Home Blog Page 1570

શીંગદાણાની બરફી

રક્ષા બંધનનો તહેવાર શ્રાવણ માસમાં આવે છે. શ્રાવણ મહિનામાં એકટાણા ઉપવાસ પણ ઘણાં રાખે છે. શીંગદાણાની ફરાળી સ્વાદિષ્ટ બરફી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. આ સ્વાસ્થ્યવર્ધક બરફી ઘરે સહેલાઈથી બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • શીંગદાણા 2 કપ
  • તલ 1 કપ
  • કાજુ 1 કપ
  • ગોળ 1½ કપ
  • દૂધ પાઉડર 1 કપ
  • એલચી પાઉડર ½ ટી.સ્પૂન
  • દેશી ઘી 2-2 ટે.સ્પૂન
  • દૂધ 2-2 ટે.સ્પૂન
  • પિસ્તાની કાતરી

રીતઃ શીંગદાણા તથા કાજુને અલગ અલગ શેકી લો. તલને પણ અલગથી પેનમાં શેકી લો. ઠંડા થાય એટલે શીંગદાણા તથા કાજુને મિક્સીમાં પલ્સ મોડમાં દળી લો. જેથી સૂકો પાઉડર મળે. તલ ઠંડા થાય એટલે તેને પણ અલગથી દળી લો. બંને પાઉડરને એક વાસણમાં ચમચી વડે મિક્સ કરી લો.

એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં રૂમ ટેમ્પરેચરવાળું દૂધ ઉમેરીને તરત જ દૂધ પાઉડર ઉમેરી દો અને સ્પેટૂલા વડે સતત હલાવતા રહો. ગેસની આંચ ધીમી મધ્યમ રાખવી. 5 મિનિટમાં મિશ્રણ સહેજ ઘટ્ટ થઈને માવો તૈયાર થાય. એટલે તેમાં કાજુ, શીંગદાણા તેમજ તલનો પાઉડર મેળવી દો.

હવે એકતારી ગોળની ચાસણી તૈયાર કરવા ગોળને ઝીણો સમારી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઓગળવા મૂકો. ગોળ ઓગળે એટલે અડધો કપ જેટલું પાણી તેમાં મેળવીને એક તારની ચાસણી થાય એટલું ગોળનું મિશ્રણ ગરમ કરો. એક તાર થાય એટલે તેમાં 2 ટે.સ્પૂન ઘી તેમજ 2 ટે.સ્પૂન દૂધ મેળવીને હલાવો. ત્યારબાદ તેમાં શીંગદાણાનું મિશ્રણ મેળવીને તવેથા વડે હલાવતા રહો. જ્યાં સુધી મિશ્રણ લીસું થઈને કઢાઈમાં ચોંટતું બંધ થાય એટલે કે, દસેક મિનિટ સુધી મિશ્રણને હલાવતા રહેવું. ગેસની આંચ ધીમી રાખવી.

ત્યારબાદ ગેસ બંધ કરી દો. એક થાળીમાં ઘી ચોપડી દો અને આ મિશ્રણ તેમાં રેડી દો. ઉપરથી તવેથા વડે સેટ કરીને પિસ્તાની કાતરી ભભરાવી દો. થાડીમાં પાથરેલી બરફી સહેજ સૂકી થાય એટલે કે, 2-3 મિનિટ બાદ ચપ્પૂ વડે બરફીના કાપા પાડી લો. આ બરફીને 2-3 કલાક ઠંડી થવા દો. ત્યારબાદ તેના ચોસલા એક ડબ્બામાં ભરી લો.

૧૪ ઓગસ્ટ, ૨૦૨૪

વિનેશ ફોગટે સિલ્વર મેડલ માટે વધુ રાહ જોવી પડશે

વિનેશ ફોગટે સિલ્વર મેડલ માટે વધુ રાહ જોવી પડશે. તેમનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024ની ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ભારતીય રેસલર વિનેશે આ અંગે CASને અપીલ કરી હતી. તેમનો નિર્ણય મંગળવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ આવવાનો હતો. પરંતુ હવે તે 16મી ઓગસ્ટે આવશે.

વિનેશે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. CASએ આ મામલે 9 ઓગસ્ટે સુનાવણી કરી હતી. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ વિનેશનો પક્ષ રજૂ કર્યો હતો. વધારે વજનના કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. હવે વિનેશ સંયુક્ત સિલ્વર મેડલની માંગ કરી રહી છે.

