ધોળકા: દિવાળીના ઉત્સવ પછી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થાય. આ સાથે દરેક પ્રાંત ક્ષેત્રમાં અવનવા મેળા ભરાય. અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલા વૌઠા ગામ નજીક સાત નદીઓનો સંગમ થાય છે. આ નદીના પટ પર જ દિવાળીના પછી તરત જ એક અનોખો મેળો ભરાય છે. એમાં એનું મુખ્ય આકર્ષણ હોય છે..ગદર્ભ એટલે કે ગધેડા. આ વર્ષે અત્યારથી જ વૌઠા ગામની ખુલ્લી જગ્યામાં ઠેર-ઠેર જુદા-જુદા પ્રાંતમાંથી આવેલા ગધેડાની લે વેચ શરૂ થઈ ગઈ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના જુદાં-જુદાં વિસ્તારમાંથી વૌઠામાં ગધેડા લાવવામાં આવે છે.
દિવાળી પછી પૂનમ સુધી વૌઠા આખાય ગામમાં મેળાનું જ વાતાવરણ હોય છે. જુદાં-જુદાં પ્રાંતમાંથી આવેલા વિવિધ નસલના ગધેડાના અહીં સોદા થાય છે. હાલારી, દેશી, મારવાડ, ખચ્ચર સહિત અનેક પ્રકારના ગધેડાને ગુલાબી, કેસરી રંગથી સજાવી મેળામાં લે-વેચ માટે લાવવામાં આવે છે.
વૌઠાનો મેળો ભરાય છે એ સ્થળે સપ્તસંગમ સાત નદીઓના સંગમ તરીકે ઓળખાય છે. વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે. આ બે નદીઓને એ અગાઉ સાબરમતી, હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માઝમ, શેઢી નદીઓ મળે છે. જેના કારણે અહીં સાત નદીઓનો સંગમ થાય છે.
એક માન્યતા અનુસાર ગુજરાતના મધ્યમાં આવેલા આ સ્થળનું મહત્વ પુરાણોમાં દર્શાવાયું છે. મહાભારતનું વિરાટનગર જે અત્યારનું ધોળકામાં છે. જ્યાં પાંડવો તેર વર્ષના લાંબા વનવાસ પછીનો અજ્ઞાતવાસ પસાર કરવા માટે રોકાયા એવી માન્યતા છે. વૌઠામાં આવેલા આ મહાદેવના પ્રાચીન મંદિર વિષે પણ ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે, ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિક સ્વામી જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતા રહે છે. તેઓ કાર્તિક પૂર્ણિમાને દિવસે ભરતા મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે આવતા હોય છે. વૌઠામાં આજે પણ કાર્તિકની ચરણપાદુકાનું પૂજન થાય છે.
કાર્તિકી પૂર્ણિમા સપ્તસંગમમાં સ્નાન કરવું ખુબ પવિત્ર મનાય છે અને તે દિવસે સ્નાન કરીને લોકો અધ્યાત્મિક આનંદ અનુભવે છે. વૌઠાના આ મેળામાં અનેક નાની-મોટી દુકાનો, મદારી, જાદુગરો, નટ, ભવૈયા, સર્કસ, ચકડોળ વગેરે મનોરંજનના સાધનો હોય છે. રાત્રે ભજન મંડળી ઉપરાંત તાલુકા પંચાયત ધોળકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ભાલ અને નળકાંઠાના લોકો અહીં પાલ એટલે કે છાવણી નાખી બે-ત્રણ દિવસ માટે રોકાતા હોય છે.
જો કે સૌથી મહત્વની વાત મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડાનું બજાર છે. અહી સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે લાવવામાં આવે છે. ગદર્ભની અનોખી માવજત કરતા લોકો અહીં જોવા મળી છે. અહી ચાર હજાર કરતાં પણ વધુ ગધેડાઓને વેચાણ માટે લઈ આવવામાં આવે છે. આધુનિક યુગમાં વૌઠાના મેળે ગદર્ભની સંખ્યા ઓછી થતી જાય છે. ત્યારે આ પંથકના ગધેડા ખરીદવા આવેલા લોકો કહે છે..’ભાઈ આ વર્ષે તો પચ્ચીસ હજારમાંય ગધેડા નહીં મળતા..હવે તો ગધેડા ય મોંઘા થઈ ગયા છે.!
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)







મહારાષ્ટ્રમાં આ તમામ નેતાઓ 37 વિધાનસભા મતવિસ્તારોમાં પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા હતા. મહાયુતિએ તેનો મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ આ કાર્યવાહી કરી છે. ભાજપમાં બળવાખોરો ઘણી બેઠકો પર પાર્ટી માટે મોટો પડકાર બની ગયા છે. ટિકિટ ન મળવાથી નારાજ બળવાખોર નેતાઓમાં બે પૂર્વ સાંસદો પણ સામેલ હતા. નંદુરબારથી હીના ગાવિત અને જલગાંવથી એ. ટી. પાટીલ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા હતા. હીના ગાવિત 2014 અને 2019માં બે વખત નંદુરબારથી સાંસદ રહી ચૂકી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તે કોંગ્રેસના ગોવાલ પાડવી સામે હારી ગયા હતા. આવી સ્થિતિમાં તે હવે ધારાસભ્ય બનવા માંગતા હતા. પરંતુ ટિકિટ ન મળતાં તે નારાજ થઈ ગઈ હતા. લોકસભા હાર્યા બાદ એ.ટી. પાટીલને પણ પાર્ટી તરફથી વિધાનસભામાં ટિકિટની આશા હતી, પરંતુ પાર્ટીએ બીજા કોઈને પોતાના ઉમેદવાર બનાવ્યા. અત્યાર સુધી ભાજપના બળવાખોરો રાજ્યમાં 30 સીટો પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
ઝારખંડમાં પણ ભાજપે પક્ષના ઉમેદવારો વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરનાર 30 નેતાઓને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. તેની જાણકારી પાર્ટીએ એક નિવેદન દ્વારા આપી. પાર્ટીએ જણાવ્યું કે તમામ બળવાખોર ભાજપ નેતાઓને છ વર્ષ માટે પાર્ટીથી કાઢી મૂકાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીના આદેશ પર મહામંત્રી અને સાંસદ ડો.પ્રદીપ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરીને પાર્ટીની નીતિઓ વિરુદ્ધ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા આવા 30 ભાજપના બળવાખોર નેતાઓને પાર્ટીથી છ વર્ષ માટે હાંકી કઢાયા છે. ઝારખંડની 81 સદસ્યીય વિધાનસભા માટે ચૂંટણી 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.



ઘટના અંગે વાત કરીએ તો લોધીકા તાલુકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને જીવન ટૂકાવ્યું હતું. વિદ્યાર્થીએ આપઘાત પહેલા વીડિયો ઉતારીને શિક્ષકોના દબાણના કારણે આ પ્રકારનું પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે એક સુસાઈડ નોટ પણ લખી હતી. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્ય સચિન વ્યાસ, શિક્ષક મોસમી શાહ અને વિભૂતિ જોષીને સસ્પેન્ડ કર્યા છે.
મમ્મી મેં આજે આ પગલું ભર્યું ન હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. એટલે મેં આ પગલું ભર્યું છે. જો મમ્મી હું સાચું કહું છું, તારા સમ ખાઈને કહું છું કે પેપર મેં નથી લખ્યું. મેં સરને ખુબ સમજાવ્યાં, પણ તેમણે મારા પર પોલીસ કેસ કરવાનો છે એમ કહ્યું તેથી મેં આ પગલું ભર્યું છે.
