
અગ્નિવીરવાયુ ભરતી 2025 નું જાહેરનામું બહાર પડ્યું
ઇન્ડિયન એર ફોર્સ (IAF) એ અગ્નિવીરવાયુ 2025 ભરતીની સૂચના બહાર પાડી છે. અરજી પ્રક્રિયા 7 જાન્યુઆરી 2025 થી શરૂ થશે અને 27 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ agnipathvayu.cdac.in ની મુલાકાત લઈને નિયત છેલ્લી તારીખે અથવા તે પહેલાં અરજી કરી શકે છે. ચાલો જાણીએ કે ઉમેદવાર પાસે કઈ લાયકાત હોવી જોઈએ અને અગ્નિવીરવાયુની જગ્યાઓ માટે અરજી કરવાની ઉંમર કેટલી હોવી જોઈએ.

ઉમેદવારો ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સૂચના ચકાસી શકે છે. અરજી કરનાર ઉમેદવારની જન્મ તારીખ 1 જાન્યુઆરી 2005 થી 1 જુલાઈ 2008 ની વચ્ચે હોવી જોઈએ. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જો ઉમેદવાર પસંદગી પ્રક્રિયાના તમામ તબક્કાઓ પસાર કરે છે, તો નોંધણીની તારીખે તેની મહત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
કોણ અરજી કરી શકે છે?
વિજ્ઞાન પ્રવાહ માટે, ઉમેદવારે ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે 50% ગુણ સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ. તે જ સમયે, ઉમેદવારે 50 ટકા ગુણ સાથે અંગ્રેજી પણ પાસ કરવું જોઈએ. તે જ સમયે, 50% માર્ક્સ સાથે એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. વિજ્ઞાન સિવાય, કોઈપણ પ્રવાહમાંથી 50% માર્ક્સ સાથે 12મું પાસ કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. વધુ યોગ્યતા સંબંધિત માહિતી માટે, ઉમેદવારો બહાર પાડવામાં આવેલ સૂચના ચકાસી શકે છે.
અરજી ફી?
નોંધણી કરાવનાર ઉમેદવારોએ રૂ. 550 પરીક્ષા ફી અને જીએસટી ચૂકવવો પડશે. એપ્લિકેશન ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ચૂકવી શકાય છે.
આ રીતે અરજી કરો
સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાઓ.
અગ્નિવીરવાયુ ભરતી 2025 ની લિંક પર અહીં ક્લિક કરો.
હવે નોંધણી કરો અને અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
ફી ચૂકવો અને સબમિટ કરો.
પસંદગી કેવી રીતે થશે?
CBT પરીક્ષા, શારીરિક કસોટી, દસ્તાવેજોની ચકાસણી અને તબીબી પરીક્ષા દ્વારા અગ્નિવીરવાયુની જગ્યાઓ માટે અરજદારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારો (વિજ્ઞાન અથવા અન્ય) દ્વારા પસંદ કરાયેલા વિષયોના આધારે પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મોટો નિર્ણય લીધો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મોટો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં યોજાયેલી મંત્રી પરિષદની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) સહિતના તમામ ઉદ્યોગોના હિતમાં એક મોટું પગલું ભર્યું છે. વાસ્તવમાં રાજ્ય સરકારે ઔદ્યોગિક વસાહતો માટે જમીન ફાળવણી અંગે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની નીતિમાં જરૂરી સુધારા કર્યા છે. જેને લઈને જીઆઈડીસીમાં જમીન ફાળવણીની પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બની છે. રાજ્યના પ્રવક્તા મંત્રી હૃષીકેશ પટેલે આ માહિતી આપી છે.
