Home Blog Page 1538

ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત, 22 સ્ટેટ હાઇવે બંધ કરાયા

રાજ્યમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે ગઈ કાલે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. પાછલા 24 કલાકમાં ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારમાં  ભારેથી અતિભારે વરસાદ નોંધવામાં આવ્યો હતો. ભારે વરસાદને પગલે રાજ્યમાં ક્યાકને ક્યાક જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલ વરસાદનું ડિપ ડિપ્રેશન સર્જાયું છે જેના લીધે હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેના કારણ શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  

અમદાવાદ શહેરની વાત થાય તો શહેરમાં લગભગ 5થી 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાર વરસાદને પગલે અમદાવાદમાં જળબંબાકાર થઈ ગયુ છે. શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણથી કેડસમા પાણી ભરાઈ ગયાં છે.  ગત 24 કલાકમાં નરોડા અને મણીનગરમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉસ્માનપુરામાં 11 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં સરેરાશ 5 થી 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આખી રાત વરસાદ વરસતાં સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ અમદાવાદના ચાંદખેડા, વૈષ્ણવદેવી, ગોતા, અડાલજ, થલતેજ, બોપલ, ન્યૂ સીજી રોડ, સાબરમતી સહિતાના વિસ્તારોમાં મેઘરાજાએ બેટીંગ શરૂ કરી દીધી છે. આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગઇ ગયું છે.  

અમદાવાદમાં આજે પણ અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક એરિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ટ્રેન સેવા અને હવાઇ સેવાને પણ અસર પહોંચી છે. ફ્લાઇટો અને ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે. 

 

કેનેડામાં હવે નોકરી કરવી થશે મુશ્કેલ, જાણો…

નવી દિલ્હીઃ જો તમે કેનેડામાં નોકરીનું સપનું જોઈ રહ્યા હો તો તમારા માટે માઠા સમાચાર છે, કેમ કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ચૂંટણી પહેલાં કેનેડામાં હંગામી નોકરીઓ કરતા વિદેશીઓની સંખ્યા ઘટાડવાની ઘોષણા કરી છે. જેની અસર લાખો ભારતીયો પર પડશે. દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જાય છે.. કેનેડામાં વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીય શીખઓ અને વિદ્યાર્થીઓની છે, જેઓ ત્યાં રહીને હંગામી નોકરી કરીને ખર્ચ કાઢવાનું ભારતીયો કામ કરે છે.

PM ટુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી લખ્યું હતું કે રોજગારમાં બદલાવ આવી રહ્યો છે. કેનેડામાં ઓછા પગારમાં નોકરી કરતા હંગામી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઓછી કરવામાં આવશે. વધુમાં તેમણે લખ્યું છે કે હવે સમય આવી ગયો છે કે કેનેડાના વ્યવસાય સ્થાનિક શ્રમિકો અને યુવાઓ ચલાવે.

કેનેડામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેને લીધે બેરોજગારી પણ વધી રહી છે. દેશના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે તાજેતરમાં આ મામલે ઇશારો કરતાં કહ્યું હતું કે પ્રવાસન નિયમો કેનેડાના લોકોને આધારે હોવા જોઇએ, કારણ કે નોકરીઓ સતત ઘટી રહી છે. આ મામલે યોગ્ય પગલાં લેવાં જરૂરી છે.

હવે નવા નિયમો અનુસાર ઓછા વેતનવાળી નોકરી માટેની પરમિટ બે વર્ષથી ઘટાડીને માત્ર એક વર્ષ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, સ્વાસ્થ્ય સારસંભાળ અને નિર્માણ ક્ષેત્રે છૂટ આપવામાં આવશે. જે સ્થળોએ બેરોજગારી દર છ ટકા કે એનાથી વધુ છે ત્યાં ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને કામ આપવામાં નહીં આવે. અસ્થાયી વિદેશી શ્રમિકો રાખવાની હિસ્સેદારી 20 ટકાથી ઘટાડી 10 ટકા કરી દેવામાં આવશે.

