Home Blog Page 1304

અદાણી મેરેથોનમાં 20 હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 24મી નવેમ્બરે આઠમી અદાણી અમદાવાદ મેરેથોન યોજાઇ હતી. જેમાં 20 હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. અદાણી અમદાવાદ મેરેથોન સશસ્ત્ર્ર દળોને સમર્પિત વાર્ષિક દોડ છે, જેમાં વિશેષ રન ફોર અવર સોલ્જર્સ ઝુંબેશ કેન્દ્રમાં છે. આ મેરેથોનમાં ભાગ લેવા માટે સ્થાનિક લોકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન તરફથી પ્રથમ વખત પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.એસોસિયેશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસ દ્વારા માન્યતા પ્રાપ્ત, મેરેથોનને સુંદર સાબરમતી રિવરફ્રન્ટ પર એર માર્શલ નર્મદેશ્વર તિવારી AVSM VM, મેજર જનરલ ગૌરવ બગ્ગા, ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ, અભિનેત્રી અને એથ્લેટ સૈયામી ખેર અને એશિયન મેરેથોન દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ચેમ્પિયન ડો.સુનીતા ગોદરાએ લીલી ઝંડી આપી હતી. આ મેરેથોનની શરૂઆતમાં અદાણી ગ્રુપના એગ્રો, ઓઈલ એન્ડ ગેસના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણી અને અદાણી સ્પોર્ટ્સલાઈનના C.B.O. સંજય આડેસરા પણ હાજર રહ્યા હતા.

સતત બીજી વખત આ ઇવેન્ટ શહેરના મધ્યમાં યોજવામાં આવી હતી, જેમાં શહેરના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સ્થળો- ગાંધી આશ્રામ, અટલ બ્રિજ અને એલિસ બ્રિજને પણ આવરી લેવામાં આવ્યા હતા. પાર્ટિસિપન્ટ્સને ફૂલ મેરેથોન, હાફ્-મેરેથોન, 10 કિમી દોડ અને 5 કિમી દોડ એમ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા.

અદાણી અમદાવાદ મેરેથોનમાં ભાગ લેનારાઓને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. ફુલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી દોડ અને 5 કિમી દોડ. દરેક રેસ પહેલા, સશસ્ત્ર દળોના બેન્ડે રાષ્ટ્રગીત વગાડ્યું અને તેના આકર્ષણમાં વધારો કર્યો. મેરેથોનને એ હકીકત માટે પણ યાદ રાખવામાં આવશે કે તે પર્યાવરણને અનુકૂળ ઇવેન્ટ હતી. કારણ કે પ્લાસ્ટિકની પાણીની બોટલોને રિસાયકલ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં તેનો ઉપયોગ પાર્ક બેન્ચ બનાવવા માટે કરવામાં આવશે.આ પ્રસંગે બોલતા, પ્રણવ અદાણી, મેનેજિંગ ડિરેક્ટર, એગ્રો, ઓઈલ એન્ડ ગેસ, અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન આપણા દેશના રમત-ગમત કેલેન્ડરમાં એક નિર્ણાયક ક્ષણ બની ગઈ છે અને 8મી આવૃત્તિની સહભાગિતા તેના મહત્વને દર્શાવે છે. 20,000થી વધુ લોકો માત્ર દોડ અને ફિટનેસની ઉજવણી કરવા માટે જ નહીં પરંતુ આપણા સશસ્ત્ર દળોને સન્માન આપવા માટે પણ એકઠા થતા હોય તે જોવું હૃદયસ્પર્શી છે. આ ઇવેન્ટને ખરેખર ખાસ બનાવનાર દરેક સહભાગીને મારા હૃદયપૂર્વક અભિનંદન.”

