Home Blog Page 1399

‘બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે સલમાન ખાનની હાલત’ ફરી મળી ધમકી

મુંબઈ: અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, 1લોરેન્સ બિશ્નોઈ ગેંગ નામનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ તરફથી વોટ્સએપ પર મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને ધમકી મોકલવામાં આવી છે. આમાં તેણે આ સમગ્ર મામલો દબાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે જો તે આ બાબતને ગંભીરતાથી નહીં લે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સલમાન ખાનના મિત્ર NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Bollywood actor Salman Khan poses for photographs during the trailer launch of his movie ‘Tubelight’ in Mumbai, India on May25, 2017.

સલમાન ખાનના ઘરે સઘન સુરક્ષા

આ મામલામાં મુંબઈ પોલીસનું કહેવું છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આ અંગે ક્રાઈમ બ્રાંચની ટીમને પણ જાણ કરવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. ધમકીભર્યા મેસેજમાં તેને હળવાશથી ન લેવાનું કહેવામાં આવ્યું છે. જો સલમાન ખાને જીવિત રહેવું હોય અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવી હોય તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. આ ધમકી બાદ સલમાન ખાનના બાંદ્રા સ્થિત આવાસની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અભિનેતાની સુરક્ષા અગાઉની ધમકીઓથી ઉચ્ચ ચેતવણી પર છે અને એમાં ઉપરથી આ ધમકીએ સલામતી અંગે નવી ચિંતાઓ ઊભી કરી છે.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

આ ધમકી ખરેખર કોઈ ગેંગ દ્વારા આપવામાં આવી છે કે પછી કોઈ વ્યક્તિએ માત્ર પોલીસને હેરાન કરવા માટે આ બધું કર્યું છે કે કેમ તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. હકીકતમાં પોલીસને છેલ્લા ઘણા દિવસોથી નકલી થ્રેડ કોલ અને મેસેજ આવી રહ્યા છે. મુંબઈ પોલીસે સમગ્ર પ્રોટોકોલને અનુસરીને આ મામલે તપાસ શરૂ કરી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરની ધરપકડ

ગઈકાલે નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક શૂટરની ધરપકડ કરી હતી. હરિયાણાના પાણીપતમાં ઝડપાયેલા આરોપીની ઓળખ સુખા ઉર્ફે સુખબીર બલબીર સિંહ તરીકે થઈ છે. અભિનેતા પર હુમલો કરવા માટે સુખાએ ગેંગના અન્ય સભ્યોને કથિત રીતે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુખા તેના હેન્ડલર ડોગર સાથે સીધો સંપર્કમાં હતો. આ ટોળકી કથિત રીતે ષડયંત્રને અંજામ આપવા માટે પાકિસ્તાનથી દાણચોરી કરીને AK-47, M16 અને AK-92નો ઉપયોગ કરવા માંગતી હતી.

આગિયાનાં અજવાળે જીંદગી ઝંખતુ મન

ધોધમાર વરસાદમાં આપણે રાવણ બાળ્યો અને રેઇનકોટ પહેરીને ગરબા ય રમી લીધાં. એ પછી હવે દિવાળીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. દિવસે ઘરની સફાઈ કરવાની સાથે વચ્ચે ચાંદની રાતે શરદપૂર્ણિમાએ દૂધપૌંઆની લહેજત પણ માણી લીધી…. આમ, ધોમધોકાર ઉજવણીની વચ્ચે એક દિવસ ચૂપચાપ જતો રહ્યો એની ખબર ન પડી. એ દિવસ એટલે ઇન્ટરનેશનલ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે.

તકલીફ એ છે કે, જેનું જીવનમાં સૌથી વધુ મહત્વ છે એના વિશે આપણે જાગૃત જ નથી. એનાથી વધારે મોટી તકલીફ એ છે કે, જાગૃતિ હોવી આપણે જરૂરી સમજતા નથી! આવા વિષયોની ખુલ્લી ચર્ચા કરીને એને છંછેડવાનું આપણને પસંદ જ નથી. બીજા દેશોમાં તો મેન્ટલી ચેલેન્જડ લોકો કે ઓટીઝમથી પીડાતા લોકોનુ સમાજમાં ખાસ સ્થાન હોય છે અને આવા લોકોને જોબ પણ આપવામાં આવે છે પણ આપણા સમાજમાં આવાં લોકોની ખાસ સ્વીકૃતિ પણ હોતી નથી.

