મુંબઈ: સિંગર્સ સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 16’માં હોટ સીટ પર જોવા મળશે. તે આગામી શુક્રવાર (20 સપ્ટેમ્બર)ના એપિસોડમાં અમિતાભ સાથે જોડાશે. સોની ટીવીએ ખાસ એપિસોડ પ્રોમો શેર કર્યે છે. એક પ્રોમોમાં અમિતાભ 1979ની ફિલ્મ મિસ્ટર નટવરલાલનું ગીત ‘પરદેશિયા’ ગાતા જોવા મળે છે. આ પ્રોમોએ દર્શકોની આતુરતા વધારી દીધી છે. પ્રોમોમાં શ્રેયા “પરદેશિયા યે સચ હૈ પિયા” લાઇન ગાવાનું શરૂ કરે છે. તેમના પછી સોનુ નિગમ ગાય છે અને પછી અમિતાભની સામે માઈક મૂકે છે. બિગ બી ગાય છે “સબ કહતે હૈ તુને મુઝસે દિલ દે દિયા.”
પ્રોમોએ દર્શકોમાં પહેલેથી જ આતુરતા ઉભી કરી દીધી છે. એક કોમેન્ટમાં લખવામાં આવ્યું છે, રાહ નથી જોઈ શકતો. અન્ય એક યુઝરે કહ્યું કે હું આ એપિસોડ માટે ખૂબ જ ઉત્સાહિત છું. એક પ્રશંસકે લખ્યું, “વાહ, આ અદ્ભુત કેબીસી એપિસોડ જોવાની મજા આવશે. બીજા પ્રોમોમાં, અમિતાભ સોનુ અને શ્રેયાનો દર્શકો સમક્ષ પરિચય કરાવે છે. તેઓ મૈં હૂં નાનું “કિસકા હૈ યે તુમકો” ગીત પણ ગાય છે.
અમિતાભ બચ્ચન માત્ર એક મહાન અભિનેતા જ નથી પરંતુ તેમણે રંગ બરસે, મેરે આંગને મેં, એકલા ચલો રે અને અતરંગી યારી જેવા ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે. સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ સાથેનો KBC એપિસોડ 16 20 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. તે SonyLIV પર લાઈવ સ્ટ્રીમ પણ થશે.
ગુજરતની નોંધપાત્ર સિધ્ધીઓમાં વધું એક ઉમેરો થયો છે. રિન્યુએબેલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાતને હાઈએસ્ટ એચિવર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય 8 રાજ્યોને બેસ્ટ પરફોર્મર તરીકે એવોર્ડને પાત્ર ગણવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 28,220 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતને હાઈએસ્ટ એચિવર સ્ટેટ ઈન ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી તરીકેના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે. વિન્ડ પાવરમાં હાઈએસ્ટ એચિવર તરીકે ગુજરાત પસંદગી પામ્યું છે. વિન્ડ પાવરમાં ગુજરાત 11,822 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. સોલાર પાવરમાં પણ 14,201 મેગાવોટની ક્ષમતા સાથે સેકન્ડ હાઇએસ્ટ એચિવર સ્ટેટ તરીકે ગુજરાત એવોર્ડને પાત્ર બન્યું છે.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાત પછીના ક્રમે રાજસ્થાનનું નામ મોખરે રહ્યું છે. રાજસ્થાન 22,031 મેગાવોટની ક્ષમતા સાથે હાઈએસ્ટ એચિવર સ્ટેટ ઈન ઓવરઓલ સોલાર પાવર માટે એવોર્ડને લાયક ઠર્યું છે. રિન્યુએબર એનર્જીમાં 22,031 મેગાવોટની ક્ષમતા સાથે રાજસ્થન સેકન્ડ હાઈએસ્ટ એચિવર સ્ટેટ બન્યું છે. જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ પણ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સારી કામગીરી કરવા બદલ એવોર્ડને પાત્ર બની છે.
ઉલ્લેખનીય છે કે ટોરેન્ટ પાવર ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયાના પ્રોડક્શન માટેના પ્રોજેક્ટ્સ વિકસાવવાના વિકાસની તલાશ પણ કરી રહ્યું છે. આ આયોજનના ભાગ રૂપે ટોરેન્ટ પાવરે 7200 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વાર્ષિક એક લાખ કિલોટન ગ્રીમ એમોનિયાનું ઉત્પાદન કરવા માટેના પ્લાન્ટ નાખવાના કરાર કર્યા છે. આ કરારને કારણે 1000 લોકોને રોજગારી મળશે. ટોરેન્ટ ટપાવર પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ માટેની સાઈટ નક્કી કરી દીધી છે. આ સાઈટ પર 25000 કરોડ રૂપિયાથી 35000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 5થી 8 ગીગાવોટની પીએસપીની ક્ષમતા ઊભી કરશે.
નવી દિલ્હીઃ આપ વિધાનસભ્યોની બેઠકમાં CM અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિધાનસભ્યોના દળની બેઠકમાં એ પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો છે, જેથી હવે આતિશી ત્રીજા મહિલા મુખ્ય પ્રધાન બનશે.
