ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 13મી નવેમ્બરે મતદાન થશે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે. જે સીટો પર ચૂંટણી યોજાવાની છે તેમાં મૈનપુરીની કરહાલ વિધાનસભા સીટ, પ્રયાગરાજની ફુલપુર, કાનપુરની સીસામાઉ, આંબેડકર નગરની કટેહારી, મિર્ઝાપુરની મઝવાન, ગાઝિયાબાદ સદર, અલીગઢની ખેર, મુઝફ્ફરનગરની મીરાપુર અને મુરાદાબાદની કુંડાર્કી સીટનો સમાવેશ થાય છે. અયોધ્યાની મિલ્કીપુર સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. આ તમામ બેઠકોમાં કરહાલ વિધાનસભા બેઠક સૌથી વધુ ચર્ચામાં છે કારણ કે તે અખિલેશ યાદવની બેઠક છે.
Schedule for Bye Elections to 48 ACs and 2 PCs across 15 States.
Details in images👇#Elections2024 #ECI pic.twitter.com/UfStKpkuId
— Election Commission of India (@ECISVEEP) October 15, 2024
ભાજપ-સપા માટે ચૂંટણી ખાસ
આ પેટાચૂંટણી માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટી માટે પણ ખાસ છે. સીએમ યોગી આદિત્યનાથ આ પેટાચૂંટણીને લઈને ખૂબ જ ગંભીર છે. તેમણે મિલ્કીપુરમાં જનસભા કરી છે. જોકે ભાજપે હજુ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી, જ્યારે સપાએ 6 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અખિલેશ યાદવનો ગઢ ગણાતી કરહાલ સીટ પરથી તેજ પ્રતાપ યાદવને ટિકિટ આપવામાં આવી છે.
જોકે, ભાજપ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે નક્કી થઈ ગયું છે. ભાજપે કુલ 9 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને મુઝફ્ફરનગરની મીરાપુર બેઠક રાષ્ટ્રીય લોકદળ એટલે કે આરએલડી માટે છોડી દીધી છે. જો ગત ચૂંટણીની વાત કરીએ તો 9 બેઠકોમાંથી નિષાદ પાર્ટીએ બે બેઠકો પર ચૂંટણી લડી હતી, જે ભાજપની સહયોગી છે, પરંતુ આ વખતે ભાજપે નિષાદ પાર્ટીને ફટકો આપ્યો છે.


યુનાઈટેડ કિંગડમ એ છોકરીઓના વિકાસને મહત્વ આપે છે. સાથે જ એક પરિવર્તન નિર્માતા તરીકે ભવિષ્યના નેતાના રૂપમાં છોકરીઓને વધુમાં વધુ પાવર મળે તે માટે પ્રયત્નશીલ છે. મહિલાઓ અને છોકરીઓની સ્વતંત્રતાનું રક્ષણ કરવું એ યુ. કે. અને સમગ્ર વિશ્વમાં એક યોગ્ય અને સ્માર્ટ બાબત છે. આ બાબત સ્થિતિસ્થાપક અર્થતંત્ર અને મજબૂત, મુક્ત સમાજ બનાવવા માટેનું અભિન્ન અંગ છે.
આ વર્ષની વિજેતાની પસંદગી દેશભરની પ્રતિભાશાળી યુવતીઓની 140થી વધુ અરજીઓમાંથી પસંદ કરવામાં આવી હતી. નિધિ ગૌતમ દિલ્હીના મિરાન્ડા હાઉસમાંથી ઇતિહાસ અને ભૂગોળ વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી રહી છે. તે સ્કેચિંગ, વર્ડલ, સાંસ્કૃતિક ડિપ્લોમસી અને વિદેશ નીતિ વિશે સારું એવું જ્ઞાન ધરાવે છે.
બ્રિટિશ હાઈ કમિશનર ફોર ધ ડે નિધિ ગૌતમે, જણાવ્યું હતું કે, “એક દિવસ માટે બ્રિટિશ હાઈ કમિશનર બનવું એ એક પરિવર્તનકારી અનુભવ રહ્યો. જેની મારા પર ઊંડી અસર થઈ છે. સહાયક તકનીકોથી લઈને સૌર ઉર્જા પરની જ્ઞાનાત્મક ચર્ચાઓથી લઈને બાયોટેકનોલોજી અને ‘ફેમટેક’માં ગ્રાઉન્ડ બ્રેકિંગ ડેવલપમેન્ટ્સ સુધીની નોંધપાત્ર પ્રગતિઓનું અન્વેષણ કરવા માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.”
ભારતમાં યુકેના ટોચના રાજદ્વારી તરીકે, નિધિના દિવસની શરૂઆત નાસ્તામાં UK-ભારત દ્વિપક્ષીય સંબંધોની વિગતો વિશે માહિતી સાથે થઈ. તેણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હી ખાતે નેશનલ સેન્ટર ફોર અસિસ્ટિવ હેલ્થ ટેક્નોલોજીની મુલાકાત લીધી હતી. ભારતમાં રસીના વિકાસમાં ટેક્નોલોજી કેવી રીતે મદદ કરી રહી છે તે જોવા માટે તેણીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજીની મુલાકાત પણ લીધી, ઉપરાંત દિવસ દરમિયાન સરકાર અને ઉદ્યોગકારો સાથે બેઠકોની શ્રેણી પણ કરી.