જન્મજાત મેન્ટલ ડિસોર્ડર કોઈના કન્ટ્રોલમાં હોતું નથી, પણ આપણે અહીં જે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે આપણી મનોસ્થિતિ કે માનસિક સ્વાસ્થ્યની, જે મોટેભાગે ફ્લેક્સિબલ છે. આપણાં સ્વભાવ, પરિસ્થિતિ અને સ્વાસ્થ્યને આધારે તે બદલાયે રાખે છે. પોર્શ કારમાં ફરતો અને અબજોની સંપત્તિ ધરાવતો વ્યક્તિ માનસિક સ્વસ્થ છે એવું કહી શકાય નહી. તો, બે ટંકનુ માંડ કમાતો વ્યક્તિ દુઃખી છે એવુ માની લેવું પણ ભૂલ ભરેલું હોઇ શકે. આ બાબતનો સંપૂર્ણ આધાર જેતે વ્યક્તિની પરિસ્થિતિ અને માનસિકતા પર છે.

ટેક્નોલોજી અને ટેન્શન વચ્ચે કઠપૂતળીની જેમ જીવન વીતાવવાની આપણને જાણે આદત પડી ચૂકી છે. ઘડિયાળના કાંટા પર દોડતાં દોડતાં, સબંધો અને જીવનનાં નૈતિક મૂલ્યોને વીસરતા જાઈએ છીએ. બે મિનિટની મેગી જેવા જીવનમાં ઊંઘનુ સ્થાન સોશિયલ મીડિયા લઇ ચૂક્યું છે. અને એની કિંમત ચૂકવી છે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યએ. આ પરિસ્થિતિમાં બોડી ક્લોકનુ ડિસ્ટર્બ થવું સામાન્ય થઇ ચૂક્યું છે, જેની સૌથી વિપરીત અસર આપણા મૂડ પર થઈ રહી છે. અજાણતા જ આપણે કેટલાયે રોગને આમંત્રણ આપતા રહીએ છીએ.

કંટાળો આવવો કે બૉરડમ એ સર્વસામાન્ય સમસ્યા બની ગઈ છે. થોડા સમય પહેલા આત્મહત્યાનાં કિસ્સાઓમાં કરાયેલા સર્વેમાં, સૌથી સામાન્ય કારણ બૉરડમ હતું. બૉરડમ એટલે જીવનમાંથી રસ ઉડી જવો. દેખીતી રીતે કોઈ ચોક્કસ કારણ આમાં જવાબદાર હોતું નથી, પણ આડકતરી રીતે આ થવાનું કારણ, લોકોનો ઘટતો જતો અટેન્શન સ્પાન છે.

દાખલા તરીકે, તમે જો પહેલાની ફિલ્મના ગીતો જોશો તો ખ્યાલ આવશે કે એક આખું ગીત ઓછામાં ઓછા શોટ્સમાં પુરુ થઇ જતું. લોકો ધીરજ ધરાવતા હતા, પણ જેમ જેમ સમય જતો ગયો એમ સ્ક્રીન પર થોડી મિનિટોમાં દ્રશ્યો બદલાતાં ગયાં અને હવેના એક જ ગીતમાં અનેક દ્રશ્ય હોવાં છતાં લોકો કંટાળે છે. લોકોની એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી રહી છે. એક કે બે મિનિટની રીલ જોતા આપણે કલાકો કાઢીએ છીએ, પણ એક સારી લાંબી વિડીયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આ જ સૌથી મોટું કારણ છે કે પુસ્તકોનુ સ્થાન ગેજેટ્સ લઇ રહ્યા છે. એક જ મિનિટમાં કંઈ નવું જોવાની આદત માનસિકતા પર ઘેરો પ્રભાવ પાડે છે. ખાસ કરીને બાળકોમાં આજકાલ આ પ્રકારના ઘણા જ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેનાથી બાળક હાઇપર એક્ટિવ થઇ જાય છે.

ડિપ્રેશન કે એકલતા એવા મનોરોગ છે, જેના વિશે ઘણું લખાયેલું છે અને ઘણા ઉપાયો સૂચવાયેલા છે, પણ સૌથી મોટી સમસ્યા એનાથી પીડિત વ્યક્તિ સુધી પહોંચવાની છે. આ લોકોની મનોસ્થિતિનાં વમળો એટલા ગૂઢ હોય છે કે ઘરના સભ્યો કે મિત્રો પણ એને પાર કરી શકતા નથી. સૌથી મોટી સમસ્યા કોમ્યુનિકેશનની છે. કયાંયને કયાંય મનની વાત કોઈની સાથે શેર નાં કરવી કે કોઈ સંકોચ, કયાંય ને કયાંય અવગણના કે આલોચનાની બીક માણસને સ્વકેન્દ્રી અને ગૂઢ બનાવતા જાય છે. ઇતિહાસનાં પાને ચડવાની ખમીરી રાખતો માણસ, જાનવર જેવું જીવન પણ જીવી શકતો નથી. તે કુદરતનાં સૌથી અમૂલ્ય સર્જનને નકામું ગણી કાઢે છે.

