Home Blog Page 1292

એ. આર. રહેમાનના ‘રંગીલા’ અને ‘બોમ્બે’ ના ગીતોની કહાની

ગીતકાર મહેબૂબની સંગીતકાર એ.આર. રહેમાન સાથેની ફિલ્મોના ગીતોની વાતો બહુ રસપ્રદ રહી છે. નિર્દેશક રામગોપાલ વર્માએ એમની ફિલ્મોના હિન્દી ડબ ગીતો લખનાર ગીતકાર મહેબૂબને ‘રંગીલા’ માટે સાઇન કર્યા હતા. ફિલ્મ માટે મહેબૂબે સાત ગીતો લખ્યા હતા. મહેબૂબ અને રામગોપાલ વર્મા જ્યારે ગીતો લઇ રહેમાન પાસે ગયા ત્યારે એને એમણે બાજુ પર મૂકી દીધા હતા અને કહ્યું હતું કે પહેલાં તમે બધી ધૂન સાંભળશો એ પછી ગીત પર કામ કરીશું. રહેમાને એ ગીતો ક્યારેય વાંચ્યા ન હતા. રહેમાનની ફિલ્મના ગીતો લખવાના અનુભવ મહેબૂબે એક મુલાકાતમાં કહ્યા હતા.

મહેબૂબે પહેલું ગીત ‘યાઈ રે યાઈ રે, જોર લગા કે નાચે રે’ લખ્યું હતું. મહેબૂબે ફિલ્મમાં ઉર્મિલાના પાત્રની જે સ્થિતિ હતી એ પોતે પણ અનુભવી હતી. એ પણ ફિલ્મોમાં નામ કમાવવા જ આવ્યા હતા. આશા ભોંસલે જ્યારે ગાવા માટે આવ્યા અને એમણે રિહર્સલ કર્યું ત્યારે શબ્દો ‘ઇતને સારે ચેહરોં મેં…’ હતા. અને અંતરો ગાવામાં એમને બહુ લાંબો લાગ્યો. મહેબૂબે રહેમાનને વાત કરી. રહેમાને સુધારો કરવા તરત હા પાડી દીધી હતી. અને ‘ઇતને ચેહરોં મેં અપને ચેહરે કી પેહચાન તો હો, પેહચાન તો હો’ લખ્યું જે ફ્લોમાં આવ્યું.

મહેબૂબે ‘હાય રામા’ ગીત લખ્યું ત્યારે રામગોપાલ વર્માને એનું કોઈ મુખડું પસંદ આવી રહ્યું ન હતું. મહેબૂબે પંચાવન મુખડા લખ્યા હતા. ક્યારેક વર્માને તો ક્યારેક મહેબૂબને એ પસંદ આવી રહ્યા ન હતા. વર્મા હજુ વધુ સારું મુખડું લખવા આગ્રહ કરતાં હતા. એક દિવસ મહેબૂબ રામગોપાલ વર્મા સાથે એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે ‘હાય રામા યે ક્યા હુઆ’ બની ગયું હતું. ‘ક્યા કરેં ક્યા ના કરેં’ ગીતની ધૂન વર્માએ આપી એ પછી એક કલાક બાદ એ મહેબૂબ પાસે પાછા આવ્યા અને ગીત સંભળાવવા કહ્યું. મહેબૂબે લખ્યું હતું પણ ડરને કારણે ના પાડી. વર્માએ આગ્રહ કર્યો કે જે અને જેવું લખ્યું હોય એ સંભળાવ. મહેબૂબે સામાન્ય રીતે ‘ક’ શબ્દ બોલવાને બદલે એના પર વજન આપી ‘ક્યા કરેં ક્યા ના કરેં’ સંભળાવ્યું અને એમણે કહ્યું કે આવું જ જોઈએ છે!

અસલમાં મહેબૂબને ગીત સૂઝી રહ્યું ન હોવાથી પોતાની કેફિયત લખી હતી કે ‘ક્યા કરેં ક્યા ના કરેં યે કૈસી મુશ્કિલ હાય, કોઈ તો બતા દે ઉસકા હલ ઓ મેરે ભાઈ.’ ફિલ્મમાં આમિર ખાનની સ્થિતિ એવી જ હોવાથી એ ગીત બંધબેસતું રહ્યું હતું. ફિલ્મ ‘તન્હા તન્હા’ ના મહેબૂબે ચાર અંતરા લખ્યા હતા. મહેબૂબે રહેમાનના સંગીતવાળી અરવિંદ સ્વામી- મનીષા કોઈરાલાની ફિલ્મ ‘બોમ્બે’ માટે પહેલું હિન્દી ગીત ‘કહના હી ક્યા’ લખ્યું હતું.