અમદાવાદનો રીપલ અકસ્માત કેસ, પત્નીની પ્રતિક્રિયા આવી સામે

અમદાવાદ: આજે શહેરના બોપલ-આંબલી રોડ પર ઓડીના કારચાલકે પાંચથી સાત વાહનોને હડફેટે લીધા હતા. રીપલ પંચાલ નામનો યુવક નસામાં ધૂત થઈ ઘણા વાહનોને હડફેટે લીધા હતા. અકસ્માત બાદ પણ ગાડીમાં બેસી સીગ્રેટ પણ પીધી હતી. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. તેના બ્લડના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ અંગે રીપલ પંચાલની પત્નીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

તો બીજી તરફ અકસ્માત સર્જનાર રીપલ પંચાલની પત્નીનું નિવેદન સામે આવ્યું છે કે રીપલ માનસિક તણાવમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા એક દોઢ વર્ષનથી રીપલની સારવાર પણ ચાલી રહી છે. કદાચ તેણે સવારે દવા લીધી હશે તેની એકદમ અસર થઇ હશે તેના કારણે આ ઘટના સર્જાઇ હોવાનું મને લાગી રહ્યું છે. જેમને ઇજા પહોંચી છે તેઓ ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.’ ઉલ્લેખનીય છે કે રીપલની પત્નીએ એ પણ સ્વીકાર્યું છે કે ‘રીપલ દારૂનું સેવન કરે છે. પરંતુ જ્યારે આ ઘટના સર્જાઇ હતી ત્યારે તેણે નશો ન કર્યો હોવાનું લાગી રહ્યું છે કારણ કે તેના મોંઢામાં કોઇ વાસ આવતી ન હતી.’

અકસ્માતની ઘટના બાદ  ટ્રાફિક પોલીસ ACP ડી.એસ. પુનડિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ‘આરોપી રીપલ પંચાલનું લાઇસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવશે. હાલ તેના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે તેણે આલ્કોહોલ કે અન્ય કોઇ પ્રકારના નશાનું સેવન કર્યું હતું. આરોપી રીપલ પંચાલ અગાઉ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ચૂક્યો છે, અગાઉ કરેલા અકસ્માતોની તપાસ ચાલુ છે.’

રીપલ પંચાલ પહેલાંથી જ નશાની કુટેવ ધરાવે રહ્યો છે. 16 નવેમ્બર 2024ના રોજ સાંજના 6:30 વાગે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે લાલ કલરની જીપ કમ્પાસ ગાડી  સર્પાકાર રીતે હંકારતાં જોઇ હતી. જેથી પોલીસે તેને ઉભી રાખી રાખી પૂછપરછ કરતાં તેના મોટામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી. આ દરમિયાન પોલીસે તેની પાસે દારૂની પરમિટ માંગી હતી, જે રીપલે નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેના વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 66 (1) બી અને એમ.વી. એક્ટ કલમ 185 અંતગર્ત ફરિયાદ દાખલ કરી હતી.

IPL 2025 Auction Day 2: ભુવનેશ્વર કુમારને મળ્યા 10.75 કરોડ

જેદ્દાહ: IPL 2025 માટે આજે મેગા ઓક્શનનો બીજો દિવસ છે. આજે સૌથી મોટી બોલી ગત સિઝનનો હૈદરાબાદનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર લગાવવામાં આવી હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે ભુવનેશ્વર પણ 10 કરોડની કમાણી પાર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.બીજી તરફ અફઘાનિસ્તાન તરફથી રમતા 18 વર્ષનો મિસ્ટ્રી સ્પિનર ​​અલ્લાહ ગઝનફરને મુંબઈએ બેઝ પ્રાઇસ કરતાં 6 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો. ગઝનફર, જેની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી, તેને મુંબઈએ 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ફાસ્ટ બોલર આકાશ દીપને લખનઉએ 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. તે ગત સિઝનમાં બેંગલુરુ તરફથી રમ્યો હતો. તેની IPL કારકિર્દીમાં તેણે 8 મેચમાં 7 વિકેટ ઝડપી છે.

