Home Blog Page 1362

કેનેડાની જાસૂસી એજન્સીએ ભારતને આપી ચેતવણી

નવી દિલ્હીઃ ભારત વિદેશમાં રહેતા ખાલિસ્તાનીઓને શોધી કાઢવા અને તેમની દેખરેખ રાખવા માટે સાયબર  કેનેડાની જાસૂસી એજન્સીએ ભારતને મોટી ચેતવણી આપી છે. ભારત વિદેશમાં ખાલિસ્તાનીઓને ટ્રેક કરવા માટે સાયબર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. એક શીખની હત્યા સહિત વાનકુંવરમાં હિંસા માટે ટોચના ભારતીય અધિકારી જવાબદાર હોવાના આક્ષેપોના એક દિવસ બાદ આ ચેતવણી આપવામાં આવી છે, એમ એજન્સીએ કહ્યું હતું.

ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત કેનેડાના સરકારી નેટવર્ક પર સાયબર એટેકની પણ વાત કરવામાં આવી છે, એમ કેનેડાના કોમ્યુનિકેશન્સ સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ (CSE)એ એક રિપોર્ટમાં જણાવ્યું હતું.

અમે ભારતને ઉભરતા સાયબર ખતરા તરીકે જોઈ રહ્યા છીએ. આ પ્રવૃત્તિને કેનેડા અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડને જવાબદાર ગણાવી છે. કેનેડાના આરોપોને પગલે ભારત તરફી હેકટીવિસ્ટ જૂથે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ  હુમલા કર્યા હતા. આના દ્વારા ઓનલાઈન ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે યુઝર્સ માટે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો હતો. જેમાં સેનાની પબ્લિક વેબસાઈટ સહિત અનેક કેનેડિયન વેબસાઈટને નિશાન બનાવવામાં આવી હતી, એમ CSE ચીફ કેરોલિન ઝેવિયરે  જણાવ્યું હતું.

ઓટ્ટાવાએ એક મોટું ઓપરેશન શોધી કાઢ્યું છે. આ અંતર્ગત મોદી સરકાર કેનેડાના ખાલિસ્તાનીઓને નિશાન બનાવી રહી છે, એમ કેનેડાના અધિકારીઓએ ઘટસ્ફોટ કર્યો હતો.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્રકાર પરિષદમાં ભારત પર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે  કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી.અમે કોઈ પણ કેનેડિયન નાગરિકને ધમકાવવા અથવા મારી નાખવામાં કોઈ પણ દેશની સંડોવણીને સહન કરીશું નહીં. આ કેનેડાની સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.

 

અક્ષય કુમારથી લઈ સોહા અલી ખાને પાઠવી દિવાળીની શુભકામના

મુંબઈ: પ્રકાશનો તહેવાર દિવાળીએ દેશભરના કરોડો લોકોના હૃદયને રોશન કર્યા છે. બોલિવૂડ સ્ટાર્સ આ ખાસ અવસર પર તેમના ચાહકોને શુભેચ્છાઓ આપીને ઉજવણીમાં જોડાઈ રહ્યા છે. દિવાળીના તહેવારને લઈને માત્ર દર્શકોમાં જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અક્ષય કુમારથી લઈને અલ્લુ અર્જુન સુધી ઘણા કલાકારોએ પવિત્ર તહેવારની ખુશી ચાહકો સાથે શેર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર તેના ચાહકોને અભિનંદન પાઠવ્યા છે.

અક્ષય કુમારે અભિનંદન પાઠવ્યા

અજય દેવગનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિંઘમ અગેન’માં તેના કેમિયો માટે તૈયારી કરી રહેલા અક્ષય કુમારે X પર એક વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે,’દરેક હૃદયમાં ખુશી, દરેક ઘરમાં તેજ. તમને અને તમારા પ્રિયજનોને દિવાળીની શુભકામનાઓ.’

આ રીતે કરીનાએ શુભ દિવસની શરૂઆત કરી

કરીના કપૂર ખાન પણ ‘સિંઘમ 3’માં ભૂમિકા ભજવવાની છે. તેણીએ તાજેતરમાં તેના ફેન્સને બીચ વેકેશનમાંથી કેટલીક તસવીર શેર કરી છે. તેણીએ પોસ્ટમાં લખ્યું છે, ‘સ્વપ્ન જોવાની હિંમત… પ્રકાશનો અનુભવ કરવા… હેપ્પી દિવાળી, મિત્રો.’