 

 

રાજકોટમાં 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ, આજી ડેમ ઓવરફ્લો

રાજકોટ: સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળ્યુ છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તેમનું રૌદ્ર સ્વરુપ બતાવ્યુ છે. રાજકોટમાં મંગળવારે વહેલી સવારે ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં મોટાભાગના એરિયામાં પાણી ભરાયા છે. પરિણામે સૌરાષ્ટ્ર સૌથી મોટા ગણાતા રાજકોટના મેળાને બંધ રાખવાની ફરજ પડી છે.રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાતા  મહિલા કોલેજ અંડરબ્રિજ બંધ કરાયો છે. રેલનગર અંડરબ્રિજ અને પોપટપરા અંડરબ્રિજ બંધ કરાયા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે તંત્રની અપીલ છે. છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શહેરમાં તાત્કાલિક અસરથી BRTS સેવા બંધ કરી દેવાઇ છે. અનેક ઈમરજન્સી સેવાના ફોન નંબર પણ ઠપ થયા છે.રાજકોટમાં ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયાની માહિતી મળી રહી છે. વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાઈની સગાઈમાં કેવો હતો પ્રિયંકા ચોપરાનો અંદાજ? જુઓ વીડિયો

મુંબઈ: પ્રિયંકા ચોપરા હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું નામ બની ગઈ છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ અભિનેત્રીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને હવે તે હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. તેના સ્ટારડમે તેને દુનિયાના સૌથી પાવરફુલ સ્ટાર બનાવી દીધી છે.

નિક જોનાસ સાથે લગ્ન કર્યા પછી પ્રિયંકા વિદેશમાં સ્થાયી થઈ ગઈ, પરંતુ તે અવારનવાર ભારત આવે છે. તાજેતરમાં દેશી ગર્લ તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની સગાઈ અને લગ્ન સમારોહ માટે મુંબઈ આવી હતી, જેની ઝલક તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. સિદ્ધાર્થ અને નીલમે પરિવાર અને મિત્રોની હાજરીમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા જેની ઝલક આ વીડિયોમાં જોઈ શકાય છે.

પ્રિયંકાએ તેના ભાઈની સગાઈનો વીડિયો શેર કર્યો

પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરી રહ્યો છે. તાજેતરમાં તેમની રોકા સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને હવે તેમની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ પણ તેના ભાઈની સગાઈનો વીડિયો શેર કર્યો હતો અને તેને તેના નવા જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. અભિનેત્રીએ આ શુભ અવસરનો વીડિયો શેર કર્યો છે, જેમાં વૈશ્વિક સ્ટાર ઓરેન્જ કલરના સૂટમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

ભાઈ-ભાભીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

વીડિયોમાં પ્રિયંકા ચોપરા તેના પરિવાર સાથે તેના ભાઈની ખુશી માણી રહી છે. શેર કરવામાં આવેલ વિડિયોમાં પ્રિયંકા પ્રથમવાર તેના આખા પરિવાર સાથે ફોટા પડાવતી જોવા મળે છે. આ પછી સિદ્ધાર્થ અને નીલમની કેટલીક ખૂબ જ સુંદર પળોની ઝલક જોવા મળે છે અને ત્યારબાદ અભિનેત્રીના ભાઈ અને ભાભી પ્રિયંકાના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોઈ શકાય છે, જેના પર અભિનેત્રી બંનેને ગળે લગાવે છે. આ પછી પ્રિયંકા જોરશોરથી ડાન્સ કરતી જોવા મળે છે અને તેના ભાઈને હસાવવાનો પ્રયાસ કરતી પણ જોવા મળે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે પરિવારનું જોરદાર બોન્ડિંગ