IPL ઓક્શનઃ પૃથ્વી શો, કેન વિલિયમસન, અજિંક્ય રહાણે અનસોલ્ડ

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની સીઝનનું મેગા ઓક્શન સાઉદી આરબના જેદ્દાહમાં ચાલી રહ્યું છે. ઓક્શનના બીજા દિવસે પૃથ્વી શો, અજિંક્ય રહાણે અને કેન વિલિયમસન જેવા ક્રિકેટરોના કોઈ ખરીદદાર નથી મળ્યા. પહેલી વાર આ ત્રણે ક્રિકેટરો અનસોલ્ડ રહ્યા છે, જ્યારે નીતિશ રાણા અને કુણાલ પંડ્યા પર પૈસાનો વરસાદ થયો હતો.

અજિંક્ય રહાણેની બેઝ પ્રાઇઝ રૂ. 1.50 કરોડ હતી, જ્યારે કેન વિલિયમસનની બેઝ પ્રાઇઝ રૂ. બે કરોડ અને પૃથ્વી શોની બેઝ પ્રાઇઝ માત્ર રૂ. 75 લાખ હતી, પરંતુ કોઈ ફ્રન્ચાઇઝે આ ક્રિકેટરોને ખરીદવામાં રસ નહોતો દાખ્વ્યો.આ સિવાય જે  ક્રિકેટરો વેચાયા વિના રહ્યા છે, તેમાં ગ્લેન ફિલિપ્સ – અનસોલ્ડ, મયંક અગ્રવાલ – અનસોલ્ડ, શાર્દુલ ઠાકુર – અનસોલ્ડ, ડેરીલ મિચેલ – અનસોલ્ડ, મોઈન અલી – અનસોલ્ડ, કે. એસ. ભરત – અનસોલ્ડ, મુજિબ ઉર રહેમાન – અનસોલ્ડ, આદિલ રશીદ – અનસોલ્ડ, કેશવ મહારાજ અનસોલ્ડ, મયંક ડાગર – અનસોલ્ડ, પ્રશાંત સોલંકી – અનસોલ્ડ, ફીન એલન – અનસોલ્ડ અને બેન ડકેટ – અનસોલ્ડ રહ્યા હતા.

IPL મેગા ઓક્શન 2025ની 24 અને 25 નવેમ્બરએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થઇ રહ્યું છે. IPL મેગા ઓક્શન 2025માં 574 ખેલાડીઓની હરાજી થવાની છે, જેમા 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ છે. જેમાં સહયોગી દેશોના 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજીમાં 318 ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ અને 12 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. આઈપીએલ ટીમોના 204 સ્લોટ ખાલી છે. તેમાંથી 70 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે ઉપલબ્ધ હશે.

ભવનાથ મંદિર વિવાદ, સરકડીયા હનુમાન મંદિરના મહંત આવ્યા મેદાને

ગિરનાર મંદિરના મહંત તનસુખ ગીરીબાપુના બાદ તેની ગાદી અને ભવનાથ મંદિરના મહંતનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં મહેશગીરીબાપુની સાથે હવે ગિરનાર વૈષ્ણવ વિરકત મંડળના ઉપાધ્યક્ષ મેદાનમાં આવ્યા છે. ભવનાથ ગિરનાર મંડળના સાધુઓ ધર્મને ધંધો બનાવી દીધો છે તેમજ અધિકારીને પદાધિકારીઓની ચમચાગીરી કરીને શું ફાયદો થતો હશે તેવા આક્ષેપો પણ કર્યા છે. ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના ઉપાધ્યક્ષ અને સરખડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુએ પણ હરિગિરિ બાપુ પણ આક્ષેપો મુક્યા હતા.

