Home Blog Page 1484

ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય ગાયક બનવા આવ્યા હતા

ફિલ્મ ‘દેવ ડી’ (૨૦૦૯) ના ‘ઈમોશનલ અત્યાચાર’ થી ‘સ્ત્રી 2’ ના ‘આજ કી રાત’ (૨૦૨૪) સુધીના ગીતોથી લોકપ્રિય રહેલા ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અસલમાં બોલીવુડમાં ગાયક બનવા આવ્યા હતા. નાનપણથી ગાયનમાં રસ ધરાવતા અમિતાભે સ્કૂલનો અભ્યાસ કર્યા પછી હોટલ મેનેજમેન્ટમાં જવાનું નક્કી કર્યું હતું. કેમકે એના બહેન અને બનેવી એમાં હતા. પરંતુ અભ્યાસ માટે ભુવનેશ્વર જવાના દિવસે એ એકદમ ઉદાસ હોવાથી માતાએ કારણ પૂછ્યું અને અમિતાભે પોતાના ગાયનના શોખની ચિંતા વ્યક્ત કરી.

પરિવારે એની લાગણીને સમજી લખનઉમાં જ આર્ટસ વિષયમાં સ્નાતક કરવા સાથે એના ગાયનના શોખને વિસ્તાર આપવા સંમતિ આપી દીધી. અમિતાભ અભ્યાસ સાથે ઓરકેસ્ટ્રામાં પણ ગાવા લાગ્યા હતા. સ્નાતક થયા પછી ગાયક તરીકે કારકિર્દી બનાવવા મુંબઈની વાટ પકડવાનો નિર્ણય કર્યો. એ માટે કિશોરકુમાર વગેરેના ગીતો ગાઈ એક ડેમો કેસેટ તૈયાર કરવા ઓળખીતાના સ્ટુડિયોમાં ગયા. ત્યાં ગીતો ગાઈને કેસેટ તૈયાર કરી ત્યારે એમણે સલાહ આપતા કહ્યું કે આ બધા સાથે તારું પોતાનું કોઈ મૌલિક ગીત બનાવીને લઈ જા. અમિતાભે હાર્મોનિયમ પર ધૂન બનાવી દીધી પણ એના પર શબ્દો (ગીત) કયા આવશે? એ સમજાતું ન હતું. ધૂન પર શબ્દો મૂકવા એ શાયરીનું એક પુસ્તક લઈ આવ્યા. પણ પુસ્તકની કોઈ પંક્તિ એ ધૂન પર બંધબેસતી ન હતી.

લખવાની કોઈ આદત ન હતી એટલે ગીત કેવી રીતે તૈયાર કરવું એની મથામણમાં બે મહિના નીકળી ગયા. દરમ્યાનમાં અમિતાભ જાતે શબ્દો મૂકવાનો પ્રયત્ન કરતાં રહ્યા. એમાં ‘યે જિંદગી ખ્વાબ હૈ’ જેવું કશુંક લખ્યું એ યોગ્ય લાગ્યું. અમિતાભને ત્યારે અંદાજ ન હતો કે તેના ગીતકાર બનવાનું બીજ રોપાઈ રહ્યું છે. ગીતોની એક કેસેટ તૈયાર કરીને મુંબઈ પહોંચી ગયા. ત્યાં મામા રહેતા હોવાથી થોડા મહિના સંઘર્ષ કરવામાં કોઈ સમસ્યા ના આવી.

ગાયક બનવા શરૂઆતમાં સંગીતકારોના સ્ટુડિયોના ચક્કર કાપવાનું શરૂ કર્યું. તે અનુ મલિક, બપ્પી લહેરી વગેરેના સ્ટુડિયોમાં જતા રહેતા હતા. તે મહેબૂબ સ્ટુડિયો, સની સુપર સાઉન્ડ વગેરેમાં જઈને પણ બેસતા હતા. ત્યાં જે ટેક્નિશિયન કે રેકોર્ડીસ્ટ હોય એમણે એને સાંભળ્યો અને સલાહ આપી કે આ રીતે તારું કશું થવાનું નથી. અહીં બધા વ્યસ્ત હોય છે. કોઈ પોતાનું કામ છોડીને તારું ગીત સાંભળવાના નથી. તું એક કામ કર. જે લોકો આ ક્ષેત્રમાં નવા આવી રહ્યા છે એમની સાથે મુલાકાત કર. એમની સાથે મિત્રતા કરવાથી શીખવા મળશે અને પછી કામ પણ મળશે. અમિતાભે સવાલ કર્યો કે હું એમને કેવી રીતે મળી શકું? સંપર્ક કેવી રીતે કરવો? ત્યારે સૂચન થયું કે ‘ફિલ્મ ઈન્ડિયા’ ની એક ડિરેક્ટરી છે. એમાં સંગીતકારોના નામ અને ફોન નંબર મળશે.