આ સમય દરમિયાન નીલમની પ્રિયંકા, તેની માતા મધુ અને સમગ્ર પરિવાર સાથે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે. જો કે, આ વીડિયોમાં પરિણીતી ચોપરા ક્યાંય જોવા મળી ન હતી, જેના કારણે અભિનેત્રીના ચાહકો થોડા દુઃખી છે અને તે જાણવા માંગે છે કે પરિણીતીએ સિદ્ધાર્થની સગાઈમાં શા માટે હાજરી આપી ન હતી. જોકે, અભિનેત્રીના માતા-પિતા ચોક્કસપણે સિદ્ધાર્થ-નીલમની ખુશીમાં જોડાયા હતા અને આ દરમિયાન સિદ્ધાર્થનું તેની કાકી સાથે અદ્ભુત બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું. આ વીડિયો પર યુઝર્સની જબરદસ્ત પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

ઇસ્કોન મંદિર ખાતે CMએ કરી જન્માષ્ટમીની ઉજવણી

ગઈકાલ થી રાજ્ય સહિત દેશ કૃષ્ણમય બની ગયું છે. પોતાના કાનજીની એક ઝલક માટે લાખોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ત્યારે આખા દેશ સાથે અમદાવાદમાં ખાતે પણ કૃષ્ણ જન્મની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો મધ્યરાત્રિની પ્રાર્થનામાં ભાગ લે છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો. મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે અને કૃષ્ણની મૂર્તિઓને નવા વસ્ત્રો અને ઝવેરાતથી શણગારવામાં આવી છે. દેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં, ‘દહી હાંડી’ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.  

 

અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે પણ કૃષ્ણાનો વિધિવત સાજ શ્રંગાર કરવામાં આવ્યો. હતો ત્યારે ભગવાના શ્રી કૃષ્ણના આ ઔલોકિક દર્શના અર્થે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા.  અને સામાન્ય જનતા વચ્ચે જઈ સામાન્ય ભક્ત તરીકે ભગવાનના દર્શનો લાહ્વો લીધો હતો. ભક્તોની ભીડ વચ્ચે સંપૂર્ણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોતાના કાફલા સાથે મુખ્યમંત્રી ઈસ્કોન મંદિર પહોંચ્યા છે. ભગવાનના જન્મોત્સવને લઈને જગતના નાથના મુખ્યમંત્રીએ વધામણાં કર્યા છે અને જગતના નાથની સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે. દ્વાપર યુગમાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. આ વર્ષે શ્રી કૃષ્ણની 5251મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તે સમયે વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્ર અને ચંદ્ર હતો. આજે રાત્રે પણ રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે.

આજે પણ 13 જિલ્લામાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે છેલ્લાં ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ, મંગળવારે પણ સૌરાષ્ટ્રના આઠ જિલ્લા સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 356 મિ.મી., ડાંગના આહવામાં 268 મિ.મી., વલસાડના કરપડામાં 263 મિ.મી., ડાંગના વધઈમાં 251 મિ.મી., વલસાડના ધરમપુરમાં 237 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 236 મિ.મી., વલસાડમાં 226 મિ.મી., નર્મદાના સાગબારામાં 225 મિ.મી. વરસાદ ખાબક્યો છે.આજે (27 ઑગસ્ટ) સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રેપ-મર્ડર કેસ વિરુદ્ધ નબન્ના માર્ચઃ ભાજપ-TMC સામસામે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના કોલકાતા રેપ-હત્યા મામલાના વિરોધમાં પશ્ચિમ બંગા છાત્ર સમાજ સંગઠને નબન્ના અભિયાન કાઢવાનું એલાન કર્યું છે. એ દરમ્યાન વિદ્યાર્થીઓ એક મોટી રેલી કાઢશે. ભાજપે નબન્ના અભિયાનને ટેકો આપ્યો છે. ડાબેરી પક્ષોએ એને ભાજપ અને RSSનું કાવતરું બતાવ્યું છે. આ માર્ચનો મુદ્દો પણ હાઇકોર્ટ પહોંચ્યો છે.

આ માર્ચમાં કોઈ હિંસા ન થાય એ માટે પોલીસ હાઈ એલર્ટ મોડ પર હોવાનું જણાય છે. પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવાલયનું નામ નબાન્નો છે. ત્યાં જ મમતા બેનર્જી અને અન્ય ટોચના મંત્રીઓ અને અધિકારીઓની ઓફિસ છે. આથી આંદોલનકારીઓએ રાજ્ય સચિવાલય સુધી વિરોધ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.

નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને  કોલકાતા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ માટે શહેરમાં 6000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય 19 પોઇન્ટ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. નબન્ના ભવનની બહાર ત્રિસ્તરીય સુરક્ષા કરવામાં આવી છે. ઓફિસોમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત નબન્ના ભવનની આસપાસ 160થી વધુ DCRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને DGP નબન્ના ભવનમાં હાજર રહેશે. CM મમતા બેનર્જી પણ નબન્ના ભવન આવી શકે છે.

TMC એ નબન્ના અભિયાનને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. ભાજપનો દાવો છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાને બચાવવા માટે પોલીસની મદદ લઈ રહી છે. વિરોધ વચ્ચે પોલીસનું કહેવું છે કે UGCNET પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે તેમના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

 

ગુલશનનું નામ આખરે હોલિવૂડની ‘જંગલ બુક’ માં આવ્યું

ગુલશન ગ્રોવર હિન્દી ફિલ્મોમાં નામ કમાઈ રહ્યો હતો ત્યારે એને હોલિવૂડની ફિલ્મ કરવાનો શોખ જાગ્યો હતો. પહેલી ફિલ્મ એને મળી હતી અને પછી છીનવાઈ ગઈ હતી. પરંતુ એ એના જ નસીબમાં હતી. ગુલશને અનિલ કપૂર સાથે ફિલ્મ ‘હમ પાંચ’ (૧૯૮૦) માં એક હીરો તરીકે જ શરૂઆત કરી હતી. સમય જતાં તે ખલનાયક તરીકે લોકપ્રિય થઈ રહ્યો હતો. તે ફિલ્મોમાં કામ કરવા સાથે સ્ટેજ શૉ કરતો હતો. એક વખત શાહરૂખ અને આમિર ખાનનો એક સ્ટેજ શૉ હતો એમાં ભાગ લેવા ગુલશન અમેરિકા ગયો હતો. ત્યારે એક મિત્રની ભલામણથી ગુલશન હોલિવૂડના નિર્દેશક ડંકનને એમની આગામી ફિલ્મ ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ માટે મળવા એક હોટલમાં ગયો. મળતા પહેલાં વાળ ઓળીને વ્યવસ્થિત થવા એ બાથરૂમમાં ગયો.

ગુલશને વાળ ઓળીને પોતાને ધ્યાનથી અરીસામાં જોયો અને બરાબર દેખાય છે એવો વિશ્વાસ આવ્યો. ત્યાં બાજુમાં જ એક અંગ્રેજ હાથ ધોતા હતા. એમણે પૂછ્યું કે,‘તું ગુલશન ગ્રોવર છે?’ ગુલશનને નવાઈ લાગી. ગુલશને હા પાડી એટલે એમણે સામેથી જ પરિચય આપ્યો કે હું ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ નો નિર્દેશક ડંકન ક્લાર્ક છું અને તું મને જ મળવા આવ્યો છે! મને મારા મિત્રએ કહ્યું હતું કે કોઈ ભારતીય તારી ફિલ્મ માટે મળવા આવે છે. નિર્દેશક ડંકને એક જ મિનિટમાં ફિલ્મ માટે ગુલશનને નક્કી કરી લીધો અને સ્ક્રિપ્ટ આપીને કહ્યું કે ફી અંગે નિર્માતા તારી સાથે વાત કરી લેશે.

ગુલશન ફિલ્મ સ્વીકારીને ભારત આવી ગયો. એક મહિના પછી એનું શુટિંગ શરૂ થવાનું હતું. પછી એને ખબર મળ્યા કે ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ માંથી એને કાઢી મૂકવામાં આવ્યો છે. ગુલશનને ફેક્સ મેસેજ કરીને માફી માગી જાણ કરવામાં આવી હતી કે ફિલ્મના વિતરકે તમારા માટે ના પાડી હોવાથી લઈ શકીએ એમ નથી. ગુલશને કારણ જાણવા ઘણી વખત ફોન કર્યા ત્યારે જાણવા મળ્યું કે એ મોટી અમેરિકન ફિલ્મ હોવાથી વિતરકે એવું કહ્યું હતું કે આ મહત્વની ભૂમિકા માટે કોઈ જાણીતા અમેરિકન કલાકારને લઈને એના ચહેરાને શ્યામ બનાવી ભારતીય તરીકે રજૂ કરો. તમે જાણીતા અભિનેતા ન હોવાથી કાઢવામાં આવ્યા છે.

