વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ બાદ સિંગાપુર પહોંચી ગયા છે. પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર પહોંચ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે સિંગાપોરમાં સરકાર બદલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડાપ્રધાન પદ સંભાળ્યું છે. પીએમ મોદીની સિંગાપોર મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે મહત્વપૂર્ણ છે. આ પહેલા પીએમ મોદીએ બ્રુનેઈના વડાપ્રધાન અને સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે મુલાકાત કરી હતી.
The culture of #Maharashtra and the melodious sound of the Dhol could not stop@narendramodi
ji from playing the dhol. He plays the Dhol perfectly without missing a single beat. #Singapore #ganpati #PMModi #ModiInSingapore @BJP4Gujarat @sanghaviharsh @BJP4India pic.twitter.com/6JZLHgq4Aj— joshi paras prem (news updated) (@joshiparasprem) September 4, 2024
પીએમ મોદી જેવો જ સિંગાપુરમાં તેમની હોટલ પહોંચ્યા. ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. ભારતીય મૂળની મહિલાઓએ પણ પીએમ મોદીને રાખડી બાંધી હતી. આ દરમિયાન લોકોમાં અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય સમુદાયના લોકોનો ઉત્સાહ જોઈને પીએમ મોદીએ પોતે ઢોલ વગાડ્યો હતો. આ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરયા’ ના જયઘોષ કરવામાં આવ્યો હતો.
પીએમ મોદીની એક ઝલક જોવા અને તેમની સાથે હાથ મિલાવવા માટે મોટી સંખ્યામાં આવેલા ભારતીય સમુદાયના લોકો વચ્ચે સ્પર્ધા ચાલી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સિંગાપોરના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને જ નહીં પરંતુ બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે.
ભારત માટે સિંગાપોર કેમ મહત્વનું છે?
હાલમાં ભારતનો સંપૂર્ણ ભાર એક્ટ ઈસ્ટ પોલિસી પર છે. ભારતે નવેમ્બર 2014માં 12મી આસિયાન-ઈન્ડિયા સમિટ દરમિયાન આ નીતિની શરૂઆત કરી હતી. આ નીતિનો ઉદ્દેશ હિંદ મહાસાગરમાં વધતી જતી દરિયાઈ ક્ષમતાનો સામનો કરવાનો અને દક્ષિણ ચીન સમુદ્ર અને હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક ભાગીદારી બનાવવાનો છે.
ચીન સાઉથ ચાઈના સીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા સતત પ્રયાસ કરી રહ્યું છે. આ કારણે ચીન ઘણા દેશો સાથે સતત વિવાદમાં છે. ચીન દક્ષિણ ચીન સાગરના કેટલાક ભાગો પર પોતાનો દાવો કરે છે, જેના કારણે પ્રાદેશિક સ્તરે શાંતિ પ્રભાવિત થઈ છે. આવી સ્થિતિમાં ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ પીએમ મોદીની બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.





રાહત કમિશનર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનના અહેવાલ અંગે જણાવ્યું કે, “રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન (25 થી 30 ઓગસ્ટ) 30 ટકા જેટલો વરસાદ 14 જિલ્લા પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદથી અસર પામેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી છે.”
આલોકકુમાર પાંડેએ વધુમાં જણાવ્યું કે, “વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લામાં કુલ 1120 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં 3 સપ્ટેમ્બર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ્સ ચૂકવવામાં આવી છે, જેમાં 5 હજાર લોકોને તાત્કાલિક કેશડોલ્સ ચૂકવાઈ હતી.”
મળતી માહિતી અનુસાર ગુજરાત સહિત ઉપરવાસમાં સારા વરસાદના પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 2,88,248 એમ.સી.એફ.ટી. એટલે કે, કુલ સંગ્રહ શક્તિના 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે બીજી બાજુ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,40,773 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે આજના આંકડા પ્રમાણે સરદાર સરોવર ડેમમાં 2.35 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.