જીઆઈડીસીમાં જમીન ટ્રાન્સફર
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક વસાહત માટેની સરકારી બંજર જમીન જી.આઈ.ડી.સી.માં તબદીલ કરવામાં આવે છે. આ પછી GIDC આ જમીન ઉદ્યોગો માટે ફાળવે છે. આજે પ્રવર્તતી પ્રણાલી મુજબ સરકારી જમીનના ભાવ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બનેલી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ પછી જીઆઈડીસીને નિયત ભાવે જમીન ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયા પછી, એવું જોવામાં આવ્યું કે ઘણા કિસ્સાઓમાં જમીનની કિંમતો હાલની મર્યાદાઓ કરતાં વધુ હતી.
ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020
આવી તમામ સમસ્યાઓનું નિરાકરણ કરીને ગુજરાત સરકારે જમીન ફાળવણીની પ્રક્રિયાને ઘણી સરળ બનાવી છે. હવે ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020 હેઠળ, ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કરવામાં આવેલા વર્ગીકરણ મુજબ GIDCને કુલ 3 કેટેગરીમાં સરકારી બંજર જમીન ફાળવવામાં આવશે. આ મુજબ કેટેગરી-1માં સમાવિષ્ટ 119 તાલુકાઓની નાની વિકસિત જીઆઈડીસીને હાલની ઔદ્યોગિક મશીનરીના દરે જમીન ફાળવવામાં આવશે. જ્યારે કેટેગરી-2માં સમાવિષ્ટ 76 તાલુકાઓની મધ્યમ વિકસિત જીઆઈડીસીને હાલની ઔદ્યોગિક મશીનરીના 125 ટકાના દરે જમીન ફાળવવામાં આવશે. આ ઉપરાંત કેટેગરી-3માં સમાવિષ્ટ 56 તાલુકાની વિકસિત જીઆઈડીસીને 150 ટકાના દરે જમીન ફાળવવામાં આવશે.
મુંબઈ: કાંદિવલી ખાતે ‘મુંબઈ સાહિત્યોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું
મુંબઈ: કાંદિવલી ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કેઈએસ ગુજરાતી ભાષાભવનના સંયુક્ત ઉપક્રમે ‘મુંબઈ સાહિત્યોત્સવ’ ઉજવાયો હતો. કાંદિવલીની કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના હૉલમાં સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ સત્રના આરંભમાં કવિ મુકેશ જોશીએ ઉમળકાભેર સાહિત્ય રસિકોને આવકાર આપ્યો હતો. સંજય પંડ્યાએ સર્વોત્તમ સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના કેટલાંક ઉત્તમ સ્વરાંકન યાદ કરી અંજલિ આપી હતી અને જણાવ્યું કે પુરુષોત્તમભાઈએ 30 નાટકો અને 20 ફિલ્મમાં સંગીત આપ્યું હતું. ગાયક સુરેશ જોશીએ પુરુષોત્તમ ઉપાધ્યાયનાં સ્વરાંકનવાળી નરસિંહ મહેતાની રચનાની રજૂઆત કરી હતી. જ્હોની શાહે નિરંજન ભગતની એક રચના રજૂ કરી અને બંનેએ સાથે મળીને કલાપીની ‘ગ્રામ્યમાતા’નું અદભૂત ગાન કર્યુ હતું.

સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કવિ, લેખક ભાગ્યેશ જહાએ ગુજરાતી ભાષા વિશે વાત કરી હતી. વરિષ્ઠ સર્જક તથા કેઈએસ ગુજરાતી ભાષાભવનના અધ્યક્ષ દિનકર જોશીએ શબ્દ અને સાહિત્યના આ ઉત્સવની સરાહના કરી હતી. મુંબઈના વરિષ્ઠ લેખક દીપકભાઈએ દલપતરામની એક કાવ્યપંક્તિથી શરૂઆત કરી હતી. મીતા ગોર મેવાડાએ ઉમાશંકર જોશી લિખિત વાર્તા ‘બારણે ટકોરા’ ઉપરથી સતિષ વ્યાસ લિખિત એકોક્તિ રજૂ કરી હતી. એકોક્તિ લેખિકા કલાકાર કિરણ બૂચે અને અદાકારા સેજલ પોન્દાએ એકોક્તિ રજૂ કરી હતી. આ દરમિયાન ડૉ.હિતેશ પંડ્યાએ સંચાલન સંભાળ્યુ હતું. પ્રથમ નિબંધનું વાચિકમ તખ્તાના વરિષ્ઠ કલાકાર રાજુલ દીવાને કર્યું.જ્યારે બીજો નિબંધ કવિ તથા કલાકાર દિલીપ રાવલે પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યો હતો.અભય દોશીએ અભ્યાસી વક્તવ્ય રજૂ કર્યુ હતું. નાટ્ય કલાકાર પ્રીતા પંડ્યાએ પણ ખાસ રજૂઆત કરી હતી.