શું હતો સમગ્ર મામલો

વિનેશ પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા વર્ગમાં લડી રહી હતી. તેણે પોતાના જોરદાર પ્રદર્શનથી સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. વિનેશનું વજન માત્ર 100 ગ્રામ વધુ હતું. તેણે વજન ઘટાડવા માટે આખી રાત મહેનત કરી. મારા વાળ પણ કપાવી દીધા. પરંતુ હજુ પણ 100 ગ્રામ વધારાનું વજન બાકી હતું.

BCCIએ આંતરરાષ્ટ્રીય હોમ સીઝનનું રિશેડ્યૂલ જાહેર કર્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે 2024-25 સીઝન માટે ટીમ ઈન્ડિયાની આગામી ડોમેસ્ટિક સીઝન માટે સુધારેલા શેડ્યૂલની જાહેરાત કરી હતી. બોર્ડે બે મોટી શ્રેણીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ભારત-બાંગ્લાદેશ અને ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ T20I, જે અગાઉ 6 ઓક્ટોબર 2024ના રોજ ધર્મશાલામાં યોજાવાની હતી, તે હવે ગ્વાલિયરમાં યોજાશે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ડ્રેસિંગ રૂમનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.

ઈંગ્લેન્ડ શ્રેણીમાં પણ ફેરફાર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T20I ગ્વાલિયરના નવા સ્ટેડિયમ શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.

બોર્ડે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી T20Iનું સ્થળ બદલ્યું છે. પ્રથમ ટી20 મેચ ચેન્નાઈમાં રમાવાની હતી, હવે બીજી ટી20 અહીં રમાશે.

કોલકાતા હવે બીજી ટી20ને બદલે પ્રથમ ટી20ની યજમાની કરશે

ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને, કોલકાતા પોલીસે બંગાળ ક્રિકેટ એસોસિએશનને વિનંતી કર્યા પછી પ્રથમ T20 નું સ્થળ બદલવામાં આવ્યું છે.

બાંગ્લાદેશની ભારત મુલાકાત

પ્રથમ ટેસ્ટ: 19 થી 23 સપ્ટેમ્બર – એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ
બીજી ટેસ્ટઃ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર – ગ્રીન પાર્ક, કાનપુર
પ્રથમ T20: 6 ઓક્ટોબર – શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, ગ્વાલિયર
બીજી T20: 9 ઓક્ટોબર – અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
ત્રીજી T20: 12 ઓક્ટોબર- રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ

પ્રથમ T20: 22 જાન્યુઆરી, કોલકાતા
બીજી T20: 25 જાન્યુઆરી, ચેન્નાઈ
ત્રીજી T20: 28 જાન્યુઆરી, રાજકોટ
ચોથી T20: 31 જાન્યુઆરી, પુણે
પાંચમી T20: 2 ફેબ્રુઆરી, મુંબઈ
1લી ODI: 6 ફેબ્રુઆરી, નાગપુર
2જી ODI: 9 ફેબ્રુઆરી, કટક
ત્રીજી ODI: 12 ફેબ્રુઆરી, અમદાવાદ

હમાસે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કર્યું

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હમાસે ફરી એકવાર ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. તેલ અવીવ પર મિસાઇલ છોડવામાં આવી હતી, જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. અલ-કાસમ બ્રિગેડસે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે, તેણે તેલ અવીવ અને તેના ઉપનગરો પર બે મિસાઇલો છોડી હતી.

હમાસે કહ્યું કે તેણે તેલ અવીવ પર બે રોકેટ છોડ્યા અને વિસ્ફોટ સંભળાયા. હમાસની લશ્કરી પાંખ, અલ-કાસમ બ્રિગેડસે મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે તેલ અવીવ અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવતા બે “M90” રોકેટ છોડ્યા છે. હમાસે કેટલાક મહિનાઓમાં ઇઝરાયેલ સામે તેના પ્રથમ હુમલાની જાહેરાત કર્યાના થોડા સમય પછી, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે એક રોકેટ તેલ અવીવ નજીક સમુદ્રમાં ઉતર્યું હતું.

સેનાએ નિવેદનમાં શું કહ્યું?