કંગનાએ તેના ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી

કંગના રનૌતે દિવસની શરૂઆતમાં એક હૃદયસ્પર્શી વિડીયો શેર કરીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. અભિનેત્રીએ કહ્યું કે,’ધન, સુખ, સમૃદ્ધિ અને સંવાદિતાના મહાન તહેવાર દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.’

અલ્લુ અર્જુને પણ ચાહકોને શુભેચ્છા પાઠવી

‘પુષ્પા’ દ્વારા વિશ્વભરના દિલ જીતનાર સ્ટાર અલ્લુ અર્જુને પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે લખ્યું,’તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ. પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં નવો પ્રકાશ લાવે તેવી પ્રાર્થના.’

સોહા અલી ખાને વીડિયો કર્યો શેર

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi)

સોહા અલી ખાને તેના પરિવાર સાથે મંદિરમાં જઈને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો. તેણે એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં તેણીએ લખ્યું કે,’અમારા પરિવાર વતી અમે તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રેમ, પ્રકાશ, શાંતિ અને સુખ – તે માટે અમે પ્રાર્થના કરી હતી.’

અનુપમ ખેરે અભિનંદન પાઠવ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

ભાજપના દિગ્ગજ નેતાનું દિવાળીના દિવસે જ નિધન

જમ્મુ-કાશ્મીર: નગરોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા જીતેન્દ્ર સિંઘના ભાઈ દેવેન્દ્ર સિંહ રાણાનુું નિધન થયું છે. આ સમાચાર ભાજપ માટે એક મોટો ઝટકો મનાઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપના ધારાસભ્ય તરીકે તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને નગરોટા બેઠક પરથી જંગી મતો સાથે જીત મેળવી હતી. માહિતી મુજબ દેવેન્દ્ર સિંહ રાણાએ ફરીદાબાદની એક હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્ગજ નેતાના નિધનથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મહેબૂબા મુફ્તી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં દેવેન્દ્ર સિંહ રાણાને 48113 મત મળ્યા હતા. જ્યારે NC ઉમેદવાર જોગીન્દર સિંહને 17641 વોટ મળ્યા હતા. આ રીતે દેવેન્દ્ર સિંહે 30472 મતોથી જંગી જીત મેળવી હતી.

દિલ્હીની હવા દિવાળીના પર્વ બાદ વધુ ઝેરી બની

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં દિવાળીની સવારે વાયુની ગુણવત્તા વધારે ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી. અહીં સવારે ૯ વાગ્યે એર ક્વાલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૩૩૦ રહ્યો હતો. સાંજે ફટાકડાને કારણે વાયુની ગુણવત્તા વધારે ખરાબ થવાની સંભાવના છે.

દિલ્હીમાં બપોરે ચાર વાગ્યે સરેરાશ એ.ક્યુ.આઇ. ૩૨૮ નોંધવામાં આવ્યો હતો. જે બુધવારના ૩૦૭થી વધારે છે. વર્ષ ૨૦૨૩માં દિવાળીના દિવસે એ.ક્યુ.આઇ. ૨૧૮ રહ્યો હતો. ગયા વર્ષે પરાળી બાળવાની ઘટનાઓમાં ઘટાડો થવાથી તેમજ દિવાળી પહેલાં વરસાદ પડવાને કારણે તહેવારના દિવસે દિલ્હી ગેસ ચેમ્બર બન્યું ન હતું.પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લા ચાર વર્ષથી દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રક્ષા મંત્રી-સેના પ્રમુખની આસામમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી

નવી દિલ્હી: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. અહીં તેમણે દિવાળીની ઉજવણી કરી અને મેઘના સ્ટેડિયમમાં સેનાના જવાનો સાથે ડિનર કર્યુ હતું. LOC અને અટારી બોર્ડર પર, પુરૂષ-મહિલા સૈનિકોએ મીઠાઈઓ વહેંચી, મીણબત્તીઓ પ્રગટાવી અને ફટાકડા ફોડ્યા હતા. LOC પર દિવાળી પર જવાનોએ જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો.આ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ. પી. સિંહ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેઓ જવાનોને મળ્યા અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી અને તેમની સાથે નાસ્તો કર્યો હતો. આ સિવાય સી.ડી.એસ. જનરલ અનિલ ચૌહાણ પોર્ટ બ્લેયર, આંદામાન અને નિકોબારમાં તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી ગુજરાતના પોરબંદરમાં નૌકાદળના જવાનો સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે.પીએમ મોદી દર વર્ષે સેના સાથે દિવાળીની ઉજવણી કરતા હતા. આ વખતે તેઓ દિવાળી પર ગુજરાતના પ્રવાસે છે. આવી સ્થિતિમાં ત્રણેય સેના પ્રમુખ અને સીડીએસ અલગ-અલગ જગ્યાએ પહોંચ્યા અને જવાનો સાથે દિવાળી મનાવી.

રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને દિવાળીના પર્વ પર તમારી (સૈનિકો) વચ્ચે આવવાની તક મળી. મારે આજે અરુણાચલના તવાંગમાં જવાનું હતું. સૈનિકો સાથે ભોજન પણ કરવાનું હતું, પણ કદાચ ભગવાનને આ મંજૂર ન હતું. તેઓ ઇચ્છતા હતા કે હું તેજપુરમાં બહાદુર સૈનિકો સાથે ડિનરમાં હાજરી આપું. તેમણે કહ્યું કે કોઈપણ તહેવારની ખુશી ત્યારે વધી જાય છે જ્યારે તે પરિવાર સાથે ઉજવવામાં આવે. જેટલો મોટો પરિવાર, તેટલી મોટી ખુશી. તેથી હું મારા મોટા પરિવાર, મારા સશસ્ત્ર દળોના પરિવાર સાથે દિવાળી ઉજવવાનો પ્રયાસ કરું છું. તેથી જ હું આ વર્ષે તેજપુરમાં તમારી સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યો છું.

રાંદેરી આલુ પુરી

દિવાળીના નાસ્તા બનાવીને તેમજ મીઠાઈ ખાઈને જરા તરા કંટાળો જો આવ્યો હોય, તો આ મજેદાર નાસ્તો બનાવવા જેવો છે! સુરતની પ્રખ્યાત રાંદેરની આલુ પુરી કોકમની ચટણી સાથે ચટાકેદાર સ્વાદવાળી છે!

સામગ્રીઃ

  • મેંદો 2 કપ
  • મોણ માટે તેલ 2 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ તળવા માટે
  • કાંદા 3-4 (કાંદા લસણ ન ખાતા હોય તેમણે કાંદાને બદલે કોબી તેમજ ચીઝનો ઉપયોગ કરવો)
  • ચાટ મસાલો 2 ટી.સ્પૂન
  • ઝીણી તીખી સેવ અથવા તૈયાર આલૂ ભૂજિયા સેવ 1 કપ
  • ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રગડા માટેઃ

  • સૂકા સફેદ વટાણા 1 કપ
  • બટેટા 3
  • લીલાં મરચાં 2
  • આદુ-લસણ પેસ્ટ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • જીરૂ ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ

લીલી ચટણીઃ

  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • લીલાં મરચાં 4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • શેકેલા જીરાનો પાઉડર ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુનો રસ 2 ટી.સ્પૂન

કોકમની ચટણીઃ

  • ભીના નરમ કોકમ 40 ગ્રામ
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • ગોળ
  • લીંબુનો રસ 2 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ

રીતઃ કઠોળના સફેદ વટાણા 2-3 પાણીએથી ધોઈને પાણીમાં આખી રાત માટે પલાળી રાખો.

સવારે વટાણામાં બટેટા છોલીને ઝીણા ચોરસ ટુકડામાં સમારીને ઉમેરી 2 કપ પાણી ઉમેરીને કૂકરની 4-5 સીટી કરી બાફી લો. કૂકર ઠંડું થવા દો.

એક વાસણમાં મેંદો લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું તેમજ 1 ટી.સ્પૂન તેલ ઉમેરી પુરીના લોટની જેમ થોડો કઠણ લોટ બાંધીને ભીના સુતરાઉ કાપડથી ઢાંકીને 20 મિનિટ માટે રાખી મૂકો.

મિક્સીમાં ધોઈને સમારેલી કોથમીર લઈ તેમાં, આદુ-મરચાંના ટુકડા, જીરા પાઉડર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બારીક તેમજ ઘટ્ટ ચટણી પીસી લો.