હરિગિરિ બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે. તેવા આક્ષેપો સરકડીયા હનુમાન મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાધુઓને પૈસાની લાલચ ન હોવી જોઈએ પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તેવી સાધુતા શું કામની? ઉપરાંત તેઓએ આ સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવા માટે પણ માંગણી કરી છે. ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના ઉપાધ્યક્ષ અને સરખડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુએ જણાવ્યું હતું કે, હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં મહેશ ગીરીબાપુ જે બોલી રહ્યા છે કે કરી રહ્યા છે અને પુરાવા આપી રહ્યા છે તેમાં અમે સૌ સાધુ-સંતો સાથે છીએ. હરીગીરી બાપુએ એક લેટરપેડ પર 8 કરોડ રૂપિયાનો વહીવટ થયાનો ખુલાસો કર્યો છે. ત્યારે ધર્મ સત્તા નીચે રાજ સત્તા આવે છે. અમે લોકો સાધુ સંતો છીએ અને મંદિરની પૂજા કરીએ છીએ. સાધુ સંતો દાન ધર્માદો લે છે અને ધાર્મિક જગ્યાનો વિકાસ કરીએ છીએ. ત્યારે લેટર પેડમાં જે રાજકીય પાર્ટીને પૈસા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તે જરા પણ યોગ્ય નથી. એમાં પણ ખાસ સાધુ-સંતો ને રૂપિયા આપવામાં આવ્યા છે તેની નીંદનીય બાબત છે.

અગાઉ ભવનાથ મહંત તરીકે રમેશગીરી બાપુ ની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તનસુખ ગીરીબાપુને મહંત બનાવવામાં આવ્યા હતા. પરંતુ હરીગીરી બાપુએ તનસુખ ગીરીબાપૂની જગ્યાએ શૈલજા દેવીને બેસાડ્યા હતા. અને ત્યારબાદ જયશ્રીકાનંદને ભવનાથ મહંત તરીકે નિમણૂક કરી હતી જેમાં પણ પૈસાનો વહીવટ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં કરોડો રૂપિયાનો વહીવટ કરી હરિગીરી પોતે ભવનાથના મોહન તરીકે બેસી ગયા છે. ત્યારે ભવનાથ મંદિર કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી ધર્મનું દેવસ્થાન છે. આવું ક્યારેય પણ થવું ન જોઈએ અને જો આવું બનતું હોય તો તંત્રએ યોગ્ય કપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ.

મહારાષ્ટ્રના CMપદે દેવેન્દ્ર ફડણવીસ નક્કી, શિંદે, પવાર ડેપ્યુટી CM

મુંબઈઃ મહારાષ્ટ્રના આગામી CM દેવા ફડણવીસ હશે, એ લગભગ નક્કી થઈ ચૂક્યું છે. રાજ્યમાં એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી CM બનશે, એમ ભાજપનાં ઉચ્ચ સૂત્રોએ આ માહિતી આપી હતી. ભાજપના ટોચના નેતૃત્વએ ફડણવીસના નામને મંજૂરી આપી દીદી છે. આ પ્રસ્તાવને શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની NCPએ પણ મંજૂરી આપી દીધી છે.

મહારાષ્ટ્રના રાજકારણને સમજનારા રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે ભાજપ રાજ્યના રાજકારણમાં પોતાના સૌથી મોટો ચહેરા દેવેન્દ્ર ફડણવીસને ફરી એક વાર મુખ્યમંત્રી બનાવશે અને આ વખતે તે કોઈ રાજકીય સમાધાન કરશે નહીં.,

રાજ્યમાં ફડણવીસનાં માતા સરિતા ફડણવીસે પણ કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે CM બનશે. જોકે હજુ સુધી CM ચહેરાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દરેક જગ્યાએ ચર્ચા છે કે મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદે હશે કે દેવેન્દ્ર ફડણવીસ?

રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. રાજ્યમાં ભાજપ મોટા ભાગની સીટો પર આગળ છે. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના CM બનશે. મહારાષ્ટ્ર ભાજપમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી મોટું નામ છે. દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અહીં એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિની માહિતી પણ આપી હતી. તેમની પાસે પાસે કુલ 13.27 કરોડ સંપત્તિ છે. તેમણે IT રિટર્નમાં 2023-24માં તેમની કુલ આવક રૂ. 79,30,402 હતી. જ્યારે 2022-23માં તે 92,48,094 રૂપિયા હતી.  દેવેન્દ્ર ફડણવીસે તેમના નામે 56.07 લાખ રૂપિયા, તેમની પત્ની અમૃતા ફડણવીસને નામે 6,96,92,748 રૂપિયા અને તેમની પુત્રીને નામે 10.22 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે.

