
રાશિ ભવિષ્ય 09/09/2024 થી 15/09/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમાં ધ્યાન ઓછું અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે. તમને તમારા કામમા રૂચી ઓછી જણાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણાં અને સમયનો વ્યય થઈ શકે છે. સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે. આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે. બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવું યોગ્ય છે.
સંતાન બાબત અને પ્રેમસંબંધમાં કઈક નવીનતા બની શકે છે. લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે. જુના મિત્રવર્તુળ સાથે મિલન-મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો. તમારૂ પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ-સહકાર મળે. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાંય લાભ થાય તેવું પણ બની શકે છે .
નોકરી, ધંધામાં ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે. તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાની-નાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય. તમારા કામકાજમાં અન્યનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે. બજારના કામકાજમાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામ પર પડી શકે છે.
અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે. ઘર કે કુટુંબમાં ભાઈબહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે. લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે. નોકરીમાં કામનું વધુ ભારણ કે અણગમતું કામ કરવાથી માનસિક અશાંતિમાં વધારો થાય. બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.
પરિસ્થિતિમાં ધીમેધીમે સુધારો થતો જોવા મળે. ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે. મુસાફરી થઈ શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યાએ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમાં થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય. બજારના કામકાજમાં અપેક્ષા મુજબ કામ થોડું ઓછું થાય. જુના અટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમાં પણ થોડી ચળવળ થતી જોવા મળે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય. આરોગ્ય બાબતમાં બેદરકાર ના બનાય તેનું ધ્યાન રાખવું.
તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો. સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને કોઈક નવીન કામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાંકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે. તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકો છો. તમારા કામની સારી નોંધ પણ લેવાય. કોઈ જૂની વાત કે કામ ક્યાંય અટકેલુ હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવું યોગ્ય છે.
તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે. તેમાં તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો. મિત્રો કે સગાસ્નેહી સાથે મિલન-મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મહેનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. બજારમાં નાનુ અને આયોજનપૂર્વકનું જ કામ કરવું સારું. લગ્ન બાબતની વાતચીત કે મિલન-મુલાકાતમાં વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.
કામની બાબતમાં થોડું અધીરાપણુ વધુ જોવા મળે. તમારા કામકાજમાં તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે. ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય. તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવી દો. બજારના કામકાજમાં તમને નિર્ણય શક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપૂર્વક જ કામ કરવું જોઈએ.
તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય. તમારી લાગણીની કદર થાય. કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે. લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે. બજારના કામકાજમાં તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાની-નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે. ક્યાંકથી આકસ્મિક નાણાંકીય કે કોઈ બાબતે ખુશ થવાય તેવો લાભ પણ થઈ શકે છે. કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે. તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે. તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે. બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે. તમારા કામકાજમાં અન્યનો સારો સાથ-સહકાર મળી શકે છે. તમારા ધારેલા કામમાં તમે ગણતરી અને મહેનત કરો તો સારું ફળ મળી શકે છે. લગ્નની માટેની વાતચીત ક્યાંય ચાલતી હોય તો સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે. પ્રવાસ પણ ઉત્સાહપૂર્વકનો રહે. મિત્રવર્તુળ સાથે કોઈ નવીન વાતની આપ-લે પણ થઇ શકે છે. બજારના કામકાજમાં તમને કઈ સારું કરવાની લાગણી જન્મી શકે છે. આયોજનપૂર્વક કામ કરો તો લાભ પણ થઈ શકે છે.
રાશિ ભવિષ્ય 09/09/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.
આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો સારો ઉપયોગ કરી શકો.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
સારા હેતુઓ વિશ્વનો નાશ કરી શકે છે
વિશ્વમાં તમે જે કંઈપણ કરો, તે તમે ખરેખર જે છો, તેનું પ્રતિબિંબ માત્ર છે. તમે મહાન હેતુ ધરાવતાં હોઈ શકો, પણ મૂળભૂત રીતે તમે જે પણ કરો છો, તે, વાસ્તવમાં અંદરથી તમે કોણ છો, તે વ્યક્ત કરે છે. માનવ જાતિ પર લાદવામાં આવેલાં મોટાભાગનાં કષ્ટ અને પીડા ખરાબ હેતુઓથી નહીં, બલ્કે સારા હેતુઓ થકી જ આવ્યાં છે. આ પૃથ્વી પર મોટાભાગનાં સંહાર અને કત્લેઆમ ફક્ત સારા હેતુથી થયાં છે.

જો તમે વિશ્વ તરફ નજર નાંખશો, તો જોશો કે લડાઈ સારા અને ખરાબ વચ્ચે નથી. હંમેશા સારા લોકો પરસ્પર લડાઈ કરે છે. જે માણસ પર આતંકવાદીનું લેબલ લાગેલું છે, તે વિચારે છે કે તે બહુ સારો છે. તે પોતાને જેટલો વધારે સારો માને છે, તેટલો તે આપણા માટે વધારે ભયાનક બનતો જાય છે. એ ખરાબ લોકો નથી જેઓ પરસ્પર ઝખડે છે, તે હંમેશા સારા હેતુ સાથેના સારા માણસો હોય છે, જેઓ લડે છે. લાખો લોકોને રહેંસી નાંખનારા જેહાદીઓએ પણ સારા હેતુથી જ આમ કર્યું હતું. આ પૃથ્વી પર પારાવાર દુઃખ અને પીડાનું નિમિત્ત બનનારો હિટલર સુદ્ધાં સારો હેતુ ધરાવતો હતો. તે વિશિષ્ટ વિશ્વનું સર્જન કરવા માંગતો હતો. કેવો મહાન હેતુ!

તમે અજ્ઞાનતામાં જે કંઈપણ કરો છો, પછી તે પાછળનો હેતુ સારો હોય, (તો પણ) તેનાથી તમને અને તમારી આસપાસના વિશ્વને હાનિ પહોંચશે. આજે, આપણે પ્રસન્નતા મેળવવા માટે એટલા તત્પર બન્યાં છીએ કે પૃથ્વી પરનું જીવન જોખમાયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જાતિ માટે એક મહાન વરદાન બની શક્યાં હોત, પરંતુ તેને સ્થાને આપણે આ પૃથ્વીને એ સ્થિતિ પર લાવી મૂકી છે, જ્યાં આપણે વૈશ્વિક આત્મહત્યા તરફ દોરવાઈ શકીએ છીએ. આપણે ઘણી બધી રીતે એ સ્થિતિ પર આવી પહોંચ્યાં છીએ અને તે પણ સારા હેતુ સાથે. છેલ્લાં સો વર્ષોમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આ પૃથ્વી પર ઘણું બધું થઈ ચૂક્યું છે. હાલના યુગમાં એટલી બધી સુવિધાઓ વિકસી ચૂકી છે કે આજથી સો વર્ષ પહેલાં રાજવીઓ પણ તેની કલ્પના નહોતા કરી શકતા. તેમ છતાં, આજનો માનવ સમુદાય આજથી સો વર્ષ પહેલાંની માનવ જાતિ કરતાં વધુ પ્રસન્ન કે શાંતિપૂર્ણ નથી.
મૂળભૂત રીતે, દરેક માનવીએ સૌપ્રથમ પોતાના પર ધ્યાન આપવાની જરૂર હોય છે. દરેક માનવીની પ્રથમ અને સૌથી મહત્વની જવાબદારી તેની આંતરિકતા પસંદ કરીને આનંદિત વ્યક્તિ બનવાની હોવી જોઈએ. જ્યારે તમે ખુશ હોવ, ત્યારે તમે ઘણા જ ઉદાર વ્યક્તિ હોવ છો, ખરૂંને? જ્યારે તમે ખુશ ન હોવ, ત્યારે તમે જોખમી વ્યક્તિ બની જાઓ છો. આથી, પ્રથમ અને સૌથી જરૂરી જવાબદારી સ્વયંને આનંદિત વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરવાની છે.

