મુંબઈ: બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાને એક સત્તાવાર નિવેદન જારી કરીને નકલી ઈવેન્ટની જાહેરાત સામે ચેતવણી આપી છે. સલમાન ખાનના નામે એક સ્કેમ ચાલી રહ્યું હોવાની માહિતી સામે આવી છે. અમેરિકામાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં સલમાન ખાન પર્ફોમ કરવાના છે એવું કહેવામાં આવી રહ્યું હતું. આ ફેક ઈવેન્ટનો સતત દાવો કરવામાં આવી રહ્યો હતો. જોકે, હવે સલમાન ખાને આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે અને તેના ચાહકોને સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકાની કોઈ ઈવેન્ટમાં સામેલ નથી. પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નિવેદન જારી કરીને તેણે સ્પષ્ટ શબ્દોમાં આખી વાતનો ખુલાસો કર્યો છે. તેણે તેના ચાહકોને આ નકલી ઈવેન્ટની ટિકિટ બિલકુલ ન ખરીદવા વિનંતી કરી છે.

સલમાને જારી કરી નોટિસ
સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, સત્તાવાર માહિતી! જણાવવામાં આવે છે કે સલમાન ખાન કે તેની સાથે જોડાયેલી કોઈ કંપની કે ટીમ 2024માં યુએસએમાં કોઈ આગામી કોન્સર્ટનું આયોજન કરી રહી નથી. કોઈપણ દાવા જે સૂચવે છે કે સલમાન ખાન અમેરિકામાં પર્ફોમ કરશે તે સંપૂર્ણપણે ખોટા છે. આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે,’કૃપા કરીને આવી ઘટનાઓને પ્રોત્સાહન આપતા કોઈપણ ઈમેલ, મેસેજ અથવા જાહેરાતો પર વિશ્વાસ ન કરો. જો કોઈ પણ વ્યક્તિ સલમાન ખાનના નામનો કપટપૂર્ણ હેતુ માટે દુરુપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
View this post on Instagram
આ ફિલ્મમાં સલમાન ખાન જોવા મળશે
સલમાન ખાન છેલ્લે ‘ટાઈગર 3’માં કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2023 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની અને વૈશ્વિક સ્તરે રૂ. 450 કરોડથી વધુની કમાણી કરી. આ વર્ષની શરૂઆતમાં અભિનેતાએ તેના આગામી મોટા પ્રોજેક્ટ ‘સિકંદર’ની જાહેરાત કરી હતી જે આવતા વર્ષે ઈદના અવસર પર મોટા પડદા પર આવવાની છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પહેલીવાર સલમાન ખાન સાથે લીડ રોલમાં છે. ફેમસ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. બંને આ પહેલા ‘જુડવા’ (1997), ‘મુઝસે શાદી કરોગી’ (2004) અને ‘કિક’ (2014)માં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય સલમાન ખાન પણ બિગ બોસની 18મી સીઝનના હોસ્ટ તરીકે વાપસી કરી રહ્યો છે. આ શોનું નિર્માણ આવતા મહિને શરૂ થવાની ધારણા છે. હોસ્ટ તરીકે સલમાનની આ સતત 15મી સિઝન હશે.



જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે. આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે. પરંતુ જુનાગઢ આમાં અપવાદ છે.
જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લાં નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. એક સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે, 1. જિલ્લા પ્રમુખ 2. બૅન્કમાં પ્રમુખ ૩. માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરઉપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે).
બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યું 1. તાલાળા 2. વિસાવદર 3. જૂનાગઢ. કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલતું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુલ ટ્રાન્સફર પણ કરી. (આ અસંભવ છે પરંતુ સત્તાના દુરઉપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો જ આ બને).
વધુમાં જવાહર ચાવડાએ લખ્યું છે, આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવી છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો 1. કનુભાઈ ભાલાળા 2. ઠાકરશીભાઈ જાવિયા 3. માધાભાઈ બોરીચા વગેરે એ વખતો વખત ફરિયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી. ક્યાંક કોઈની રહેમ નજર હેઠળ વાત દબાય જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવુ પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ યાદી લાંબી છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જુનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે.
જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે, અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવું ? પ્રજાનો સામનો કેમ કરવો ? આ સાથે તેમણે અગાઉ કરેલી રજૂઆતની પાંચ ફરિયાદ પણ જોડી છે.



