Home Blog Page 1582

“જ્યારે તેમને વોટ જોઈએ છે, ત્યારે તેઓ મુસ્લિમો પાસે આવે છે”

મુંબઈ: કેન્દ્રની મોદી સરકારે બુધવારે વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર કરવા માટે એક સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષે સર્વસંમતિથી આ બિલનો વિરોધ કર્યો, જ્યારે શાસક પક્ષ તરફથી લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલ લાવવાની જરૂર કેમ પડી? જ્યારે વક્ફ બોર્ડ સંશોધન બિલ સંસદમાં લાવવામાં આવ્યું હતું, ત્યારે ઉદ્ધવ જૂથના તમામ 9 લોકસભા સાંસદો ગૃહમાંથી ગાયબ હતા. AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે આ અંગે નિવેદન આપ્યું છે.

“મુસ્લિમો ઉદ્ધવને જવાબ આપશે”

વારિસ પઠાણે કહ્યું,”જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ઉદ્ધવને મુસ્લિમ મતોની જરૂર હતી. મોટી સંખ્યામાં મુસ્લિમોએ તેમને મત આપ્યો, પરંતુ જ્યારે કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા મુસ્લિમો પાસેથી વકફની જમીન છીનવી લેવા માંગે છે, ત્યારે ઉદ્ધવના સાંસદો ગાયબ હતા.” તેમણે કહ્યું,”મહારાષ્ટ્રના મુસ્લિમો બધુ જોઈ રહ્યા છે. જ્યારે તેઓ વોટ માંગે છે, ત્યારે તેઓ મુસ્લિમો પાસે વોટ માંગવા આવે છે, પરંતુ જ્યારે કેન્દ્ર સરકાર તેમના અધિકારો છીનવી રહી છે ત્યારે તેઓ ગુમ થઈ રહ્યા છે. મુસ્લિમો આગામી સમયમાં ઉદ્ધવને જવાબ આપશે. વિધાનસભા ચૂંટણી આપશે, દરેક વસ્તુનો હિસાબ થશે.”

બિલ જેપીસીને મોકલ્યું

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગુરુવારે વકફ એમેન્ડમેન્ટ બિલ-2024 સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યું હતું. અગાઉ કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજજુ દ્વારા લોકસભામાં તેને રજૂ કરવામાં આવ્યું હતું. ચર્ચા દરમિયાન તેમણે બિલને જેપીસીને મોકલવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ બિલનો કોંગ્રેસ, SP, NCP (શરદ પવાર), AIMIM, TMC, CPI(M), IUML, DMK, RSP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વકફ પ્રોપર્ટી જાહેર મિલકત નથી. વકફ પ્રોપર્ટી એટલે મસ્જિદ અને દરગાહની જગ્યા. સરકાર કહી રહી છે કે અમે મહિલાઓને સભ્ય બનાવીશું. શું તેઓ બિલકીસ બાનોને સભ્ય બનાવશે, આ સરકાર મુસ્લિમોની દુશ્મન છે.

સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને લિકર પોલિસીમાં જામીન આપ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર નીતિ કેસમાં આપ નેતા મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની ખંડપીઠે દિલ્હીના ભૂતપૂર્વ ઉપ CMને CBI અને ED દ્વારા નોંધાયેલા કેસોમાં જામીન આપી દીધા છે. જોકે કોર્ટે શરતો લાદી છે અને તેમને પાસપોર્ટ સરેન્ડર કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યો. હવે સિસોદિયા 17 મહિના પછી જેલમાંથી બહાર આવશે.

સિસોદિયાને રૂ. બે લાખના જામીન બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને દરેક સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જણાવ્યું છે. દિલ્હીના પૂર્વ ઉપ CM સિસોદિયાને એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે. સિસોદિયાને જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે જામીનના મામલે હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ સુરક્ષિત રમી રહ્યા છે. સજા તરીકે જામીન નકારી શકાય નહીં. હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ એક અપવાદ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સિસોદિયાને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે. કોઈ પણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખી ન શકાય. કોર્ટે કહ્યું હતું કે અમે સિસોદિયાને નીચલી કોર્ટ પછી હાઈકોર્ટ જવા કહ્યું હતું અને તેના પછી જ સુપ્રીમ કોર્ટમાં આવવા કહ્યું હતું. તેમણે બંને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

મનીષ સોસિદિયાની દિલ્હી લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં 26મી ફેબ્રુઆરી 2023માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ધરપકડ કરી હતી.