આ ઉપરાંત કલાકાર પ્રતાપ સચદેવે નિબંધ ‘મોરું ‘ વાંચ્યો હતો. ડૉ. દર્શના ઓઝાએ વક્તવ્ય આપ્યું હતું તો ગુજરાત સાહિત્ય અકાદમીના જયેન્દ્રસિંહ જાદવે પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. દિગ્દર્શક તથા કલાકાર એવામેહુલ બૂચે ટૂંકી વાર્તાનું વાચિકમ કર્યું અને એ સત્રમાં સમીરા પત્રાવાલાનું સંચાલન હતું. ડૉ. દશરથભાઈ પટેલ ટૂંકી વાર્તા વિશે અભ્યાસી વક્તવ્ય આપ્યું. ટૂંકી વાર્તા બાદ કથાકથનમાં ભામિની ઓઝા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘ભાઈ ‘ રજૂ કરી હતી. બીજી વાર્તા પ્રતાપ સચદેવે ધૂમકેતુ લિખિત’પોસ્ટ ઓફિસ’ સંભળાવી હતી.
ચોથા સત્રનું સંચાલન ડૉ.ખેવના દેસાઈએ કર્યુ હતું. કાવ્યોત્સવમાં ગઝલકાર રાજેશ હિંગુ તથા સુરેશ ઝવેરી છવાઈ ગયા. વરિષ્ઠ કવયિત્રી સંસ્કૃતિરાણી દેસાઈ, કવિ ભાગ્યેશ જહા તથા કવિ હિતેન આનંદપરાની રચનાઓ બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. ગાયક કલાકાર નિશા કાપડિયા અને આલાપ દેસાઈએ પોતાને ગમતાં ગીતો રજૂ કર્યાં.મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સ્નેહલ મુઝુમદારે દોઢ દિવસના સાહિત્યના ઉત્સવ માટે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો આભાર માન્યો અને એ સંદર્ભે શાર્દુલવિક્રિડિત છંદમાં કાવ્ય રજૂ કર્યુ હતું.

કાર્યક્રમનું સમાપન ભાગ્યેશભાઈ રચિત અકાદમીના રેકોર્ડ થયેલા ગીતથી કરવામાં આવ્યું હતું. દોઢ દિવસના ઉત્સવમાં અભ્યાસી વક્તવ્ય થયાં અને ઉત્તમ રજૂઆત દ્વારા પણ વાર્તા, નિબંધ અને કાવ્યોને શ્રોતાઓના હૃદય સુધી પહોચાડ્યાં.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, આપણું આંગણું બ્લોગ, કવિશા હોલિડેઝ, ઝરૂખો, લેખિની, પરિચય ટ્રસ્ટ, ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશન, પ્રગતિ મિત્ર મંડળ, કલા ગુર્જરી, સાઈ સાર્વજનિક ટ્રસ્ટ જેવી કેટલીક સંસ્થાઓનો આ આયોજનમાં સહયોગ હતો પણ શિરમોર સમો સથવારો કેઈએસ ગુજરાતી ભાષાભવન તથા કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના વ્યવસ્થાપકોનો હતો જેમણે બધી વ્યવસ્થા માટે પોતાની ટીમ ખડે પગે રાખી હતી. કવિ ભાગ્યેશ જહા તથા કવિ હિતેન આનંદપરાની પરિકલ્પનાવાળા આ કાર્યક્રમને ઘણા બધાંનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ સાંપડ્યો હતો.
