Home Blog Page 1527

રાશિ ભવિષ્ય 31/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ ,કાનૂની,નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે.  અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

પંચાંગ 31/08/2024

‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’! પૂર્વ ધારાસભ્યએ કર્યા 60 વર્ષે બીજી લગ્ન..

‘ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન.’ આવો જ એક કિસ્સો દક્ષિણ ગુજરાતમાં બન્યો છે. રાજ્યના એક પૂર્વ ધારાસભ્ય 60 વર્ષની ઉંમરે બીજી વખત લગ્નગ્રંથિમાં જોડાયા છે.

હકીકતમાં વલસાડના ધરમપુર વિધાનસભાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ 60 વર્ષે બીજી વખત લગ્નગ્રંથિમાં જોડાયા છે. ઈશ્વરભાઈ પટેલે વલસાડના અટગામ કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન નામના એક મહિલા સાથે કોર્ટ લગ્ન કર્યા છે.

ઈશ્વરભાઈ અને ઓપીનાબેને તેમના પરિવારજનોની હાજરીમાં વાંસદાની કોર્ટમાં કોર્ટ મેરેજ કરી અને વાંસદા રામજી મંદિરમાં ભગવાનની સાક્ષીએ એકબીજાના જીવનસાથી બનવાના કોલ આપ્યા હતા. નોંધનીય છે કે,  ઈશ્વરભાઈ પટેલ વર્ષો પહેલા ધરમપુરમાં અને આસપાસના વિસ્તારમાં આદિવાસી માટે જાણીતો ચહેરો હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર જીતી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. બાદમાં તેઓ કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા.

એમના પ્રથમ પત્નીનું વર્ષો અગાઉ અવસાન થઈ ચૂક્યું હતું. આથી ત્યારથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા. જોકે હવે ઉંમરની ઢળતી સંધ્યાએ જીવનની એકલતા દૂર કરવા જીવનસાથીની જરૂર જણાતા પોતાની પસંદગીના અટગામના કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન સાથે જીવનની બીજી ઇનિંગની શરૂઆત કરી છે.

ઈશ્વરભાઈએ એમના આ બીજી વખત લગ્ન કરવાના વિષય પર સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરી હતી. એમના મત પ્રમાણે તેઓ પ્રથમ પત્નીના અવસાન બાદ વર્ષો સુધી એકલવાયું જીવન જીવતા હતા. જોકે હવે એમને જીવનસાથીનો ખાલીપો દૂર કરવા જીવનસાથીની જરૂર જણાતા બીજા લગ્ન કર્યા જોકે સોશિયલ મીડિયામાં પૂર્વ ધારાસભ્યના પુનઃલગ્ન ચર્ચાનો મુદ્દો છે.

શનિવારે ટોરેન્ટ ગ્રૂપ સાથે AMA ફાઉન્ડેશન દિવસની ઉજવણી

અમદાવાદ: શનિવારે “એએમએના (અટીરા કેમ્પસ) ફાઉન્ડેશન ડેના સેલિબ્રેશન”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઓગસ્ટ ૩૧, ૨૦૨૪ના રોજ સાંજે ૬:૦૦થી ૮:૦૦ વાગ્યા સુધી યોજાવાનો છે. એ.એમ.એ. મેનેજમેન્ટ કોમ્પ્લેક્સના સ્થાપનાની ગૌરવપૂર્ણ ક્ષણોની યાદમાં અને સ્વ. યુ. એન. મહેતાના ઉદાર યોગદાન માટે સન્માનિત કરવા માટે એએમએ દ્રારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ટોરેન્ટ પાવર લિ.ના ડાયરેક્ટર વરુણ મહેતા મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં જોડાશે. આ પ્રસંગે ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક અને ચેરમેન સ્વ. યુ.એન. મહેતાના જીવન અને વારસાને દર્શાવતા ડોક્યુડ્રામાને દર્શાવવામાં આવશે. આ ફિલ્મ તેમની નોંધપાત્ર સફર અને ઉદ્યોગો  પર કાયમી અસરની પ્રેરણાદાયી ઝલક આપે છે.