 

‘મારા પર ચડશો નહીં, તમે મને ડરાવી રહ્યાં છો’

મુંબઈ: આ દિવસોમાં તાપસી પન્નુ તેની આગામી ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મ 2021ની રોમેન્ટિક થ્રિલર ‘હસીન દિલરૂબા’ની સિક્વલ છે, જે આજે રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મની રિલીઝ પહેલા ગઈ કાલે રાત્રે તેનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના મુખ્ય કલાકારો વિક્રાંત મેસી, તાપસી પન્નુ, સની કૌશલ અને જીમી શેરગિલ પહોંચ્યા હતા.

આ સિવાય સનીનો મોટો ભાઈ વિકી કૌશલ તેના માતા-પિતા શામ કૌશલ, વીણા કૌશલ સાથે ઈવેન્ટમાં સામેલ થયો હતો. આ દરમિયાનની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ઈવેન્ટમાં આવેલા સ્ટાર્સના અલગ-અલગ લુક જોવા મળ્યા હતા.

તાપસી પાપારાઝી પર ગુસ્સે

જો આ ઈવેન્ટમાં પહોંચેલી ફિલ્મની બ્યુટી દિલરૂબાના લુકની વાત કરીએ તો તે બ્લેક અને રેડ કલરના સુંદર આઉટફિટમાં જોવા મળી હતી. તાપસીએ તેના બ્લેક અને રેડ કલરના સ્ટાઈલિશ ડ્રેસમાં સૌનું ધ્યાન ખ્ંચ્યુ હતું. આ લુકમાં તે ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ આ ઈવેન્ટ દરમિયાન તાપસી સાથે કંઈક એવું થયું કે તે ગુસ્સામાં લાલઘુમ થઈ ગઈ હતી. તો વાત એમ છે કે સ્ક્રિનિંગ સમાપ્ત થયા પછી જ્યારે તાપસી ત્યાંથી તેની કાર તરફ જતી હતી, ત્યારે પાપારાઝી વચ્ચે તેની તસવીરો ક્લિક કરવાના પ્રયાસમાં ધક્કા મુક્કી કરી રહ્યાં હતાં. આ જોઈને તાપસી ગુસ્સે થઈ ગઈ હતી. આ સમયગાળાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પાપારાઝી પર પોતાનો ગુસ્સો કાઢતી જોવા મળી રહી છે. તે કહેતી જોવા મળે છે – ‘મારા પર ચઢશો નહીં, તમે આ કરીને મને ડરાવી રહ્યા છો.’ આ પછી ત્યાં હાજર અન્ય પેપ્સ કહેવા લાગ્યા કે તેણીએ મેડમને સોરી કહેવું જોઈએ. આ સાંભળીને તે પેપ્સ એક્ટ્રેસને સોરી કહેવા લાગે છે. બાદમાં તાપસી તરત કારમાં બેસી જાય છે. હવે તાપસીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તાપસીની મજાક પણ ઉડાવી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી આ રીતે પેપ્સ પર ગુસ્સે થતી જોવા મળી હોય.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

ફિલ્મ સંબંધિત માહિતી

તાપસીની ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ આજે 9 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન જયપ્રદ દેસાઈએ કર્યુ છે. તેની વાર્તા કનિકા ધિલ્લોને લખી છે. ‘ફિર આયી હસીન દિલરૂબા’નું નિર્માણ આનંદ એલ રાય, હિમાંશુ શર્મા, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કનિકા ધિલ્લોન અને શિવ ચન્ના દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2021માં ‘હસીન દિલરૂબા’ નામથી રિલીઝ થયો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. રાની અને રિશુની લવસ્ટોરી ફરી એકવાર દર્શકોને ડરાવવા અને મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં તાપસી સિવાય સની કૌશલ અભિમન્યુના રોલમાં અને જીમી શેરગિલ મૃત્યુંજયના રોલમાં જોવા મળશે.

૦૯ ઓગસ્ટ, ૨૦૨૪

Chitralekha Gujarati – 19 August, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

ભાલા ફેંકમાં નીરજ ચોપરાને મળ્યો સિલ્વર મેડલ, પાકિસ્તાનના નદીમે જીત્યો ગોલ્ડ

પેરિસ: ભારતની જેવલિન થ્રોમાં પણ ગોલ્ડ મેડલની આશા પર પાણી ફરી ગયું છે.ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજે બીજા રાઉન્ડમાં 89.45 મીટરનો થ્રો કર્યો હતો જે તમામ ખેલાડીઓમાં બીજો સૌથી શ્રેષ્ઠ થ્રો હતો. આટલું જ નહીં આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો છે. નીરજ ચોપરાએ સતત બીજી વાર ઓલિમ્પિક મેડલ જીત્યો છે. નીરજ એવો પહેલો ખેલાડી છે જે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હોય.   વર્તમાન ઓલિમ્પિકમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. આ પહેલા ભારતે ચાર મેડલ જીત્યા હતા. જેમાંથી ત્રણ બ્રોન્ઝ શૂટિંગમાં અને એક હોકીમાં આવ્યો હતો.  પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ભાલાફેંકની ફાઇનલ મેચમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અરશદ નદીમનો પહેલો થ્રો પણ ફાઉલ હતો પરંતુ પછીના થ્રોમાં અરશદે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સાથે તેણે નવો ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો હતો અને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. નીરજે પણ આગલા થ્રોમાં પુનરાગમન કર્યું અને 89.45 મીટર સાથે બીજું સ્થાન મેળવ્યું. નીરજના કૂલ 5 થ્રો ફાઉલ થયા હતા.