દિલ્હીનાં CM કેજરીવાલ સાંજે 4.30 કલાકે રાજ્યપાલ વીકે સકસેના સાથે મુલાકાત કરશે. એ દરમ્યાન કેજરીવાલ CM પદથી રાજીનામું આપશે. LGને વિધાનસભ્યોના દળના નેતાના નામનો પત્ર પણ એ સમયે સોંપવામાં આવશે.કેજરીવાલે ગઈ કાલે એલાન કર્યું હતું કે તેઓ બે દિવસ પછી દિલ્હીના CM પદથી રાજીનામું આપીને જનતાની કોર્ટમાં જશે. નવા CM માટે જે લોકોનું નામ ચાલી રહ્યું હતું કે એમાં દિલ્હીના મંત્રી આતિશીને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતાં હતાં. આમે કેજરીવાલની ધરપકડ પહેલાં આતિશીની પાસે સૌથી વધુ મંત્રાલય હતાં. આ યાદીમાં બે વાર વિધાનસભ્ય અને મંત્રી કૈલાશ ગહેલોત બીજા ક્રમે હતા. આ સાથે જૂના અને અનુભવી ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજનું નામ પણ યાદીમાં સામેલ હતું.
CM અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર આજે પોલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીના નવાં CMના નામ પર ચર્ચા થઈ શકે હતી. બેઠક પહેલાં AAP ના સિનિયર નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતાં.
કેજરીવાલના આવાસ પર યોજાયેલી PAC ની આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય શર્મા, દુર્ગેશ પાઠક, આતિશી, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાઘવ ચઢ્ઢા, રાખી બિડલાન, પંકજ ગુપ્તા અને એનડી ગુપ્તા હાજર રહ્યાં હતાં.
સિપાઈનું કામ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાનું છે. એ તમને ઓળખે છે એટલે તમને જવા દેશે એવા ભ્રમમાં ક્યારેય ન રહેવું.
ઉલ્ટાનું એને તમારા વિશે માહિતી છે એટલે એ તમને પકડી પાડવા માટે વધારે સક્ષમ છે એમ સમજીને ચાલવું એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
મુંબઈમાં ગાયક બનવા આવેલા અમિતાભ ભટ્ટાચાર્યએ ‘ફિલ્મ ઈન્ડિયા’ ડિરેક્ટરીમાંથી સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીનો મોબાઈલ નંબર શોધીને ફોન લગાવ્યો. એમણે પહેલી જ વારમાં ઉપાડયો. અમિતાભે પોતાનું નામ આપી કહ્યું કે હું લખનઉથી ગાયક બનવા આવ્યો છું. એ માટે તમને મળવું છે. તમારું ટીવી પર આલબમ જોયું અને ફોન કર્યો છે. પ્રીતમે તરત જ પોતાના ઘરનું સરનામું આપી મળવા આવી જવા કહ્યું. અમિતાભ સાંજના સમય પર બસ પકડીને પોતાની કેસેટ લઈ પ્રીતમના ઘરે પહોંચી ગયા. ત્યારે પ્રીતમ સ્વતંત્ર સંગીતકાર તરીકે નહીં પણ જીત ગાંગુલી સાથે જોડીમાં કામ કરતા હતા. એમની ‘તેરે લિયે’ (2001) આવી ચૂકી હતી.
પ્રીતમે અમિતાભને આવકાર આપ્યો અને એમની કેસેટમાં રેકોર્ડ કરેલા ગીતો સાંભળ્યા પછી કહ્યું કે તારો અવાજ સારો છે. સારું ગાય છે પણ અત્યારે મારી પાસે તારા માટે કોઈ કામ નથી. કોઈ કોરસ ગીતમાં જરૂર પડશે કે ડમી ગીત કરવું હશે ત્યારે તને બોલાવીશ. એ સાથે એક ફોન નંબર આપી કહ્યું કે અત્યારે મારા એક સહાયક રાજેશ રૉયને જઈને મળી લે. એની પાસે કામ હશે. અમિતાભે રાજેશને ફોન કર્યો. એ ઘણા આલબમ પર કામ કરતા હોવાથી માણસની જરૂર હતી. અમિતાભને એમણે રાખી લીધા. અમિતાભ સંગીત અને ડમી ગાયનમાં મદદ કરતા હતા. રાજેશે અમિતાભને એક-બે વખત ધૂન પર શબ્દો લખવા આહવાન કર્યું.
