સીજીએસટીના ઓડિટ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ મોહમ્મદ રિઝવાન શેખ અને સીજીએસટી ઓડિટ વર્ગ-1ના ઈન્સ્પેક્ટર કુલદીપ મુલંચદ કુસવાહાને લાંચની રકમ સ્વીકારતા એન્ટિ કરપ્શન બ્યુરોએ ટ્રેપ કર્યા છે. આ અધિકારી ઉપરાંત ભૌમિક ભરત સોની પણ ટ્રેપ થયા છે. આ ત્રણેયે સ્વીકારેલી 1.25 લાખની લાંચની પૂરી રકમ જપ્ત કરી લેવામાં આવી છે. અમદાવાદમાં સી.જી. રોડ પર ઇસ્કોન આર્કેડ પાસે ગોલ્ડ સુકનના શો રૂમ અંબિકા ટચમાં લાંચની રકમનો સ્વીકાર કરતાં ACBએ ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં જણાવા મળ્યું કે લાંચની રકમ ભૌમિકે સ્વીકારી હતી, પરંતુ તેને આ કેસ સાથે કોઈ જ લેવા દેવા નથી. તેના ભાઈ નિશાંતને મોહમ્મદ રિઝવાન શેખે ફોન કરીને જણાવ્યું હતું કે, દાગીના લેવાના હોવાથી તેને માટે પૈસા મોકલાવી રહ્યો છે. આ પૈસા સ્વીકારી લેવા જણાવ્યું હતું. પરંતુ નિશાંત બહાર હોવાથી નિશાંતે તેના ભાઈ ભૌમિકને પૈસા લીધા હતા. તેથી જ એન્ટિ કરપ્શન બ્યુરોએ ભૌમિકને આરોપી બનાવ્યો નથી. આખી વાત એમ છે કે ફરિયાદી જવેલર્સની સોના-ચાંદીના દાગીનાની પેઢી ચલાવતી વ્યક્તિને આ સીજીએસટીના ઈન્સ્પેક્ટર કુલદીપ કુશવાહે જુલાઈ 2017થી માંડીને માર્ચ, 2019-20ના વર્ષના ઓડિટ રિપોર્ટ પ્રમાણે વ્યાજ અને દંડ સાથે ભરવાપાત્ર રકમ અંદાજે 35 લાખ રૂપિયા થાય તેમ હોવાનું જણાવીને જવેલર્સનો નોટિસ આપી હતી. આ નોટિસના અનુસંધાનમાં ચર્ચા કરવા માટે તેમના વકીલને મોકલી આપવાની સૂચના આપવામાં આવી હતી. ઓડિટ રિપોર્ટમાંની ક્ષતિનો રિપોર્ટ પોતાને તથા પોતાના વકીલને મોકલી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ વેપારીને 27000 રૂપિયાનું ચલણ ભરવાની સૂચના આપી હતી. પરંતુ દંડની રકમ ઓછી કરવા 1.25 લાખ રૂપિયાની લાંચની રકમની માગ કરી હતી. વેપારી લાંચની રકમ આપવા તૈયાર ન હોવાથી તેમણે એન્ટિ કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોએ લાંચનું છટકું ગોઠવી દીધું હતું લાંચની રકમ સ્વીકારતાં ભરત ભૌમિક સોનીને એ.કે. ચૌહાણે ઝડપી લીધા હતા.











ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન શક્તિ સ્વરૂપા દીકરીઓ પર હેવાનોના વધતા કહેરના એક પછી એક સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી સુરક્ષિત ગણતા ગુજરાતમાં જ લગભગ 15 દિવસમાં 10 દુષ્કર્મના કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.
જ્યારે દીકરીઓ ગરબા રમવા જતી હોય ત્યારે સમૂહમાં જવું જોઈએ. ગરબા રમવા જતી વખતે પોતાના માતા પિતાને દીકરીના આયોજનનો ખ્યાલ હોવો જોઈએ. દીકરી હોય કે દીકરો માતા પિતાએ પોતાના સંતાનો પર સમય સીમાનો અંકુશ લગાવવો જોઈએ. પહેલાના સમયમાં જાગૃતિના અભાવને કારણે આવા કિસ્સા બનતા હતા. પરંતુ હાલના સમયમાં પોલીસ દ્વારા સુરક્ષા નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેના દ્વારા પણ દીકરી પોતાની સુરક્ષા કરી શકે છે. બીજી બાજુ આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. ત્યારે દીકરા ફોનનો શું ઉપયોગ કરી રહ્યો છે તેના પર પણ માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત, પોતાના દીકરા સાથે મિત્રતા ભર્યું વાતાવરણ ઊભું કરવું જોઈએ, અને તેને દીકરી સાથે કેવું વર્તન કરવું તેની સમજ આપવી જોઈએ, જેથી છોકરામાં આવતી વિકૃતતાને અટકાવી શકાય.