અમિતાભે ડિરેક્ટરી ખરીદી લીધી. અમિતાભ ત્યારે મામાના ઘરે રહેતા હતા. ટીવી પર ગીતો જોતા હતા ત્યારે એક ગીતની નીચે ‘મ્યુઝિક કંપોઝર’ તરીકે પ્રીતમ ચક્રવર્તીનું નામ વાંચ્યું. અને વિચાર કર્યો કે આ ભાઈ નવો છે અને મારી જેમ બંગાળી પણ છે! અને ડિરેક્ટરીમાંથી નંબર શોધી પ્રીતમદાને ફોન લગાવ્યો.

(અમિતાભ ભટ્ટાચાર્યની ગાયક બનવાની ધૂનમાં પ્રીતમનો શું પ્રતિભાવ મળ્યો? અને ગાયકને બદલે ગીતકારના રસ્તે કેવી રીતે ફંટાઈ ગયા? એની રસપ્રદ વાતો આગામી લેખ ‘અમિતાભ ભટ્ટાચાર્યએ ગાયક બનવા બીજા નામે ગીતો લખ્યા’ માં જાણીશું.)

 

બેસન મિલ્ક કેક

ચણાના લોટની આ મિલ્ક કેક ઘણી જ સ્વાદિષ્ટ બને છે. ફક્ત થોડી મહેનત છે ચણાના લોટને શેકવામાં. બાકી આ સ્વાદિષ્ટ કેક ગણપતિ બાપાને ધરાવીને બાપાને પ્રસન્ન કરી શકાય છે!

સામગ્રીઃ

  • ચણાનો લોટ 2 કપ
  • દૂધનો પાઉડર 1 કપ
  • ઘી 1 કપ
  • એલચી પાઉડર 1 ટે.સ્પૂન
  • બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન

ચાસણી માટેઃ

  • સાકર 1½ કપ
  • પાણી 1 કપ

રીતઃ એક ટ્રેમાં બટર પેપર લગાડી તેમાં ઘી ચોપડી લો. તેની ઉપર સૂકા મેવાની કાતરી પાથરી દો.

એક નોન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું ઓગળે એટલે ગેસની આંચ એકદમ ધીમી કરીને તેમાં ચણાનો લોટ ઉમેરી દો. સ્પેટુલા અથવા ઝારા વડે એકસરખું આ મિશ્રણ હલાવતાં રહો. જેવો ચણાનો લોટ ઘીમાં મિક્સ થઈ જાય એટલે તેને ઝારા વડે હલાવતાં રહો. જ્યાં સુધી ચણાના લોટમાં સુગંધ ન આવે. હવે તેમાં એલચી પાઉડર મેળવીને હલાવતાં રહો.

આ મિશ્રણ એકસરખું મિક્સ થઈને લીસું થઈ જાય તેનો રંગ સોનેરી રંગનો થઈ જાય તેમજ તે ઘી છોડીને લીસું થાય એટલે ગેસ બંધ કરી દો. હવે ચણાના લોટમાં દૂધ પાઉડર મેળવીને તવેથા વડે હલાવતા રહો ગેસ બંધ રાખીને. મિશ્રણ દાણેદાર થશે. પરંતુ તેને એકસરખું મિક્સ કરીને ઠંડું થવા દો.

