અમદાવાદ: દિવસેને દિવસે શહેરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતા અકસ્તાનો સંખ્યામાં ઘટાડો કરવા પોલીસ દ્વારા AI બેઝડ ડેશકેમ લોન્ચ કર્યું છે. અમદાવાદમાં આજથી અલગ-અલગ 32 ગાડી AI કેમેરા સાથે અને 28 પોલીસકર્મીઓ રોડ પર AI કેમેરા સાથે દેખાશે. આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપશે. હેલ્મેટ, ટ્રીપલ સવારી અને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે.
અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હેલ્મેટ વિનાના વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનાથી માત્ર મોબાઈલ શરૂ કરતા જ ઓટોમેટિક નિયમ ભંગ કરનારને મેમો આપવામાં આવશે. આજથી શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે. AIએ બેઝડ કેમેરાવાળી ગાડી જ્યારે ચાલુ હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે. આ કેમેરામાં જે પણ વાહનચાલકો હેલ્મેટ વિના, રોંગ સાઈડમાં વાહનચલાવતા અને ત્રિપલ સવારીમાં વાહન ચલાવતા રેકોર્ડ થશે તો તે વીડિયોમાંથી AI દ્વારા ઓટોમેટિક નિયમોના ભંગ બદલ ફોટો ક્લિક થશે, તે ફોટો કંટ્રોલ રૂમને મળશે. કંટ્રોલ રૂમ દ્વારા ખરેખર નિયમોનો ભંગ કર્યો છે કે કેમ? તે વેરીફાઈ કરવામાં આવશે. ત્યારબાદ વાહનચાલકને મેસેજ દ્વારા નિયમના ભંગની વિગત અને દંડની રકમ સાથે મેમો મળશે. દિવસ દરમિયાન નિયમનો ભંગ કરનાર વાહનચાલકને સાંજ સુધીમાં મેમો મળશે. આ મેમો વાહન માલિકના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજથી મળશે.

આ ઉપરાંત 28 જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને પણ ટ્રાયપોડ અને AI બેઝ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે. આ પોલીસ કર્મચારીઓ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર હાજર રહેશે. પોલીસકર્મીઓને આપવામાં આવેલા મોબાઈલમાં તેઓ માત્ર એપ્લિકેશન ચાલુ કરશે, ત્યારબાદ એપ્લિકેશન કામ કરે છે કે નહીં? તે જોવાનું રહેશે. આ દરમિયાન AI દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોનો મેમો જનરેટ કરવામાં આવશે. આ મેમો પણ કંટ્રોલ રૂમને મળશે અને કંટ્રોલરૂમ દ્વારા મેમો વેરિફાય કરીને વાહન માલિકોને મેસેજ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના એસજી 1, એસજી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ઇન્ટરસેપ્ટરમાં પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટોલ કર્યા હતાં, જેમાં હેલ્મેટના 794, 21 જોખમી રીતે વાહન ચલાવતા વાહનચાલક, 14 ત્રીપલ સવારીમાં વાહન ચલાવતા વાહનચાલક, 4 સીટબેલ્ટ વિનાના વાહનચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં નો પાર્કિંગ તથા ટ્રાફિક વાયોલેશન અન્ય હેડનો પણ ઉમેરો કરવામાં આવશે.




અદાણી એરપોર્ટ્સના ડાયરેક્ટર જીત અદાણીએ જણાવ્યું, “હું આજે માત્ર અદાણી ગ્રુપના અગ્રણી તરીકે નહી પરંતુ આપ તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોની હિંમતથી પ્રેરિત થયેલ વ્યક્તિ તરીકે અહીં હાજર રહ્યો છું. આપની શક્તિઓ જોઈ મને જીવનનો સાચો અર્થ સમજાયો છે. અદાણી ગ્રુપ વતી હું આપને ખાતરી આપું છું કે આપની પ્રગતિ અને સશક્તિકરણ પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતા અચલ છે. મને ગૌરવ છે કે છેલ્લા 10 વર્ષમાં અદાણી ફાઉન્ડેશન કૌશલ્યવૃધ્ધિ, આજીવિકાની તકો, શિક્ષણ તેમજ રોજીંદા જીવનને આસાન બનાવવા માટે સાધન સહાય મારફતે તમારી સાથે જોડાયેલું છે. ખાસ કરીને કચ્છના મુંદ્રા, ખાવડા અને લખપત તાલુકાઓમાં દિવ્યાંગ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ અને હંમેશા કરતા રહીશું.”
અદાણી ફાઉન્ડેશન સમગ્ર રાજ્યમા દિવ્યાંગ વિદ્યાર્થીઓને 1,152 ટેક્નિકલ કીટ્સનું વિતરણ કરવાનું છે. અદાણી ફાઉન્ડેશને સમગ્ર કચ્છમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે શરૂ કરેલી તેમની સફરની ઝાંખી કરાવતી એક સંકલિત પુસ્તિકા ‘સ્વાવલંબન’ ખુલ્લી મૂકી હતી.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તથા અતિથિ વિશેષ તરીકે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર અને વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર વી. એસ. ગઢવી અને ખાસ મહેમાન તરીકે દીવા શાહ હાજર રહ્યા હતા.



ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના જોઈન સેક્રેટરી ડોક્ટર જયેશ અમીને જણાવ્યું હતું કે, દેશમાં વંધ્યત્વનું પ્રમાણ દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે. હાલમાં દેશમાં 10થી 12 ટકા દંપતી વંધ્યત્વથી પીડાય છે. તથા તેનું મુખ્ય કારણ તમાકુનું સેવન અને ધુમ્રપાન કરવું. કારણ કે, વિવિધ રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે, તમાકુના સેવનથી તકલીફ સર્જાઈ શકે છે. આ ઉપરાંત મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ PCOD ત્યાં અંડાશયની કોથળીમાં ઈંડાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવું. આ ઉપરાંત પણ મોડી ઉંમરે લગ્ન થવા અને 30 વર્ષ બાદ ગર્ભ ધારણ કરો તે ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સામન્ય રીતે 24થી 30 વર્ષની મહિલાઓમાં ફર્ટિલિટીનું પ્રમાણ વધુ રહે છે. કારણ કે, આ વર્ષ દરમિયાન અંડાશયના ઈંડાઓનું પ્રમાણ વધુ હોય છે અને તેની ગુણવત્તા પણ સારી હોય છે. તેથી મહિલાઓ 24થી 30 વર્ષની ઉંમરમાં માતૃત્વ ધારણ કરવા માટે સક્ષમ હોય છે.
બીજી તરફ ડો. ચૈતન્ય નાગોરીએ જણાવ્યું કે, ‘વ્યંધત્વ હેઠળ કરવામાં આવતી સારવારને પણ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવા અંગે વિચારણા થવી જોઇએ. સમગ્ર દેશમાં દર વર્ષે 2.50 લાખ આઇ.વી.એફ. સાયકલ થાય છે. આગામી થોડા વર્ષમાં આઇ.વી.એફ. સાયકલનો દર પાંચ લાખને પાર જઇ શકે છે.’
બદલાતી જીવનશૈલી, મોટી ઉંમરે લગ્ન થવા, મોટી ઉંમરે સંતાનને જન્મ આપવાનો નિર્ણય લેવો જેવા પરિબળોને કારણે પ્રજજનદર ઉપર વઘુ અસર પડી રહી છે. પ્રજજનક્ષમતા દર ઓછો હોય તેવા મોટા રાજ્યોમાં ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કેરળ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સિક્કિમમાં 1.1 સાથે સૌથી ઓછો પ્રજજનક્ષમતા દર છે. આ સિવાય આંદમાન નિકોબાર, ગોવા, લદ્દાખમાં પણ પ્રજજનક્ષમતા દર માત્ર 1.1 છે.
આ ઘટના સુવર્ણ મંદિરના એન્ટ્રી ગેટ પર ત્યારે બની જ્યારે શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ ધાર્મિક સજા તરીકે ચોકીદારી કરી રહ્યા હતા. સુખબીરને પગમાં ફ્રેક્ચર છે, તેથી તે વ્હીલચેર પર બેઠા હતા અને હાથમાં ભાલો લઈને ચોકીદારી કરી રહ્યા હતા.
લોકોએ હુમલાખોરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલાખોરે પોતાનું નામ નારાયણ સિંહ ચૌરા હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, આરોપી બબ્બર ખાલસા સાથે સંકળાયેલો છે અને તે પાકિસ્તાન પણ ગયો હતો.