 

મહાકુંભ: AI ચેટબોટ શ્રદ્ધાળુઓની મદદ કરશે, 10 ભાષામાં જાણકારી આપશે

ઉત્તર પ્રદેશ: મહાકુંભ 2025ની તૈયારીઓ ફૂલ સ્પીડમાં ચાલી રહી છે. આ મહાકુંભમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ચેટબોટ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેશના વિકાસનું અને વિઝનનું કે ઉત્તમ ઉદાહરણ છે. મહાકુંભ એ વિશ્વની પ્રાચીનતમ સનાતન પરંપરાઓનું ઉદાહરણ છે, પરંતુ બીજી બાજુ તે આધુનિક ટેક્નોલોજી સાથે જોડાઇને વિકાસનું પ્રમાણ પણ બની રહ્યો છે.મહાકુંભ 2025માં પહેલી વખત AI જનરેટિવ ચેટબોટ ‘Kumbh Sah’AI’yak’ (કુંભ સહાયક) વિકસિત કરવામાં આવી રહ્યું છે. જે ભાષિણી એપની મદદથી ગુજરાતી સહિત દસથી વધુ ભાષાઓમાં શ્રદ્ધાળુઓને મહાકુંભ સાથે સંકળાયેલી તમામ માહિતી ઉપલબ્ધ કરાવશે. આ ચેટબોટ ગૂગલ નેવિગેશન, ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન તેમજ વ્યક્તિગત GIFની સુવિધાઓથી સજ્જ હશે.એડિશનલ ફેર ઓફિસર વિવેક ચતુર્વેદીએ જણાવ્યું કે મહાકુંભમાં પહેલીવાર ‘કુંભ સહાયક’ નામક ચેટબોટ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જે વિશ્વની અત્યાધુનિક ટેક્નોલોજી જનરેટિવ AI આધારિત છે. આ ચેટબોટ મહાકુંભ 2025 એપ અથવા વ્હોટ્સએપ દ્વારા સંચાલિકત થશે. મહાકુંભ દરમિયાન આ ચેટબોટ તમારા વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.ચેટબોટ ભાષિણી એપના માધ્યમથી ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિત 10થી વધુ ભાષાઓમાં મહાકુંભ સાથે સંકળાયેલી તમામ જરૂરી માહિતીઓ પ્રદાન કરશે. આ ચેટબોટ શ્રદ્ધાળુઓને લખીને અથવા બોલીને, બંને રીતે ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન એટલે કે અરસપરસ વાતચીતના માધ્યમથી મહાકુંભનો ઇતિહાસ, પરંપરા સહિત સાધુ, સંન્યાસી, અખાડા, સ્નાન માટેના ઘાટ, તિથિઓ, રસ્તાઓ, પાર્કિંગ સ્થળો, રાતવાસો કરવા માટેના સ્થળો વગેરે જેવી તમામ માહિતીઓ પ્રદાન કરશે.કુંભ સહાયક ચેટબોટ ગૂગલ નેવિગેશનની સુવિધા પણ પ્રદાન કરશે. જેના માધ્યમથી મહાકુંભ વિસ્તારમાં સેક્ટર, અખાડા, કલ્પવાસના ટેન્ટ, સ્નાનઘાટના રસ્તાઓનું નેવિગેશન પણ મળી શકશે. આ ચેટબોટ મહાકુંભ વિસ્તાર ઉપરાંત પ્રયાગરાજ શહેરના મુખ્ય દાર્શનિક સ્થળો, મંદિરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડના રસ્તાઓ પણ બતાવશે. ઉપરાંત, તે મહાકુંભમાં થનારા વિવિધ આયોજનોની જાણકારી પણ સમય-સમય પર આપતું રહેશે. ચેટબોટ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ટુર-ટ્રાવેલ યાત્રા પેકેજ અને હોટલો તેમજ હોમસ્ટેના નામ અને સરનામાની પણ જાણકારી આપશે. આમ, કુંભ સહાયક ચેટબોટ મહાકુંભ દરમિયાન વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.

ધારાસભ્યએ કોન્સર્ટનો કર્યો હતો વિરોધ, તેમ છતાં પુનામાં દીલજીતે મચાવી ધમાલ

મુંબઈ: દિલજીત દોસાંજનો કોન્સર્ટ આ દિવસોમાં દારૂના વિવાદને કારણે ચર્ચામાં છે. તેલંગાણા સરકારની નોટિસ બાદ મહારાષ્ટ્રના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે હવે રવિવારે પુણેના કોથરુડ વિસ્તારમાં અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં દારૂ પીરસવાની પરમિટ રદ કરી દીધી હતી. કોન્સર્ટ પહેલા મહારાષ્ટ્ર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પોતાનો નવો આદેશ જારી કરીને બધાને ચોંકાવી દીધા હતા. કોથરુડના તાજેતરમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ સહિત અનેક સૂત્રોએ કાર્યક્રમમાં દારૂ પીરસવાની ઘટના સામે વિરોધ દર્શાવ્યા બાદ વિભાગે પરમિટ રદ કરી દીધી હતી.

મહારાષ્ટ્ર સરકાર દિલજીતના કોન્સર્ટનો વિરોધ કરે છે
કોથરુડના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ સહિત અનેક લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ વિભાગે પરમિટ રદ કરી હતી, પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો. સિંગર-એક્ટર દિલજીત દોસાંઝની દિલ-લુમિનાટી ટૂર વિવિધ શહેરોમાં કોન્સર્ટ કરી રહી છે. એટલું જ નહીં, ભાજપ અને એનસીપીના ઘણા નવા ચૂંટાયેલા નેતાઓએ પણ પુણેના કોથરુડ વિસ્તારમાં આયોજિત શોનો વિરોધ કર્યો હતો. ધારાસભ્ય પાટીલે કોથરુડના કાકડે ફાર્મમાં સાંજના કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, ‘આવા કાર્યક્રમો શહેરની સંસ્કૃતિનો ભાગ નથી. જેના કારણે વિસ્તારના રહીશોને ભારે મુશ્કેલી ઉભી થશે. આ કાર્યક્રમથી ટ્રાફિક જામ પણ થશે. તેથી, મેં શહેર પોલીસ કમિશનરને કાર્યક્રમ રદ કરવા વિનંતી કરી છે. જોકે તેમ છતાં રવિવારે દિલજીતનો કોન્સર્ટ થયો હતો અને હજારો લોકોની ભીડ જામી હતી.

હૈદરાબાદમાં કોન્સર્ટ પહેલા દિલજીતને નોટિસ મળી હતી

દિલજીત દોસાંઝ હાલમાં તેની દિલ-લુમિનાટી ટૂરમાં છે. શુક્રવારે 15 નવેમ્બરે હૈદરાબાદમાં યોજાનાર કોન્સર્ટ પહેલા તેને તેલંગાણા સરકાર તરફથી નોટિસ મળી હતી. નોટિસમાં પંજાબી ગાયકને ડ્રગ્સ, આલ્કોહોલ અથવા હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માટે કહેવામાં આવ્યું હતું. ચંદીગઢના પંડિતરાવ ધરેનવારની રજૂઆતને પગલે આ દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે, જેમણે પુરાવા તરીકે દિલજીતનો ડ્રગ્સ, આલ્કોહોલ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાવાનો તાજેતરનો વીડિયો રજૂ કર્યો હતો. નોટિસમાં તેને ચેતવણી પણ આપવામાં આવી છે કે તે તેના શો દરમિયાન આ ગીતોનો ઉપયોગ ન કરે.

વાયુ પ્રદૂષણ વચ્ચે SCનો નિર્ણય, GRAP-4 દિલ્હીમાં લાગુ રહેશે

નવી દિલ્હી: દેશની રાજધાની અને એન.સી.આર.ના વાતાવરણમાં થોડો સુધારો થયો છે. જો કે તેમ છતાં સુપ્રીમ કોર્ટે રાજ્યમાં લાગુ કરવામાં આવેલા નિયમોને હળવા કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીમાં અમલી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-IVના નિયમોમાં છૂટછાટ આપવાનો ઇનકાર કર્યો છે. જો કે, કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને એ ધ્યાનમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, જેઓ શાળાએ જઈ શકતા નથી, મધ્યાહન ભોજનનો લાભ લઈ શકતા નથી, તેઓ ઑનલાઇન વર્ગોમાં હાજરી આપી શકતા નથી, તેમના માટે શું કરી શકાય?કોર્ટે આ આદેશ ત્યારે આપ્યો જ્યારે એક કેસની સુનાવણી દરમિયાન એ વાત સામે આવી કે સખત નિયમોના કારણે દિલ્હીમાં ઘણા બાળકો શાળાએ જઈ શકતા નથી. જેના કારણે તેમનું શૈક્ષણિક અને સામાજિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે હવાની ગુણવત્તા સુધારવા માટે જરૂરી પગલાંની સાથે-સાથે શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની અસરને ઘટાડવા માટે લાંબા ગાળાના ઉકેલો શોધવાની પણ જરૂર છે. સુપ્રિમ કોર્ટે એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે કે લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને હવાની ગુણવત્તાની કટોકટીનું નિરાકરણ કરવામાં આવે.દિલ્હી-એન.સી.આર.માં પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે ગ્રેપ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 4 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ એક્શન પ્લાન તહેત પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવામાં આવે છે.

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો ઘટાડો

ગુજરાતની મહિલા માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં તેલનો ભાવ વધ્યો હતો. પરંતુ આ ચોમાસામાં મગફળીની આવક વધારે થતાં સીંગતેલના 15 કિલોના ભાવમાં 150 રૂપિયા અને કપાસિયા તેલના 15 કિલોના ભાવમાં 50 થી 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દિવાળીના સમયમાં સીંગતેલના 15 કિલોના ભાવ 2700 રૂપિયા સુધી પહોંચ્યા હતા. હાલમાં લગ્નની સીઝન હોવાથી હાલ બારમાસી તેલ ભરવા માટે ગ્રાહકોની ખરીદી આગામી સપ્તાહથી શરુ થશે. કપાસીયા તેલ ડબ્બો 2155 થી 2250 આસપાસ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બારમાસી સીઝન, હાલ તળિયાના ભાવ છે. ખરીદી વધતા થોડો ભાવ વધી શકે છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં મગફળીનું વાવેતર વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં માત્ર ગુજરાતમાં જ મગફળીનું 46.45 લાખ ટન ઉત્પાદન થયું હતું અને આ વર્ષે વાવેતરમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. ત્યારે ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ એક દિવસમાં જ રાજકોટના તેલ બજારમાં સિંગતેલના ભાવ પ્રતિ 15 કિલોના ડબ્બા દીઠ 150 રૂપિયા ઘટ્યો. વરસાદે વિરામ લેતા તેમજ ચોમાસુ પાક દરમિયાન મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં સારું થશે. તેવા આશાવાદના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સિંગતેલમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂપિયા 150નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ સીંગતેલનો નવો ડબ્બાનો ભાવ 2550 આસપાસ જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો નવો ડબ્બો હાલ 1850 રૂપિયા આસપાસ મળી રહ્યો છે. પામોલીન તેલનો નવો ડબ્બો હાલ 1750 થી 1760 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. સનફ્લાવર તેલનો નવો ડબ્બો ખાલી 1550 થી 1560 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે.