કોલકાતાઃ ભાજપના બંગાળ બંધ પર CM મમતા બેનરજીએ PM મોદી સહિત ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજીનામું માગવું હોય તો પહેલાં PM મોદીનું માગો. ED, CBI બધી ઠગવાની એજન્સીઓ છે. આ એજન્સીઓ લોકો પર અત્યાચાર કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
ગઈ કાલે જે રસ્તા પર ઊતર્યા હતા, એ બધા બહારના છે. તેમનું બંધ બંગાળની છબિને ધુમિલ કરવાની અને RG કર હોસ્પિટલ બળાત્કાર-હત્યા મામલાની તપાસને અવરોધવા માટે આપવામાં આવ્યું હતું, એમ તેમણે કહ્યું હતું. રાજ્યમાં આગામી સપ્તાહે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે અને બળાત્કારીઓ માટે મૃત્યુદંડ આપવા માટે 10 દિવસની અંદર એક વિધેયક પસાર કરવામાં આવશે. અમે એ વિધયકને રાજ્યપાલની પાસે મોકલીશું. જો એ પસાર નહીં કરે તો અમે રાજભવનની બહાર ધરણાં કરીશું. એ વિધેયક પસાર થવું જ જોઈએ અને આ વખતે જવાબદારીમાં છટકી નહીં શકાય. મહિલા ડોક્ટર બળાત્કાર-હત્યા માટે માત્ર એક જ સજા છે- ફાંસી લટકાવો, એમ તેમણે કહ્યું હતું.
It is a sin to block the funds earmarked for development of the poor but continue splurging money on spreading propaganda.
Bengal will avenge this injustice by the BJP.
The people of Jhargram, Ghatal and Medinipur have given a clear message – the Bishorjon of Bangla-Birodhis is… pic.twitter.com/zWxa4Nzy9A
— Mamata Banerjee (@MamataOfficial) May 18, 2024
અમે ન્યાય ઇચ્છીએ છીએ, ભાજપે બંધનું આહવાન કરે છે. તેઓ ન્યાય નથી ઇચ્છતા, તેઓ માત્ર બંગાળને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ જેવી શરમજનક પાર્ટી આજસુધી નથી જોઈ. એમ તેમણે કહ્યું હતું.
CM મમતા બેનરજીએ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટર્સને અપીલ કરતાં કહ્યું હતું કે તેઓ કામ પર પરત ફરે. અમે લોકો તેમની વિરુદ્ધ કોઈ પગલાં નહીં ભરીએ. ભાજપ AI દ્વારા મોટા પાયે સાયબર ક્રાઇમમાં લિપ્ત છે, જેને કારણે સામાજિક અવ્યવસ્થા ફેલાઈ રહી છે. ભાજપનો ઉદ્દેશ બંગાળને બદનામ કરવાનો છે, એમ તેમણે કહ્યું હતું.




આ ઈન્ડેક્સ લોન્ચ કરતાં એશિયા ઈન્ડેક્સ પ્રા.લિ.ના એમડી આશુતોષ સિંહે કહ્યું હતું કે BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોને આકર્ષશે, કારણ કે તે પ્રવાહિતા, નીચી ઇમ્પેક્ટ કોસ્ટ, રિસ્ક એડજસ્ટેડ રિટર્ન આદિ ફીચર્સ ધરાવે છે. આ પ્રસંગે BSEના MD-(મેનેજિગ ડિરેકટર) અને CEO (ચીફ એકિઝક્યુટિવ ઓફિસર) સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું કે પ્રોડક્ટ ઇનોવેશનમાં હંમેશાં ગ્રાહકોની પસંદ અગ્રસ્થાને રહેશે. એસેટ મેનેજરોની જરૂરિયાતો માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું કામ કરવાનું બાકી છે, એમાંનું આ એક છે. કોટક એસેટ મેનેજમેન્ટના MD નીલેશ શાહે આ પ્રસંગે કહ્યું હતું કે આ પ્રકારના વધુ સંબંધિત ઈન્ડાયસિસની મૂડીબજારને હજી આવશ્યકતા છે, આ ઈન્ડેક્સને બેન્ચમાર્ક ગણી એસેટ મેનેજરો તેમના પરોક્ષ બજાર વ્યૂહો આગળ ધપાવી શકશે.
રોહન જેટલી – DDCAના પ્રમુખ રોહન જેટલી અથવા બંગાળ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અવિશેક દાલમિયાનું નામ પણ BCCI સચિવ પદના દાવેદારની લિસ્ટમાં ચર્ચામાં છે. રોહન જેટલી પૂર્વ ભાજપા નેતા અરૂણ જેટલીના પુત્ર છે. આથી આ રેસમાં રોહનનું નામ સૌથી આગળ હોવાની ચર્ચા ચાલી રહી છે.
રાજીવ શુક્લા – BCCI સચિવ પદના દાવેદારની રેસમાં રાજીવ શુક્લાનું નામ પણ છે. એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે BCCIના પદોના ફેરબદલ કરીને વર્તમાન ઉપાધ્યક્ષ અને રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાને સચિવ પદ આપવામાં આવી શકે છે.
અરુણ ધૂમલ – ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધ્યક્ષ અરુણ ધૂમલને બોર્ડ ચલાવવાનો સારો અનુભવ છે. તેઓ બોર્ડના ખજાનચી પણ રહી ચૂક્યા છે.
દેવજીત સૈકિયા – BCCIના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા ખાસ લોકપ્રિય નથી. જો કે, તે વર્તમાન BCCI વહીવટનો મહત્ત્વનો ભાગ છે. જેમને સચિવ પદ પર પ્રમોશન મળી શકે છે.