જો આમ ન થાય, તો સારા ઉદ્દેશો સાથે આપણે આ પૃથ્વી પર ભારે પીડા ઊભી કરીશું, જે આજે થઈ રહ્યું છે. જો તમે એ ન જાણતા હોવ કે, તમારા સ્વયંના શરીર, દિમાગ કે સંવેદનાઓનું સંચાલન શી રીતે કરવું, તો પછી તમે વિશ્વનું સંચાલન કેવી રીતે કરી શકો? જો તમે એ ન જાણતા હોવ કે સ્વયંની કાળજી કેવી રીતે લેવી, તો નિઃશંકપણે તમે એ નહીં જાણો કે વિશ્વની કાળજી કેવી રીતે લેવી. આથી, દરેક વ્યક્તિની પ્રથમ અને જરૂરી જવાબદારી પોતાના અંતરને સ્થિર કરવાની અને તમારી પોતાની પ્રકૃતિ દ્વારા આનંદિત બનવાની છે. એક વાર વ્યક્તિ આનંદિત બની જાય, પછી તે વિશ્વમાં ફક્ત આનંદનો જ પ્રસાર કરશે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
IND vs BAN: પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ 8 સપ્ટેમ્બર, રવિવારના રોજ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેની કમાન રોહિત શર્મા સંભાળશે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, વિકેટકીપર ઋષભ પંત અને તોફાની ઝડપી બોલર જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. કેએલ રાહુલની પણ ટીમમાં વાપસી થઈ છે, જ્યારે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલને પ્રથમ વખત ટીમ ઈન્ડિયા તરફથી કોલ મળ્યો છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
🚨 NEWS 🚨- Team India’s squad for the 1st Test of the IDFC FIRST Bank Test series against Bangladesh announced.
Rohit Sharma (C), Yashasvi Jaiswal, Shubman Gill, Virat Kohli, KL Rahul, Sarfaraz Khan, Rishabh Pant (WK), Dhruv Jurel (WK), R Ashwin, R Jadeja, Axar Patel, Kuldeep… pic.twitter.com/pQn7Ll7k3X
— BCCI (@BCCI) September 8, 2024
ટીમ ઈન્ડિયા માર્ચ 2024 પછી પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહી છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. તે તેના બીજા બાળકના જન્મ માટે તેના પરિવાર સાથે હતો. ત્યારબાદ તે તમામ પાંચ ટેસ્ટમાંથી બહાર હતો પરંતુ હવે તે ટીમમાં વાપસી કરી રહ્યો છે. કોહલીની સાથે, સૌથી વધુ ઉત્સુકતા ઋષભ પંત વિશે હતી, જે ડિસેમ્બર 2022 પછી પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમશે. માર્ગ અકસ્માતમાંથી સાજા થયા બાદ પંત માત્ર 3 દિવસ પહેલા જ દુલીપ ટ્રોફીમાં રેડ બોલ ક્રિકેટમાં પરત ફર્યો હતો. જોગાનુજોગ, પંતની છેલ્લી ટેસ્ટ પણ 21 મહિના પહેલા બાંગ્લાદેશ સામે હતી.
પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત સિરરાજ, મોહમ્મદ બુમરાહ. , આકાશ દીપ અને યશ દયાલ
સુરતના લાલ ગેટ વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો
સુરતના લાલગેટ વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી ઘટના સામે આવી છે. અહીં સ્થિત ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આરોપી તોફાની યુવાન છે. યુવકે ગણપતિ મંડપ પર પથ્થર ફેંક્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ સ્થાનિક હિંદુ સમુદાયમાં રોષ ફેલાયો હતો અને હજારો લોકો સૈયદપુરા પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
#सूरत के वरियाली बाजार सयदपुरा इलाके में कुछ विधर्मी लोगो द्वारा गणेश पंडाल पर #पत्थर_बाजी की गई है जिससे लोगों में बहुत #आक्रोश है आरोपीयो पर #बुलडोजर एक्शन की मांग की जा रही है..😡😡#suratnews @highlight #surat #buldojar #ganeshpandal #bajrangsena #suratcity pic.twitter.com/kdtv0d2xRK
— Amitesh chaurasiya (@Amiteshchaura11) September 8, 2024
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લઘુમતી સમુદાયના એક યુવક પર પથ્થર ફેંકવાનો આરોપ છે. આ ઘટનાના વિરોધમાં સ્થાનિક લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ પણ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ભારે પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું છે, અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખવા માટે સતર્ક છે.
