મુંબઈ: ‘બોર્ડર 2’ની ટીમે શુક્રવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે વરુણ ધવન પણ ફિલ્મમાં જોવા મળશે. 1997ની હિટ ફિલ્મની સિક્વલ સની દેઓલના નિર્દેશનમાં બની રહી છે. સનીએ સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા જાહેરાત કરી છે, જેમાં બ્રેકગ્રાઉન્ડમાં વરુણ ધવનનો અવાજ સંભળાઈ રહ્યો છે. વીડિયોમાં તે કહે છે,’મારે જય હિંદ કહીને દુશ્મનની દરેક ગોળી સામે લડવું પડશે, જ્યારે પૃથ્વી માતા બોલાવે છે ત્યારે હું બધું છોડીને પાછો આવું છું.’ પોસ્ટમાં વધુમાં જણાવાયું છે કે આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ પ્રજાસત્તાક દિવસ દરમિયાન રિલીઝ થવાની છે.
વરુણ ધવને તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને એક લાંબી પોસ્ટ લખી, જેમાં લખ્યું હતું કે,’હું ચોથા ધોરણમાં હતો ત્યારે હું ચંદન સિનેમા ગયો અને બોર્ડર જોઈ હતી. એ દરમિયાન આપણે બધાએ અનુભવેલી રાષ્ટ્રીય ગૌરવની લાગણી મને હજુ પણ યાદ છે. મેં આપણા સશસ્ત્ર દળોને જોવાનું શરૂ કર્યું અને હું સલામ કરું છું કે તેઓ કેવી રીતે આપણું રક્ષણ કરે છે અને આપણને સુરક્ષિત રાખે છે, પછી તે આપણી સરહદો પર હોય કે કુદરતી આફતો દરમિયાન જે.પી. દત્તા સરની યુદ્ધ હજી પણ મારી પ્રિય ફિલ્મોમાંની એક છે. જેપી સર અને ભૂષણ કુમારની બોર્ડર 2 માં કામ કરવું એ મારી કારકિર્દીની ખૂબ જ ખાસ ક્ષણ છે. મને મારા હીરો સની પાજી સાથે કામ કરવાનો મોકો મળ્યો, જેણે તેને વધુ ખાસ બનાવ્યો.’
બોર્ડર 2 માં વરુણ ધવન
‘બોર્ડર 2’ એ ભારતની સૌથી ભવ્ય યુદ્ધ ફિલ્મ બનવાનું વચન આપે છે, જે એક શક્તિશાળી વાર્તા અને સ્ટાર-સ્ટડેડ કાસ્ટ સાથે તેનો વારસો ચાલુ રાખે છે. આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં હતો. તે આ ફિલ્મનું નિર્દેશન કરશે અને વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram
‘બોર્ડર 2’ ક્યારે રિલીઝ થશે?
ફિલ્મ પ્રજાસત્તાક દિવસના સમયે રિલીઝ થાય એ રીતે’બોર્ડર 2′ ભારતીય સિનેમામાં એક મોટી ફિલ્મ બનવાની તૈયારીમાં છે, જે એક મનોરંજક વાર્તા અને હાઇ-ઓક્ટેન એક્શન દ્વારા દેશના બહાદુરી અને ઇતિહાસની ઉજવણી કરે છે. ચાહકો ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે એક શાનદાર કલાકારો સાથે બનાવવામાં આવી રહી છે અને ભારતના લશ્કરી વારસાનું સન્માન કરે છે.
અનુરાગ સિંહની ફિલ્મો
આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ ‘કેસરી’,’પંજાબ 1984′, ‘જટ્ટ એન્ડ જુલિયટ’ અને ‘દિલ બોલે હડિપ્પા!’ જેવી ફિલ્મો બનાવી છે.






વધતા જતા વૈશ્વિકરણ અને શિક્ષણના વધેલા વ્યાપને કારણે ગુજરાતમાં પણ અંગ્રેજીનું મહત્વ વધ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારવા આજે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓએ ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે. ગુજરાતી ભાષા આ દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાની સુંદરતાને વિશ્વફલકમાં ફેલાવવાનો પણ છે. સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય ભલે માત્ર 53 વર્ષનું રહ્યું, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. 24 ઓગસ્ટ 1833માં જન્મેલા આ કવિએ ગુજરાતી ભાષાના લેખનનો પાયો નાખ્યો છે. નર્મદે લખેલી આત્મકથા ‘મારી હકીકત’ એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે.