આ કાર્યક્રમ ઓપન ફોર ઓલ છે. તેમાં જોડાવા દરેક વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યુંછે. વધુ વિગતો માટે તેમે એ.એમ.એની વેબસાઇટ www.amaindia.orgની મુલાકાત લઈ શકો છો.

PMના કાર્યક્રમને લઈ અમદાવાદ-મુંબઇ હાઇવે પર 10 KM સુધી ચક્કાજામ

મુંબઈ અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા છે. મહારાષ્ટ્રના પાલઘરમાં દેશના વડાપ્રધાનના કાર્યક્રમને લઇ ગઇકાલથી અમદાવાદ-મુંબઇ હાઇવે પર આજે રાત્રે 8 વાગ્યા સુધી ભારે વાહનોના આવાગમન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આજે વાપી-ભિલાડ હાઇવે પર લગભગ 10 કિ.મી. સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. જિલ્લા પોલીસે ટ્રાફિકના નિયમન માટે હાઇવે પર આવેલી હોટલના પાર્કિંગ અને ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરાવ્યા હતા. નાના વાહનની અવરજવર ચાલુ રહી હતી.

હાઈવે પર લગભગ 10 કિ.મી. સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. લાંબા ટ્રાફિક જામના પગલે પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું. પોલીસે હાઇવે પરથી ભારે વાહનોને હોટલના પાર્કિંગ તથા અન્ય ખુલ્લી જગ્યામાં પાર્ક કરાવ્યા હતા. જો કે નાના વાહનોની અવરજવર ચાલું રહી હતી. પોલીસ કર્મચારીઓએ ટ્રાફિકજામમાં ફસાયેલા ચાલક અને કલીનરોને ફુડ પેકેટ અને પાણીનું વિતરણ પણ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે આ ટ્રાફિકજામ મુંબઈના પાલઘરમાં PM મોદીના કાર્યક્રમને લઈ થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલા સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.”

અદાણી પોર્ટ્સે એસ્ટ્રો ઓફ્ફોશોરમાં 80 ટકા હિસ્સો હસ્તગત કર્યો

અમદાવાદઃ અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ગ્લોબલ ઓફ્ફશોર સપોર્ટ વેસેલ (OSV) ઓપરેટર એસ્ટ્રોમાં 80 ટકા હિસ્સો ખરીદ્યો છે. જ્યારે હાલના પ્રમોટરોનો એમાં 20 ટકા હિસ્સો રહેશે. કંપનીએ આ સોદો 18.5 કરોડ ડોલરમાં કર્યો છે. જોકે એસ્ટ્રો હસ્તાંતરણ 23.5 કરોડ ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર થયો છે. કંપનીનું કહેવું છે કે આ સોદાથી પહેલા વર્ષથી જ એ મૂલ્યવૃદ્ધિ કરનારો સાબિત થાય એવી શક્યતા છે. 30 એપ્રિલ, 2024એ પૂરા થતા નાણાકીય વર્ષ માટે એસ્ટ્રોએ 95 મિલિયન ડોલરની આવક અને 41 મિલિયન ડોલરનો EBITDA નોંધાવ્યો હતો.

એસ્ટ્રો વર્ષ 2009માં શરૂ થઈ હતી, જે મધ્ય-પૂર્વ, ભારત, ઇસ્ટ એશિયા અને આફ્રિકામાં એક અગ્રણી વૈશ્વિક OSV ઓપરેટર છે. કંપની પાસે 26 OSVની વેસલ છે, જેમાં એન્કર હેન્ડલિંગ ટગ્સ (AHT), ફ્લેટ ટોપ બાર્જ, મલ્ટિપર્પઝ સપોર્ટ વેસલ્સ (MPSV) અને વર્કબોટ સામેલ છે અને એ વેસેલ મેનેજમેન્ટ અને કોમ્પ્લિમેન્ટરી સર્વિસિસ આપે છે.