આતિશી પંજાબના રાજપૂત પરિવારમાંથી આવે છે અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. આતિશી વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં અને 2023માં પહેલીવાર કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા હતાં. હવે એક વર્ષ બાદ જ 2024માં તેઓને મુખ્યમંત્રી બનવવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ 2019માં પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં અને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને 4.77 લાખ મતથી હરાવ્યા હતાં.
આતિશીને કેજરીવાલના નજીકના સહયોગી અને વિશ્વાસપાત્ર વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ અન્ના આંદોલનના સમયથી સંગઠનમાં સક્રિય છે. હાલ તેમની પાસે સૌથી વધારે મંત્રાલયોની જવાબદારી છે. જ્યારે માર્ચમાં અરવિંદ કેજરીવાલ જેલ ગયાં, ત્યારથી તે પાર્ટીથી લઈને સરકાર સુધીની બાબતોનો મોરચો સંભાળે છે. મુખ્યમંત્રીને લઈને જે અન્ય નામોની ચર્ચા હતી, તેમાં કૈલાશ ગેહલોત, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજનું નામ પણ સામેલ હતું.
આતિશી વર્ષ 2020માં પહેલીવાર કાલકાજી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતાં. તેઓએ ભાજપ ઉમેદવાર ધર્મવીર સિંહને 11 હજારથી વધુ મતોથી હરાવ્યા હતાં. આતિશીનો જન્મ 8 જૂન 1981માં દિલ્હીમાં થયો હતો. તેમના પિતા નામવિજય સિંહ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યાં છે. આતિશીએ શાળાનું શિક્ષણ નવી દિલ્હી સ્પ્રિંગડેલ સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું હતું. તેઓએ સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી ઈતિહાસ વિષય સાથે અભ્યાસ કર્યો અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં શેવનિંગ સ્કોલરશિપ પર માસ્ટરસ ડિગ્રી હાંસલ કરી. થોડા વર્ષો બાદ શૈક્ષણિક સંશોધનમાં રોડ્સ સ્કૉલરના રૂપે ઑક્સફોર્ડથી પોતાની બીજી માસ્ટર ડિગ્રી મેળવી. તેઓએ મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં સાત વર્ષ વિતાવ્યા હતા. જ્યાં તેઓ જૈવિક ખેતી અને પ્રગતિશીલ શિક્ષા પ્રણાલીઓ સાથે જોડાયા. તેઓએ ત્યાં બિન-લાભકારી ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું. જ્યાં પહેલીવાર AAPના કેટલાંક સભ્યો સાથે આતિશીની મુલાકાત થઈ અને પાર્ટીના સ્થાપના સમયથી જ તેઓ પાર્ટીમાં જોડાયા.
આતિશી 2013ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી ઢંઢેરા સમિતિના પ્રમુખ સભ્ય હતાં. પાર્ટી બની ત્યારે શરૂઆતી સમયમાં તેની નીતિઓને આકાર આપવામાં આતિશીએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ સિવાય આતિશીએ પાર્ટી પ્રવક્તા રૂપે પણ દમદાર રીતે પોતાના પક્ષ મુક્યો છે. આતિશી કેજરીવાલની જેમ મનિષ સિસોદિયાના પણ નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. તેઓએ મનિષ સિસોદિયાના સલાહકાર તરીકે અને તેમની ગેરહાજરીમાં શિક્ષા મંત્રાલયનું કામ પણ સંભાળ્યું છે.

