યેરુસલેમઃ ઈઝરાયેલ અને હિજબુલ્લા વચ્ચેના ” પ્રલયકારી યુદ્ધ”થી મધ્ય-પૂર્વમાં ભારે ભયનું વાતાવરણ સર્જાયું છે. ઈઝરાયેલી સેનાએ હિજબુલ્લા પર ભીષણ હુમલો કર્યો છે. એમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મોત થયાં છે. જ્યારે 400 થી વધુ ઘાયલ થયા છે. આ હુમલામાં હિજબુલ્લાના 300થી વધુ સ્થાનો નષ્ટ કરી દેવામાં આવ્યાં છે.
લેબનોનમાં પેજર બ્લાસ્ટ અને વોકી-ટોકી બ્લાસ્ટના બીજા જ દિવસે ઈઝરાયેલની સ્ટ્રાઈકથી ઉત્સાહિત હિજબુલ્લાએ રવિવાર અને સોમવારે યેરુસલેમ પર એવો જીવલેણ હુમલો કર્યો હતો.. ઉત્તરી અને દક્ષિણ ઇઝરાયેલ હિજબુલ્લાના ઉગ્ર વળતા હુમલાથી હચમચી ઊઠ્યું હતું. આ વિસ્ફોટો પછી લાગેલી આગમાં પત્તાંના મહેલની જેવી વિશાળ ઇમારતો બળી ગઈ હતી. તેનાથી નિરાશ થઈને ઈઝરાયેલની સેનાએ હવે હિજબુલ્લા પર સૌથી મોટો હુમલો કર્યો છે. આનાથી મધ્ય-પૂર્વના દેશોમાં હલચલ મચી ગઈ છે.
WATCH: IDF strike in southern Lebanon against weapons storage site causes multiple secondary explosions. pic.twitter.com/R6602mVZo5
— Israel War Room (@IsraelWarRoom) September 23, 2024
હિજબુલ્લા હુમલાના જવાબમાં ઇઝરાયેલી સૈન્યએ લેબનોનમાં લોકોને તાત્કાલિક એવાં ઘરો અને ઇમારતો ખાલી કરવા કહ્યું છે જ્યાં હિજબુલ્લા આતંકવાદી જૂથે શસ્ત્રોનો સંગ્રહ કર્યો છે. ઇઝરાયેલે કહ્યું હતું કે તેણે આતંકવાદી જૂથ સામે “વ્યાપક હુમલાઓ” શરૂ કર્યા છે. સરહદ પર લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંઘર્ષ અને ખાસ કરીને રવિવારે ભારે ગોળીબાર બાદ આ પહેલી ચેતવણી આપવામાં આવી છે. હજી ઇઝરાયેલ હિજબુલ્લા પર ઘણા વધુ મોટા હુમલાઓ કરે એવી શક્યતા છે. હિજબુલ્લાએ તાજેતરના ઈઝરાયેલ હુમલામાં તેના એક ટોચના કમાન્ડર અને ઘણા લડવૈયાઓના મોત બાદ બદલો લેવા માટે ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારને નિશાન બનાવીને 100 થી વધુ રોકેટ, મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા.








તારીખ 21 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 5 વાગ્યે આસપાસ સુરતના કીમ કોસંબા રેલવેના પાટા પર જોગલ ફિશ પ્લેટ અને એસારસી પેડ લોક ખાલી અપલાઈન પર મૂકી દેવાની ઘટના સામે આવી હતી. આ ઘટના અનુસંધાને કીમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ સુરત ગ્રામ્ય SOGને સોંપાઈ હતી. LCB, SOG, પેરોલ તથા લોકલ પોલીસ સ્ટેશન અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનની અલગ અલગ મુખ્ય 5 ટીમો અને બીજી 16 ટીમ કામે લાગી હતી. જેમાં ગુનાવાળી જગ્યાની આસપાસ ગ્રીડ સર્ચ કરાવતા કોઈ ગુનાને લગત ચીજવસ્તુ મળી ન હતી. કંઈ શંકાસ્પદ ન મળતા ટીમને રેલવે ટ્રેકમેન પર શંકા ગઈ હતી. સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને જયસ્વાલની આકરી પૂછપરછ કરતા તેઓએ ગુનો પોપટની જેમ કબૂલ્યો હતો. જેમાં સુભાષે બંને સાથીદારોને નાઈટ રાઉન્ડ લંબાઈ જાય અને એવોર્ડ મળે એવી વાત કરીને જાતે જ જોગલ ફિશ પ્લેટ અને એઆરસી પેડ લોક ખોલી અપ ટ્રેક પર મૂકી દીધા હતા. સુભાષે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી અને ફોટો પાડી તમામને ગુમરાહ કરવાના ગુનાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. રેલવે કર્મચારી સુભાષે આખું ષડયંત્ર રચ્યું હતું.