બસ આ અપમાનજનક શબ્દો કાને પડતા જ વરજંગ વાળા સાચા અર્થમાં હોકીની રમત માટે ‘સરખડી’ ગામને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા ચાલી નીકળ્યા. બસ પછી શું? આજે સરખડી એક એવું ગામ છે જ્યાંથી ૩૦૦ જેટલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ વોલીબોલની રમત રમી ચૂક્યા છે. સાથે જ, 4 બહેનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું કૌવત બતાવી ચૂકી છે. જે પૈકી 2બહેનો કિંજલ વાળા અને ચેતના વાળા ભારતીય ટીમના કેપ્ટન પદે પણ રહી ચૂકી છે.
વરજંગભાઈ વાળા વર્ષ ૧૯૮૮માં સ્થાનિક શાળામાં પી.ટી શિક્ષક તરીકે જોડાયા. તેના વિશે તેઓ કહે છે, “એ વખતે ગામમાં લાજ-પ્રથા બહુ ચુસ્તપણે અમલમાં હતી. એટલે દીકરીઓને પણ સંકોચ બહુ થતો. ગામમાં નળીયાવાળા ઘરમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખેતમજૂરી હતો. દીકરીઓને ઘર સફાઈ, ખેતીકામ, નિંદામણ, પાણી ભરવા જવા જેવાં કામ કરવા પડતા હતા. બહુ મથામણ પછી, મહિલા વોલીબોલ ટીમ તૈયાર કરી અને વર્ષ ૧૯૯૦માં તે સમયે સાબરકાંઠા જિલ્લાના મેઘરજમાં શાળાકીય સ્પર્ધામાં રાજ્યકક્ષાએ રમવા ઉતારી. દીકરીઓ ઘાઘરો, શર્ટ, બંગડી, છડા અને સ્લીપર એમ પરંપરાગત વસ્ત્રોમાં જ રમવા ગઈ હતી. ટીમ આયોજકોએ દીકરીઓને સ્લીપર કાઢીને રમવાની ફરજ પાડી અને અધુરામાં પૂરું અમદાવાદની ટીમ સામે ૧૫-૦, ૧૫-૩ થી હારી ગઈ, ત્યારે રમતના આયોજકોએ મને સંભળાવ્યું કે, હું હાલી નીકળ્યા છો..? આ શબ્દો મને હાડોહાડ લાગી ગયા અને ત્યાંથી જ શરુ થઈ દીકરીઓને પરંપરાગત વસ્ત્રોના બદલે ટીશર્ટ, લોઅર, શૂઝ પહેરાવી હોકી રમતી કરવાની અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાની યાત્રા.”
સરખડી પ્રાથમિક શાળામાં ઈન સ્કૂલ યોજના ચાલે છે, અને રમત પ્રતિભા સંવર્ધન કેન્દ્રમાં હાલ અનેક દીકરીઓ વિશેષ તાલીમ લઈ રહી છે. જો કે વરજંગભાઈવાળા વર્ષ 2022માં નિવૃત્ત થઈ ગયા છે. પરંતુ વોલીબોલ રમતી દીકરીઓને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.સો સો સલામ છે આવા વોલીબોલ વીરને…





બંગાળ બંધમાં TMC કાર્યકર્તાઓએ ભાજપ નેતા પર કર્યો ગોળીબાર
કોલકાતાઃ કોલકાતાના ટ્રેની ડોક્ટરના રેપ-હત્યા કેસમાં CM મમતા બેનરજીના રાજીનામાની માગ કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર છે, ત્યારે ભાજપે 12 કલાકનું બંગાળ બંધનું આહવાન કર્યું છે. આ બંધ સવારે છથી સાંજે છ કલાક રહેશે. આ બંધ દરમ્યાન ઉત્તર પરગણાના ભાટપાડામાં ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેની કાર પર 6-7 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. તેમની કાર પર દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક દેશી બોમ્બ પણ જપ્ત કર્યો હતો. ભાજપના નેતા અર્જુન સિંહનું કહેનું હતું કે પ્રિયાંગુની હત્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બંધ દરમ્યાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી કોલકાતાના બાટા ચોક પર દેખાવો કરી રહેલા લોકેટ ચેટરજીને પોલીસે હિરાસતમાં લેવામાં આવ્યા હતા. એ દરમ્યાન તેમણે કહ્યું હતું, જેટલું આ લોકો મને હિરાસતમાં લેશે, એટલું જ લોકો આ પ્રદર્શનનો હિસ્સો બનશે. આ લોકોનો ગુસ્સો છે અને લોકો રસ્તાઓ પર છે.
આ બંધ દરમ્યાન રાજ્યમાં બસ અને ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. જ્યારે ફ્લાઇટ સેવાઓ પણ પ્રભાવિત થવાની ચેતવણી જારી કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે પોલીસની છૂટીછવાઈ અથડામણ થઈ હતી. TMC અને ભાજપના નેતાઓની વચ્ચે પણ આરોપ-પ્રત્યારોપનો દોર જારી રહ્યો હતો.
ભાજપ કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે TMCના લોકોના કહેવા પર પોલીસ તેમને ડિટેન કરી રહી છે. પોલીસ સતત ભાજપના કાર્યકર્તાઓને બસોમાં ભરીને લઈ જઈ રહી છે. બંગાળ બંધની માહિતી આપતાં ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે બંગાળમાં મમતા બેનરજીએ નિર્મમતા અને તાનાશાહીની બધી હદો પાર કરી દીધી છે.