મણિરત્નમને અત્યંત લાંબા મુખડાવાળું એ ગીત એટલું પસંદ આવ્યું હતું કે એમાં સૌથી પહેલાં કોરસમાં ‘ગમસૂમ ગૂમસૂમ- ગુપચુપ, ગમસૂમ ગુપચુપ’ શબ્દો હતા એ તમિલ ગીતમાં પણ એમણે રાખ્યા હતા. અસલમાં મહેબૂબને તમિલ ગીતો પરથી હિન્દીમાં લખવાના હતા. ત્યારે મણિરત્નમે એવી સ્વતંત્રતા આપી હતી કે ગીતોનો સીધો અનુવાદ કરવાની કોઈ જરૂર નથી. સિચ્યુએશન પ્રમાણે જ લખવાના છે. માત્ર હોઠ ખૂલે અને બંધ થાય ત્યાં જ શબ્દો બંધબેસે એટલું જ જરૂરી છે. આખું ગીત લિપ્સ સિંક થાય એ જરૂરી નથી. બાકીના શબ્દો પોતાની રીતે લખી શકાશે. એ. આર. રહેમાન અને મણિરત્નમને હિન્દી આવડતું ન હતું પણ શબ્દોના ધ્વનિની સારી સમજ હતી. તેઓ મહેબૂબે લખેલા ગીતના શબ્દો કરતાં એને ધ્વનિના આધારે વધારે પસંદ કરતા હતા.

ગુલકંદ – ૩૦ નવેમ્બર ૨૦૨૪

૩૦ નવેમ્બર ૨૦૨૪

પંચાંગ 30/11/2024

અમદાવાદમાં રોડ બનતા ‘થૂંકણવીરો’ સામે તંત્રની કાર્યવાહી

અમદાવાદ: જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રોડ પર પાન-મસાલા ખાઈને થૂંકનાર લોકો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં જાહેર રોડ પર થૂંકનારા 623 લોકોને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઝડપી રૂપિયા 63,400નો દંડ ફટકાર્યો છે. દરરોજ વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા ફરીને આવા ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક અઠવાડિયામાં શહેરમાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે. સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના જંક્શનો પર લગાવેલા પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરાની મદદથી પણ જે વાહનચાલકો ચાર રસ્તા પર વાહન ઊભું રાખે છે તે દરમિયાન રોડ પર થૂંકે તેને સીસીટીવી કેમેરામાં કેપ્ચર કરી તેનો ફોટો લેવામાં આવે છે અને ત્યાર બાદ વાહન નંબરના આધારે તે વ્યક્તિને રૂપિયા 100થી લઈને અને રૂપિયા 500 રૂપિયા સુધીનો દંડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવે છે. સીસીટીવી કેમેરા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનના કર્મચારીઓ જે વ્યક્તિ જાહેર રોડ ઉપર થૂંકતા હોય તેમને પકડીને પણ દંડ કરી રહ્યા છે.

દેશનો GDP ગ્રોથ સાત ત્રિમાસિકના નીચલા સ્તરે

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિકમાં દેશના GDP ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નેશનલ સ્ટેસેસ્ટિક્સ ઓફિસ દ્વારા જારી આંકડા અનુસાર GDP ગ્રોથ 5.4 ટકા પર આવી ગયો છે. જે સાત ત્રિમાસિક ગાળામાં સૌથી ઓછો નોંધાયો છે. આ પહેલાં જૂન ત્રિમાસિકમાં GDP ગ્રોથ 6.7 ટકા નોંધાયો હતો. જે ગયા વર્ષે સમાન ગાળામાં GDP ગ્રોથ 8.1 ટકા નોંધાયો હતો.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે વપરાશમાં થયેલા ઘટાડાને કારણે અને અનેક ક્ષેત્રો પર પડેલી મોસમની પ્રતિકૂળ અસર GDP પર જોવા મળી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો GVA 5.6 ટકાએ આવી ગયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં GVA 7.7 ટકા હતા. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં GVA વૃદ્ધિ 6.9 ટકા  હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે GDP વૃદ્ધિ ધીમી પડી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે આજે 29 નવેમ્બરે GDP ડેટા જાહેર કર્યો.

તાજા ડેટા અનુસાર સપ્ટેમ્બર ત્રિમાસિકમાં માઇનિંગ ગ્રોથ સાત ટકા ઘટીને 2.2એ આવી ગયો હતો, જે ગયા વર્ષે 11.1 ટકા હતો. આ સાથે બીજા ત્રિમાસિકમાં કૃષિ ક્ષેત્રનો GDP વધી 3.5 ટકા નોંધાયો છે. જે એક વર્ષ પહેલાં 1.7 ટકા હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો GDP બીજા ત્રિમાસિકમાં ઘટી 2.2 ટકા થયો છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં 14.3 ટકા હતો.

બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર નબળું પડતાં GDP ગ્રોથ પણ ઘટ્યો છે. જેને ધ્યાનમાં લેતાં અર્થશાસ્ત્રીઓએ આગામી મોનિટરી પોલિસીમાં પણ RBI વ્યાજના દર જાળવી રાખે તેવી ભીતિ વ્યક્ત કરી છે.

 

અમદાવાદમાં એસજી હાઇવે નજીક બનશે લોટસ પાર્ક

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે સતત કામ કરી રહી છે. રાજ્યના શહેરોમાં પ્રવાસન વધારવા માટે નવા નવા આકર્ષણના કેન્દ્ર બનાવી રહી છે. આ શ્રેણીમાં રાજ્ય સરકાર અમદાવાદ શહેરને નવો લુક આપવા જઈ રહી છે. ફ્લાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને એક નવી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.

આ લોટસ પાર્ક અમદાવાદના ગોતા વિસ્તારમાં 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે. આ નવો પાર્ક આગામી બે વર્ષમાં અમદાવાદનું નવું આકર્ષણ બનશે. આ પાર્કમાં ફ્લાવર શો જેવો બગીચો પણ હશે. જેમાં લોકોને કાયમી ધોરણે અનોખા ફૂલોના છોડ જોવા મળશે. અમદાવાદમાં એસજી હાઈવે પર ગોતા વિસ્તારમાં 80 રૂપિયાના ખર્ચે લોટસ પાર્ક બનાવવામાં આવશે. આ ગાર્ડન અનોખો હશે, જે કમળના આકારમાં બનવા જઈ રહ્યો છે. તેની ખાસિયત એ છે કે અહીં દેશના તમામ રાજ્યોના ખાસ ફૂલો એક જગ્યાએ જોવા મળશે. આ કમળનો બગીચો અનેક વિશેષતાઓથી ભરપૂર હશે. પ્રોજેક્ટનો આકાર કમળ જેવો છે. દરેક પાંખડી દેશના જુદા જુદા રાજ્યના ફૂલોનું પ્રતિનિધિત્વ કરશે. દેશના તમામ રાજ્યોની પાંખડીઓ ટેબલેટ સ્વરૂપે એક જગ્યાએ પ્રદર્શિત થશે. આ ભારતનો પ્રથમ અને સૌથી મોટો કમળ આકારનો ઉદ્યાન હશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી થીમ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધાઓ અને પાર્કિંગની વ્યવસ્થા સાથે તૈયાર થશે. લોટસ પાર્કના અન્ય કામો સહિત સિવિલ, ઇલેક્ટ્રિકલ અને લેન્ડસ્કેપના કામો માટે રૂ. 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. લોટસ પાર્કનો કુલ ખર્ચ 50 કરોડથી વધુ થવાની શક્યતા છે. બગીચાનું કામ બે થી ત્રણ તબક્કામાં કરવામાં આવશે.

મહેસાણાના રાધે ગ્રુપ પર IT વિભાગના દરોડા, બેનામી વ્યવહારો મળવાની આશંકા

રાજ્યમાં થોડા દિવસ બાદ ફરી એક વખત IT વિભાગ એક્સનમાં જોવા મળી રહ્યું છે. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. IT વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ પોલીસને સાથે રાખી મોરબી, અમદાવાદ, મહેસાણા સહિતનાં સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આશરે બે ડઝનથી વધુ સ્થળે આઈટી વિભાગે એકસાથે તપાસ હાથ ધરી છે. ત્રણેય સ્થળ પર બે ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે.

મળતી માહિતી અનુસાર મોરબીના બે સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોય ત્યાં પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. બીજી બાજુ રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો છે. આ ગ્રુપ પેપર મિલ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડાપાંચ વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રુપની ઓફિસ, કારખાના તેમજ ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.

ભારતને ફરી બનાવાયું UN શાંતિ સ્થાપનાનું સભ્ય

ન્યુ યોર્કઃ PM મોદીના નેતૃત્વની વિશ્ભરમાં પ્રશંસા થઈ રહી છે. ભારતનું કદ વિશ્વના માનસ પટલ પર અલગ ઓળખ બનાવી રહ્યું છે. વિશ્વમાં ભારતના વધતી ભૂમિકાની નોંધ લેવામાં આવી રહી છે. જેથી વર્ષ 2025-26 માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના પંચના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે. પંચમાં ભારતનો હાલનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ભારતને UN શાંતિ સ્થાપના આયોગના સભ્ય બનાવવાની જાહેરાત કરી છે. UN દ્વારા 2025-2026 માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપન આયોગના સભ્ય તરીકે ભારતની પસંદગી કરવામાં આવી છે. પંચ દ્વારા ભારતનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને સોશિયલ મિડિયા મંચ X પર એક પોસ્ટ કરી કહ્યું છે કે વર્ષ 2025-2026 માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગ (PBC)ના સભ્ય તરીકે ભારતની ફરી પસંદગી કરવામાં આવી છે. ભારત સંસ્થાના સભ્ય તરીકે, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપનમાં બહોળું યોગદાન આપવા માટે, વૈશ્વિક શાંતિ અને સ્થિરતાની દિશામાં કામ કરવા માટે પીબીસીમાં જોડાવવા માટે પ્રતિબદ્ધ છે.