સેન્સેક્સ 966, નિફ્ટી 24,000ની અંદરઃ રોકાણકારોના 11 લાખ કરોડ સ્વાહા
અમદાવાદઃ ખરાબ વૈશ્વિસ સંકેતોને પગલે ઘરેલુ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી અને સેન્સેક્સ એક ટકાથી વધુ તૂટ્યા હતા. જોકે મિડકેપ અને સ્મોલકેપ નીચલા સ્તરેથી સુધરીને બંધ રહ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 10.5 લાખ કરોડ ડૂબ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વના નિવેદનોને કારણે સેન્સેક્સ 966 પોઇન્ટ તૂટીને 80,000ની નીચે આવ્યો હતો, જ્યારે નિફ્ટી 236 પોઇન્ટ તૂટીને 24,000ની નીચે બંધ આવ્યો હતો. જેને પગલે રોકાણકારોના આશરે રૂ. 2.62 લાખ કરોડ ડૂબ્યા હતા. વિદેશી રોકાણકારોની વેચવાલીથી અને ડોલરના મુકાબલે રૂપિયો 85ને પાર થતાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું. સૌથી વધુ ઘટાડો IT શેરોમાં થયો હતો.
અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો, પણ વર્ષ 2025માં વ્યાજદરમાં કાપ ધીમો કરવાની વાત કરતાં બે વાર ઘટાડો કરવાના નિર્દેશ આપ્યા હતા. જેને પગલે રોકાણકારો નિરાશ થયા હતા. જેથી BSE સેન્સેક્સ 966 પોઇન્ટ તૂટીને 79,218ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 247 પોઇન્ટ તૂટીને 23,952ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી બેન્ક 564 પોઇન્ટ તૂટીને 51,576ના સ્તરે બંધ થયો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4095 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1693 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2299 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 103 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 221 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 56 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે 337 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 225 શેરોમાં નીચલી સરકિટ લાગી હતી.
‘મસાલી’ બન્યું દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ
પાકિસ્તાન બોર્ડરથી 40 કિમીના અંતરે આવેલા સુઈગામના મસાલીને દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બનવાનું બહુમાન મળ્યું છે. 800ની વસ્તી ધરાવતાં આ ગામમાં 119 ઘરે રૂફટોપથી 225.5 કિલોવોટ વીજળી ઉત્પાદન કરવામાં આવી રહી છે. આ માટે 1 કરોડ 16 લાખનો ખર્ય કરાયો છે. દેશમાં સૌરઉર્જા થકી વીજ ઉત્પાદનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે પી.એમ.સૂર્યઘર મફત વીજળી યોજના અમલી છે. જેનો ફાયદો દેશના લોકો લઈ રહ્યા છે.

24 કલાક મળી રહેશે વીજળી
રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ માટે કમિટી બનાવવામાં આવી છે. બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે.
પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો

દેશમાં ‘ગ્રીન અને ક્લીન એનર્જી’ના મંત્ર થકી દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ.સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ 1 કિલોવોટથી 2 કિલો વોટ સુધી 30,000 અને 2 કિલો વોટથી 3 કિલો વોટ સુધી રૂ. 1,8000 તથા 3 કિલો વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂ.78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે.
રાજ્યનું બીજું સોલાર વિલેજ

કલેક્ટર મિહિર પટેલ જણાવે છે કે, બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત છે કે, રાજ્યનું મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું બિરુદ સુઈગામના મસાલીને મળ્યું છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 1 કરોડ સોલાર ઘર બનાવવા માટેની નેમ લીધી છે, ત્યારે જિલ્લાના આંતરાષ્ટ્રિય સરહદને અડીને આવેલા 17 જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે, જે કામગીરી પ્રગતિ હેઠળ છે.
