
જોડો ક્યાં ડંખે છે, એ પહેરનારને જ ખબર પડે
જોડો ક્યાં ડંખે છે, એ પહેરનારને જ ખબર પડે |
પહેલાં જોડા બરછટ ચામડામાંથી બનતા. આજના જેવુ કમાયેલુ અને કોમળ ચામડું ત્યારે નહોતું વપરાતું. મોજાં પહેરવાનો રિવાજ પણ ઓછો હતો. ત્યારે બૂટ પહેરનારને શરૂઆતમાં ચામડી સાથે જોડાનું જે ઘર્ષણ થાય તેને કારણે ફોલ્લા પડતા. આ ફોલ્લા પડે તેને જોડો લાગ્યો અથવા ડંખ્યો તેમ કહેવાતું. હવે પગ તો બૂટમાં હોય.

બહારથી કોઈ માણસને ખબર ના પડે કે પહેરનારને આ જોડો ક્યાં ડંખ્યો છે. બરાબર આ જ રીતે માણસના પોતાના પ્રશ્નો અને વેદના અંદરખાનેથી તે પોતે જ જાણે છે. દુનિયા સામે તો એણે હસતાં ચહેરે જ પેશ થવાનું છે. આ પરિસ્થિતીના સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
રાશિ ભવિષ્ય 24/09/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.
આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિક કે ધાર્મિક બાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ ના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
મોતનું તાંડવ, ઇઝરાયેલે કરેલા હુમલામાં 274 લોકોના મોત
લેબનોન પર ઇઝરાયેલના હુમલા ચાલુ છે. સોમવારે ઇઝરાયેલે લેબનોન પર ફરી એક મોટો હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 274 લોકોએ જીવ ગુમાવ્યા અને 800 થી વધુ ઘાયલ થયા. અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું કે તેણે હિઝબુલ્લાહના 300 થી વધુ સ્થાનો પર હુમલો કર્યો. સ્કાય ન્યૂઝ અનુસાર, લેબનોનના સિડોનની બહારના વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે હુમલા પહેલા ઈઝરાયેલે નજીકમાં રહેતા લોકોને તેમના ઘર ખાલી કરવા ચેતવણી આપી હતી. ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ દ્વારા નિશાન બનાવવામાં આવેલા ઠેકાણાઓમાં હિઝબુલ્લાહના શસ્ત્રો અને રોકેટ છુપાયેલા છે.

ઇઝરાયેલ સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરે એક ટેલિવિઝન દૈનિકને જણાવ્યું કે ઇઝરાયેલની ધીરજ અતૂટ નથી. હિઝબુલ્લા સાથે ચાલી રહેલી અથડામણ વચ્ચે તેણે કહ્યું, ‘હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર 9,000 થી વધુ રોકેટ છોડ્યા હતા. 325 ઇઝરાયેલ ઘાયલ થયા, બાળકો સહિત 48 લોકોએ જીવ ગુમાવ્યા. તે IDF હતું જેણે લેબનોનના રહેવાસીઓને હવાઈ હુમલા પહેલા સ્થળાંતર કરવાની અપીલ કરી હતી.