એક વાસણમાં સાકર તેમજ પાણી મિક્સ કરીને ગેસની મધ્યમ-તેજ આંચે ચાસણી ઉકળવા દો. ચાસણી ઉકળે અને પરપોટા થવા માંડે ત્યારબાદ થોડીવાર ગેસ ચાલુ રાખીને ચમચા વડે ચાસણી હલાવતા રહો. જેવી ચાસણી થોડી ઘટ્ટ થવા લાગે એટલે ચમચા વડે બે-ત્રણ ટીપાં ચાસણી એક પ્લેટમાં રેડીને તેને અંગૂઠા તેમજ આંગળી વચ્ચે લગાડી જુઓ. જો એક તાર તેમાંથી બને છે. તો ગેસ બંધ કરીને આ ચાસણીને ચણાના લોટના મિશ્રણમાં હળવેથી રેડીને ચમચા વડે એકસરખું મિક્સ કરી લો. આ ચણાના લોટની કઢાઈ ગેસ પર ગરમ થવા મૂકો. ગેસની આંચ એકદમ ધીમી કરીને ચમચા વડે મિશ્રણ એકસરખું હલાવતાં રહો. જેવું મિશ્રણ લીસું થવા આવે એટલે ગેસ બંધ કરીને આ મિશ્રણને બટર પેપર લગાડેલી ટ્રેમાં પાથરીને તવેથા વડે એકસરખું પાથરીને બેથી ત્રણ કલાક માટે જામવા દો. ટ્રેને રેફ્રીજરેટરમાં પણ મૂકી શકાય છે.

ત્રણ કલાક બાદ મીઠાઈના ચપ્પૂ વડે ચોસલા કરીને બાપાના થાળમાં મીઠાઈ કેક ગોઠવી દો.

૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૪

પંચાંગ 14/09/2024

11 વર્ષે જ અભિનેત્રી બની ગઈ સ્ટાર, બાદમાં પતિએ જ ગોળી મારી કરી હત્યા

મુંબઈ: બોલિવૂડમાં ઘણા સ્ટાર્સનું જીવન કોઈ રહસ્યથી ઓછું નથી. ઘણા એવા સ્ટાર્સ હતા જેમણે ઘણી ખ્યાતિ મેળવી અને મોટું નામ કમાવ્યું અને સફળતા પછી પણ તેમનો અંત કોઈ દુ:ખદ ફિલ્મથી ઓછો નહોતો. એવું જ એક નામ છે અભિનેત્રી સઇદા ખાનનું. સઈદાનો જન્મ 24 ઓક્ટોબર 1949ના રોજ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. નાની ઉંમરે તેણે મોટી હિરોઈન બનવાનું સપનું જોયું હતું. ફિલ્મ નિર્માતા એચ.એચ.રાવૈલનું ફિલ્મી દુનિયામાં પ્રવેશનું પ્રથમ પગથિયું બની ગયું. કિશોર કુમાર સાથે ‘અપના હાથ જગન્નાથ’ અને મનોજ કુમાર સાથે ‘કાંચ કી ગુડિયા’ જેવી સફળ ફિલ્મો કર્યા પછી સઈદાને હિટ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવ્યા. તેને એક પછી એક પ્રખ્યાત કલાકારો સાથે કામ મળવા લાગ્યું અને તેની કારકિર્દી પાટા પર આવી ગઈ.

જેને પ્રેમ કર્યો એણે જ મોતને ઘાટ ઉતાર્યા
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સઈદાની ખ્યાતિમાં ઘટાડો થવા લાગ્યો. ધીમે ધીમે તેને કામ મળવાનું બંધ થવા લાગ્યુ. આ પછી તેણે પોતાની આજીવિકા માટે બી-ગ્રેડ ફિલ્મોનો સહારો લેવો પડ્યો. એક તરફ, તેની કારકિર્દીની દિશા બગડતી ગઈ અને બીજી તરફ, અભિનેત્રી નિર્દેશક-નિર્માતા બ્રિજ સદાનાના પ્રેમમાં પડી ગયા, જે પછી બંનેએ લગ્ન કર્યા અને બે બાળકો થયા. નમ્રતા નામની પુત્રી અને કમલ સદાના નામનો પુત્ર. કમલ સદાના બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. 21 ઓક્ટોબર 1990ના રોજ, સઈદા તેના પુત્ર કમલના 20મા જન્મદિવસની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે નશામાં ધૂત કમલના પિતા એટલે કે સઈદાના પતિએ અંદર આવીને સઈદા અને તેની પુત્રી નમ્રતાને ગોળી મારી દીધી હતી અને કમલને પણ ગોળી મારી દીધી હતી. આ લોકોને ગોળી માર્યા બાદ તેણે પણ જીવ લઈ લીધો હતો. આ સમગ્ર ઘટનામાં માત્ર કમલ જ બચી ગયા હતા.