લાઇટબિલ ભરવામાંથી મળી કાયમી મુક્તિ

માધપુરા મસાલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મગનીરામ રાવલ અને ગામના આગેવાનોએ જણાવ્યું કે, સોલાર થકી ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. હવે અમને લાઇટબિલ ભરવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. તેઓ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માને છે.
119 ઘર પર લગાવાયા સોલાર રૂફ્ટોપ

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે. કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફ્ટોપ લગાવવામાં આવ્યા છે.
225.5 કિલોવોટ વીજળી ઉત્પાદન

રેવન્યૂ વિભાગ, યુ.જી.વી.સી.એલ, બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1 કરોડ 16 લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો. જેમાં પી.એમ.સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ સી.એસ.આર થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે.
આત્મનિર્ભરતા માટેનો પ્રયાસ
રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યૂચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ.સૂર્યઘર મફત વીજળી યોજના અમલી છે. જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઈલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે. ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઊર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દૃષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કર્યા છે.
‘કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર-2024’ માટે ગુજરાતી લેખિકા હિમાંશી શેલતની પસંદગી
અમદાવાદ: સુપ્રસિદ્ધ ગુજરાતી લેખિકા હિમાંશી શેલતને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2024 માટે તેમના નામની પસંદગી કરવામાં આવી છે. સ્વ. કવિ કુવેમ્પુની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે. 77 વર્ષીય હિમાંશી શેલતને જાન્યુઆરી 2025માં એવોર્ડ એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રકવિ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2013માં આ સાહિત્યિક પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કોઈપણ ભારતીય ભાષામાં શ્રેષ્ઠ સાહિત્ય સર્જન કરનાર સર્જકોને પ્રતિવર્ષ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. પુરસ્કારમાં રજત ચંદ્રક અને પ્રમાણપત્ર ઉપરાંત રૂપિયા પાંચ લાખની રોકડ રકમનો સમાવેશ થાય છે. વર્ષ 2024ના આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે ટ્રસ્ટના અધ્યક્ષ બી. એલ. શંકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ સર્વસંમતિથી ડૉ. હિમાંશી ઈન્દુલાલ શેલતની ગુજરાતી ભાષામાં તેમનાં પ્રદાન માટે તેમજ ભારતીય સાહિત્યને સમૃદ્ધ બનાવવા માટે પસંદગી કરી છે.
પસંદગી સમિતિના સભ્યો
ગુજરાતી લેખક અને અનુવાદક શરીફા વીજળીવાળા, સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ સચિવ અગ્રહાર કૃષ્ણમૂર્તિ અને કન્નડ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ પ્રોફેસર પુરુષોત્તમ બિલિમલે પસંદગી સમિતિના સભ્યો હતાં.
કોણ છે હિમાશી શેલત?
હિમાશીબેનનો જન્મ 8મી જાન્યુઆ, 1947ના રોજ સુરતમાં થયો હતો. સુરતની એમ.ટી.બી. કોલેજમાંથી અંગ્રેજી મુખ્ય વિષય સાથે એમ.એ. કર્યા બાદ એ જ કોલેજમાં લાંબા સમય સુધી તેમણે અધ્યાપન કાર્ય પણ કર્યું. હિમાંશીબેન શેલતે વી. એસ. નાયપોલની નવલકથાઓ પર પી.એચ.ડી. કર્યુ હતું. તેમણે નિબંધો, નવલકથાઓ, વિવેચકો અને અનુવાદિત કૃતિઓ સહિત 20 પુસ્તકો લખ્યાં છે. તેમણે ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે વર્ષ 1995માં લગ્ન કર્યા હતા. વિનોદભાઈનું વર્ષ 2009માં અવસાન થયું હતું.