લેબનોનના વડા પ્રધાને શું કહ્યું?
ઇઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી લેબેનોન પર હુમલો કરી રહ્યું છે. લેબનીઝ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઇઝરાયેલ હુમલો ઓક્ટોબરથી કરવામાં આવેલા હુમલાઓમાં સૌથી ઘાતક હતો. ઈઝરાયેલના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાતીએ આ હુમલાને નરસંહાર ગણાવ્યો છે. બેરૂતમાં કેબિનેટની બેઠકમાં પીએમ નજીબ મિકાતીએ કહ્યું, ‘ઈઝરાયેલના હુમલાનો ઉદ્દેશ્ય લેબનીઝ નગરો અને ગામડાઓને નષ્ટ કરવાનો છે. ઇઝરાયેલ કહી રહ્યું છે કે તે હિઝબુલ્લાહના હથિયારો ધરાવતી ઇમારતોને નિશાન બનાવી રહ્યું છે. તેનો ધ્યેય તે શસ્ત્રોનો નાશ કરવાનો છે તે પહેલાં તે પોતે હુમલો કરે છે.
શું છે ઈઝરાયેલની યોજના?
ઈઝરાયલની યોજનાનું વર્ણન કરતા વડાપ્રધાન નજીબ મિકાતીએ કહ્યું કે, ‘ઈઝરાયેલ માત્ર લેબનીઝ ગામડાઓ અને નગરોને નષ્ટ કરવા પર જ વળેલું છે.’ વડા પ્રધાન નજીબ મિકાતીએ સંયુક્ત રાષ્ટ્રને આગળ આવવા અને ઇઝરાયલની આક્રમકતાને રોકવા માટે વિનંતી કરી. મિકાતીએ આરોપ લગાવ્યો કે ઈઝરાયેલ નિર્દોષોને નિશાન બનાવી રહ્યું છે, જે ગુનો છે.
ભારતમાં મંકીપોક્સનો વધુ એક કેસ મળી આવતા ખળભળાટ
ભારતમાં મંકી પોક્સના ત્રીજા દર્દીનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે દર્દી કેરળનો રહેવાસી છે જે તાજેતરમાં દુબઈથી ભારત આવ્યો હતો. તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તે મંકીપોક્સના ક્લેડ 1બી વાયરસથી સંક્રમિત છે. કેરળના મલપ્પુરમમાં મંકીપોક્સનો બીજો દર્દી મળી આવ્યો હતો. આ વ્યક્તિ UAEથી ભારત પરત ફર્યો હતો. પ્રારંભિક લક્ષણો દેખાયા બાદ દર્દીની તપાસ કરવામાં આવી ત્યારે રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેને મંકીપોક્સનો ચેપ લાગ્યો હતો. ત્યારે કેરળના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે જે લોકો વિદેશ પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે જો તેઓને આ વાયરસના લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગને જાણ કરવી જોઈએ.

મંકીપોક્સનો પહેલો દર્દી દિલ્હીમાં જોવા મળ્યો હતો
અગાઉ, દિલ્હીમાં મંકીપોક્સનો પ્રથમ દર્દી નોંધાયો હતો, જે વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફર્યો હતો. પ્રારંભિક લક્ષણો દેખાયા પછી, દર્દીને દિલ્હીની એક હોસ્પિટલમાં અલગ કરવામાં આવ્યો હતો. આઈસોલેશન સમયે દર્દીની સ્થિતિ સ્થિર હતી. ડોકટરો દર્દીને અલગ કરી રહ્યા હતા અને તેની નજીકથી દેખરેખ રાખતા હતા.

WHOએ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે
આફ્રિકામાં મંકીપોક્સના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ થોડા અઠવાડિયા પહેલા આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. WHOએ કહ્યું હતું કે બે વર્ષ પહેલા પણ મંકીપોક્સ વાયરસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયો હતો. તે સમયે વિશ્વભરમાં એક લાખથી વધુ કેસ નોંધાયા હતા.