ગુલશનને હોલિવૂડની પહેલી જ ફિલ્મ ગુમાવવાનું બહુ દુ:ખ થયું હતું. પછી એવું બન્યું કે નિર્દેશકે અમેરિકન અભિનેતાને મેકઅપથી શ્યામ રંગમાં તૈયાર કરી શુટિંગ શરૂ કર્યું. પણ એમને એ ભૂમિકામાં અમેરિકન અભિનેતા બંધબેસતો ના લાગ્યો. નિર્દેશકે નિર્માતાને કહ્યું કે ફિલ્મમાં એ નકલી ભારતીય લાગે છે. મને એ જ ભારતીય અભિનેતા (ગુલશન) જોઈએ છે જેની આંખો પણ મોટી છે. તેથી ફિલ્મ સાથે સંકળાયેલા લોકોની બેઠક યોજાઇ. એમાં નિર્દેશકનો પક્ષ રાખવામાં આવ્યો. છેલ્લે એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો કે અમેરિકન અભિનેતા નકલી ભારતીય લાગતો હોવાથી કોઈ ફિલ્મ જોવાનું પસંદ કરશે નહીં.

આખરે ગુલશનને લેવાનું નક્કી થયું. નિર્દેશકે ફોન કર્યો કે અમે તને પાછો લેવા માંગીએ છીએ અને આજે જ આવી જા. ગુલશને કહ્યું કે તે આજે આવી શકે નહીં. બીજું કે ઓફર લેખિતમાં આપો. કેમકે પહેલી વખત લઈને કાઢી મૂક્યો હતો. ફેક્સ પર ઓફર આવ્યા પછી તે બીજા દિવસે જવાબ આપશે. અને ફેક્સ મેસેજ આવ્યો એટલે ગુલશને અભિપ્રાય અને પરવાનગી માટે શાહરૂખ ખાનને એ બતાવ્યો. કેમકે એ દિવસોમાં તે ‘યસ બોસ’ (૧૯૯૭) માં એની સાથે કામ કરી રહ્યો હતો. ગુલશને કહ્યું કે તે લાંબા સમયથી હોલિવૂડમાં કામ કરવા પ્રયત્ન કરી રહ્યો છે અને આ મુખ્ય ભૂમિકા છે. શાહરૂખે એને હોલિવૂડની ફિલ્મ કરવા પ્રોત્સાહન આપ્યું એટલું જ નહીં નિર્માતા-નિર્દેશક સાથે વાત કરીને શુટિંગમાંથી રજા પણ અપાવી દીધી. આમ ગુલશને બહુ અજીબ રીતે પોતાની હોલિવૂડની પહેલી ફિલ્મ ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ (૧૯૯૭) ની સ્ટારકાસ્ટમાં પોતાનું નામ ઉમેર્યું હતું.

૨૭ ઓગસ્ટ, ૨૦૨૪

એક નૂર આદમી દસ નૂર કપડાં

એક નૂર આદમી દસ નૂર કપડાં,

લાખ નૂર ટાપટીપ કરોડ નૂર નખરાં

 

આજે જમાનો ભપકાનો છે. માણસમાં આંતરિક નૂર અથવા ક્ષમતા/ગુણ હોય એનાથી જ નથી ચાલતું એ વાત કહેવા માટે આ કહેવત વપરાય છે.

જે પ્રમાણે માણસ જે છે તે કરતાં અનેક ગણો વધારે પ્રભાવી કપડાં અને ટાપટીપથી દેખાય છે, એની અભિવ્યક્તિ અને ટાપટીપ સરવાળે એની છાપ ઊભી કરવામાં ઘણો મોટો ફાળો આપે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)