હિમાશીબેનના પ્રસિદ્ધ પુસ્તકોમાં ઘટના પછી, આઠમો રંગ, સપ્તધારા, અંધારી ગલીમાં સફેદ ટપકાં, ગર્ભગાથા વગેરે મુખ્ય છે. હિમાંશીબહેનની વાર્તાઓમાં નારીગૌરવ અને સવિશેષપણે સામાજિક દાયિત્વની ભાવના છલોછલ જોવા મળે છે. ગુજરાતી મહિલા વિશેષો દ્વારા બહુ જૂજ આત્મકથાઓ લખવામાં આવી છે. ત્યારે હિમાંશીબેનની આત્મકથા ‘મુક્તિવૃત્તાંત’ એક અલગ જ ચિલો ચિતરે છે.
1996માં હિમાંશીબેનને તેમના ટૂંકી વાર્તા સંગ્રહ ‘અંધારી ગલીમાં સફ઼ેદ ટપકાં’ માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. હવે રાષ્ટ્રકવિ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા તેમની કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારના ભાગરૂપે પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતથી પંજાબ સુધી દેશનો બીજો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે
હવે ગુજરાતથી પંજાબ જવાનું રોડ માર્ગે સરળ બનશે, આ કામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) કરશે. હકીકતમાં, NHAI દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ એક્સપ્રેસ વે દ્વારા 4 રાજ્યોની કનેક્ટિવિટી સુધરશે. જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ વેના નિર્માણથી આ ચાર રાજ્યોને ફાયદો થશે.

અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેનું નિર્માણ
NHAI ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ હાઈવેનો 915 કિમીનો હિસ્સો ગ્રીનફિલ્ડ એલાઈનમેન્ટના આધારે બનાવવામાં આવશે. તેમાં 4 થી 6 લેન હશે. બાકીના ભાગને નેશનલ હાઈવેથી અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય 2019માં શરૂ થયું હતું. એવું માનવામાં આવે છે કે આ એક્સપ્રેસ વેનું કામ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે અને રોડ પરની કામગીરી પણ શરૂ થઈ જશે.

અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ
માર્ગ અકસ્માતોને રોકવા માટે આ એક્સપ્રેસ વે પર અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. હાલમાં, હાઇવે પર 120 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દરેક કિલોમીટરે ઈમરજન્સી કોલ બોક્સ બનાવવામાં આવશે. અકસ્માત અથવા કટોકટીના કિસ્સામાં, એમ્બ્યુલન્સ તરત જ આવશે. એક્સપ્રેસ વેના નિર્માણથી અમૃતસર અને જામનગર વચ્ચેનું અંતર ઘટીને માત્ર 1256 કિમી થઈ જશે, જે હાલમાં 1430 કિમી છે. આ સાથે 26 કલાકની મુસાફરી ઘટીને 13 કલાક થઈ જશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ફરી વિવાદ છેડાયો
પાકિસ્તાનમાં આયોજિત થનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચાલી રહેલો વિવાદ હજુ સમાપ્ત થતો જણાતો નથી. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો હતો. BCCIએ પાડોશી દેશને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કરવા બદલ વળતરની ઓફર કરી હતી. જેને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફગાવી દીધી છે.
76th Board of Governors Meeting held today in Islamabad. Discussions regarding preparations of ICC Champions Trophy underwent as they visited up-gradation process footages of the set venues via videos.
Chairman PCB Mohsin Naqvi: “PCB is fully ready for Champions Trophy 2025.” pic.twitter.com/zvo3srlCnG
— Ameer Hamza Asif (@AmeerHamzaAsif) December 19, 2024
PCB માટે રાષ્ટ્રીય સન્માન જરૂરી છે
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, બીસીસીઆઈએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જવાનો ભારતનો ઇનકાર કરવા બદલ પીસીબીને વળતર તરીકે પૈસાની ઓફર કરી હતી. જો કે, પાકિસ્તાને આ ઓફરને નકારી કાઢી અને પૈસા કરતાં રાષ્ટ્રીય સન્માન જાળવવાનું પસંદ કર્યું. ભારતના પ્રસ્તાવને સ્વીકારવાને બદલે, પાકિસ્તાન ક્રિકેટે એક મોડેલનો પ્રસ્તાવ મૂક્યો, જેના હેઠળ બંને દેશો આગામી 3 વર્ષમાં ICC ટૂર્નામેન્ટ માટે તેમની ટીમોને એકબીજાના દેશોમાં નહીં મોકલે.