મંકીપોક્સ અંગે સરકાર પણ એલર્ટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મંકીપોક્સના મુદ્દાને લઈને સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકારે પહેલેથી જ કહ્યું છે અને સલાહ આપી છે કે મંકીપોક્સને લઈને વધુ ગભરાશો નહીં. સરકારે મંકીપોક્સના દર્દીઓને ઓળખવા માટે એરપોર્ટ પર પરીક્ષણ પણ વધાર્યું છે. આ સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે જો તેમને કોઈ લક્ષણો દેખાય તો તેઓ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરે.
પ્રથમ દર્દી વિશે આરોગ્ય મંત્રાલયે શું કહ્યું?
સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ભારતમાં જોવા મળેલો પહેલો દર્દી WHO દ્વારા નોંધાયેલા વાયરસથી સંબંધિત નથી કારણ કે આ દર્દીમાં પશ્ચિમ આફ્રિકન ક્લેડ 2ના એમપોક્સ વાયરસની હાજરીની પુષ્ટિ થઈ છે. હવે ત્રીજો દર્દી જે આગળ આવ્યો છે તે ગ્રેડ વન બી વાયરસથી સંક્રમિત છે.
બદલાપુરના આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટરમાં મોત
મહારાષ્ટ્રના બદલાપુર યૌન શોષણ કેસના મુખ્ય આરોપી અક્ષય શિંદેનું સોમવારે એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે. SIT ટીમના બે પોલીસકર્મી PSI નિલેશ મોરે અને સંજય શિંદે પણ ઘાયલ થયા છે. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપી શિંદેએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. શિંદેને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવી રહ્યો હતો જ્યારે તેણે ગોળીબાર કર્યો અને જવાબી પોલીસ ગોળીબારમાં તે ઘાયલ થયો અને બાદમાં તેનું મૃત્યુ થયું.
પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો
અક્ષય શિંદેને અન્ય એક કેસમાં ધરપકડ કર્યા બાદ તલોજા જેલમાંથી લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે કારમાં બેઠેલા પોલીસકર્મીની બંદૂક છીનવી લીધી હતી અને પોલીસકર્મી પર ગોળીબાર કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે પોતાની બંદૂક કાઢી અને અક્ષય શિંદે પર ગોળીબાર કર્યો.
બે સગીર યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું
12 અને 13 ઓગસ્ટે મુંબઈના બદલાપુરમાં એક સ્કૂલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા અક્ષય શિંદે પર બે સગીર છોકરીઓની યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો હતો. પીડિતાએ આ અંગે તેના માતા-પિતાને જણાવ્યું. ત્યારે જ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતે ભારે હોબાળો થયો હતો. પ્રદર્શનકારીઓએ લગભગ 10 કલાક સુધી રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો.
રાજ્યમાં ફરી જામશે ચોમાસું? જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: રાજ્યમાં લગભગ ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. પાછલા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદની ઓછી હાજરી પુરાય રહી છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 28 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 25 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 27 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ સહિત અમદવાદા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 28 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