કમલ (કમલનું કાજોલ સાથે ફોટોશૂટ)

આખો પરિવાર ક્ષણવારમાં વિખૂટો પડી ગયો

તાજેતરમાં, સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઇન્ટરવ્યુમાં, કમલે યાદ કર્યું કે તે તેની માતા અને બહેનને હોસ્પિટલમાં લઈ ગયો હતો, તે દરમિયાન તેને પણ ગોળી વાગી હતી અને તેને ખ્યાલ નહોતો કે તેને પણ ગોળી વાગી છે. જ્યારે તબીબોએ તેને તેના શર્ટ પરના લોહી વિશે પૂછ્યુ તો તેને લાગ્યુ તેની માતા અને બહેનનું લોહી છે. તેની માતા અને બહેનને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અભિનેતાને ખ્યાલ ન આવ્યો કે તે પણ ઘાયલ થયો છે. આ ઘટના પછી તેની સર્જરી થઈ અને જ્યારે તે ઘરે પાછો આવ્યો, ત્યારે તેને ખબર પડી કે તેનો આખો પરિવાર વિખેરાઈ ગયો છે. તેઓએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા હતા.

કમલ સદાનાએ કહ્યું, ‘મને પણ ગોળી વાગી હતી, તે મારી ગરદનની એક બાજુથી ઘૂસી ગઈ હતી અને બીજી બાજુથી બહાર આવી હતી, પરંતુ હું બચી ગયો હતો. મારા અસ્તિત્વ માટે કોઈ તાર્કિક કારણ નથી. એવું લાગે છે કે ગોળી દરેક ચેતાને ડોઝ કરીને બીજી બાજુ બહાર આવી. હું મારી માતા અને બહેનને હોસ્પિટલમાં લઈ ગયો જ્યારે તેઓ લોહીથી લથપથ હતા અને તે સમયે મને ખ્યાલ નહોતો કે મને પણ ગોળી વાગી હતી. હૉસ્પિટલમાં પૂરતા પલંગ નહોતા, તેથી મારો મિત્ર મને બીજી હૉસ્પિટલમાં લઈ ગયો. મેં ડૉક્ટરને મારી માતા અને બહેનને જીવંત રાખવા કહ્યું. હું મારા પિતાને પણ તપાસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સર્જરી પછી જ્યારે હું જાગ્યો ત્યારે તેઓ મને ઘરે લઈ ગયા અને મેં મારી નજર સામે મારો આખો પરિવાર મૃત હાલતમાં પડેલો જોયો.

સીંગતેલના ભાવમાં થયો ઘટાડો, જ્યારે અન્ય તેલની કિંમતો વધી

આ વર્ષે સારા વરસાદના પગલે ખેડૂતોમાં વાવેતરને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં બુધવાર સુધીમાં 16.83 ટકાનું અને સમગ્ર દેશમાં એકંદરે 9.44 ટકા વાવેતર વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં માત્ર ગુજરાતમાં જ મગફળીનું 46.45 લાખ ટન ઉત્પાદન થયું હતું અને આ વર્ષે વાવેતરમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો નોંધાયો છે ત્યારે બીજી બાજુ ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ એક દિવસમાં જ રાજકોટના તેલ બજારમાં સિંગતેલના ભાવ પ્રતિ 15 કિલોના ડબ્બા દીઠ રૂ.2630-2680થી ઘટીને રૂ. 2590-2640 સુધી નીચે ઉતર્યા હતા. તો પામ-કપાસિયા તેલમાં રૂ. 60નો વધારો થયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આયાતી તેલ પર ડ્યુટી નાખવાની વિચારણાથી જ સાઈડ ખાદ્યતેલોમાં રૂપિયા 60નો ઉછાળો જોવા મળ્યો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ, સનફ્લાવર તેલ, મકાઈનું તેલ, વનસ્પતિ ઘી સહિતના તેલોમાં રૂપિયા 30 થી 60 સુધીનો વધારો માત્ર એક જ દિવસમાં જોવા મળ્યો છે. કપાસિયા તેલમાં છેલ્લા 15 દિવસમાં ડબ્બે રૂપિયા 200 થી 225 રૂપિયા સુધીનો તોતિંગ વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પામોલીન તેલમાં 100 થી 150 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. પામોલીન તેલમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 60 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત પામોલીન તેલમાં ડ્યુટી આવવાની વાત હતી. તેના કારણે પણ પામોલીન તેલના સંગ્રાહખોરો દ્વારા માલની વેચવાની બંધ કરી દીધી હતી. તો બીજી તરફ સિંગતેલમાં જે આગ ઝરતી તેજી જોવા મળી હતી. તેના પર હવે બ્રેક લાગી રહી હોવાનું સામે આવ્યું છે.

