષકઃ ‘જાગતે રહો’ (હિંદી) ‘એક દિન રાત્રી’ (બંગાળી).

વાર્તા આટલી જઃ શહેરમાં નવાસવા આવેલા એક ગામડિયા (રાજ કપૂર)ને તરસ લાગે છે. પીવાનું પાણી શોધવા એ ફાંફાં મારતો હોય છે. આવી હરકતના લીધે એને ચોર ધારી લેવામાં આવે છે. પાછળ પડેલા ટોળાથી બચવા એ ગભરાઈને એ શહેરના એક મહોલ્લામાં મોટા મકાનની ઓરડીઓમાં સંતાતો ફરે છે. આ રીતે એને મુંબઈ (અને કલકત્તા)નાં નગરજનો તથા એમની અસલિયતનો પરિચય થાય છે.

વાર્તા ટૂંકી, પણ પાત્રો બેશુમાર હતાં, જે માટે હિંદી-બંગાળી બોલી શકતા હોય એવા એક્ટરોને પહેલાં પસંદ કરવામાં આવ્યા. ડિરેક્ટરોએ જાતે કલાકારો ફાઈનલ કર્યા. કે.કે.ની પસંદગી પણ થઈ. આ માટે એમને (બંને ભાષાની ફિલ્મોમાં કામ કરવાના) માત્ર ૬૦૦ રૂપિયા ઓફર થયા. રકમ બહુ ઓછી હતી, પણ આર.કે.નું બૅનર હતું. વળી બે-ત્રણ દિવસનું જ શૂટિંગ હતું એટલે કે.કે.એ હા પાડી દીધી.

‘જાગતે રહો’ અને ‘એક દિન રાત્રી’માં રાજ કપૂર, નરગિસ ઉપરાંત મોતી લાલ, પહાડી સાન્યાલ, છબિ બિશ્વાસ, પ્રદીપકુમાર, સુમિત્રાદેવી, નાના પલસીકર, ઈફ્તખાર, કિશન ધવન, ડેઝી ઈરાની, વગેરે હતાં. લેખન હતું ખ્વાજા અહમદ અબ્બાસનું. “જિંદગી ખ્વાબ હૈ,” “જાગો મોહન પ્યારે,” “મૈં કોઈ જૂઠ બોલ્યા,” જેવાં શૈલેન્દ્ર-પ્રેમ ધવને લખેલાં ગીતોને સંગીતથી સજાવ્યાં સલિલ ચૌધરીએ.

બંને ભાષાની ફિલ્મનાં સ્ટાર્ટ-ટુ-ફિનિશ શૂટિંગ થવાનાં હતાં. મુંબઈ-કલકત્તાનો માળો, માળાની રૂમો, પરસાળ, વગેરેના સેટ્સ આર.કે. સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યા, જે જોવા લોકોનાં ટોળેટોળાં આવતાં. કે.કે. તથા અન્ય કલાકારોના સીન એમની રૂમના સેટમાં શૂટ થયા. બાકીનાં દૃશ્ય દસ માળની બિલ્ડિંગના આગલા ભાગ (ફ્રન્ટ)નો સેટ લાગે ત્યારે લેવાનાં હતાં, પણ…

…પણ અચાનક ‘જાગતે રહો’નું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું. કોઈને કંઈ ખબર નપડી. એકાદ મહિનાના વિરામ બાદ કે.કે. તથા બીજા કલાકારોની ફરી તારીખો લેવામાં આવી. શૂટિંગના દિવસે કે.કે. જ્યારે આર.કે. સ્ટુડિયો પહોંચ્યા તો એમનાં દશ્યોવાળો સેટ ફરીથી ઊભો કરવામાં આવ્યો હતો. બધા સીન નવેસરથી શૂટ કરવાના છે. શું કામ? કંઈ ખબર નહીં. કે.કે.ને ટેન્શન થયું કે શું એમનાથી કંઈ ભૂલ થઈ હશે? પણ શૂટિંગ વખતે તો ડિરેક્ટરો શંભુ મિત્રા-અમિત મૈત્રે કહેલું “કામ સરસ થયું છે.” તો પછી રિ-શૂટ શું કામ? મેકઅપ કરીને કે.કે. સેટ ૫૨ ગયા ત્યાં રાજ કપૂર પણ હતા. એમણે એટલું જ કહ્યું, “કે.કે.જી, આપકે સીન ફિરસે શૂટ કરતે હૈ.”

-અને અગાઉ જેટલું શૂટિંગ થયું હતું તે બધું કચરાટોપલીમાં પધરાવી રાજ કપૂરે નવેસરથી શૂટ કર્યું. ડિરેક્ટરો શંભુ મિત્રા-અમિત મૈત્ર શૂટિંગ દરમિયાન એક ખુરશી પર બેસી રહ્યા. પહેલાં શૂટ થયેલા સીનથી રાજ ખુશ નહોતા એવું બની શકે.

ફિલ્મમાં બધા જ સીન રાતના હતા એટલે શૂટિંગ રાતે ૯થી સવારે ૫ સુધી ચાલતું. કે.કે. સહિત મોટા ભાગના કલાકારો મુંબઈના પશ્ચિમી પરામાં રહેતા એટલે ખાસ્સે દૂર, ચેમ્બુરમાં આવેલા આર.કે. સ્ટુડિયો જવા-આવવા રાજ કપૂરે બસની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત આગતાસ્વાગતા, નાસ્તા-ભોજન-ચા-કોફીનું પણ ધ્યાન રાખવામાં આવતું.

જોતજોતાંમાં કે.કે.નું બે-ત્રણ દિવસને બદલે ૨૦ દિવસ શૂટિંગ ચાલ્યું. અંતે શૂટિંગ પૂરું થયું ને ફિલ્મ રિલીઝ થઈ. આ એક વેગળા વિષયની ફિલ્મ હતી, સામાજિક નિસબતવાળી ‘જાગતે રહો’ને ટિકિટબારી પર સફળતા ન મળી, પણ ચેકોસ્લોવાકિયાના પ્રતિષ્ઠિત ‘કાર્લોવી વેરી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં એને ગ્રાં પ્રિ એવૉર્ડ મળ્યો. સોવિયેત બૉક્સ ઓફિસ પર એણે ઘણો સારો કહેવાય એવો બિઝનેસ કર્યો. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે એની કદર થતાં અહીંના ફિલ્મપ્રેમીમાં કુતૂહલ જાગ્યું અને એ ક્લાસિકની હરોળમાં બિરાજી.

કે.કે. એમની આત્મકથામાં (સંપાદનઃ બિરેન કોઠારી) નોંધે છેઃ “વ્યક્તિગત હિસાબ માંડું તો નક્કી થયેલા છસ્સો રૂપિયા વસૂલ કરવા જતાં મારા બા૨સો રૂપિયા ખર્ચાઈ ગયેલા, પણ રાજ કપૂરના દિગ્દર્શનમાં કામ કરવાનો અનુભવ યાદગા૨ ૨હ્યો.”