રક્ષા બંધનનો તહેવાર શ્રાવણ માસમાં આવે છે. શ્રાવણ મહિનામાં એકટાણા ઉપવાસ પણ ઘણાં રાખે છે. શીંગદાણાની ફરાળી સ્વાદિષ્ટ બરફી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. આ સ્વાસ્થ્યવર્ધક બરફી ઘરે સહેલાઈથી બનાવી શકાય છે!

સામગ્રીઃ
- શીંગદાણા 2 કપ
- તલ 1 કપ
- કાજુ 1 કપ
- ગોળ 1½ કપ
- દૂધ પાઉડર 1 કપ
- એલચી પાઉડર ½ ટી.સ્પૂન
- દેશી ઘી 2-2 ટે.સ્પૂન
- દૂધ 2-2 ટે.સ્પૂન
- પિસ્તાની કાતરી
રીતઃ શીંગદાણા તથા કાજુને અલગ અલગ શેકી લો. તલને પણ અલગથી પેનમાં શેકી લો. ઠંડા થાય એટલે શીંગદાણા તથા કાજુને મિક્સીમાં પલ્સ મોડમાં દળી લો. જેથી સૂકો પાઉડર મળે. તલ ઠંડા થાય એટલે તેને પણ અલગથી દળી લો. બંને પાઉડરને એક વાસણમાં ચમચી વડે મિક્સ કરી લો.

એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં રૂમ ટેમ્પરેચરવાળું દૂધ ઉમેરીને તરત જ દૂધ પાઉડર ઉમેરી દો અને સ્પેટૂલા વડે સતત હલાવતા રહો. ગેસની આંચ ધીમી મધ્યમ રાખવી. 5 મિનિટમાં મિશ્રણ સહેજ ઘટ્ટ થઈને માવો તૈયાર થાય. એટલે તેમાં કાજુ, શીંગદાણા તેમજ તલનો પાઉડર મેળવી દો.
હવે એકતારી ગોળની ચાસણી તૈયાર કરવા ગોળને ઝીણો સમારી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઓગળવા મૂકો. ગોળ ઓગળે એટલે અડધો કપ જેટલું પાણી તેમાં મેળવીને એક તારની ચાસણી થાય એટલું ગોળનું મિશ્રણ ગરમ કરો. એક તાર થાય એટલે તેમાં 2 ટે.સ્પૂન ઘી તેમજ 2 ટે.સ્પૂન દૂધ મેળવીને હલાવો. ત્યારબાદ તેમાં શીંગદાણાનું મિશ્રણ મેળવીને તવેથા વડે હલાવતા રહો. જ્યાં સુધી મિશ્રણ લીસું થઈને કઢાઈમાં ચોંટતું બંધ થાય એટલે કે, દસેક મિનિટ સુધી મિશ્રણને હલાવતા રહેવું. ગેસની આંચ ધીમી રાખવી.
ત્યારબાદ ગેસ બંધ કરી દો. એક થાળીમાં ઘી ચોપડી દો અને આ મિશ્રણ તેમાં રેડી દો. ઉપરથી તવેથા વડે સેટ કરીને પિસ્તાની કાતરી ભભરાવી દો. થાડીમાં પાથરેલી બરફી સહેજ સૂકી થાય એટલે કે, 2-3 મિનિટ બાદ ચપ્પૂ વડે બરફીના કાપા પાડી લો. આ બરફીને 2-3 કલાક ઠંડી થવા દો. ત્યારબાદ તેના ચોસલા એક ડબ્બામાં ભરી લો.













લોપાએ રડમસ અવાજે કહ્યું જવા દે મમ્મી આ તો રોજનું થઈ ગયું છે. મન તો થાય છે આ બધુ છોડીને ક્યાંક દૂર ચાલી જાઉં પણ શું કરુ હેતનો ચહેરો જોવું છું એટલે ન મને જીવું છું. માતાએ કાયમની જેમ જ દીકરીને સાંત્વના આપી. થોડા વર્ષો પછી લોપા કાયમ માતાને ત્યાં આવી ગઈ. હા 52 વર્ષની લોપાએ પતિ સંકેત સાથે છૂટાછેડા લઈ લીધા. માતા સુરેખાબહેને એને સહકાર આપ્યો કારણ કે એ જાણતા હતા કે જો લોપા વધારે ત્યાં રહેશે તો કદાચ એ જીવી નહીં શકે. આખરે એવું તો શુ થયું કે દિકરો 18 વર્ષનો થયો પછી લોપાએ પતિને છૂટાછેડા આપવા પડ્યા. શું સમાજ આવા ડિવોર્સને સ્વીકારે છે ? એવા કયા કારણો છે જેના કારણે વર્ષો સાથે રહ્યા પછી પતિ-પત્ની એકબીજાથી અલગ થઈ જાય છે? આખરે આ ગ્રે ડિવોર્સ કેમ વધી રહ્યા છે ?


સમગ્ર કેલિફોર્નિયામાંથી સ્વયંસેવકો એસેમ્બલી ચેમ્બરમાં પ્રસંગની ઉજવણી કરવા સેક્રામેન્ટોના સ્ટેટ કેપિટોલમાં એકઠા થયા હતા, જે સમુદાયના અપાર ગૌરવ અને આનંદનું પ્રતિબિંબ છે.
એસેમ્બલી મેમ્બર એલેક્સ લીએ BAPSના કાર્યો અને તેની અસરની પ્રશંસા કરતા કહ્યું, “આ વર્ષે ઉત્તર અમેરિકામાં BAPSની 50મી વર્ષગાંઠ છે. 1974 થી BAPS અહીં કાર્યરત છે. આ એ સંસ્થા છે જે આધ્યાત્મિકતા અને સેવાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. તેમના શૈક્ષણિક કાર્યક્રમો, માનવતાવાદી પ્રયાસો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતની વિવિધ પહેલો દ્વારા અસંખ્ય વ્યક્તિઓના જીવનને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 1974માં સ્થપાયેલ, ઉત્તર અમેરિકાના પ્રથમ BAPS મંદિરનું નિર્માણ ન્યૂયોર્કમાં કરવામાં આવ્યું હતું. ત્યારથી, BAPS એ તેની ઉત્તર અમેરિકાની હાજરીને સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં 100થી વધુ મંદિરોમાં વિસ્તારી છે. જેમાં પરંપરાગત છ હિન્દુ મંદિરો તેમજ રોબિન્સવિલે અને ન્યૂ જર્સીમાં આવેલા BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનો પણ સમાવેશ થાય છે.