પાકિસ્તાનમાં ફરી સ્થિતિ વણસી
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે મજૂરો પર ટીયર ગેસના સેલ છોડ્યા અને ગોળીબાર પણ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો જેમાં પોલીસ અધિકારીઓ સહિત 8 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. એસએસપી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
In #Pakistan, Imran Khan’s party #PTI organized a huge rally near #Islamabad for the release of its leader. #ImranKhan pic.twitter.com/XfIt7rqHFN
— Saif Ali Khan (@saifalikhan067) September 8, 2024
ઈસ્લામાબાદના ડેપ્યુટી કમિશનરે તહરીક-એ-ઈન્સાફના આયોજકોને કોઈ પણ સંજોગોમાં રેલી સમાપ્ત કરવા કહ્યું હતું. જે બાદ સ્થિતિ વણસી અને પથ્થરમારો શરૂ થયો. જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર શરૂ કર્યો હતો. આ અથડામણમાં ઘણા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ રેલી ઈમરાન ખાનની મુક્તિ માટે હતી
વાસ્તવમાં, પાર્ટીએ ગત ઓગસ્ટથી જેલમાં બંધ ઈમરાનની મુક્તિ માટે સમર્થન મેળવવા માટે આજે રેલી યોજી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેલી માટે પીટીઆઈને સાંજે 7 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ સંદર્ભે જલસા આયોજકોને વિધિવત જાણ કરવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે એનઓસીની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રેલીમાં ઈમરાનના સમર્થકોની ભારે ભીડ ઉમટી પડી હતી.
ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં 29 મેડલ જીત્યા… ટોક્યોનો રેકોર્ડ તોડ્યો
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતની સફર સમાપ્ત થઈ ગઈ છે. 8 સપ્ટેમ્બરે પૂજા ઓઝા કેનો સ્પ્રિન્ટમાં મહિલાઓની KL1 200m ફાઇનલમાં ક્વોલિફાય કરી શકી ન હતી. વર્તમાન ગેમ્સમાં ભારતની આ છેલ્લી ઈવેન્ટ હતી. જો જોવામાં આવે તો પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ વખતે ભારતે રેકોર્ડ 29 મેડલ જીત્યા છે. જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ભારત 18માં નંબર પર છે. ભારતે સ્વિટ્ઝર્લેન્ડ, દક્ષિણ કોરિયા, બેલ્જિયમ અને આર્જેન્ટિના જેવા દેશોને મેડલ ટેલીમાં પાછળ છોડી દીધા છે.
Etching their names in history! 🙌🏻
Congratulations to all the gold medal winners at the #ParalympicGamesParis2024. 🥇#ParalympicsOnJioCinema #JioCinemaSports #Paris2024 #Javelin #Paris2024 pic.twitter.com/qQmm9GfIKn
— JioCinema (@JioCinema) September 8, 2024
ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે અને અગાઉના રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. આ અગાઉ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ટોક્યોમાં થયું હતું. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ભારતે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ત્યારબાદ ભારતે કુલ 19 મેડલ સાથે 24મું સ્થાન મેળવ્યું હતું.