APSEZના સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને CEO અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે એસ્ટ્રોના હસ્તગતથી વિશ્વના સૌથી મોટા સમુદ્રી ઓપરેટર્સમાંથી એક બનવાનો અમારા રોડમેપનો ભાગ છે. એસ્ટ્રો અમારા 142 ટગ અને ડ્રેજરના હાલની વેસલ્સમાં 26 OSV ઉમેરી દેશે, જેનાથી એની સંખ્યા 168એ પહોંચશે. આ હસ્તાંતરણ અમને આરબની ખાડી, ભારતીય મહાદ્વીપ અને પૂર્વ એશિયામાં અમને મજબૂત કરતાં ટિયર-1 ગ્રાહકોની એક અસરકારક યાદી સુધી પહોંચ આપશે.

એસ્ટ્રોના મોટા ગ્રાહકોમાં NMDC, મેકડરમોટ, COOEC, લાર્સન એન્ડ ટુબ્રો અને સેપેમ સામેલ છે. કંપની ઓફ્ફશોર ફેબ્રિકેશન અને કન્સ્ટ્રક્શનમાં  અને ઓફ્ફશોર ટ્રાન્સપોર્ટેશન માર્કેટ્સમાં એક મોટી ખેલાડી છે.

 

પેરા ઓલિમ્પિકમાં ભારતનું દમદાર પ્રદર્શન, દેશને મળ્યું ચોથું મેડલ

પેરિસ પેરાલિમ્પિક્સ 2024નો આજે બીજો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. દેશને ચોથો મેડલ મળ્યો છે. મનીષ નરવાલે 10 મીટર મેન્સ એર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ આ જ ઈવેન્ટની મહિલા ઈવેન્ટમાં ભારતની અવની લેખારાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ જીત્યા બાદ, પ્રીતિ પાલે ટ્રેક ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતની અવની લેખારાએ વિમેન્સ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અવનીએ ફાઈનલમાં 249.7નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એના સિવાય ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. અવનીની આ જીત એટલા માટે પણ ઐતિહાસિક છે કારણ કે એણે નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે.

અવની લેખરા અને દક્ષિણ કોરિયાની યુનરી લી વચ્ચે છેલ્લા શોટ સુધી ખૂબ જ ટક્કર હતી. ભારતની અવની છેલ્લા શોટ સુધી સિલ્વર મેડલની સ્થિતિમાં રહી હતી, પરંતુ તેના છેલ્લા શોટ પર ભારતીય શૂટરે 10.5નો સ્કોર કર્યો હતો. તે જ સમયે, કોરિયન શૂટર છેલ્લો શોટ ચૂકી અને છેલ્લા શોટ પરનો સ્કોર માત્ર 6.8 હતો. જેના કારણે કોરિયન શૂટરનો ફાઈનલ સ્કોર 246.8 રહ્યો હતો.

અવની લેખરા માત્ર 19 વર્ષની ઉંમરે ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેવા આવી હતી. ત્યાં એણે ફાઈનલમાં 249.6નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો અને નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. હવે પેરિસ પેરાલિમ્પિકમાં અવનીએ 249.7નો સ્કોર કરીને પોતાનો જ રેકોર્ડ તોડીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

જયારે પ્રીતિ પાલ પણ મહિલાઓની 100 મીટર (T35) રેસમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ સિવાય મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટની ફાઈનલ મેચમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

મનીષે સતત બીજી પેરાલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ગત પેરાલિમ્પિક્સમાં મનીષે 50 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટની ફાઇનલમાં કોરિયાનો જેઓંગડુ પ્રથમ રહ્યા. એમણે 237.4નો સ્કોર કર્યો. જ્યારે, નરવાલ 234.9ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યાં, આ સિવાય ચીનની યાંગ ચાઓએ 214.3ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.

શાળામાંથી બાળકોને નહીં મળે સવારનો નાસ્તો..