2 MONTHS TO GO FOR CHAMPIONS TROPHY:
– ICC yet to annnouce the schedule of the Tournament.
– ICC yet to confirm which country will host India’s matches. pic.twitter.com/kudJ2ZOSjr
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2024
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી છે, જેમાં પાકિસ્તાન અને દુબઈ બે સ્થળો હશે. બીસીસીઆઈ અને પીસીબી બંને સૂચન સાથે સંમત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચશે તો ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે.
આ સિવાય જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પ્રવેશ કરશે તો સેમીફાઈનલ પણ દુબઈમાં રમાશે. આનો અર્થ એ થશે કે જો ભારત બીજી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે તો માત્ર એક સેમિફાઇનલ પાકિસ્તાનમાં જ થશે અને ફાઇનલ પાકિસ્તાનની બહાર જોવા મળશે.
નાગાલેન્ડના સાંસદનો રાહુલ ગાંધી પર ગંભીર આરોપ
નવી દિલ્હીઃ સંસદમાં થયેલી ધક્કમુક્કીમાં ભાજપના બે સાંસદ ઘાયલ થયા છે. આ મુદ્દે વિવાદ વધી રહ્યો છે. ભાજપના નાગાલેન્ડથી સાંસદ એસ ફૈનોંગ કોન્યાકે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડથી ફરિયાદ કરી હતી કે રાહુલ ગાંધીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી છે.
નાગાલેન્ડના સાંસદે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી મારી પાસે આવ્યા અને મને ધક્કો માર્યો હતો. આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે મહિલા સાંસદ રડતાં-રડતાં મારી પાસે આવ્યા હતા. તેમણે મને લેખિત ફરિયાદ કરી છે. તે ભારે આઘાતમાં હતી.
તેમણે જણાવ્યું હતું કે હું રાજ્યસભાના અધ્યક્ષને મળી છું. મેં મારી સુરક્ષાની માગ કરી છે. આજે હું બહાર શાંતિપૂર્વક વિરોધ કરી રહી હતી. રાહુલ ગાંધી એકદમ નજીક આવીને ઊભા રહ્યા. હું અસ્વસ્થ થઈ ગઈ હતી. રાહુલ ગાંધી મારા પર બૂમો પાડવા લાગ્યા. આ રીતે બૂમો પાડવી રાહુલ ગાંધીને શોભતું નથી. હું ખૂબ જ દુઃખી છું અને મને રક્ષણ જોઈએ છે.
VIDEO | Parliament protest melee: Here’s what BJP Rajya Sabha MP S Phangnon Konyak (@SPhangnon) said.
“We were protesting peacefully. Leader of Opposition (Lok Sabha) Rahul Gandhi came in very close proximity. I also did not feel comfortable… then he started shouting… pic.twitter.com/hUrFzp8vj5
— Press Trust of India (@PTI_News) December 19, 2024
આ પહેલા ભાજપાધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમારા સાંસદો સાથે ધક્કામુક્કી કરી હતી. અમારા બે સાંસદો ઈજાગ્રસ્ત થયા છે. નાગાલેન્ડ ભાજપનાં મહિલા સાંસદ કોન્યાકને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હતો.
જોકે સંસદમાં ગુરુવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે રાહુલે સ્પષ્ટતા કરી હતી કે અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યારે ધક્કામુક્કી થઈ ગઈ હતી.