થોડા સમય પહેલા એક અસ્ત્ર ગાઝા પટ્ટીને ઓળંગીને મધ્ય ઇઝરાયેલના દરિયાઇ ક્ષેત્રમાં પડ્યો હતો,” સેનાના એક નિવેદનમાં મંગળવારે જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ શહેરમાં જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હતો, પરંતુ ઇમારતોને કોઈ નુકસાન થયું ન હતું. સૈન્યએ વધુમાં જણાવ્યું હતું કે “આ ઉપરાંત, એક વધારાના અસ્ત્રની ઓળખ કરવામાં આવી હતી જે ઇઝરાયેલના ક્ષેત્રમાં પ્રવેશી ન હતી.

કોર્ટે CM કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવી

દિલ્હીની કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સીએમ કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ જ્યુડિશિયલ કસ્ટડીનો સમયગાળો વધાર્યો હતો. 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ સંબંધિત ED કેસમાં સીએમ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ સીબીઆઈ કેસમાં તેમને હજુ સુધી રાહત મળી નથી, તેથી તેઓ જેલમાં છે.

ED બાદ CBIની ધરપકડ

આ પહેલા EDએ 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી સીબીઆઈએ 26 જૂને સીએમ કેજરીવાલની કોર્ટમાંથી ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટે 12 જુલાઈના રોજ જામીન આપ્યા હતા

દિલ્હીની નીચલી અદાલતે એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલને 20 જૂને જામીન આપ્યા હતા. પરંતુ દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. આ પછી 12 જુલાઈના રોજ સીએમ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી.

‘એંગ્રી યંગ મેન’ની ટ્રેલર ઈવેન્ટમાં અખ્તર અને ખાન પરિવાર સાથે સાથે

મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત લેખકો સલીમ ખાન અને જાવેદ અખ્તરના જીવન પર આધારિત બહુપ્રતિક્ષિત સિરીઝ ‘એંગ્રી યંગ મેન’ 20 ઓગસ્ટથી પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવા જઈ રહી છે.’એંગ્રી યંગ મેન’ના સ્ટ્રીમિંગ પહેલા તેનું ટ્રેલર આજે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના માટે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સલીમ ખાન અને જાવેદ અખ્તર સહિત સલમાન ખાન અને ફરહાન અખ્તર જેવા સ્ટાર્સ પણ આ ઈવેન્ટમાં સામેલ થયા હતાં.

(તસવીર: દીપક ધુરી)

‘ગ્રે ડિવોર્સ’ પશ્ચિમી સંસ્કૃતિનું ભારતીય અનુકરણ

લોપાએ માતા સુરેખાબહેનને કોલ કર્યો. આજે દીકરીનો અવાજ જરા વધુ ભારે સાંભળી માતાએ પૂછ્યું બેટા આજે પણ માથાકૂટ થઈ. લોપાએ રડમસ અવાજે કહ્યું જવા દે મમ્મી આ તો રોજનું થઈ ગયું છે. મન તો થાય છે આ બધુ છોડીને ક્યાંક દૂર ચાલી જાઉં પણ શું કરુ હેતનો ચહેરો જોવું છું એટલે ન મને જીવું છું. માતાએ કાયમની જેમ જ દીકરીને સાંત્વના આપી. થોડા વર્ષો પછી લોપા કાયમ માતાને ત્યાં આવી ગઈ. હા 52 વર્ષની લોપાએ પતિ સંકેત સાથે છૂટાછેડા લઈ લીધા. માતા સુરેખાબહેને એને સહકાર આપ્યો કારણ કે એ જાણતા હતા કે જો લોપા વધારે ત્યાં રહેશે તો કદાચ એ જીવી નહીં શકે. આખરે એવું તો શુ થયું કે દિકરો 18 વર્ષનો થયો પછી લોપાએ પતિને છૂટાછેડા આપવા પડ્યા. શું સમાજ આવા ડિવોર્સને સ્વીકારે છે ? એવા કયા કારણો છે જેના કારણે વર્ષો સાથે રહ્યા પછી પતિ-પત્ની એકબીજાથી અલગ થઈ જાય છે? આખરે આ ગ્રે ડિવોર્સ કેમ વધી રહ્યા છે ?

કોને કહેવાય ગ્રે ડિવોર્સ ?