મધ્યામિક શાળામાં બાળકો મળતા મધ્યાહન ભોજનને લઈ માઠા સમાચાર સામે આવી રહ્યો છે. ગુજરાતમાં લગભગ 43 લાખ બાળકો શાળામાં મધ્યાહન ભોજનનો લાભ ઉઠાવે છે. ત્યારે રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મધ્યાહન ભોજનના નિયમોમાં ફેર ફાર કરવામ માટે મુખ્ય કારણે બાળકો સારુ ભોજન આપવાનો છે. ઉલ્લેખનીય છે કે બે સમયના જમવા બદલે એક સમય બાળકો સારું અને વધુ પોષ્ટિક જમે તો બાળકોની તંદુરસ્તી જળવાય રહે છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી મળતી આંકાડાકિય માહિતી પ્રમાણે આદિજાતિ વિસ્તારના 11.50 લાખ બાળકને સવારે દૂધ પણ આપવામાં આવે છે. બાળકો એક ટાઇમ વધારે સારું જમી શકે, સંચાલકો તથા હેલ્પરનાં કામના કલાકો પણ જળવાઈ શકે એ માટે આ નિર્ણય લેવાયો છે. ટૂંકમાં, નાસ્તો અને જમવાની જે અલગ અલગ કેલરી હતી એને મર્જ કરી હવે બપોરના જમવામાં જ તમામ કેલરીયુક્ત ખોરાક આપવામાં આવશે.

શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, તા.01/09/2024થી નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે એ સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટરોને વિનંતી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-1984માં શરૂ થઈ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો 25% તથા કેન્દ્ર સરકારનો 75% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.

વિકી કૌશલ અને કૅટરિના કૈફ વચ્ચે આ મુદ્દે થાય છે ઝઘડો

મુંબઈ: વિકી કૌશલ અને કૅટરિના કૈફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. આ બંને એક-બીજા સાથે ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન પણ ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. આ દિવસોમાં વિકી કૌશલ તેની આગામી ફિલ્મ ‘છાવા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સાથે તે તેના તાજેતરના ઈન્ટરવ્યુ માટે પણ ચર્ચામાં છે. હાલમાં જ વિકીએ ખુલાસો કર્યો છે કે તે કૅટરિના સાથે કયા મુદ્દે લડતો રહે છે. આ ફની સ્ટોરી વિશે જાણીને તમે પણ હસવા લાગશો.

આ કારણથી થાય છે વિકી-કૅટરિનાની લડાઈ

‘છાવા’ અભિનેતા વિકી કૌશલે 2022માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહરની સામે સૌથી લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ’ દરમિયાન કેટરિના કૈફ સાથેની તેની લડાઈ વિશે એક રમુજી ટુચકો શેર કર્યો હતો. રેપિડ-ફાયર રાઉન્ડ રમતી વખતે જ્યારે વિકી કૌશલને પૂછવામાં આવ્યું કે તે અને તેની પત્ની કૅટરિના કૈફ વચ્ચે લડાઈ થાય છે? ત્યારે વિકી હસ્યો અને કહ્યું, ‘વૉર્ડરોબમાં જગ્યા માટે.’ આ દરમિયાન હોસ્ટ કરણે પણ હસીને ખુલાસો કર્યો હતો કે તે એક વખત વિકી કૌશલના ઘરે ગયો હતો અને તેણે જોયું હતું કે અભિનેતા પાસે કપડાં રાખવા માટે જગ્યા નથી. ફિલ્મ નિર્માતા વધુમાં કહે છે, ‘તે એક અભિનેત્રી છે અને તેના માટે બે કબાટમાં જગ્યા હોવી જરૂરી છે.’ આ સાંભળીને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હસવા લાગે છે.

વિકી-કેટરિનાનું અંગત જીવન

વિકી કૌશલ અને કેટરિના કૈફે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 9 ડિસેમ્બર, 2021ના રોજ લગ્ન કર્યા હતા. વિકી કૌશલ અને કેટરીના કૈફ ચાહકોમાં ‘વિકેટ’ તરીકે પ્રખ્યાત છે. જોકે તેઓએ ક્યારેય સાથે સ્ક્રીન શેર કરી નથી. થોડા મહિના પહેલા કેટરિના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર પર પ્રતિક્રિયા આપતા વિક્કીએ અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે એવું કંઈ નથી.