 

કોકમને ધોઈને એક તપેલીમાં 2½ કપ જેટલું પાણી ઉમેરો. તેમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગોળ, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને ગેસ પર ઉકળવા મૂકો. તેમાંનું પાણી સૂકાય જાય એટલે ગેસ બંધ કરીને ઠંડું કરવા મૂકો.

લોટને રાખીને 20 મિનિટ થઈ ગઈ હોય તો તેમાંથી નાની નાની પાણી પુરી જેવી પુરીઓ વણીને એક થાળીમાં ગોઠવી દો. પુરી વણાય જાય એટલે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને પુરી તળી લો. ધ્યાન રહે, પુરીના રંગ જરાપણ ગોલ્ડન કે લાલ ન થવો જોઈએ. મધ્યમ તાપે પુરી કાચી ના રહેતાં એકસરખી તળાઈ જશે, એટલું કે પુરીનો રંગ સફેદ દેખાવો જોઈએ.

પુરી તળીને બહાર થાળીમાં એક ઉપર એક ગોઠવીને ઢગલીઓ કરતા જાઓ. જેથી પુરી નરમ રહે.

એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂ તતડાવીને તેમાં સુધારેલાં મરચાં તેમજ આદુનો વઘાર કરી લો. હવે તેમાં બધા સૂકા મસાલા તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બાફેલો રગડો મેળવી દો. 2-3 મિનિટ બાદ તેમાંનું પાણી સૂકાઈને રગડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

કોકમ ઠંડા થાય એટલે તેને મિક્સીમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગોળ, લીંબુનો રસ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને જાડી ચટણી પીસી લો.

કાંદાની ગોળ પાતળી સ્લાઈસ કરી લો.

એક પ્લેટમાં 4-5 પુરી ગોઠવી લો. તેની ઉપર 1-1 ચમચી રગડો મૂકો. ઉપર તીખી તેમજ ગળી ચટણી ઉમેરીને દરેક પુરી ઉપર કાંદાની 2-3 રીંગ મૂકી દો. ઉપર થોડો ચાટ મસાલો ભભરાવીને ઝીણી તીખી સેવ ભભરાવો, સમારેલી કોથમીર સાથે સજાવીને ખાવા માટે પીરસો.

અમેરિકામાં બની, પાણીની સપાટીની નીચે નરેન્દ્ર મોદીની રંગોળી

સુરત: દિવાળી અને બેસતાવર્ષના દિવસે આંગણે રંગોળી પૂરવાની એક પરંપરા છે. રંગોળી કરોઠી, ફુલ, મીઠું ,રેતી, લાકડાનો વ્હેર, જુદા-જુદા કઠોળ કે ચોખાની મદદથી પણ બનાવી શકો છો. તૈયાર રંગોળી એક્રેલિકની શીટ, પ્લાસ્ટિકની સીટ અથવા તો પ્લાયની સીટ પર પણ મળે છે. આજે આપણે પાણીની નીચે રંગોળી માણીએ. મૂળ સુરતી અને હાલ અમેરિકા રહેતા રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશ દ્વારા આ રંગોળી બનાવાઈ છે. આ વખતે એમણે નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી છે.હેમંતી જરદોશે અમેરિકાથી ચિત્રલેખા.કોમ સાથે ફોન પર પાણીની સપાટી નીચે રંગોળી બનાવવાની રીત જણાવતા કહ્યુ કે, સૌ પ્રથમ સ્ટીલ અથવા કાચની અથવા પ્લાસ્ટિકની ડીશ લો. જો રંગોળી મોટી બનાવવી હોય તો મોટું વાસણ પણ લઈ શકો છો. હવે તેની સપાટી ઉપર તેલ કે દિવેલ લગાવી પાતળું પડ તૈયાર કરો અને તેના પર ચોકની મદદથી ડિઝાઇન તૈયાર કરો અથવા પેન્સિલની મદદથી પહેલા ડિઝાઇન તૈયાર કરી શકો છો. હવે જુદા-જુદા રંગોની કરોઠી લઈ આ દોરેલી ડિઝાઇન પર રંગોળી તૈયાર કરો.