એક બાજુ મોટી ઉંમરે બીજી વખત થતા લગ્નનું પ્રમાણ વધ્યું છે જેને સમાજ ધીમે ધીમે આવકારી રહ્યો છે. ત્યારે બીજી બાજુ મોટી ઉંમરે ડિવોર્સનું પ્રમાણ પણ વધ્યું છે. જેને હવે ગ્રે ડિવોર્સ તરીકે ઓળખવામાં આવે છે. 50 વર્ષથી વધુ ઉંમરના પરિણીત યુગલો જ્યારે ડિવોર્સ લેવાનો નિર્ણય કરે છે ત્યારે આ ડિવોર્સ ‘ગ્રે ડિવોર્સ’ કહેવાય છે. જો કે અન્ય આધુનિક ટ્રેન્ડની જેમ આ ટ્રેન્ડ પણ પશ્ચિમના દેશોમાં જ જોવા મળતો હતો, જ્યાં વૃદ્ધ લોકો તેમના જીવનના અંતિમ તબક્કે છૂટાછેડા લેવાનું નક્કી કરે છે. પરંતુ હવે ભારતમાં પણ આનું પ્રમાણ ક્રમશ: વધી રહ્યું છે.

પતિ-પત્ની એકબીજાનો સહારો

અંકલેશ્વરના સોશિયલ એક્ટિવિસ્ટ દિપ્તી જોશી ચિત્રલેખા.કોમને કહે છે કે,  હકીકતમાં મોટી ઉંમરે તો પતિ-પત્નીને એકબીજાનો સહારો હોય છે. આખું જીવન કદાચ લડતા-ઝઘડતા જતું રહે પરંતુ ઘડપણ તો એકબીજાના સાથ અને સહકારથી જ પસાર થાય. આ ડિવોર્સમાં વાત માત્ર મહિલા કે પુરુષની નથી પરંતુ એની સાથે બાળકોની પણ છે. આપણે ત્યાં હજુ પણ સમાજ અને પરિવારને બધાથી પર રાખવામાં આવે છે. ગ્રે ડિવોર્સ પરિવારો અને સમાજને અસર કરે છે. વૃદ્ધાવસ્થામાં છૂટાછેડા ભાવનાત્મક રીતે પણ મુશ્કેલી ભર્યા છે. આ એવો સમય છે જ્યાં યોગ્ય સમર્થન અને માર્ગદર્શન સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી શકાય છે.

 

 મહિલાની સહન શક્તિ ઘટે છે

અમદાવાદ ફેમિલી કોર્ટના વકીલ દામિની ઠાકર ચિત્રલેખા.કોમને કહે છે, એક ઉંમર પછી માણસની સહન કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. ખાસ કરીને જે મહિલાઓ પરિવાર, પતિ બધાની સાચી-ખોટી વાતો સહન કરતી હોય એ મહિલાને અમુક ઉંમર પછી સહન કરવું શક્ય નથી રહેતું. બીજી તરફ પરુષોનો સ્વભાવ ગમે એ ઉંમરે સરખો જ રહે છે, જલ્દી બદલાતો નથી. અન્ય એક વાત ગ્રે ડિવોર્સ માટે એ પણ છે કે મહિલાઓ માત્ર પત્નીની ભૂમિકામાં નથી રહી શકતી. એને સારી રીતે માતાની ફરજ પણ નિભાવવાની હોય છે. આવા સમયે ઉંમરના એક પડાવ પછી પુરુષ પત્નીને માત્ર સંતાનોની માતા તરીકે જોવે છે. એમને પત્નીમાં રસ ઓછો થતો જાય છે. ઘણી વખત આ તણાવ એટલો વધે છે કે એ વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે.

 

સંબંધ જુનો થાય એમ વધુ મજબૂત બને

મે તો હંમેશા મારા વડીલો પાસેથી એજ સાંભળ્યું છે કે સબંધ જેમ જુનો થાય એમ પાક્કો થાય. આ શબ્દો છે ગૃહિણી અર્ચના ચંદ્રેશભાઈ બારોટના.  ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે, ઉંમરના એક પડાવ પછી જરૂરી છે એકબીજાની લાગણી, ઈચ્છાઓ અને જરૂરિયાતોને માન આપવાની. સંબંધમાં આદર અને પરસ્પર આદરપૂર્ણ વર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા પાર્ટનરને નાની-નાની રીતે આદરની અનુભૂતિ કરાવી, એમના અભિપ્રાયનું મૂલ્યાંકન કરવું વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ પાર્ટનર માટે સમય નીકાળવો જરૂરી છે.  સાથે સમય પસાર કરવાથી સંબંધો મજબૂત થાય છે. સાથે ટ્રીપ પર જવું, સાથે મળીને કોઈ શોખ કરવો અથવા માત્ર સાથે બેસીને વાતો કરવી, આ બધું સંબંધોને તાજા રાખે છે. આપણી સંસ્કૃતિ ગ્રે ડિવોર્સને પ્રોત્સાહન નથી આપતી. આપણા સમાજમાં સાથે જીવતા અને છેક સુધી સાથ નિભાવતા કપલ વધુ જોવા મળે છે.

ગ્રે ડિવોર્સ પાછળ જવાબદાર કારણો

-ગ્રે ડિવોર્સ લેવાના નિર્ણય પાછળ આર્થિક સ્વતંત્રતા એક મહત્વપૂર્ણ પરિબળ છે. એક સમયે સ્ત્રી, આર્થિક રીતે પતિ પર નિર્ભર હતી એ હવે આર્થિક રીતે સ્વતંત્ર બની ગઈ છે અને પોતાના જીવનના નિર્ણય જાતે લેવા સક્ષમ છે

– નિવૃત્તિ પછી તણાવમાં વધારો, જાતીય ઇચ્છામાં ઘટાડો વગેરે જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ આર્થિક સંકટને જન્મ આપે છે પરિણામ ગ્રે ડિવોર્સ તરફ દોરી જાય છે

-લગ્નજીવનમાં કોમ્યુનિકેશન સૌથી મહત્ત્વનું છે. ઘણી વખત એકબીજા સાથે વાતચીતના અભાવને કારણે સંબંધોમાં અંતર વધી જાય છે. લાગણીઓ અને વિચારો જીવનસાથી સાથે નિયમિતપણે શેર ન થતા બંને એકબીજાથી દૂર થાય છે

-નાણાકીય સમસ્યા પણ ક્યારેક ગ્રે ડિવોર્સનું કારણ બની જાય છે. એકબીજાનો નાણાકીય દ્રષ્ટિકોણ ન સમજવો અને અનાદર કરવાથી મોટા પ્રોબ્લેમ ઉભા થાય છે.

એન્ટરટેનમેન્ટની દુનિયામાં ગ્રે ડિવોર્સ એ નવી વાત નથી આમિર ખાનથી લઈને મલાઈકા અરોરા હોય કે પછી હોલીવૂડ સ્ટાર હોય. લગ્નના 20-25 વર્ષ પછી ડિવોર્સ લઈને બીજા લગ્ન પણ કરી લે છે. પરંતુ આપણા સમાજના વાડા હજુ પણ આ બધામાં માનતા નથી. હા ફાવે નહીં તો છુટા થઈ જવું આ વાત ઘણી વાર બોલાય છે પરંતુ જ્યારે ખરેખર છૂટા થવાનું થાય તો સો વખત વિચાર આવે. છતાં ગ્રે ડિવોર્સ હવે ધીમે ધીમે સમાજમાં પ્રવેશી રહ્યો છે. એ વાત નકારી પણ ન શકાય.

હેતલ રાવ

કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં BAPS મંદિરની 50મી વર્ષગાંઠે સન્માન કરાયું

