નવી દિલ્હીઃ ભારત વિદેશમાં રહેતા ખાલિસ્તાનીઓને શોધી કાઢવા અને તેમની દેખરેખ રાખવા માટે સાયબર કેનેડાની જાસૂસી એજન્સીએ ભારતને મોટી ચેતવણી આપી છે. ભારત વિદેશમાં ખાલિસ્તાનીઓને ટ્રેક કરવા માટે સાયબર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. એક શીખની હત્યા સહિત વાનકુંવરમાં હિંસા માટે ટોચના ભારતીય અધિકારી જવાબદાર હોવાના આક્ષેપોના એક દિવસ બાદ આ ચેતવણી આપવામાં આવી છે, એમ એજન્સીએ કહ્યું હતું.
ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત કેનેડાના સરકારી નેટવર્ક પર સાયબર એટેકની પણ વાત કરવામાં આવી છે, એમ કેનેડાના કોમ્યુનિકેશન્સ સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ (CSE)એ એક રિપોર્ટમાં જણાવ્યું હતું.
અમે ભારતને ઉભરતા સાયબર ખતરા તરીકે જોઈ રહ્યા છીએ. આ પ્રવૃત્તિને કેનેડા અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડને જવાબદાર ગણાવી છે. કેનેડાના આરોપોને પગલે ભારત તરફી હેકટીવિસ્ટ જૂથે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ હુમલા કર્યા હતા. આના દ્વારા ઓનલાઈન ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે યુઝર્સ માટે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો હતો. જેમાં સેનાની પબ્લિક વેબસાઈટ સહિત અનેક કેનેડિયન વેબસાઈટને નિશાન બનાવવામાં આવી હતી, એમ CSE ચીફ કેરોલિન ઝેવિયરે જણાવ્યું હતું.
ઓટ્ટાવાએ એક મોટું ઓપરેશન શોધી કાઢ્યું છે. આ અંતર્ગત મોદી સરકાર કેનેડાના ખાલિસ્તાનીઓને નિશાન બનાવી રહી છે, એમ કેનેડાના અધિકારીઓએ ઘટસ્ફોટ કર્યો હતો.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્રકાર પરિષદમાં ભારત પર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી.અમે કોઈ પણ કેનેડિયન નાગરિકને ધમકાવવા અથવા મારી નાખવામાં કોઈ પણ દેશની સંડોવણીને સહન કરીશું નહીં. આ કેનેડાની સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.



માહિતી મુજબ દેવેન્દ્ર સિંહ રાણાએ ફરીદાબાદની એક હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્ગજ નેતાના નિધનથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મહેબૂબા મુફ્તી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં દેવેન્દ્ર સિંહ રાણાને 48113 મત મળ્યા હતા. જ્યારે NC ઉમેદવાર જોગીન્દર સિંહને 17641 વોટ મળ્યા હતા. આ રીતે દેવેન્દ્ર સિંહે 30472 મતોથી જંગી જીત મેળવી હતી.
પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લા ચાર વર્ષથી દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
LOC અને અટારી બોર્ડર પર, પુરૂષ-મહિલા સૈનિકોએ મીઠાઈઓ વહેંચી, મીણબત્તીઓ પ્રગટાવી અને ફટાકડા ફોડ્યા હતા. LOC પર દિવાળી પર જવાનોએ જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો.
આ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ. પી. સિંહ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેઓ જવાનોને મળ્યા અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી અને તેમની સાથે નાસ્તો કર્યો હતો. આ સિવાય સી.ડી.એસ. જનરલ અનિલ ચૌહાણ પોર્ટ બ્લેયર, આંદામાન અને નિકોબારમાં તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી ગુજરાતના પોરબંદરમાં નૌકાદળના જવાનો સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
પીએમ મોદી દર વર્ષે સેના સાથે દિવાળીની ઉજવણી કરતા હતા. આ વખતે તેઓ દિવાળી પર ગુજરાતના પ્રવાસે છે. આવી સ્થિતિમાં ત્રણેય સેના પ્રમુખ અને સીડીએસ અલગ-અલગ જગ્યાએ પહોંચ્યા અને જવાનો સાથે દિવાળી મનાવી.



હેમંતી જરદોશે અમેરિકાથી
આ રંગોળી તમારી કાયમ માટે સચવાઈ રહેશે. એમાંથી પાણી કાઢીને સાચવીને રાખી શકો અને જરૂર પડે ત્યારે પાણી નાખીને તમે બતાવી શકો છો. અલબત્ત રંગ તેલ સાથે ચોંટેલા હોય છે એટલે તમે અડકો એટલે ખરાબ થઈ શકે છે. એકબીજામાં રંગો ભળતા હોવાથી આ રંગોળી બનાવનાર વ્યક્તિને રંગોના મિશ્રણનો ખ્યાલ હોય એ જરૂરી છે. આ રંગોળી ૩ થી વર્ષ સુધી સાચવીને વાપરી શકો છો.
હેમંતી જરદોશએ આ વર્ષે અમેરિકામાં નરેન્દ્ર મોદીની રંગોળી તૈયાર કરી છે. અગાઉ ગણેશજી, અમિતાભ બચ્ચન વગેરે રંગોળી બનાવી ચૂક્યા છે.