તો મનમાં સૌપ્રથમ વિચાર એ જ આવે કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ત્યાં જવું કેટલું સુરક્ષિત છે? પરંતુ ધારા પટેલ માટે આ પ્રશ્ન અને પરિવારની ચિંતા કરતા પણ વધુ મહત્વની વાત એ હતી કે Once in a lifetime opportunity તેમની સામે આવી હતી. અમદાવાદના ધારા પટેલની રશિયાના ઉલ્યાનોસ્ક ખાતે યોજાયેલ ચોથા બ્રિક્સ ઈન્ટરનેશનલ યુથ કેમ્પમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થઈ હતી. આથી કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તેઓ પહોંચી ગયા હતા રશિયા.
રશિયામાં ધારાના અનુભવની અને તેમણે કેમ્પમાં કરેલાં કામ વિશેની વાત કરીએ તે પહેલાં થોડોક અંગત પરિચય મેળવી લઈએ. ધારા અમદાવાદના મણિનગર વિસ્તારના રહેવાસી છે. તેમણે અમદાવાદમાંથી જ શાળાકીય શિક્ષણ મેળવ્યું છે. પિતા વ્યાવસાયે યોગ ટ્રેનર છે, જ્યારે માતા ગૃહિણી. ચિત્રલેખા.કોમએ ધારાને પૂછ્યું કે, તો પછી કલા અને આર્ટનો વારસો તેમનામાં કેવી રીતે ઉતર્યો? ધારાનું કહેવું છે, “માતા ગૃહિણી ખરા, પરંતુ તેમનામાં આર્ટની ખુબ જ સારી સમજ છે. બત્રીસ ટાંકા અને એમ્બ્રોડરી જેવાં આર્ટ વર્ક તેઓ ખુબ જ સરસ રીતે કરે. નાનપણથી તેમને વિવિધ જાતના ભરત-ગૂંથણ કરતા જોયા છે. શાળામાં હતી ત્યારથી જ ડ્રોઈંગનો ખુબ જ શોખ. કોઈપણ પ્રકારની તાલીમ લીધા વગર કે ક્લાસિસ કર્યા વગર બધાં પ્રકારના ચિત્રો જાતે જ શીખીને તૈયાર કર્યા. માતા-પિતાએ મારા ટેલેન્ટને પારખીને આર્ટની દિશામાં જ આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું.”
ધારાએ અમદાવાદની સી.એન.ફાઈન આર્ટ્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો અને વર્ષ 2019માં ફાઈનલમાં તેઓ સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવ્યા હતા. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી ધારાએ ફેકલ્ટી તરીકે નોકરી પણ કરી. 2021માં તેમણે પોતાનું આર્ટ હાઉસ ઓપન કર્યું છે. જ્યાં તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ માટે ગ્રાફિક્સ બનાવવાનું અને સાથે જ ઇન્ટિરિયર ડેકોરેશન માટે પેઈન્ટિંગસ તેમજ આર્ટ પીસ તૈયાર કરે છે. ધારાના અનુભવ તેમજ કામને જોઈને તેમની પસંદગી બ્રિક્સ ઈન્ટરનેશનલ યુથ કેમ્પ માટે થઈ હતી. આ કેમ્પમાં ધારાએ બીજા દેશના આર્ટિસ્ટ સાથે મળીને ઉલ્યાનોસ્કના પથ્થરો, નદી તથા લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓ પરથી પ્રેરણા લઈને ખાસ આર્ટ ઈન્સ્ટોલેશન તૈયાર કર્યું હતું. આ યુથ કેમ્પમાં 10 દેશના 25 યુવાનોએ ભાગ લીધો હતો અને પોતાની કલાને પ્રદર્શિત કરી હતી.
કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા ધારા પટેલ અને ભોપાલની અન્ય એક યુવતીનું સમગ્ર દેશમાંથી રશિયાના બ્રિક્સ ઈન્ટરનેશનલ યુથ કેમ્પ માટે પસંદગી થઈ હતી. જેને એક ગૌરવની ક્ષણ ગણાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારા રશિયા જાય તે પહેલાં તેમને એક અભિનંદન પત્ર પણ મોકલાવ્યો હતો. ભારત ઉપરાંત બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઈજિપ્ત, યુ.એ.ઈ., ઈથોપિયામાંથી પણ યુવાનોની પસંદગી કરવામાં આવી હતી. રશિયામાં કાર્યક્રમની થીમ અનુસાર યુવાનોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. ઉલ્યાનોસ્ક પ્રદેશને સમજીને તેને રજૂ કરતું આર્ટ ઈન્સ્ટોલેશન બનાવવાનું ટાસ્ક આ અલગ-અલગ જૂથોને આપવામાં આવ્યું હતું.

ધારા અને તેમની ટીમે ત્રણ દિવસ દરમિયાન વિવિધ વર્કશોપ, સેમિનારમાં ભાગ લઈ તેમજ ઉલ્યાનોસ્કના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ પોતાના આર્ટ માટે પ્રેરણા લીધી હતી. એમોનિટ નામના લુપ્ત થઈ ગયેલા પ્રાણી, ત્યાંની નદી, પથ્થરોના રંગો વગેરે પ્રાકૃતિક વસ્તુઓ પરથી પ્રેરણા લઈને લાકડાં, મિરર શીટ્સ, રંગો અને દોરી જેવા મટિરિયલ્સમાંથી ‘રિવાઈવિંગ ધ પાસ્ટ’ નામનું ઈન્સ્ટોલેશન ધારા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.