અયોધ્યાઃ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં મિલાવટને લઈને દેશમાં વિવાદ થઈ રહ્યો છે, ત્યારે દેશનાં તમામ મોટા મંદિરો છાસ પણ ફૂંકી-ફૂંકીને પી રહ્યા છે. તિરુપતિ પ્રસાદમાં માંસના મિલાવટનો મામલો સામે આવ્યો છે, ત્યારથી લોકો દેશનાં તમમ મંદિરોના પ્રસાદની તપાસની માગ થઈ રહી છે.
અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી રહેલા ઇલાયચીના દાણાના નમૂના તપાસ માટે ઝાંસીની એક સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અયોધ્યા સ્થિત રામ મદિરમાં ભગવાન શ્રીરામને ઇલાયચી દાણાનો પ્રસાદ ધરાવાય છે અને એ પછી એને ભક્તોને વહેંચવામાં આવે છે.
મદદનીશ ફૂડ કમિશનરે માહિતી આપતાં જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવતો ઇલાયચી દાણાના નમૂનાનો પ્રસાદ ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વહીવટી વિભાગ દ્વારા જમા કરાવવામાં આવ્યો છે. એને ટેસ્ટિંગ માટે ઝાંસી મોકલવામાં આવ્યો હતો.
રામ મંદિર ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે સરેરાશ પ્રતિ દિન પ્રસાદ તરીકે ઇલાયચીના દાણાના 80,000 પેકેટ વિતરિત કરવામાં આવે છે. મદદનીશ ખાદ્ય કમિશનર માનિક ચંદ સિંહે કહ્યું હતું કે IGRSના માધ્યમથી નોંદાયેલી ફરિયાદ પછી હૈદરગંજમાંથી નમૂના ખરીદવામાં આવ્યા હતા, જ્યાં ઇલાયચીના દાણાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ નમૂનાના વ્યાપક પરીક્ષણ અને મૂલ્યાંકન માટે ઝાંસી રાજ્યની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે બહારની એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા પ્રસાદ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. તેમણે મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીની શુદ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ પ્રસાદ મંદિરના પૂજારીઓની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે.





હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને મહામંત્રી તેમજ શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક પરમાત્માનંદ સરસ્વતીજી છે. તેમણે આ પ્રસંગે જણાવ્યું, વર્તમાન સમયમાં ‘માતૃદેવ ભવ-પિતૃ દેવો ભવ’, ભાવનાનો પણ હ્રાસ થયો છે. જેથી અનાથ, નિરાધાર, જેનું કોઈ નથી એવા વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માગ છે. છેલ્લાં કેટલાક વર્ષોથી “ઓછા બાળ જય ગોપાલ”ની માનસિકતાના લીધે કુટુંબમાં બાળકોની સંખ્યા ઘટી ગઈ છે. તદુપરાંત સંયુક્ત કુટુંબો રહ્યા નથી. આવા કારણોને લીધે સમાજના બધા જ સ્તરના વડીલો માટે વૃધ્ધાવસ્થા બહુ જ પીડાજનક બને છે. સમાજના આવા લોકોની સ્થિતિ જોઈને, તેમના પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને સદભાવના વૃધ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી છે. આજે 650 જેટલા વૃધ્ધોની સેવા અહીં થઈ રહી છે. જેમાં 200થી વધુ વડીલો તો પથારીવશ છે, ‘ડાઈપર’ પર છે. એટલે તેમને તૈયાર કરવા, કપડાં બદલવા, ખવડાવવું, આ બધુ કરવાવાળા કાર્યકર્તાઓ પણ નિષ્ઠાથી કામ કરે છે.”
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાંકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર, 400 ટ્રેક્ટર અને 1600 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે. સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો, ઉછેરવાનો સંસ્થાનો ધ્યેય છે.
સદભાવના વૃદ્ધાશ્રમના સલાહકાર મિત્તલ ખેતાણીએ આ પ્રસંગે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી હતી, “આપના ધ્યાનમાં કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત આવે તા તુરંત સદભાવના ટ્રસ્ટનો સંપર્ક કરશો. સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામ કથામાં બાબા રામદેવ ખાસ હાજરી આપવાના છે. શાંતિકુંજ ગાયત્રી પરિવાર, હરિદ્વારના ડો. ચિન્મયાનંદજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર પણ ખાસ ઉપસ્થિત રહેશે. વૈશ્વિક રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ દેશ-વિદેશના 1 લાખ લોકો વૈશ્વિક રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. આ દરમિયાન ‘થેલેસેમીયા મુકત સમાજ’ માટે કથામાં, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે. નવેમ્બર મહિના દરમ્યાન 25,000 લોકો રક્તદાન કરશે તેવો એક અંદાજ પણ છે.”


આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલે સ્ટોલધારક મહિલાઓને કહ્યું, “જ્યાં પણ તમને પ્લેટફોર્મ મળે, તમારા ઘરના કામને બાજુ પર રાખો અને પૂરા દિલથી ભાગ લો. આ કામ તમારા પોતાના માટે કરો.”
પૂર્વ વિદ્યાર્થિની તેમજ IIT ગાંધીનગરના મીડિયા અને કોમ્યુનિકેશન ઓફિસના પ્રોગ્રામ સહાયક અભિલાષા હઝારિકાનું કહેવું છે, “તેઓ દર વર્ષે આ હાટની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે, આ પ્રથમ વખત છે કે જ્યારે આ હાટનું ખુબ જ ભવ્ય સ્કેલ આયોજન કરવામાં આવ્યું હતું.” વેચાણ માટે મૂકવામાં આવેલી વસ્તુઓની વિવિધતાના કારણે વિદ્યાર્થીઓએ તેમની નવરાત્રિની ખરીદી પૂર્ણ કરવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ જમાવી હતી. IIT ગાંધીનગરની ફેકલ્ટી, સ્ટાફ અને અન્ય સમુદાયના લોકો પણ મોટાપાયે આ વર્ષે ખરીદી કરવા માટે હાટમાં આવ્યા હતા.
સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવું એ NEEVના મુખ્ય ઉદ્દેશ્ય છે. હાટમાં જેમણે ભાગ લીધો હતો તે લોકોના પ્રયાસોને બિરદાવવા માટે તમામ મહિલા સાહસિકોને પ્રશંસા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદના એક બિઝનેસ ઓનર નીતિ દવેએ આભાર વ્યક્ત કરતાં કહ્યું “મેં આવાં ઘણાં પ્રદર્શનો જોયા છે પણ અહીંનો અનુભવ અનોખો હતો. મને લાગ્યું કે અહીંનું મેનેજમેન્ટ અને વાતાવરણ શ્રેષ્ઠ છે. હું મારી માર્કેટિંગ કૌશલ્યમાં પણ સુધારો કરવા માંગુ છું તેથી હું ચોક્કસપણે પ્રયાસ કરીશ અને NEEV અભ્યાસક્રમમાં જોડાઈશ.”