સરકાર રેપ કેસને લઈ પુરતા કાયદા બનાવે જ છે. આપણે આપણા બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે. બાળકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. માતા પિતા પોતાના છોકરા સાથે ફ્રેન્ડલી બનીને માર્ગદર્શન પુરૂ પાડે તો આવા કિસ્સામાં ઘટાડો થઈ શકે. લેટ નાઈટ આઉટ પર પણ થોડા કાયદા આવે તો વધુ સારું. સામાન્ય રીતે દીકરીઓને આપવા આવતી સૂચનાનું પાલન થાય છે, જ્યારે બીજી બાજુ કેટલીક વખત દીકરાઓ એ સૂચનાનુ પાલન કરતા નથી. આ ઉપરાંત દીકરો કોની સાથે જાય છે. ક્યા જાય અને શું કરે છે. તેના પર પણ ધ્યાન રાખવાની માતા પિતાની ફરજ બને છે.
સૌથી પહેલાં આપણે આપણી દીકરીને આવી કપરી પરિસ્થિતિમાં લડતા શીખવાડવું જોઈએ. બીજા દેશોમાં દુષ્કર્મની ઘટનાના આરોપીઓને મોતની સજા આપવામાં આવે છે, જેની સામે આપણા દેશમાં આપવામાં આવતી સજાની નકોઇ નિશ્ચિત જોગવાઇ નથી. અદાલત બધું જોઇને સજા નક્કી કરે છે. મારા મત અનુસાર આરોપીને ચાર રસ્તા પર ફાંસી લગાવી દો અથવા તો ગોલી મારી દો. એક કેસમાં જ્યારે આરોપીની ઓળખ થઈ ચૂકી હોય, તે મુદ્દે પછી કેસ ચાલ્યા જ કરે છે. વિકૃત મગજના લોકોને જીવવાનો હક જ નથી. આપણે દીકરાને ખોટા સાચાની સમજ આપવાની જરૂર છે.
મારા મત પ્રમાણે આપણા કાયદા એટલા કડક હોવા જોઈએ કે કોઈ આવું કૃત્ય કરી જ ન શકે. દીકરાને નાનપણથી જ માણસ તરીકે કોને કઈ નજરથી જોવાનું એ સમજ આપવી જોઈએ. દીકરો અને દીકરી બંનેની આજુબાજુ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ, જેથી છોકરાઓનો છોકરીઓ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલે. માતાપિતાએ દિવસમાં એક એવો સમય જરૂર રાખવો જોઈએ કે, જ્યારે તેઓ બાળક સાથે ચર્ચા કરી શકે. જ્યારે દીકરાને ઘરની સ્ત્રીનું મૂલ્ય સમજાવવું જોઈએ. કોલકતા કેસ બાદ હું મારી દીકરીને જલ્દી કોઈની ઉપર ભરોસો ન કરવાની સલાહ આપીશ. ફોન પર સોશિયલ મીડિયા કે ફોન પરથી કોઈ એપ્લીકેશનથી સાવધાન રહેવાની સલાહ આપીશ. આ ઉપરાંત, કોઈપણ ખોટી વાત પર અવાજ ઉઠાવતા હું મારી દીકરીનો જરૂરથી શીખવાડીશ.
શુક્રવારે જ્યારે યુપી સરકારે અખિલેશ યાદવને જેપી કન્વેન્શન સેન્ટર જતા અટકાવ્યા ત્યારે સપાના વડાએ તેમના ઘરમાં સ્થાપિત લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમાને માળા પહેરાવી. અખિલેશ યાદવે કહ્યું હતું કે તેઓ જયપ્રકાશ નારાયણ નેશનલ કન્વેન્શન સેન્ટર (JPNIC)માં પુષ્પાંજલિ અર્પણ કરશે.
સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું કે ‘ઘણા સમાજવાદી લોકો સરકારમાં છે અને સરકારને ચલાવવામાં મદદ કરી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જય પ્રકાશ નારાયણ આંદોલનથી ઉભર્યા છે. આ નીતિશ કુમાર માટે તે સરકારથી સમર્થન પાછું લેવાની તક છે, જે કોઈ સમાજવાદીને જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની પરવાનગી આપી રહી નથી.
સમાજવાદી પાર્ટી સુપ્રીમોના નિવેદન પર જેડીયુના પ્રવક્તા રાજીવ રંજને પ્રતિક્રિયા આપતા કહ્યું, “આ નિવેદન ચોંકાવનારું છે. જો અખિલેશ યાદવે લોકનાયક જયપ્રકાશ નારાયણના જીવનના મૂલ્યોનું થોડું પણ સન્માન કર્યુ હોત તો સમાજવાદી પાર્ટી પર એક પરિવારનું પૂર્ણ પ્રભુત્વ હોત નહીં.”