મનની આ લડાઈમાં સૌથી વધુ ફાવે છે, મોટીવેશનલ સ્પીકરો, મનોચિકિત્સકો અને એન્ટી ડિપ્રેસન્ટ દવાની કંપનીઓ. બેશક, એક વાર મનોરોગના શિકાર બન્યા પછી ડોક્ટર પાસે ગયા વગર છૂટકો જ નથી, પણ એ પહેલાના ઉપાયો વધુ અસરકારક અને સહેલા બની શકે છે. જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ અને ભાવનાત્મક પરિપકવતા દ્વારા કઠિનથી કઠિન પરિસ્થિતિમાંથી ઉગરી શકાય છે. નજીવી આદતોથી શરીરના ઘણા મિરેકલ કેમિકલ્સને જાગૃત કરી શકાય છે.

આપણાં શરીરનાં ઘણા જ હોર્મોન્સની અસર આપણા સ્વભાવ અને મૂડ પર થાય છે. એવી જ રીતે, આપણે આપણી ઘણી આદતોથી હોર્મોનલ ઇફેક્ટને કંટ્રોલ કરી શકીયે છીએ. જેમ કે મેડિટેશન, પૂરતી ઊંઘ, મનગમતી એકટીવિટી કે ફ્રેંડ્સ સાથેનાં ગપાટ્ટા પણ હેપી હોર્મોન્સને રિલીઝ કરવા માટે પૂરતાં છે. નાના નાના ગોલ અચીવ કરવા કે સામાજિક રીતે એકટીવ રહેવાથી બ્રેઇનમાંથી ડોપામાઇન રિલીઝ થાય છે. કોઈને મદદ કરવી, પાળતું જાનવર સાથે સમય પસાર કરવો વગેરે બાબતોથી ઓક્સિટોનીન નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે સ્વસ્થ માટે ખૂબ અગત્યનાં છે.

ગમે તેવું હેકટીક શિડ્યુલ હોય, બ્રેક લેવો જરૂરી હોય છે. વીકમાં એકાદ દિવસ લેઝી ડે તરીકે ઉજવી લેવો જોઈએ. હજારો કામ પડતા મૂકીને પણ સારુ મૂવી જોઈ લેવાથી કે મનગમતું મ્યુઝિક સાંભળી લેવાથી પણ નેચરલ પેઈનકીલર એન્ડોફીન મગજમાં પ્રસરી જાય છે. એકાદ સાચવવા જેવી મૂડી કયાંય જણાય તો એક નકામો વ્યક્તિ સાચવી લેવો, જે આપણો બકવાસ સાંભળી શકે. બસ, એક વાર મન હલકું થઇ જાય પછી કોઈ રોગ મનમાં પ્રવેશવા લાયક રહેતો નથી. આ દિવાળીએ ઘરની સફાઈ કરતાં પહેલા મનનાં નકામા આવરણો દૂર કરી હલકા થઈએ. મનનાં એ દીવડાનો પ્રકાશ જીંદગીને કાયમી પ્રજ્જવલિત રાખશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

Chitralekha Gujarati – 28 October, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૮ ઓક્ટોબર ૨૦૨૪

પંચાંગ 18/10/2024

હમાસ ચીફ યાહ્યા સિનવારનું ઇઝરાયેલના હુમલામાં મૃત્યું

ઇઝરાયેલ તેના દુશ્મનો પર પાયમાલી કરી રહ્યું છે. હિઝબુલ્લાના વડાને માર્યા પછી ઇઝરાયેલે ગુરુવારે કહ્યું કે ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન ત્રણ હમાસ લડવૈયાઓ માર્યા ગયા, જેમાં હમાસના વડા યાહ્યા સિનવારનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ વાતની પુષ્ટિ કરી છે. એક ન્યૂઝ એજન્સીએ ટાઈમ્સ ઓફ ઈઝરાયલને ટાંકીને કહ્યું કે નેતન્યાહુએ તેમના સહયોગીઓને ઈઝરાયેલના બંધકોના પરિવારજનોને જાણ કરવા સૂચના આપી કે હમાસ ચીફ યાહ્યા સિનવર માર્યા ગયા છે.