તમે જે દોરો છો કે જે રંગ ઉમેરો છે એ ફાઇનલ પ્રોડક્ટ છે એમ સમજી લો. આમાં ભૂલ સુધારવાનો અવકાશ નહીવત્ છે. રંગોળી તૈયાર થઈ ગયા બાદ ૩૦ થી ૪૦ મિનિટ રંગોને રહેવા દો. ત્યારબાદ થાળીમાં કે વાસણમાં ધીમે ધીમે એક સાઈડથી પાણી ઉમેરો. થાળીમાં તેલ કે દિવેલ લગાડેલું હોવાથી પાણી રેડવા છતાં કરોઠી/ રંગો થાળીમાં જ ચોંટી રહેશે. આ રીતે તૈયાર કરી શકશો, પાણીની અંદર એક આકર્ષક રંગોળી.આ રંગોળી તમારી કાયમ માટે સચવાઈ રહેશે. એમાંથી પાણી કાઢીને સાચવીને રાખી શકો અને જરૂર પડે ત્યારે પાણી નાખીને તમે બતાવી શકો છો. અલબત્ત રંગ તેલ સાથે ચોંટેલા હોય છે એટલે તમે અડકો એટલે ખરાબ થઈ શકે છે. એકબીજામાં રંગો ભળતા હોવાથી આ રંગોળી બનાવનાર વ્યક્તિને રંગોના મિશ્રણનો ખ્યાલ હોય એ જરૂરી છે. આ રંગોળી ૩ થી  વર્ષ સુધી સાચવીને વાપરી શકો છો.હેમંતી જરદોશએ આ વર્ષે અમેરિકામાં નરેન્દ્ર મોદીની રંગોળી તૈયાર કરી છે. અગાઉ ગણેશજી, અમિતાભ બચ્ચન વગેરે રંગોળી બનાવી ચૂક્યા છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

૦૧ નવેમ્બર, ૨૦૨૪

પંચાંગ 01/11/2024

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનના નામની જાહેરાત કરી

IPL 2024માં નિરાશાજનક પ્રદર્શન બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે મજબૂત પુનરાગમન કરવા માટે પ્રથમ પગલું ભર્યું છે. IPL 2025ની મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે કુલ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. ખાસ વાત એ છે કે રોહિત શર્મા હજુ પણ આ ટીમ સાથે છે. ગત સિઝન બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે, પરંતુ એવું થયું નથી. આ સાથે જ હાર્દિક પંડ્યાને પણ જાળવી રાખવામાં આવ્યો છે. આ બે દિગ્ગજ ખેલાડીઓ સિવાય મુંબઈની ટીમે વધુ ખેલાડીઓને જાળવી રાખ્યા છે.

 

મુંબઈ ઈન્ડિયન્સની રિટેન્શન લિસ્ટ જાહેર

ગત વર્ષે જ મુંબઈએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી, ત્યાર બાદ માનવામાં આવી રહ્યું હતું કે રોહિત ટીમ છોડી શકે છે. પરંતુ રોહિત ફરી એકવાર માત્ર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. રોહિત આ ટીમ સાથે 5 વખત IPL ટ્રોફી જીતી ચૂક્યો છે. તે જ સમયે, હાર્દિક પંડ્યા ગત સિઝનમાં જ વેપાર દ્વારા મુંબઈની ટીમમાં આવ્યો હતો અને કેપ્ટન પણ બન્યો હતો. આ સિવાય જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને પણ જાળવી રાખવામાં આવ્યા છે.

કેપ્ટને આગામી સિઝન માટે જાહેરાત કરી

રિટેન્શન લિસ્ટની સાથે મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન માટે કેપ્ટનના નામની પણ જાહેરાત કરી છે. મુંબઈની ટીમે જાહેરાત કરી છે કે IPL 2025માં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન રહેશે. ગત સિઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, પરંતુ મુંબઈએ પંડ્યા પરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. એટલે કે રોહિત શર્મા આગામી સિઝનમાં પણ ખેલાડી તરીકે રમશે.

MI એ કયા ખેલાડીને કેટલામાં જાળવી રાખ્યો?

મુંબઈએ જસપ્રિત બુમરાહને સૌથી વધુ 18 કરોડ રૂપિયા આપ્યા છે. તે જ સમયે, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને 16.35-16.35 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા છે. આ સિવાય રોહિતને 16.30 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. બીજી તરફ તિલક વર્મા ફરી એકવાર આ ટીમ માટે 8 કરોડ રૂપિયા સાથે રમતા જોવા મળશે.