મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)એ મોટી જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ બેઠકમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો અને પોલિસીનું વલણ ‘Neutral’ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. ઈરાન સંકટને કારણે ઉભી થયેલી મોંઘવારી ફરી એકવાર આર્થિક જોખમ ઊભું કરી રહી છે, જેના કારણે વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે આર્થિક સ્થિરતા અને વિકાસ દર જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રેપો રેટ એ મુખ્ય બેન્ચમાર્ક છે જેના આધારે તમામ બેંકો લોન પરના વ્યાજદર નક્કી કરે છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ રેપો રેટમાં ઘટાડો થવાના સંકેત આપ્યા હતા, પરંતુ ગવર્નરના આ નિર્ણયથી દેશના કરોડો લોનધારકો અને ઘર ખરીદનારાઓને નિરાશા સાંપડી છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હોમ લોન અને ઓટો લોનની EMIમાં પણ કોઈ ઘટાડો થશે નહીં અને તે પહેલાની જેમ જ યથાવત રહેશે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા આગામી બે સપ્તાહ સુધી ઈરાન પર હુમલો નહીં કરે. ટ્રમ્પે હાલ માટે ઈરાન પર હુમલો ટાળતાં ઈરાને પણ રાહત આપતી જાહેરાત કરી છે અને હોર્મુઝ જળસંધિ (Strait of Hormuz) ખોલવાનો નિર્ણય લીધો છે.
ઈરાને હોર્મુઝ ખૂલ્યું
ઈરાને હોર્મુઝ ખોલવાની જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે આગામી બે સપ્તાહ સુધી હોર્મુઝ જળસંધિમાંથી જહાજોને પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. જોકે ઈરાને એક શરત મૂકી છે કે જહાજોની દેખરેખ ઈરાની સેનાના નિયંત્રણ હેઠળ રહેશે.
તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે બે સપ્તાહની અવધિ માટે હોર્મુઝ જળસંધિમાંથી સુરક્ષિત માર્ગ ઈરાનના સશસ્ત્ર દળો સાથે સંકલન અને ટેક્નિકલ મર્યાદાઓ અંગે યોગ્ય ચર્ચા પછી જ શક્ય બનશે.
જહાજો પાસેથી ઈરાન ફી વસૂલશે?
યુદ્ધ પહેલાં આવી કોઈ “ટેક્નિકલ મર્યાદાઓ” નહોતી. દાયકાઓથી ચાલતી સમુદ્રી વ્યવસ્થા મુજબ ઈરાન અને ઓમાનના પ્રાદેશિક જળમાર્ગમાંથી દરરોજ 100થી વધુ જહાજો પસાર થતાં હતાં. જોકે આ નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ઈરાન જહાજોથી કોઈ શૂલ્ક વસૂલવાનો પ્રયાસ કરશે કે નહીં, જેમ યુદ્ધ શૂલ્ક વસૂલ દરમિયાન કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પની ધમકીઓ યથાવત્
ટ્રમ્પ અગાઉ પણ સમયમર્યાદા વધારી ચૂક્યા હતા, પરંતુ મંગળવારે તેમણે સંકેત આપ્યો હતો કે રાત્રે આઠ વાગ્યાની સમયમર્યાદા અંતિમ હશે. બંને પક્ષોની આકરી નિવેદનબાજી કારણે તણાવ વધ્યો અને ઈરાનના નાગરિકોમાં ચિંતા ફેલાઈ હતી.
USA surrenders to Iran’s 10 point proposal and accepts a ceasefire! USA says will try to negotiate with Iran based on these 10 points for a permanent ceasefire.
Iran says Strait of Hormuz will be opened for maritime traffic for 2 weeks and will cease all defensive operations if… pic.twitter.com/xiHkzLovlT
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે જો ઈરાન હોર્મુઝ જળસંધિને સંપૂર્ણ રીતે નહીં ખોલે તો તેના તમામ વીજ ઉત્પાદન કેન્દ્રો અને પૂલોને નષ્ટ કરી દેવામાં આવશે. શાંતિના સમયમાં વિશ્વના લગભગ 20 ટકા તેલનું પરિવહન આ જળમાર્ગથી થાય છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે જરૂરી પડ્યે ઈરાનની સંપૂર્ણ સંસ્કૃતિને પણ નષ્ટ કરી દેવામાં આવશે.
મુંબઈ: બે અઠવાડિયાના યુએસ-ઈરાન યુદ્ધવિરામની સીધી અસર શેરબજાર પર પડી છે. 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ શરૂઆતના સમયે 2,700 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. જ્યારે NSE નિફ્ટી પણ શરૂઆતના સમયે 800 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. વૈશ્વિક બજારમાં મજબૂત તેજી વચ્ચે, શેરબજાર માટે પહેલાંથી જ સકારાત્મક સંકેતો મળી રહ્યા હતા.
બુધવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (BSE) 77,290 પર ખુલ્યો, જે તેના અગાઉના 74,616.58 ના બંધથી ઉપર હતો. થોડી જ સેકન્ડોમાં, તેણે ગતિ ઝડપી બનાવીને 77,392 પર પહોંચી ગઈ. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની વાત કરીએ તો ૫૦ શેરનો ઇન્ડેક્સ ૨૩,૮૫૫ પર ખુલ્યો. જે તેના અગાઉના બંધ ૨૩,૧૨૩.૬૫થી વધુ હતો. પછી સેન્સેક્સની સાથે મળીને તે ૮૦૦ પોઈન્ટ વધીને ૨૩,૯૩૮ પર પહોંચ્યો હતો.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયા બાદ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. આ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઘટાડો થવાથી તેલ સંકટના કારણે તણાવ ઓછો થયો છે. જે આ વધારા પાછળનું મુખ્ય કારણ છે.
રાજકોટ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો સક્રિય થયા છે. ત્યારે ક્ષત્રિય આંદોલન દરમિયાન સક્રિય ભૂમિકા ભજવીને ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા મંગળવારે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં તેમણે આપનો કેસ ધારણ કર્યો.
આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરિત થઈ ક્ષત્રિય આંદોલનના મહિલા ક્રાંતિકારી બહેન પદ્મિનીબા વાળા આજે પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi ના હસ્તે પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત રીતે AAP માં જોડાયા.
પદ્મિનીબા વાળાએ પોતાના આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેઓ જનતાની સેવા કરવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ મંચ પર આવ્યા છે. ક્ષત્રિય આંદોલન વખતે પદ્મિનીબાએ જે રીતે સરકાર સામે બાથ ભીડી હતી. તેનાથી તેઓ સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યા હતા. હવે જ્યારે તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજ અને અન્ય વર્ગોમાં આ નિર્ણયની કેવી અસર પડશે તે જોવું રસપ્રદ રહેશે.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, સરકારની તાનાશાહીનો ભોગ બનેલા જેટલા પણ લોકો છે, એ તમામને હું આમ આદમી પાર્ટીમાં આવકારું છું. અમારી સાથે તેઓ પંજાબમાં આમ આદમીની સરકાર દ્વારા દર મહિને મહિલાઓના ખાતામાં જે રૂપિયા 1000 આપવામાં આવી રહ્યા છે તેનાથી પ્રેરિત થઇ આમ આદમી પાર્ટીમાં જોડાવવા નિર્ણય કર્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના સૈન્ય હુમલાઓ બે અઠવાડિયા માટે રોકવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની અપીલ બાદ આ નિર્ણય લેવાયો છે. ટ્રમ્પના મતે, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે ખોલવા માટે તૈયાર થઈ ગયું છે અને અમેરિકાના 10-સૂત્રીય પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકાએ તેના તમામ લશ્કરી લક્ષ્યાંકો પ્રાપ્ત કરી લીધા છે અને હવે મધ્ય પૂર્વમાં શાંતિ માટે એક મજબૂત સમજૂતીની નજીક છે. આ બેતરફી યુદ્ધવિરામ આગામી દિવસોમાં મધ્ય પૂર્વની ભૌગોલિક રાજનીતિમાં મોટા ફેરફાર લાવી શકે છે.
The White House tweets, “President Donald J. Trump makes a statement on Iran” pic.twitter.com/6B1YGM9xCP
અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ મોટા નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાની નેતૃત્વ સાથેની મંત્રણા બાદ તેમણે વિનાશક સૈન્ય હુમલાને ટાળવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ઈરાન પર થનારા હુમલાને રોકવા માટે વિશેષ વિનંતી કરી હતી. ઈરાને પણ હવે હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગને તત્કાળ અને સુરક્ષિત રીતે ખોલવાની તૈયારી દર્શાવી છે. આ વિકાસને વિશ્વભરના મુત્સદ્દીઓ દ્વારા યુદ્ધ ટાળવા માટેની એક મોટી મુત્સદ્દીગીરીની જીત તરીકે જોવામાં આવી રહી છે.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાન સામેના તેના લગભગ તમામ લશ્કરી લક્ષ્યાંકોને માત્ર હાંસલ જ નથી કર્યા, પરંતુ તેનાથી પણ આગળ વધીને કામગીરી કરી છે. આ યુદ્ધવિરામ માત્ર એકતરફી નથી પરંતુ બેતરફી છે, જેનો અર્થ છે કે હવે ઈરાન તરફથી પણ કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવશે નહીં. અમેરિકાને ઈરાન તરફથી 10 મુદ્દાઓનો એક પ્રસ્તાવ મળ્યો છે, જેને બંને દેશો વચ્ચેની શાંતિ વાટાઘાટોનો આધાર માનવામાં આવી રહ્યો છે. આ સમજૂતી મધ્ય પૂર્વમાં વર્ષોથી ચાલી આવતા સંઘર્ષના અંતની શરૂઆત હોઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના મતે, આ નિર્ણય પાકિસ્તાન માટે એક મોટી કૂટનીતિક સફળતા માનવામાં આવે છે, જેણે અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવને ઘટાડવામાં મધ્યસ્થની ભૂમિકા ભજવી છે. તેલની સપ્લાય ખોરવાઈ જવાની ભીતિને કારણે વિશ્વના શેરબજારમાં જે ઉથલપાથલ હતી, તેમાં પણ આ સમાચાર બાદ સ્થિરતા જોવા મળી શકે છે. જો કે, આ બે સપ્તાહનો સમયગાળો ખૂબ જ મહત્વનો રહેશે કારણ કે આ સમય દરમિયાન બંને દેશો શાંતિ સમજૂતીની અંતિમ રૂપરેખા તૈયાર કરવા માટે કામ કરશે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ઈંધણ પુરવઠામાં અવરોધ આવવાની શક્યતાને જોતા ભારત સરકારે 5 કિલોના એલપીજી સિલિન્ડરનો દૈનિક ક્વોટા બમણો કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને પરપ્રાંતિય શ્રમિકો કે જેમની પાસે કાયમી ગેસ કનેક્શન નથી, તેમને આ નિર્ણયથી મોટી રાહત મળશે. આ સિલિન્ડર માટે માત્ર ઓળખપત્રની જરૂર હોય છે અને તે બજાર કિંમતે ઉપલબ્ધ છે. સરકારે આ સાથે જ કોમર્શિયલ ગેસના પુરવઠામાં પણ વધારો કર્યો છે અને જનતાને અપીલ કરી છે કે તેઓ ગભરાટમાં આવીને ઈંધણની ખરીદી (Panic Buying) ન કરે, કારણ કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન માહિતી આપી હતી કે સરકાર હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવ પર સતત નજર રાખી રહી છે. સરકારની પ્રાથમિકતા અત્યારે ઘરેલું રાંધણ ગેસના પુરવઠાને સ્થિર રાખવાની છે. 5 કિલોના સિલિન્ડર, જે સામાન્ય રીતે શ્રમિકો અને નાના વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે, તેની ઉપલબ્ધતા વધારવા માટે દરેક રાજ્યને સૂચના આપી દેવામાં આવી છે. ફેબ્રુઆરીમાં આશરે 77,000 આવા સિલિન્ડર વેચાયા હતા, પરંતુ માર્ચના અંત સુધીમાં આ આંકડો લાખોમાં પહોંચી ગયો છે. સોમવારના રોજ જ સમગ્ર દેશમાં 1.06 લાખથી વધુ 5 કિલોના સિલિન્ડરનું વેચાણ થયું છે, જે દર્શાવે છે કે માંગમાં મોટો ઉછાળો આવ્યો છે.
કિંમતોની વાત કરીએ તો, દિલ્હીમાં હાલમાં 5 કિલોના સિલિન્ડરની કિંમત 549 રૂપિયા છે, જ્યારે ઘરેલું વપરાશના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 913 રૂપિયા છે. 5 કિલોના સિલિન્ડરની વિશેષતા એ છે કે તે કોઈપણ સરનામાના પુરાવા વગર માત્ર ઓળખપત્ર બતાવીને સીધા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદી શકાય છે. આ સિલિન્ડર સબસિડી વગરના હોય છે અને બજારના ભાવે વેચાય છે. સરકારે અગાઉ કોમર્શિયલ ગેસના પુરવઠામાં કાપ મૂકીને તેને માત્ર 20 ટકા કરી દીધો હતો, પરંતુ હવે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેને વધારીને 70 ટકા સુધી લઈ જવામાં આવ્યો છે.
સરકારે કાળાબજાર અને સંગ્રહખોરી સામે પણ લાલ આંખ કરી છે. ઈંધણની અછતની અફવાઓ ફેલાવીને વધુ કિંમત વસૂલનારાઓ સામે અત્યાર સુધીમાં દેશભરમાં 4,300 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સંગ્રહખોરી કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને ખાતરી આપવામાં આવી છે કે પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ પર પૂરતો જથ્થો છે, તેથી ખોટી અફવાઓમાં આવીને બિનજરૂરી સ્ટોક કરવાની જરૂર નથી. રિફાઈનરીઓમાં ઉત્પાદન વધારવામાં આવ્યું છે જેથી પુરવઠા સાંકળમાં કોઈ વિક્ષેપ ન પડે.
પાઇપલાઇન ગેસ (PNG) અને સીએનજી (CNG) ના પુરવઠામાં પણ હોસ્પિટલો અને ઘરોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ઉપરાંત ખાતર અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે પણ વધારાનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ વધવા છતાં ભારત સરકારે ગ્રાહકો પર બોજ ન પડે તે માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે નિકાસ પર લેવી લાદી છે. સરકાર સીટી ગેસ નેટવર્કના વિસ્તરણમાં પણ તેજી લાવી રહી છે જેથી પરંપરાગત ઈંધણ પરની નિર્ભરતા ઘટાડી શકાય.
આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 27 રને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી છે. ગુવાહાટીમાં વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને 11 ઓવરની કરી દેવામાં આવી હતી. રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 11 ઓવરમાં 150 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં યશસ્વી જાયસવાલે 77 રન અને વૈભવ સૂર્યવંશીએ 39 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત ઓવરોમાં 123 રન જ બનાવી શકી હતી. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહની ઓવરમાં બે છગ્ગા ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા.
A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏
ગુવાહાટીના મેદાન પર રમાયેલી આ મેચમાં કુદરતે શરૂઆતમાં ભારે ખલેલ પહોંચાડી હતી. અંદાજે 2 કલાક અને 40 મિનિટ સુધી વરસાદ ચાલુ રહેતા મેચ રદ થવાની ભીતિ સેવાઈ રહી હતી, પરંતુ રાત્રે 10 વાગ્યા પછી જ્યારે રમત શરૂ થઈ ત્યારે ઓવરોમાં કાપ મૂકીને 11-11 ઓવરની મેચ નક્કી કરવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સના ઓપનરોએ પ્રથમ બોલથી જ આક્રમક અભિગમ અપનાવ્યો હતો. યશસ્વી જાયસવાલ અને માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર 5 ઓવરમાં જ 80 રન જોડીને મુંબઈને બેકફૂટ પર ધકેલી દીધું હતું. જાયસવાલે 32 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 77 રન બનાવ્યા હતા.
મેચની સૌથી યાદગાર ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સામનો વિશ્વના શ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ સાથે થયો. પોતાની કારકિર્દીમાં પહેલીવાર બુમરાહનો સામનો કરી રહેલા વૈભવે જરા પણ ડર્યા વગર બુમરાહના પ્રથમ બોલ પર જ લાંબી સિક્સ ફટકારી દીધી હતી. આટલું જ નહીં, તેણે તે જ ઓવરમાં બીજી સિક્સ લગાવીને ક્રિકેટ જગતને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. વૈભવે માત્ર 14 બોલમાં 5 છગ્ગાની મદદથી 39 રન ફટકાર્યા હતા. આ વિસ્ફોટક બેટિંગના સહારે રાજસ્થાને 11 ઓવરમાં 3 વિકેટે 150 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો.