રાજ્યમાં પણ ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર આયામો હાથ ધરીને આપણી ભાષાના સમૃદ્ધ વારસાના જતન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌ ગુજરાતીઓ પણ પોતાનું યોગદાન આપે તો જ આ દિવસની ઉજવણી સાર્થક થશે તેમજ ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં વધારો થશે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં શરૂ કરવામાં આવેલી “ગુજરાતી ભાષા પ્રચાર યોજના” જેવી પહેલ થકી ગુજરાતી ભાષા અને તેના જાજરમાન વારસાને સક્રિયપણે આગળ વધારવાનું કાર્ય કર્યું છે. આ સર્વગ્રાહી પહેલનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાના વર્ગો, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સાહિત્યિક કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભાષા શિક્ષણને સમૃદ્ધ બનાવવાનો છે. જે ભાષાના વિકાસ માટે રાજ્યનું સમર્પણ ચરિતાર્થ કરે છે. ગુજરાતી ભાષા સરળ રીતે શીખવવા માટે અને તેને સુસંગત બનાવવા માટે આ યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના કહેવા મુજબ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ત્રણ તબક્કાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવશે. આ આયોજનના પ્રથમ તબક્કામાં વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે. હાલ, ટેન્ડરિંગની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
મંદિર પરિસર અને તેની આજુબાજુના પ્રાંગણનો વિકાસ કરી મંદિર પરિસરમાં યાત્રાળુઓ સરળતાથી પ્રવેશી શકે એ માટે ચાર દિશાઓમાં ભવ્ય પ્રવેશ દ્વાર બનાવાશે. મુખ્યત્વે સુદામા સેતુથી બેટ દ્વારકા ગામ તરફ આવતા રસ્તાને એટલે કે દરિયાઈ માર્ગેથી મુખ્ય પ્રવેશ સુધીનો રસ્તો અને જાજરમાન દ્વાર બનશે.
અહીં યાત્રાળુઓ માટે મંદિર સામગ્રીની ચીજ વસ્તુઓ, ખાણી-પીણીના સ્ટોલ, લોકલ આર્ટ અને ક્રાફ્ટને પ્રમોટ કરતી દુકાનો તથા જીવનજરૂરિયાત વસ્તુઓને લગતી દુકાનો પણ બનાવામાં આવશે. અન્ય સુવિધાઓમાં મોબાઈલ અને પગરખાં મૂકવાની લોકર સુવિધા, પ્રસાદ વિતરણ કેન્દ્ર તથા કોમન ટોઈલેટ્સની સુવિધા ઊભી કરાશે. આ સાથે અત્યાધુનિક ફેસેલિટીવાળી ભોજનશાળા અને સભા, ભજન-કીર્તન કરવા માટે બે મલ્ટીપર્પઝ હોલ પણ બનાવાશે.
ત્યારબાદ, બીજા તબક્કામાં અતિ પ્રસિદ્ધ દાંડી હનુમાન મંદિરના વિકાસનું આયોજન હાથ ધરાશે. મંદિરની સુવિધામાં વધારો કરાશે. તેમજ પાસેના બીચ ડેવલપમેન્ટ, અભય માતા મંદિર અને સનસેટ પાર્ક, નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ બનાવવામાં આવશે. છેલ્લા અને ત્રીજા તબક્કામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને લેક અરાઈવલ પ્લાઝા તૈયાર કરવામાં આવશે.
બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે ભવિષ્યમાં બીચથી મંદિર સુધી શટલ સર્વિસ, ઈવ્હીકલ, ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડ ટ્રેનિંગ વગરે ડેવલપ કરવામાં આવશે.
બેટ દ્વારકામાં આવેલ નોર્થ બીચ શિયાળાની ઋતુમાં ‘ડોલ્ફિન’ નિહાળવા માટે જાણીતો છે. અહીં અનોખો ‘પદમ’ નામનો શંખ મળે છે જેથી આ બીચને ‘પદમ બીચ’ પણ કહેવામાં છે. માસ્ટર પ્લાન મુજબ આ બીચ પર પાર્કિંગ, ખાણી-પીણીના સ્ટોલ, બાળકો માટે રમત-ગમતના સાધનો, બેસવાની સુવિધા અને બાથરૂમ-ટોઈલેટ જેવી પાયાની સુવિધાઓ ઊભી કરાશે. આ નોર્થ બીચ પર ટૂરિસ્ટો માટે મનોરંજનની અને સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો માણી શકશે તે માટે સુવિધાઓ ઉભી કરાશે.