વિકી-કેટરિનાની આગામી ફિલ્મ

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, વિકી કૌશલ છેલ્લે ‘બેડ ન્યૂઝ’માં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ હતા. આ પછી વિકી 6 ડિસેમ્બરે પીરિયડ વોર એક્શન-ડ્રામા ‘છાવા’માં જોવા મળશે. આ ફિલ્મ મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના બહાદુર જીવનની વાર્તા પર આધારિત છે. બીજી તરફ કેટરીના કૈફ છેલ્લે ‘મેરી ક્રિસમસ’ અને ‘ટાઈગર 3’માં જોવા મળી હતી. તેની પાસે ફરહાન અખ્તર સાથે ‘જી લે ઝરા’ સહિતના અનેક પ્રોજેક્ટ છે, પરંતુ તેણે હજુ સુધી કોઈ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું નથી.

‘હું માથું નમાવી મારા ભગવાન છત્રપતિ શિવાજી મહારાજની માફી માંગું છું’

આજે PM મોદીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવા બદલ માફી માંગી છે. આ ઘટના પર પીએમ મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ અમારા માટે માત્ર એક નામ નથી, તેઓ અમારી આરાધ્ય છે.

નોંધનીય છે કે સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી થઈ હતી.

અમે સાવરકરને ગાળો આપનારા જેવા નથી

પીએમ મોદીએ કહ્યું કે,”આજે હું માથું નમાવી મારા ભગવાન છત્રપતિ શિવાજી મહારાજની માફી માંગું છું. અમારા મૂલ્યો અલગ છે, અમે એવા લોકો નથી જેઓ ભારત માતાના મહાન સપૂત, આ ભૂમિના સપૂત વીર સાવરકરનું અપમાન કરતા રહે છે. તેઓ માફી માંગવા તૈયાર નથી, તેઓ કોર્ટમાં જઈને લડવા તૈયાર છે.”

શિવાજી મહારાજ આપણા પૂજનીય દેવતા છેઃ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે આ કાર્યક્રમ વિશે વાત કરતા પહેલા હું મારા દિલની લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું. 2013માં જ્યારે ભાજપે મને વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર કર્યો ત્યારે મેં સૌથી પહેલું કામ રાયગઢના કિલ્લા પર જઈને છત્રપતિ શિવાજી મહારાજની સમાધિની સામે બેસીને પ્રાર્થના કરી અને તેમના આશીર્વાદ લેવાનું કર્યું. સિંધુદુર્ગમાં તાજેતરમાં જે કંઈ પણ થયું, મારા માટે અને મારા બધા સાથીદારો માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર એક નામ નથી, અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આપણા પૂજનીય દેવતા છે. આજે હું મારા પ્રિય ભગવાનના ચરણોમાં માથું નમાવીને ક્ષમા માંગું છું.

વાધવન બંદરનો શિલાન્યાસ કર્યો
વાધવન પોર્ટનો શિલાન્યાસ કરતી વખતે પીએમ મોદીએ આ બધી વાતો કહી. પીએમએ આજે ​​પાલઘરમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું.

પીએમએ કહ્યું કે મહારાષ્ટ્ર પાસે વિકાસ માટે સંભવિત અને જરૂરી સંસાધનો છે. અહીં દરિયા કિનારો પણ છે અને આ કિનારાઓથી આંતરરાષ્ટ્રીય વેપારનો સદીઓ જૂનો ઈતિહાસ છે. અહીં ભવિષ્ય માટે પણ અપાર સંભાવનાઓ છે. મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર અને દેશને આ તકોનો પૂરો લાભ મળે તે માટે આજે વાધવન પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે. આ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી ઊંડા બંદરોમાંનું એક મહત્વનું બંદર હશે.