અમેરિકા: કેલિફોર્નિયા રાજ્ય વિધાનસભાએ ઉત્તર અમેરિકામાં પ્રથમ BAPS મંદિરની 50મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે એક ઠરાવ પસાર કર્યો. ડિસ્ટ્રિક્ટ 24ના એસેમ્બલી મેમ્બર એલેક્સ લી દ્વારા રજૂ કરાયેલ અને એસેમ્બલી મેમ્બર્સ સ્ટેફની ન્ગ્યુએન, એશ કાલરા, લિઝ ઓર્ટેગા અને ફિલિપ ચેન દ્વારા સહ-પ્રાયોજિત, આ ઠરાવ BAPS સમુદાય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે.સમગ્ર કેલિફોર્નિયામાંથી સ્વયંસેવકો એસેમ્બલી ચેમ્બરમાં પ્રસંગની ઉજવણી કરવા સેક્રામેન્ટોના સ્ટેટ કેપિટોલમાં એકઠા થયા હતા, જે સમુદાયના અપાર ગૌરવ અને આનંદનું પ્રતિબિંબ છે. એસેમ્બલી મેમ્બર એલેક્સ લીએ BAPSના કાર્યો અને તેની અસરની પ્રશંસા કરતા કહ્યું, “આ વર્ષે ઉત્તર અમેરિકામાં BAPSની 50મી વર્ષગાંઠ છે. 1974 થી BAPS અહીં કાર્યરત છે. આ એ સંસ્થા છે જે આધ્યાત્મિકતા અને સેવાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. તેમના શૈક્ષણિક કાર્યક્રમો, માનવતાવાદી પ્રયાસો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતની વિવિધ પહેલો દ્વારા અસંખ્ય વ્યક્તિઓના જીવનને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.” પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 1974માં સ્થપાયેલ, ઉત્તર અમેરિકાના પ્રથમ BAPS મંદિરનું નિર્માણ ન્યૂયોર્કમાં કરવામાં આવ્યું હતું. ત્યારથી, BAPS એ તેની ઉત્તર અમેરિકાની હાજરીને સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં 100થી વધુ મંદિરોમાં વિસ્તારી છે. જેમાં પરંપરાગત છ હિન્દુ મંદિરો તેમજ રોબિન્સવિલે અને ન્યૂ જર્સીમાં આવેલા BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનો પણ સમાવેશ થાય છે.

બેંકે અભિનેતા રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ કરી સીલ

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા છે. બેંક દ્વારા અભિનેતાની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કોઈ નવી વાત નથી પણ વર્ષ 2012નો મામલો છે. આ આખી ઘટના અભિનેતાની ફિલ્મ ‘આતા પતા લપતા’ સાથે સંબંધિત છે, જેનું દિગ્દર્શન રાજપાલે પોતે કર્યું હતું અને તેની પત્ની રાધા યાદવ તેની નિર્માતા હતી.

 

રાજપાલ યાદવે આ ફિલ્મ બનાવવા માટે બધું લગાવી દીધું હતું. તેણે આ ફિલ્મ માટે મુંબઈની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની બાંદ્રા શાખામાંથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. અભિનેતાએ આ ફિલ્મ બનાવવા માટે મુંબઈની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ લોન માટે તેણે ગેરંટી તરીકે પોતાના પિતાના નામે જમીન અને મકાન ગીરો રાખ્યું હતું. હવે સમાચાર છે કે લોનની ચુકવણી ન કરી શકવાને કારણે બેંકે શાહજહાંપુરમાં આવેલી તેમની કરોડોની સંપત્તિ, શેઠ એન્ક્લેવને જપ્ત કરી લીધી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજપાલે 3 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે વધીને 11 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

રાજપાલની સંપત્તિ પર બેંકનું બેનર
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ બે દિવસ પહેલા શાહજહાંપુર પહોંચ્યા હતા. ટીમે રવિવારે ખૂબ જ ગુપ્ત રીતે રાજપાલની પ્રોપર્ટી પર એક બેંક બેનર લગાવ્યું હતું, જેના પર લખ્યું હતું કે આ પ્રોપર્ટી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, મુંબઈની છે અને તેના પર કોઈ પણ પ્રકારની ખરીદી કે વેચાણ ન કરવું જોઈએ.

અંદર ચાલતું કુલર પણ બંધ કરાયું ન હતું
રાજપાલ યાદવે કચરી ઓવરબ્રિજ પાસે આ પ્રોપર્ટી માર્બલ વેચનારને ભાડે આપી છે. બેંકની ટીમે બિલ્ડિંગના ગેટ પરના તાળાને સીલ કરી દીધું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ કામ એટલી ઝડપથી કરવામાં આવ્યું હતું કે અંદર ચાલતું કુલર પણ બંધ નહોતું થયું.

રાજપાલને 3 મહિના માટે જેલમાં જવું પડ્યું હતું
નોંધનીય છે કે આ પહેલા વર્ષ 2018માં પણ રાજપાલને 3 મહિના માટે જેલમાં જવું પડ્યું હતું. દિલ્હી સ્થિત કંપની મુરલી પ્રોજેક્ટ્સે રાજપાલ યાદવની કંપની ‘શ્રી નૌરંગ ગોદાવરી એન્ટરટેઈનમેન્ટ’ વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કર્યો હતો. રાજપાલે આ લોન વર્ષ 2010માં લીધી હતી.