151 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. મુંબઈને શરૂઆતની 3 ઓવરમાં જ ત્રણ મોટા ઝટકા લાગ્યા હતા, જેમાં રાયન રિકલટન, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા પેવેલિયન ભેગા થઈ ગયા હતા. 3 ઓવરના અંતે મુંબઈનો સ્કોર માત્ર 22 રન હતો. પંચમી ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને તિલક વર્મા પણ આઉટ થતા મુંબઈએ 46 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને હાર નિશ્ચિત જણાતી હતી. રાજસ્થાનના બોલરોએ ચોકસાઈપૂર્વક લાઈન અને લેન્થ જાળવી રાખીને મુંબઈના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા.
મેચના અંતિમ તબક્કામાં નમન ધીર અને શેરફેન રધરફોર્ડે થોડો પ્રતિકાર કર્યો હતો. બંનેએ 47 રનની તોફાની ભાગીદારી કરીને મુંબઈની આશા જીવંત રાખી હતી, પરંતુ બંને 25-25 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. મધ્યક્રમ નિષ્ફળ જતા મુંબઈની ટીમ 11 ઓવરમાં 123 રન સુધી જ પહોંચી શકી હતી અને 27 રનથી મેચ ગુમાવી દીધી હતી. રાજસ્થાન રોયલ્સ માટે આ જીત ટેબલ પોઈન્ટ્સમાં ટોચનું સ્થાન મજબૂત કરનારી સાબિત થઈ છે, જ્યારે મુંબઈ માટે હવે પછીની મેચોમાં વાપસી કરવી અનિવાર્ય બની ગઈ છે.
વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એક વખત આકરી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકા સાથે કોઈ સમજૂતી નહીં કરે તો આજે રાત્રે એક સંપૂર્ણ સંસ્કૃતિ નાશ પામે એવી શક્યતા છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મિડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે આજે રાત્રે એક એવી સંસ્કૃતિ મટી જશે જેને ફરી ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું એવું બનાવવા નથી ઈચ્છતો, પરંતુ કદાચ એવું જ થશે.
તેમણે વધુમાં લખ્યું હતું કે આજે રાત્રે અમને ખબર પડશે — આ વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ પળોમાંથી એક બની શકે છે.
રાત્રે 8 વાગ્યા સુધી પ્રતિસાદની અપેક્ષા – જેડી વેન્સ
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ઈરાન સાથેના યુદ્ધ મુદ્દે જણાવ્યું હતું કે તેમને આશા છે કે રાત્રે આઠ વાગ્યા સુધી (ભારતીય સમય પ્રમાણે બુધવારે સવારે 5:30 વાગ્યા સુધી) અમેરિકાને ઈરાન તરફથી જવાબ મળી શકે છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈરાનમાં પોતાના સૈન્ય લક્ષ્યો મોટા ભાગે હાંસલ કરી ચૂક્યું છે.
સાઉદી અરેબિયા પર ઈરાનના મિસાઇલ હુમલાઓને કારણે ચાલી રહેલી વાતચીત પાટા પરથી ઊતરી જવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે જો સંઘર્ષ વધુ વધશે તો પાકિસ્તાન, સાઉદી અરેબિયા સાથે થયેલા કરાર મુજબ તેના સમર્થનમાં ઊભું રહેશે.
BREAKING, Donald Trump on Iran:
‘A whole civilisation will die tonight, never to be brought back again.’
— Going Underground (@GUnderground_TV) April 7, 2026
સાઉદી પર હુમલાઓથી વાતચીત પર અસર
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ અંગે બે પાકિસ્તાની સૂત્રોએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વાતચીત સરળ બનાવવા માટે પ્રયત્નો હજુ ચાલુ છે. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન ઈરાન સાથે સતત સંપર્કમાં છે અને બંને પક્ષોને ચર્ચાના ટેબલ પર લાવવા પ્રયાસ કરી રહ્યું છે.