વરસાદે વિરામ લેતા તેમજ ચોમાસુ પાક દરમિયાન મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં સારું થશે. તેવા આશાવાદના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સિંગતેલમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂપિયા 75નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ સીંગતેલનો નવો ડબ્બાનો ભાવ 2680 આસપાસ જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો નવો ડબ્બો હાલ 1900 રૂપિયા આસપાસ મળી રહ્યો છે. પામોલીન તેલનો નવો ડબ્બો હાલ 1750 થી 1760 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. સનફ્લાવર તેલનો નવો ડબ્બો ખાલી 1550 થી 1560 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે.

દિવાળી પહેલાં આભને આંબી ડુંગળીની કિમતો  

નવી દિલ્હીઃ દેશમાં પડેલા અનિયમિત વરસાદને કારણે સ્થાનિક બજારમાં શાકભાજીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ડુંગળીની કિંમતો છેલ્લા 20 દિવસોમાં ઝડપથી વધી રહી છે. દિલ્હીમાં એની સરેરાશ કિંમત રૂ. 60ની આસપાસ છે, જ્યારે અનેક રાજ્યોમાં એની મહત્તમ કિંમત પ્રતિ કિલો રૂ. 80 સુધી પહોંચી છે. સ્થાનિક બજારના વેપારીઓનું કહેવું છે કે ડુંગળી સપ્લાય ચેનમાં અને માગમાં વધારો થતાં કિંમતોમાં વધારો થયો છે.

છૂટક બજારમાં ડુંગળીની મહત્તમ કિંમત પ્રતિ કિલો રૂ. 80 છે, જ્યારે કેટલીક જગ્યાએ ડુંગળી રૂ. 27 પ્રતિ કિલો સુધી સસ્તા ભાવે વેચાઈ રહી છે. 10 સપ્ટેમ્બરે દેશમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત (ઓલ ઈન્ડિયા એવરેજ પ્રાઇસ) રૂ. 49.98 પ્રતિ કિલો હતી.

સ્થાનિક બજારમાં ડુંગળીની કિંમતો વધવા માંડતાં સરકારે ઊંચા ભાવને કાબૂમાં લેવા માટે લગભગ એક સપ્તાહ પહેલાં જ રાહત ભાવે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. આ અંતર્ગત લોકોને પ્રતિ કિલો રૂ. 35ની કિંમતે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકારે આ પહેલ પાંચ સપ્ટેમ્બરથી શરૂ કરી હતી. હાલમાં, દિલ્હી-NCR અને મુંબઈના લોકોને સબસિડીવાળા ભાવે સરકારી ડુંગળીનો લાભ મળી રહ્યો છે.

સરકારી સહકારી એજન્સી NCCF અને NAFED દ્વારા સસ્તા ભાવે ડુંગળી વેચવામાં આવી રહી છે. બંને સહકારી એજન્સીઓ મોબાઈલ વાન દ્વારા તેમના બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ કરી રહી છે. સહકારી એજન્સીઓ પાસે હાલમાં 4.7 લાખ ટન ડુંગળીનો સુરક્ષિત સ્ટોક છે. સરકારને આશા છે કે સહકારી એજન્સીઓ દ્વારા ડિસ્કાઉન્ટ ભાવે વેચવાથી ડુંગળીના ભાવને નિયંત્રિત કરવામાં મદદ મળી શકશે.

ગણેશ વિસર્જનમાં બની દુર્ઘટના, 10 ડૂબ્યા, 8ના મોત: સૂત્રો

ગુજરાતમાં હાલ ગણેશ મહોત્સવની ધૂમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના કેટલાક જિલ્લામાં ગણેશ મહોત્સવમાં અસામાજિક તત્વોએ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજું આજે ગાંધીનગરમાં ફરી એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જનની ઘટનામાં વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબી ગયાના અહેવાલ મળી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર 8 મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. અત્યારે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર મેશ્વો નદીમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી છે. ગણેશ વિસર્જન વખતે જ 10 જેટલાં લોકો પાણીમાં ડૂબી ગયા હતા અને તેમાંથી 8 યુવાનોનાં તો ઓન ધ સ્પોટ મોતના અહેવાલ મળી રહ્યા છે. વાસણા સોગઠી ગામે આ ઘટના બની હતી. જેના લીધે તહેવારની ઉજવણી અચાનક જ માતમમાં ફેરવાઈ ગઇ હતી.