બેટ દ્વારકાના પ્રખ્યાત હિલ્લોક પાર્કને પણ યાત્રાળુઓ ‘સૂર્યોદય અને સૂર્યાસ્ત’નો નયનરમ્ય નજારો જોઈ શકે તે માટે ‘પબ્લિક પાર્ક’ તરીકે વિકસાવાશે. અહીંથી સુદામા સેતુનો નયનરમ્ય વ્યૂ જોવા મળશે. આ પાર્કમાં પણ ખાણીપીણીના સ્ટોલ, સ્પેશિયલ લેન્ડસ્કેપ, બોર્ડવોક, વોકવે અને કોમન ટોઈલેટ્સ જેવી સુવિધા ઊભી કરાશે.

જે શેરી વિક્રેતાઓથી લઈને રિક્ષાચાલકો સુધી દરેક જણ UPI દ્વારા ચુકવણી કરી રહ્યા છે. UPIની સફળતાએ દુનિયાને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. જેના કારણે હવે તમે ઘણા દેશોમાં UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો. ભારતમાં કરોડો લોકો UPI દ્વારા દૈનિક વ્યવહારો કરે છે. આ સંખ્યા દરરોજ વધી રહી છે. જો કે તેનાથી ખતરો પણ વધી ગયો છે. છેતરપિંડી કરનારાઓ હવે UPI યુઝર્સને નિશાન બનાવીને છેતરપિંડી કરી રહ્યા છે. આ શ્રેણીમાં નવું સ્કેમ છે – ‘UPI ઓટો-પે રિકવેસ્ટ સ્કેમ.’ આ સ્કેમમાં, UPI ઓટો-પે વિનંતી મંજૂર થતાં જ ખાતામાંથી નાણાં સ્કેમર્સના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.
UPI Autopay છેતરપિંડી એક સરળ સિદ્ધાંત પર કામ કરે છે. આમાં છેતરપિંડી કરનારાઓ વપરાશકર્તાઓને સસ્તો માલ ખરીદવા માટે લલચાવે છે અથવા અમુક સેવા માટે ચુકવણી માટે વિનંતીઓ મોકલે છે. તમે અજાણતામાં UPI કલેક્ટ મની અથવા ઑટોપેની વિનંતીને મંજૂર કરો છો. ઉદાહરણ તરીકે, તમે Netflix જેવાં કોઈપણ OTTનું સબ્સ્ક્રિપ્શન લઈ રહ્યાં છો. એક દિવસ તમને Netflix માટે ચુકવણી કરવાની વિનંતી મળશે. તમે સમજો છો કે આ તમે લીધેલ સબ્સ્ક્રિપ્શન માટે ચુકવણી માટેની વિનંતી છે. તમે ચુકવણી કરો છો પરંતુ તે વાસ્તવિક નથી. આ છેતરપિંડી કરનાર દ્વારા તેના Netflix એકાઉન્ટમાંથી શરૂ કરવામાં આવેલ અસલી UPI ઑટોપે વિનંતી છે. તેથી, જો તમે ભૂલથી આ વિનંતીને એ વિચારીને મંજૂર કરો છો કે તે તમારા પોતાના Netflix સબ્સ્ક્રિપ્શન માટે છે, તો તમે કપટપૂર્ણ Netflix સબ્સ્ક્રિપ્શન માટે પૈસા ચૂકવશો. આ રીતે છેતરપિંડી કરનારાઓ તમારી પાસેથી પૈસા લૂંટવાનો પ્રયાસ કરી શકે છે જો તેઓને તમારું UPI ID ખબર હોય.
UPI ID સામાન્ય રીતે મોબાઇલ નંબર અને UPI પ્રદાતાનું વિસ્તરણ છે. સ્કેમર્સ આનો ફાયદો ઉઠાવે છે. મોબાઇલ નંબર અને અન્ય વિગતો એ સરળ લક્ષ્ય છે કારણ કે ફોન નંબરો ઘણીવાર ઇ-શોપિંગ, રેસ્ટોરન્ટ્સ, મોલ્સ, પાર્કિંગ લોટ વગેરે જેવા સ્થળોએ શેર કરવામાં આવે છે. આ કારણે, છેતરપિંડી કરનારાઓ માટે UPI ID ક્રેક કરીને છેતરપિંડી કરવાનું સરળ બની જાય છે.