આ પહેલા ઈઝરાયેલની સેના માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરી રહી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, IDF એ કહ્યું, ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન 3 આતંકવાદીઓ માર્યા ગયા. IDF અને ISA એ સંભાવનાની તપાસ કરી રહ્યા છે કે આતંકવાદીઓમાંથી એક યાહ્યા સિનવાર હતો. આ સમયે આતંકવાદીઓની ઓળખની પુષ્ટિ કરી શકાતી નથી. જે ઈમારતમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા તે ઈમારતમાં બંધકોની હાજરીના કોઈ ચિહ્નો નહોતા. વિસ્તારમાં કાર્યરત દળો જરૂરી સાવચેતી સાથે કામ કરવાનું ચાલુ રાખે છે. બીજી તરફ, હમાસ તરફથી પણ તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

EDએ અભિનેત્રી તમન્ના ભાટિયાની પૂછપરછ કરી

બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. મહાદેવ બેટિંગ એપની સબસિડિયરી એપ ‘ફેર પ્લે’ પર IPL મેચોના પ્રચારના સંબંધમાં ED (Enforcement Directorate) દ્વારા અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ એપ પર ગેરકાયદેસર રીતે IPL મેચ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી, જેના કારણે વાયાકોમને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કેસમાં તેની સંડોવણીને કારણે તમન્ના ભાટિયાની ગુવાહાટીમાં ED ઓફિસમાં સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત HPZ એપ અંગે પણ પૂછપરછ કરવામાં આવી છે.

પૂછપરછ કેમ કરવામાં આવી રહી છે?

HPZ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ તમન્ના ભાટિયાની પૂછપરછ કરી હતી. આ એપ તમન્ના ભાટિયા દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. આ HPZ એપ મહાદેવ સટ્ટાબાજીની એપ સાથે પણ જોડાયેલ છે. HPZ એપ કૌભાંડમાં EDએ તમન્ના ભાટિયાને પૂછપરછ માટે બોલાવી છે. આ કેસમાં તમન્ના ભાટિયાની આરોપી તરીકે નહીં પરંતુ આ એપને પ્રમોટ કરવાના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

રિલીઝ પહેલા જ પુષ્પા 2 ફિલ્મે કરી 900 કરોડની કમાણી

મુંબઈ: અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુનને પુષ્પરાજની ભૂમિકામાં ચાહકોનો પ્રેમ મળ્યો છે. મેકર્સે તાજેતરમાં જ ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યુ હતું. આ ફિલ્મ 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. રિલીઝ પહેલા જ ફિલ્મે પ્રી-કલેક્શનનો શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે.

આ ફિલ્મે રિલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે

સેટેલાઇટ અને મ્યુઝિક રાઇટ્સ સાથે ફિલ્મે ‘પુષ્પા 2: ધ રૂલ’ની રિલીઝ પહેલા જ કમાણી કરી લીધી છે. અલ્લુ અર્જુનની ફિલ્મે એવો રેકોર્ડ બનાવ્યો છે જે પહેલા ક્યારેય નથી બન્યો. રશ્મિકા મંદન્ના સાથેની અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ એ પ્રી-રીલીઝ 900 કરોડનો બિઝનેસ કર્યો છે, જે ચોંકાવનારો આંકડો છે. જો કે આ અંગે હજુ સુધી નક્કર માહિતી આવવાની બાકી છે. સમાચાર અનુસાર નિર્માતાઓએ ફિલ્મના ડિજિટલ અધિકારોની ડીલ કરી છે અને તેની પ્રી-થિયેટ્રિકલ રિલીઝ પછી ફિલ્મે 900 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

‘પુષ્પા 2: ધ રૂલ’નું નવું પોસ્ટર અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પોસ્ટરમાં અલ્લુ અર્જુનનો અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ પોસ્ટમાં અલ્લુ અર્જુનનો સ્વેગમા જોવા મળી રહ્યો છે.

ફિલ્મના પહેલા ભાગને ચાહકોનો પ્રેમ મળ્યો હતો

આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર બી એ કર્યુ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ના પહેલા ભાગને જબરદસ્ત સફળતા મળી હતી. અભિનેતા અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાને ફિલ્મ દ્વારા દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ‘પુષ્પા 2’ ની સ્ટાર કાસ્ટમાં અલ્લુ અર્જુન, ફહદ ફાસિલ, રશ્મિકા મંદન્ના, ધનંજય, રાવ રમેશ, સુનીલ, અનસૂયા ભારદ્વાજ, અજય ઘોષનો સમાવેશ થાય છે.

આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે

આ ફિલ્મ 6 ડિસેમ્બર, 2024ના રોજ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થવાની છે. અગાઉ, આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024 ના રોજ સ્વતંત્રતા દિવસ સાથે સંયોગમાં રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અધૂરા શૂટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન કાર્યને કારણે રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે બંગાળી ભાષામાં રિલીઝ થનારી આ પહેલી અખિલ ભારતીય ફિલ્મ છે.

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ ખાતે CMના અભિવાદનનો કાર્યક્રમ

અમદાવાદ: શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સમસ્ત મહાજન તથા સમગ્ર ગુજરાતની જીવદયા/ગૌસેવા સંસ્થાઓ તરફથી અભિવાદન કરવામાં આવશે. આ કાર્યક્રમ આગામી 20 ઓક્ટોમ્બર, 2024ના રોજ બપોરે 3 કલાકથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી સમગ્ર રાજ્યના જીવદયા તેમજ ગૌસેવા સંસ્થાઓને માર્ગદર્શન આપશે. તેમજ ઓગણ વિડમાં નૂતન શેડનું ઓનલાઈન ખાતમુહૂર્ત, ગૌપૂજન, તેમજ સમસ્ત મહાજન દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા તળાવોનું લોકાર્પણ તથા તકતી અનાવરણ કરશે. ‘એક વૃક્ષ મા કે નામ’ સૂત્ર અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અને એનીમલ હેલ્પલાઇન, રાજકોટની એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ સહિતના કાર્યો યોજાશે.

સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે આ પ્રસંગે જણાવ્યુ, “વિરમગામ પાંજરાપોળ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગૌમાતા પોષણ યોજના તેમજ અન્ય જીવદયાનાં નિર્ણયો લેવા બદલ વિરમગામ પાંજરાપોળ તરફથી અભિવાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતની જીવદયા-ગૌસેવા સંસ્થાઓ દ્વારા ગૌશાળા-પાંજરાપોળોને પશુ  દીઠ, દૈનિક, કાયમી મળતી સબસીડી રૂ. 30 નાં બદલે રૂ. 100 કરવામાં આવે તેમજ મહારાષ્ટ્ર રાજ્યની જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર, ગૌચર જમીનનો ઉપયોગ પશુપાલન માટે જ થાય તે અંગેની રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, પાંજરાપોળ અને ગૌશાળાઓને જરુરિયાત મુજબ માળખાકીય સુવિધા માટે 300 કરોડનું ફંડ ફાળવવું, તેમજ સહાય સમયસર ચૂકવી શકાય તે માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવા માટેની રજૂઆત કરવામાં આવશે. ગુજરાતની તમામ જમીનમાંથી ગાંડા બાવળને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવશે. ‘સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ’ લોકો અને સરકાર વચ્ચે સંકલનનું એક મોટું માધ્યમ છે, તેને વધુ કાર્યાન્વિત કરવા અંગે તેમજ તેનું બજેટ વધારવા માટેની રજૂઆત પણ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવશે. ‘ગૌ સેવા આયોગ’ને વધુ કાર્યાન્વિત કરવા માટે તેમજ તેનું બજેટ વધારવા અંગેની રજૂઆત પણ કરવામાં આવશે.”સમસ્ત મહાજનના સંગઠન મંત્રી મિતલ ખેતાણીએ જણાવ્યું, “સમગ્ર ગુજરાતનાં જીવદયા પ્રેમીઓ, ગૌસેવકો તેમજ ગૌશાળા, પાંજરાપોળોનાં સંચાલકો દ્વારા ગૌશાળા, પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતિનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણઅર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા—પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી,  રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા, ગામડાઓની ગૌચરનો વિકાસ કરવા, દેશી વૃક્ષોનાં વાવેતરમાં વધારો કરવો, જળ સંરક્ષણ, પક્ષીઓ-પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર અંગેના પ્રશ્નો સહિતના પ્રશ્નોની પરિણામલક્ષી ચર્ચા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવશે.”

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા કે જે 497 હેકટર જગ્યામાં પથરાયેલી છે. ત્યાં અત્યારે 2,000 પશુઓનો ખૂબ સુંદર રીતે નિભાવ થઈ રહયો છે.