નવરાત્રિ માટે આઈડી પ્રૂફ આપવું પડશે ફરજિયાત?

ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. હાલ રાજ્ય સહિત દેશમાં ગણેશ ચતુર્થીનો મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતનો સૌથી મોટા તહેવારો માનો એક નવરાત્રીનો મહોત્સ શરૂ થવાનો છે. નવરાત્રી દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને એ માટે શહેરના આયોજકો દ્વારા અત્યારથી તમામ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે.

રાજકોટમાં મોટા મોટા સમૂહો દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલાક ગરબા આયજકો દ્વારા નવરાત્રીમાં પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી અનુસાર રજકોટના સુપ્રસિદ્ધ નવરાત્રિ આયોજક સહિયર ગ્રુપના આયોજકો દ્વારા આ વર્ષે ટિકીટ સાથે પોતાનું આડી પ્રુફ બતાવવું ફરજિયાતનો નિર્ણય કર્યો છે. આ અગાઉ  રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાને લઈ આ વર્ષે તમામ સુરક્ષા પ્રબંધને લઈ વધુ તકેદારી રાખવામાં આવશે. આ અગાઉ પણ રાજકોટ સુરક્ષા બંદોબસ્તને લઈ ચર્ચામાં રહ્યું છે. આ અગાઉ 27 મેના રોજ રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો. જેમાં 27 માસુમ લોકોના જીવ હોમાયા હતા. આ ઉપરાંત આ ઘટના બાદ તંત્રની સજડ આંખ ખુલી હતી. સાતમ આઠમના મેળાને લઈ ને પણ તંત્રની કડકાય જોવા મળી હતી.

 રેપ-મર્ડર કેસઃ CBIને સંજય રોયનો નાર્કો ટેસ્ટ કરવાની કોર્ટની મંજૂરી

નવી દિલ્હીઃ CBI RG કર હોસ્પિટલના બળાત્કાર અને હત્યા કેસના આરોપી સંજય રાયનો આરજી કાર હોસ્પિટલમાં નાર્કો ટેસ્ટ કરાવશે. કોર્ટે આ મામલે CBIને મંજૂરી આપી દીધી છે. CBIએ આ સંબંધમાં જરૂરી પરવાનગી માટે સિયાલદહ કોર્ટમાં અરજી કરી હતી, આજે કોર્ટે સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દીધી છે.

આ ટેસ્ટ દ્વારા સીબીઆઈ એ જોવા માંગે છે કે નાર્કો અને પોલીગ્રાફમાં આરોપીએ જે કહ્યું છે તેમાં કોઈ મેળ છે કે કેમ. અધિકારીઓ આ ઘટનામાં સંજયની સંડોવણી વિશે ખાતરી કરવા માગે છે. એઇમ્સ અને નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ જ તેનું વિશ્લેષણ કરવામાં આવશે.

જાણો શું છે નાર્કો ટેસ્ટ

નાર્કો ટેસ્ટમાં વ્યક્તિને કેટલીક દવાઓ આપવામાં આવે છે, જેના પછી તે વ્યક્તિ આંશિક રીતે બેભાન અવસ્થામાં જાય છે. આ પછી વ્યક્તિ પાસેથી છુપાયેલી માહિતી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા તે લોકો પર અજમાવવામાં આવે છે જેઓ નિયમિત પૂછપરછ દરમિયાન સહકાર આપવા તૈયાર નથી. જટિલ કેસોને ઉકેલવા અને મહત્વપૂર્ણ કડીઓ બહાર કાઢવા માટે નારકોએનાલિસિસ ટેસ્ટ કરવામાં આવે છે.

આ મામલાને લઈને સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે સંજય કેટલાક મહત્ત્વપૂર્ણ તથ્યો છુપાવી રહ્યો છે, જે પોલિગ્રાફ ટેસ્ટમાં બહાર આવ્યા છે, તેથી નાર્કો પણ જરૂરી છે, પરંતુ કોર્ટે તેની પરવાનગી આપી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ CBIના અધિકારીઓ આ ઘટનામાં સંજયની સંડોવણી વિશે ખાતરી કરવા માગે છે. જોકે, એઈમ્સ અને નિષ્ણાતોના અભિપ્રાયને જાણ્યા પછી જ તેનું વિશ્લેષણ કરવામાં આવશે.