બેંગાલુરૂ: આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિ શંકર 21મી ડિસેમ્બરના રોજ એક લાઈવ વિશ્વ ધ્યાન સત્રનું માર્ગદર્શન કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21મી ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર કર્યો છે. ત્યાર બાદ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ઘટના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના ધ્યાનના પરિવર્તનકારી લાભો તેમજ શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાની તેની ક્ષમતાની ઓળખાણ કરાવે છે.
ન્યૂયોર્કમાં સંયુક્તરાષ્ટ્ર ખાતે ભારતનું સ્થાયી સમૂહ 21 ડિસેમ્બર, 2024ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ યાદગાર કાર્યક્રમમાં શ્રી શ્રી રવિ શંકરનું પ્રવચન આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ મહત્વપૂર્ણ અવસર, “વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે ધ્યાન” વિષય પર, પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરશે.
શ્રી શ્રી રવિ શંકરએ આ પ્રસંગે જણાવ્યું કે “સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ધ્યાનની માન્યતા એ એક ગહન અને મહત્વપૂર્ણ પગલું છે. ધ્યાન આત્માને પોષણ આપે છે, મનને શાંતિ આપે છે અને આધુનિક પડકારોનું નિરાકરણ લાવે છે.”
21મી ડિસેમ્બરે શ્રી શ્રી રવિ શંકર વૈશ્વિક અધિકારીઓ, જેમાં સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ, રાજદૂત અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, તેમને સંબોધન કરશે અને ધ્યાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકશે જે શાંતિ અને એકતા માટે જરૂરી છે. આ કાર્યક્રમનું વિશ્વવ્યાપી લાઈવસ્ટ્રીમ કરવાનું આયોજન કરાશે.
વિશ્વ ધ્યાન દિવસ મહત્વપૂર્ણ કેમ છે?
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વ ધ્યાન દિવસને સર્વસંમતિથી અપનાવવો એ ધ્યાનની સંભવિતતાની સ્વીકૃતિ છે. જે આધુનિક જીવનના પડકારો જેવાકે – તણાવ અને હિંસાથી લઈને સમાજમાં વિશ્વાસ અને સંબંધોમાં સામંજસ્યના ધોવાણનો સામનો કરવાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે. શ્રી શ્રી રવિ શંકરે 180 દેશોમાં ધ્યાનના ફાયદા ફેલાવવા માટે 43 વર્ષ સમર્પિત કર્યા છે. તેઓ માને છે કે ધ્યાન માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા અને સામાજિક સંવાદિતા વિકસાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે.
શ્રી શ્રી રવિ શંકરે શ્રીલંકા, ઈરાક, વેનેઝુએલા અને કોલંબિયા જેવા સંઘર્ષગ્રસ્ત દેશોમાં મધ્યસ્થી અને શાંતિ વાટાઘાટોનું નેતૃત્વ કર્યું છે, જ્યાં તેમને FARC અને કોલંબિયન સરકાર વચ્ચેના 52 વર્ષ લાંબા સંઘર્ષને સમાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો શ્રેય આપવામાં આવે છે. ભૌગોલિક રાજકીય સંઘર્ષોથી લઈને વ્યક્તિગત સંકટો સુધી, ધ્યાન એક સાર્વત્રિક ઉકેલ પ્રદાન કરે છે. જે રાષ્ટ્રીયતા, સંસ્કૃતિ અને વિશ્વાસની સીમાઓથી પરે છે.




કેટલીન સાન્દ્રા નીલ 19 વર્ષની છે અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. મીડિયા સાથે વાત કરતા સમયે, કેટલિન કહે છે કે તે તે ભારતીય સમુદાય પર હકારાત્મક અસર કરવા માંગે છે અને મહિલા સશક્તિકરણ અને સાક્ષરતા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
મિસ ઈન્ડિયા યુએસએ 2023નો તાજ કૈટલીને પહેરાવ્યોઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી (IFC) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ઈલિનોઈસની સંસ્કૃતિ શર્માને મિસિસ ઈન્ડિયા યુએસએ અને વોશિંગ્ટનની અર્શિતા કઠપાલિયાએ મિસ ટીન ઈન્ડિયા યુ.એસ.એ.નો ખિતાબ જીત્યો હતો. રિજુલ મૈની (મિસ ઈન્ડિયા USA 2023) અને સ્નેહા નામ્બિયાર (મિસિસ ઈન્ડિયા USA 2023)એ કેટલિન સાન્દ્રા નીલ અને સંસ્કૃતિ શર્માને તાજ પહેરાવ્યો.
મિસ ઈન્ડિયા યુએસએની રનર અપ કોણ બની?


ઇસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઓપરેશન્સ યુનિટ મર્ડર ઇન્વેસ્ટિગેશન ટીમના ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર માર્ક સિન્સ્કીએ આ કેસને “ખૂબ જ વિચલિત કરનાર” તરીકે વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે, “માતાની હત્યા કર્યા પછી, સિનદીપ સિંહ બહાર ગયો અને માતાના શરીરને બગીચામાં દફનાવવા માટે એક કોથળો અને કોદાળી ખરીદ્યા. તેનો ઈરાદો માતાના મૃતદેહને દફનાવવાનો હતો. પરંતુ તે આ કામને અંજામ આપે તે પહેલા જ તે પરેશાન થઈ ગયો. ઘર સાફ થઈ ગયું હતું અને તેમાંથી ખૂબ જ તીવ્ર ગંધ આવી રહી હતી.”
અધિકારીએ જણાવ્યું કે જ્યારે અમે સૌપ્રથમ સિનદીપ સિંઘનો સંપર્ક કર્યો, ત્યારે તેણે ખોટી માહિતી આપી અને આ ઘટનામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો. જો કે, આગળની તપાસમાં જાણવા મળ્યું કે તે ઘરની માલિકી અંગે અવાર-નવાર માતા સાથે ઝઘડો કરતો હતો. મોટા ભાગે સિનદીપ સિંઘ ઘરના ડ્રાઇવ વે કે કારમાં જ રહેતો હતો.
જો કે જે દિવસે તેણે માતાની હત્યા કરી તે દિવસે માતાએ તેને ઘરમાં આવવા દીધો હતો. આ ઉપરાંત CCTV ફૂટેજ પરથી જોઈ શકાય છે કે હત્યાના દિવસે સિનદીપ સિંઘ ઘર નજીકની દુકાનમાંથી એક કોથળો અને કોદાળી ખરીદી રહ્યો છે. ભજન કૌરનો સંપર્ક ન થતાં તેમના બીજા સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે તેઓએ જોયું કે ઘરના પાછળના બગીચામાં જમીન ખોદવામાં આવી હતી.


ઇગોરની હત્યા કેસમાં ઉઝબેકિસ્તાનના એક યુવકની અટકાયત કરવામાં આવી છે. આ વ્યક્તિએ કબૂલાત કરી છે કે તેણે જ ઇગોરની હત્યા કરી હતી. આ માટે, તેણે એક સ્કૂટરમાં બોમ્બ મૂકવા અને યોગ્ય સમયે તેને વિસ્ફોટ કરવાનું કહેવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, આ વ્યક્તિએ જણાવ્યું કે તે રશિયા આવ્યો અને અહીં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું અને પછી તેમાં વિસ્ફોટકો ફીટ કર્યા. આ સ્કૂટર કિરીલોવના એપાર્ટમેન્ટની બહાર પાર્ક કરવામાં આવ્યું હતું.
આ શકમંદની ઉંમર 29 વર્ષ હોવાનું કહેવાય છે. તેનું કહેવું છે કે કિરિલોવ તેના આસિસ્ટન્ટ સાથે એપાર્ટમેન્ટની બહાર આવતાની સાથે જ તેણે સ્કૂટરમાં લગાવેલા વિસ્ફોટકને બ્લાસ્ટ કરી દીધો હતો. તેણે વધુમાં જણાવ્યું છે કે યુક્રેને તેને આ કામના બદલામાં એક લાખ ડોલરની ઓફર કરી હતી અને યુરોપના કોઈ દેશમાં ઘર આપવાનું વચન આપ્યું હતું.
રશિયા આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવશે