નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આકરી ફટકાર લગાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ રહેશે. UN શાંતિ અભિયાન પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિએ કહ્યું કે UN પીસકીપર્સ સાથે પાકિસ્તાનની સામેલગીરી ત્યારે શરૂ થઈ જ્યારે યુએનએ 1948માં જમ્મુ અને કાશ્મીરના વિવાદિત ક્ષેત્રમાં શાંતિ રક્ષકોને તહેનાત કર્યા.
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પાકિસ્તાનના આ દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક બિનજરૂરી ઉલ્લેખ છે. ત્રિવેદીએ કહ્યું હતું કે પાકિસ્તાને ફરી એક વાર આ પ્રતિષ્ઠિત સંસ્થાને તેના એજન્ડામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પાકિસ્તાનની ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે.
My statement today at United Nations Head Office representing India on the issue of @UN Peace Keeping Operation pic.twitter.com/hFwyoTwH9a
— Dr. Sudhanshu Trivedi (@SudhanshuTrived) November 8, 2024
જમ્મુ-કાશ્મીરના લોકોએ તાજેતરમાં જ તેમના લોકતાંત્રિક અને ચૂંટણી અધિકારોનો ઉપયોગ કરીને નવી સરકારને ચૂંટી કાઢી છે. પાકિસ્તાને આવા નિવેદનો અને જુઠ્ઠાણાથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેનાથી તથ્યો બદલાશે નહીં, એમ તેમણે કહ્યું હતું
કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ પણ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. હકીકતમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન વારંવાર ખોટી માહિતી ફેલાવે છે, પરંતુ જમીની વાસ્તવિકતા જુદી છે. પાકિસ્તાનને જૂઠ અને ભ્રામક માહિતી ફેલાવવાની આદત છે.











માહિતી અનુસાર ધોરણ 9-10માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23.28 ટકા નોંધાયો છે. 21 શાળા પ્રવેશોત્સવ બાદ પણ આટલો ઊંચો ડ્રોપ આઉટ રેશિયો એ શિક્ષણને પ્રોત્સાહન મળે એવા નક્કર કામોની ગેરહાજરીનું પરિણામ દર્શાવે છે. રાજ્યમાં અનટ્રેસ-ડ્રોપઆઉટ બાળકોની સંખ્યા 7.58 લાખ નોંધાઇ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ છે. ધો. 1થી 5માં 1.17%, ધો. 6થી 8માં 2.68% ડ્રોપઆઉટ રેટ જ્યારે ધો. 8 પછી છોકરીઓ કરતા છોકરાનો રેટ ઊંચો છે. આમ, શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા કામોના અભાવનું આ પરિણામ છે તેવું લાગી રહ્યું છે.
ધોરણ 9 અને 10માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 35.45 ટકા અને સૌથી ઓછો રાજકોટ જિલ્લામાં 8.53 ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં ધોરણ 9થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપ આઉટ રેટ વધારે છે.





બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ એક દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે. જે મુજબ ચાલુ વર્ષનું પ્રોપર્ટી ટેકસ બિલ ભર્યાની ઝેરોક્ષ કોપી રજૂ કરીને સિનિયર સિટીઝન, દિવ્યાંગ કે મેન્ટલી ડિસેબલ વ્યકિત કે બાળકને ફ્રી બસ પાસ આપવામા આવે. જો કે આ દરખાસ્ત મંજૂર થાય છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. AMTS દ્વારા એક મનપસંદ પ્રવાસ યોજના તો ચલાવવામાં આવે જ છે. જેમાં કોઈ પણ પ્રવાસી ૩૫ રૂપિયાની એક ટિકિટ ખરીદીને સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી AMTS દ્વારા ચલાવાતી કોઈ પણ સેવામાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકે છે.