વાસ્તુ: માત્ર પૈસા કમાવા માટે બનેલું અન્ન સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે

વૃક્ષો આપણને વાઈફાઈ આપતા હોત તો? તો કદાચ લોકો વૃક્ષો કાપવાના બદલે વૃક્ષો વાવવાનું કામ કરત. આપણે વાઈફાઈ વિના જીવી શકીશું પણ ઓક્ષિજન વિના જીવન શક્ય છે ખરું? છેલ્લા કેટલા બધા સમયથી વૃક્ષારોપણમાં તમે કેટલા વડ, પીપળા કે લીંબડા વાવ્યા? વાંસ, સપ્તપર્ણી કે ગુલમહોર એ વૃક્ષો જેટલો ઓક્સીજન આપી શકશે? વળી કોનોકાર્પાસ જેની વાવણી અઢળક પ્રમાણમાં થઇ છે એ તો કેટલાક દેશોમાં પ્રતિબંધિત છે. અન્ય દેશોમાં જે પ્રતિબંધિત છે એવા મસાલા પણ આપણે રાજી થઈને ખાઈએ છીએ. જે ખોરાક કેન્સર કરે તે પ્રતિબંધિત ન હોય તો એને સ્વાસ્થ્યના ભોગે પણ ખાવો જરૂરી છે? જીવન આપણું પોતાનું છે. અને રોગને ભોગવવાનો પણ દરેકને પોતાને હોય છે. એ સમજવું ખુબ જરૂરી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: ઘરનું જમવાનું શબ્દ હવે લુપ્ત થઇ રહ્યો છે. કેટલીક એપ્લીકેશન દ્વરા ખાવાનું ઓર્ડર કરીને જે આવ્યું તે લુશ્પુશ ખાઈ લેવું એને ભોજન થોડું જ કહેવાય? મારા ઘરે એક મહેમાન આવ્યા હતા. અમે ઘરે ભારતીય ભોજનની વ્યવસ્થા કરી હતી. પણ એમને એક જાણીતા રેસ્ટોરાંમાંથી જમવાનું મંગાવવું હતું. મેં કહ્યું કે આપણે ત્યાં જ જતા રહીએ. પણ એમને ભીડમાં જવું નહતું. અંતે અમે ઓર્ડર કર્યું. રેસ્ટોરન્ટનો એપમાં લખેલો નંબર ખોટો હતો. રાઈડરને ફોન કર્યો કે અલગ રીતે ખાવાનું બનાવવાનું છે. એણે કહ્યું કે હું પહોંચીને વાત કરાવી દઈશ. અમે હેલ્પ ડેસ્કમાં વાત કરી. એ માણસે કહ્યું કે મેં સમજાવી દીધું છે. હું વિદ્યાર્થી છુ. મને ફાઈવ સ્ટાર આપો, મને માર્કસમાં કામ આવશે. અમે આપી દીધા.

ખાવાનું આવ્યું તો એ અડવાથી જ ઠંડુ લાગતું હતું. મેં રાઈડરને પૂછ્યું તો એણે કહ્યું કે રેસ્ટોરન્ટમાં પહેલેથી પેક થયેલું પડ્યું હોય છે. એ લોકો કશું સાંભળતા નથી. એ પાર્સલ મુકીને જતો રહ્યો. અમે ટેબલ સેટ કરતા હતા એ દરમિયાનમાં મહેમાનનું નાનું બાળક ભૂખ્યું થયું હોવાથી એણે પાર્સલ ખોલીને થોડું ખાઈ લીધું. થોડી વારમાં એને પેટમાં દુખવા લાગ્યું અને ઉલટી થઇ. બધું જ ખાવાનું વાસી હતું. લગભગ બે હજાર રૂપિયા આપ્યા પછી આવું ખાવાનું? મારા મિત્રે એપમાં ફરિયાદ કરી તો એમણે જણાવ્યું કે તમે પહેલેથી ફાઈવ સ્ટાર આપેલા છે. બાળકને દવાખાને લઇ જવાનું થયું. ખાવાનું ફેંકી દીધું. અને એપ વાળા એકની એક વાત કરતા રહ્યા કે આ રેસ્ટોરન્ટ દિવસના પાંચ હજાર લોકોને ખાવાનું આપે છે. કોઈ ફરિયાદ કરતુ નથી. ફોટા જોઇને ખાવાનું ફ્રેશ લાગે છે. ફોટામાં વાસ થોડી આવે. વળી પેકિંગ પર ગાર્નીશિંગ કર્યું હોય તો સારું જ લાગે.

શું ઘરનું ખાવાની સીસ્ટમ ખોટી છે? એક સમયે પાંચ હજાર લોકોને ફ્રેશ ખાવાનું આપી શકાય? આના માટે કોઈ કાયદો ન હોવો જોઈએ? આપણા લોકોને આ કયો ઝુવાળ ચડ્યો છે જે પૈસા આપીને મુર્ખ બનતા શીખવાડે છે.

જવાબ: ઘરના ભોજન જેવું ઉત્તમ ભોજન એક પણ નથી. એમાં મસાલા ઉપરાંત ભાવ પણ ભરેલો હોય છે. જે લોકો પોતાનો નંબર જ ખોટો આપતા હોય એમનો વિશ્વાસ કરાય? વળી તમે ઉતાવળમાં દયા ખાઈને સ્ટાર આપ્યા એ પણ ભૂલ છે. એપ્લીકેશન વાળા પોતે પૈસા કમાવા બેઠા છે. એ તો અમે માત્ર તમે કોન્ટેક્ટ કરાવીને છુટી ગયા કહી શકે. આના માટે સાચે જ કાયદા જરૂરી છે. એપ્લીકેશન વાળા બંને બાજુ કમીશન લે છે. વળી આટલા મોટા દેશમાં નવા નવા લોકો મળી રહેશે. માત્ર સારા રીવ્યુ જરૂરી હોય છે. બને ત્યાં સુધી ઘરે જ બનાવી ને ખાવ. અને તમારું આ ઉદાહરણ આપીને અન્યને પણ પ્રેરો. તમારા મિત્રના બાળકને કશું થઇ ગયું હોત તો કોઈ રીફંડ એની ખોટ પૂરી ન કરી શકત.

સુચન: રેસ્ટોરન્ટનું કિચન જોવાનો અધિકાર દરેકને છે. તમારું ખાવાનું કઈ રીતે બને છે તે જોવાનો આગ્રહ રાખો. જો એ તમને લાઈવ કેમેરામાં બતાવી શકે તો એ લોકો પારદર્શક છે એની ખાતરી થાય. માત્ર પૈસા કમાવા માટે બનેલું અન્ન સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

રાશિ ભવિષ્ય 09/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 09/08/2024

મોહમ્મદ યુનુસે સંભાળી બાંગ્લાદેશની કમાન, PM મોદીએ પાઠવી શુભકામના

ઢાકા: હિંસાની આગમાં શેકાઈ રહેલા પડોશી દેશમાં આખરે નવી સરકારની રચના થઈ ગઈ છે. શેખ હસીનાના તખ્તાપલટ બાદ નવી વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસ અને નવી વચગાળાની સરકારના સભ્યોને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે.

શેખ હસીનાએ 15 વર્ષ સુધી બાંગ્લાદેશ પર એકતરફી શાસન કર્યું. અવામી લીગના નેતા શેખ હસીનાને સોમવારે ભારે બળવાને કારણે રાજીનામું આપી દેશ છોડવાની ફરજ પડી હતી. વચગાળાની સરકારના પ્રમુખ બનવા માટે ડૉ. યુનુસ લંડનથી રાજધાની ઢાકા આવ્યાં હતા. ડો.યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવાની માંગ બાંગ્લાદેશના વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. તેમણે સેના સહિત તમામ રાજકીય પક્ષોને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓ અન્ય કોઈને વડા બનાવવાનું સ્વીકારશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા છે. PM મોદીએ કહ્યું છે, કે ‘પ્રોફેસર મોહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારી બદલ શુભકામનાઑ. આશા રાખું છું કે જલ્દી જ સ્થિતિ સામાન્ય થશે અને હિન્દુઓ તથા અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે ભારત બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા તૈયાર છે.’

અનામત મામલે બાંગ્લાદેશમાં હજુ પણ હિંસા ચાલુ છે. શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના ઓછામાં ઓછા 29 સમર્થકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ રીતે બાંગ્લાદેશમાં મૃત્યુઆંક વધીને 469 થયો છે. હિંસા બાદ ત્યાં હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. હિંસાનો ભોગ બનેલા હિંદુ લઘુમતી અને અવામી લીગના સમર્થકો ભારતીય સરહદ પર એકઠા થયા છે અને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.