આ વખતે ભારતે એથ્લેટિક્સમાં સૌથી વધુ 17 મેડલ જીત્યા, જેમાં ચાર ગોલ્ડનો સમાવેશ થાય છે. આ પછી પેરા બેડમિન્ટન બીજા ક્રમે આવી, જેમાં ભારતે એક ગોલ્ડ સહિત 5 મેડલ જીત્યા. જ્યારે પેરાશૂટિંગમાં ભારતે એક ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા. બીજી તરફ ભારતે પેરા તીરંદાજીમાં એક ગોલ્ડ અને પેરા જુડોમાં 1 બ્રોન્ઝ મેડલ સહિત 2 મેડલ જીત્યા હતા. ભારતે પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં આટલા ગોલ્ડ મેડલ જીત્યા છે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

જો જોવામાં આવે તો 1968 થી 2016 સુધીમાં ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં માત્ર 12 મેડલ જીત્યા હતા. પરંતુ ભારતે હવે છેલ્લી બે પેરાલિમ્પિક ગેમ્સમાં તેના કરતાં ચાર ગણા વધુ મેડલ જીત્યા છે. ભારતે ટોક્યોમાં 19 અને પેરિસમાં 29 મેડલ જીત્યા છે, જેની કુલ સંખ્યા 48 છે. પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતની આ લાંબી ઉડાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પેરા એથ્લેટ મુરલીકાંત પેટકરે 1972માં પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ જીતાડ્યો હતો. મુરલીકાંત પેટકર એ જ ખેલાડી છે જેમના જીવન પર ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ પણ તાજેતરમાં રિલીઝ થઈ હતી. શૂટર અવની લેખારાએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનો પહેલો મેડલ જીત્યો હતો, જે ગોલ્ડ મેડલ હતો. આ પછી નિતેશ કુમાર (બેડમિન્ટન), સુમિત એન્ટિલ (એથ્લેટિક્સ), હરવિંદર સિંહ (એથ્લેટિક્સ), ધરમબીર (એથ્લેટિક્સ), પ્રવીણ કુમાર (એથ્લેટિક્સ) અને નવદીપ સિંહ (એથ્લેટિક્સ) પણ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ
1. અવની લેખરા (શૂટિંગ) – ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
2. મોના અગ્રવાલ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
3. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 100 મીટર રેસ (T35)
4. મનીષ નરવાલ (શૂટિંગ) – સિલ્વર મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)
5. રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)
6. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર રેસ (T35)
7. નિષાદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T47)
8. યોગેશ કથુનિયા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ડિસ્કસ થ્રો (F56)
9. નીતિશ કુમાર (બેડમિન્ટન) – ગોલ્ડ મેડલ, મેન્સ સિંગલ્સ (SL3)
10. મનીષા રામદાસ (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SU5)
11. તુલાસિમાથી મુરુગેસન (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મહિલા સિંગલ્સ (SU5)
12. સુહાસ એલ યથિરાજ (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મેન્સ સિંગલ્સ (SL4)
13. શીતલ દેવી-રાકેશ કુમાર (તીરંદાજી) – બ્રોન્ઝ મેડલ, મિશ્ર કમ્પાઉન્ડ ઓપન
14. સુમિત એન્ટિલ (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F64 કેટેગરી)
15. નિત્યા શ્રી સિવાન (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SH6)
16. દીપ્તિ જીવનજી (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 400 મીટર (T20)
17. મરિયપ્પન થાંગાવેલુ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)
18. શરદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)
19. અજીત સિંહ (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)
20. સુંદર સિંહ ગુર્જર (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)
21. સચિન સર્જેરાવ ખિલારી (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ શોટ પુટ (F46)
22. હરવિન્દર સિંઘ (તીરંદાજી) – ગોલ્ડ મેડલ, પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન
23. ધરમબીર (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)
24. પ્રણવ સુરમા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)
25. કપિલ પરમાર (જુડો) – બ્રોન્ઝ મેડલ, મેન્સ 60 કિગ્રા (J1)
26. પ્રવીણ કુમાર (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T44)
27. હોકુટો હોટોજે સેમા (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ શોટ પુટ (F57)
28. સિમરન શર્મા (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર (T12)
29. નવદીપ સિંહ (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F41)