અમિતાભે લખવાનું શરૂ કર્યું. ફિલ્મ ‘88 એન્ટોપ હિલ’ (2003) માં અમિતાભે ગીત લખવા સાથે ગાયું પણ હતું. આગળ જતાં રાજેશે અમિતાભને કહ્યું કે તું ગીતના ડમી શબ્દો લખે છે એ સંગીતકારો અને નિર્માતાને પસંદ આવે છે. તારે ગાયક તરીકે પ્રયત્ન કરવો જોઈએ. અમિતાભે કહ્યું કે તે એક રમત તરીકે આવું લખે છે. અને એને ગીતકાર નહીં ગાયક બનવું છે. એ પછી અમિતાભ અમર્ત્યના સંપર્કમાં આવ્યા. એમના માટે જાહેરાત સાથે કેટલાક ગીતો લખ્યા. એમણે પણ પ્રશંસા કરી. એ જ રીતે જતીન શર્મા માટે ગીતો લખ્યા. એમણે ગીતકાર તરીકે પ્રોત્સાહન આપ્યું. અને કહ્યું કે તું પહેલો એવો ગાયક બનીને બતાવ જે ગીત પણ લખી શકે છે. ત્યારે પણ અમિતાભે એ વાતને ગંભીરતાથી લીધી નહીં. અમિતાભ પોતાની જ જાણ બહાર ગીતકારના રસ્તે ફંટાઈ રહ્યા હતા.
અમિતાભે ત્યાં સુધી જે પણ ગીતો લખ્યા એમાં ઉપનામ આપ્યું હતું. એવા ડરથી કે સંગીતકારો એમ ના સમજે કે આ ગીતકાર છે એટલે એને ગાયક તરીકે લેવો નથી. જતીન શર્મા માટે ‘ઉમંગ’ નામથી ગીતો લખ્યા. સંગીતકાર અમિત ત્રિવેદી સાથે મિત્રતા થયા પછી જ્યારે પ્રાઈવેટ આલબમ ‘ઓમ’ મળ્યું ત્યારે એમણે અમિતાભને જ ગીતો લખવા કહ્યું. અમિતાભે થોડી આનાકાની કરી પણ પછી ગંભીરતાથી ગીતો લખ્યા. એમાં નામ ‘ઇન્દ્રનીલ’ આપ્યું હતું. એ ગીતો પસંદ આવ્યા અને ગીતકાર વિશે લોકો પૂછવા લાગ્યા. પછી અમિતે ‘આમિર’ (2008) ના ગીતો પણ અમિતાભ પાસે લખાવ્યા. અમિતે સાચું નામ આપવા દબાણ કર્યું.
અમિતાભે ફરી યાદ કરાવ્યું કે એ ગાયક બનવા માગે છે. તેથી કોઈ ઉપનામ આપશે. અમિતે રીતસર અમિતાભનો કોલર પકડીને કહી દીધું કે ગીતો તો તારા અસલી નામ પર જ આવશે. છેલ્લે એક નિર્ણય થયો અને એમાં માત્ર ‘અમિતાભ’ નામ આપ્યું. જ્યારે ફિલ્મનો રીવ્યુ આવ્યો ત્યારે અન્ય જાણીતા ગીતકાર ‘અમિતાભ વર્મા’ એ લખ્યા હોવાનું કહેવામાં આવ્યું. એ પછી જ્યારે ‘દેવ ડી’ માટે ગીતો લખ્યા ત્યારે અમિત ત્રિવેદીએ અમિતાભને સમજાવીને આખું નામ અપાવ્યું. ફિલ્મનું ‘ઈમોશનલ અત્યાચાર’ ગીત એટલું લોકપ્રિય રહ્યું કે ખુદ અમિતાભ ભટ્ટાચાર્યએ ગીતકાર તરીકે જ કારકિર્દી બનાવવાનો અંતિમ નિર્ણય કરી લીધો હતો! છેલ્લા થોડા વર્ષોમાં બ્રહ્માસ્ત્ર, ભેડિયા, જરા હટકે જરા બચકે, રૉકી ઔર રાની કી પ્રેમકહાની, સ્ત્રી 2 વગેરે અનેક ફિલ્મોમાં અમિતાભે ગીતો લખ્યા છે.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.
ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદના જન્મ દિવસ ઈદે મિલાદની સમગ્ર દુનિયાના મુસ્લિમો ઉજવી રહ્યા છે. ઈદે મિલાદુન્નબીના આ દિવસે મુસ્લિમોના કેટલાક સમુદાયો પયગંબરનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવે છે. કેટલાક કુટુંબ સામાજિક સંમેલનો કરે છે.
તો બીજી તરફ મહોલ્લા, ગામ અને શહેરમાં પયગંબરને માનનારો વર્ગ ઈમારતો માર્ગોને સજાવે છે. આ સાથે કેટલાક સ્થળોએ ઈસ્લામની કેટલી ઝાંખી તૈયાર કરી જુલુસ કાઢવામાં આવે છે.
અમદાવાદ શહેરના જમાલપુર દરવાજા પાસે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, આઈપીએસ અજયકુમાર ચૌધરી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના સભ્યો, સામાજિક આગેવાનોએ જુલુસનો પ્રારંભ કરાવ્યો હતો.
મસ્જિદ, ધર્મના પ્રતિકો, વેશભુષા, બગીઓ, ધાર્મિક નારાઓ સાથે જુલુસ જમાલપુર દરવાજાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી કુરેશ ચોક ખાતે સભામાં ફેરવાઈ પૂર્ણ થયું હતું.