રોબર્ટ વાડ્રાએ કંગના રનૌત પર શાબ્દિક હુમલો કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ બીજેપી સાંસદ કંગના રનૌત પર જોરદાર નિશાન સાધ્યું છે. રોબર્ટ વાડ્રાએ ખેડૂતો વિરુદ્ધ કંગનાની ટિપ્પણીની ટીકા કરી છે.

કંગના સંસદમાં રહેવા માટે યોગ્ય નથી
રોબર્ટ વાડ્રાએ કહ્યું કે કંગના રનૌત એક મહિલા છે અને હું તેનું સન્માન કરું છું, પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવાને લાયક નથી. તેણી શિક્ષિત નથી. મને લાગે છે કે તે લોકો વિશે વિચારતી નથી. તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે.
સ્ત્રીઓ વિશે વિચારો કંગના
રોબર્ટ વાડ્રાએ વધુમાં કહ્યું કે કંગનાએ મહિલાઓ વિશે વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે મારી અપીલ છે કે સમગ્ર દેશ એક સાથે આવે અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે આગળ વધે. મહિલાઓની સુરક્ષાને સૌથી મહત્વનો મુદ્દો ગણાવતા તેમણે કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ તેને ઉકેલવા માટે સાથે આવવું જોઈએ.
કંગનાએ ખેડૂતોના આંદોલન પર વાત કરી હતી
હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ કંગના રનૌતે સોમવારે એક ઇન્ટરવ્યુ ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે રદ્દ કરાયેલા કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન ભારતમાં “બાંગ્લાદેશ જેવી સ્થિતિ” ઊભી થઈ શકે એમ હતી. પરંતુ દેશના મજબૂત નેતૃત્વથી એવું થયું નહીં.
ત્યારબાદ તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતોના આંદોલન દરમિયાન “મૃતદેહ લટકાવવામાં આવ્યા હતા અને બળાત્કાર થઈ રહ્યા હતા”. રનૌતે ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ પર “ષડયંત્ર”માં સામેલ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, જેની વિરોધ પક્ષોએ ટીકા કરી હતી.




અમદાવાદમાં ખરાબ રસ્તાની બાબત હોય,રખડતા પશુઓની સમસ્યા હોય કે પછી ટ્રાફિક વિષયની બાબત હોય. આ પ્રકારની તમામ બાબતોને લઈ ગુજરાત હાઈકોર્ટ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓને કડક કાર્યવાહી કરવા વખતોવખત આદેશ આપેલા છે. આમ છતાં હાલમાં પણ રખડતા ઢોર, ટ્રાફિકની સમસ્યા, રોડ ઉપર પડેલા ખાડા જેવી અન્ય બાબતને લઈ શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ,મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધીશો દ્વારા કરવામાં આવતા મનસ્વી વહીવટના કારણે પ્રાથમિક સુવિધાનું સ્તર સતત કથળતું રહ્યું છે. શહેરીજનોને રોડ,ગટર તથા પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરવી પડી છે. શહેરીજનો નિયમિત રીતે તમામ કરવેરા ભરતા હોવાછતાં તંત્ર કે શાસકપક્ષ સારી પ્રાથમિક સુવિધા આપવા મામલે પણ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યુ છે.



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે ગુજરાતમાં આવવા હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. 16મી સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે તેઓ ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. એટલું જ નહીં તેમના જન્મદિવસે નિમિત્તે બીજા કેટલાક કાર્યક્રમો પણ સામેલ થાય તેવી વાત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ તે દિવસે જ કરવામાં આવે તેવું પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બર રાતે અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બર મોડીરાતે તેઓ પરત ફરશે તેવું જાણવા મળી રહ્યું છે.પ્રધાનમંત્રીના બીજા કેટલાક કાર્યક્રમો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પીએમ કાર્યાલયમાંથી થશે તેવું ગાંધીનગરના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.



ગયા પછી ઉમેરવામાં આવ્યું હતું. અંકિત જ્યારે ગાયક- સંગીતકાર બનવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે એણે ‘સુન રહા હૈ ના તૂ? રો રહા હૂં મેં’ શબ્દો લખી ધૂન બનાવી હતી. અને એને જ ગણગણતો રહેતો હતો. વળી એમાં પોતે રડે છે એવું બે વખત બોલે તો સારું ના લાગે એટલે બીજી વખત ‘ક્યૂં રો રહા હૂં મેં’ શબ્દો લખ્યા. એણે પ્રેમિકા માટે નહીં પણ ભગવાનને પોતાની જિંદગીની પરિસ્થિતિ જણાવવા લખ્યું હતું.