પીસીબીમાં 31 સભ્ય દેશો છે. આ દેશોની પંસદગી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, સુરક્ષા પરિષદ અને આર્થિક તેમજ સામાજિક પરિષદ દ્વારા કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં મુખ્ય નાણાકીય યોગદાન આપનારા દેશ અને ટોચનું સૈન્ય સુરક્ષા પ્રદાન કરનાર દેશ પણ તેના સભ્યો છે.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં સૌથી વધુ વર્દીધારી કર્મચારીને તહેનાત કરી મોટું યોગદાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના અભિયાનો હેઠળ વર્તમાન સમયમાં ભારતના લગભગ 6000 સૈન્ય અને પોલીસ કર્મચારીઓ અબેઇ, મધ્ય આફ્રિકન ગણરાજ્ય, સાયપ્રસ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લેબનોન, મધ્ય પૂર્વ, સોમાલિયા, દક્ષિણ સુદાન અને પશ્ચિમ સહારામાં તૈનાત છે. શાંતિ અભિયાન દરમિયાન લગભગ 180 ભારતીય સૈનિકોએ ફરજ નિભાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, જે યોગદાન આપનાર અન્ય દેશોના મુકાબલે સૌથી વધુ સંખ્યા છે.

 

સામંથાના પિતા જોસેફ પ્રભુનું નિધન, માતા-પિતા વિશે કર્યો હતો આવો ખુલાસો

મુંબઈ: સામંથા રૂથ પ્રભુના પિતા જોસેફ પ્રભુનું નિધન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સામંથાએ પોસ્ટ પર લખ્યું, જ્યાં સુધી આપણે ફરી મળીએ, પાપા. તેણે તેની સાથે હાર્ટ બ્રેક ઈમોજી પણ શેર કરી છે.

સામંથાના પિતા તેલુગુ એંગ્લો-ઈન્ડિયન હતા
સામંથા રૂથ પ્રભુના પિતા જોસેફ પ્રભુ અને માતા નિનેટ પ્રભુ છે. સામંથાના પિતા તેલુગુ એંગ્લો-ઈન્ડિયન હતા. સામંથાના જીવન અને ઉછેરમાં અભિન્ન ભૂમિકા રહી હતી. જો કે, તેને તેના કામમાં તેના પિતાનો સહયોગ મળ્યો ન હતો. તેના કામની સાથે સાથે, સામંથા ઘણીવાર તેના પરિવાર અને તેના પિતા વિશે વાત કરતી રહેતી હોય છે.

સામંથાએ તાજેતરમાં તેના પિતા જોસેફ પ્રભુ સાથેના તેના તણાવપૂર્ણ સંબંધો વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે આ તણાવની તેના જીવન પર કેવી અસર થઈ. ગલાટા ઈન્ડિયા સાથેની વાતચીતમાં સામંથાએ જણાવ્યું કે જીવનમાં તેનો વિકાસ તેને આસાનીથી નથી મળ્યો, તેના માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.

સામન્થાએ તેના પિતા વિશે વાત કરી
તેના માતા-પિતા વિશે સામંથાએ કહ્યું કે તે માને છે કે લગભગ તમામ ભારતીય માતા-પિતા આવા હોય છે. તેમણે કહ્યું તું એટલી હોશિયાર નથી. આ ભારતીય શિક્ષણનું ધોરણ છે તેથી તું પણ પ્રથમ રેન્ક મેળવી શકે છે. સામન્થાએ કહ્યું કે જ્યારે તમે બાળકને આવું કહો છો, ત્યારે મને ખરેખર લાંબા સમય સુધી લાગતું હતું હું હોશિયાર નથી અને સારી નથી.

નાગા ચૌતન્યા સાથેના લગ્ન તૂટી ગયા
ઑક્ટોબર 2021 માં સમન્થા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના લગ્ન સમાપ્ત થયાના લગભગ એક વર્ષ પછી, સમન્થાના પિતા જોસેફ પ્રભુએ લગ્નના જૂના ફોટા શેર કરવા અને ભૂતકાળની યાદ તાજી કરવા સોશિયલ મીડિયા પર લીધો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમના અલગ થવાને સ્વીકારવામાં તેમને ઘણો સમય લાગ્યો હતો અને તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાની આશા હતી.