મુંબઈ: કેન્દ્રની મોદી સરકારે બુધવારે વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર કરવા માટે એક સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષે સર્વસંમતિથી આ બિલનો વિરોધ કર્યો, જ્યારે શાસક પક્ષ તરફથી લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલ લાવવાની જરૂર કેમ પડી? જ્યારે વક્ફ બોર્ડ સંશોધન બિલ સંસદમાં લાવવામાં આવ્યું હતું, ત્યારે ઉદ્ધવ જૂથના તમામ 9 લોકસભા સાંસદો ગૃહમાંથી ગાયબ હતા. AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે આ અંગે નિવેદન આપ્યું છે.

“મુસ્લિમો ઉદ્ધવને જવાબ આપશે”
વારિસ પઠાણે કહ્યું,”જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ઉદ્ધવને મુસ્લિમ મતોની જરૂર હતી. મોટી સંખ્યામાં મુસ્લિમોએ તેમને મત આપ્યો, પરંતુ જ્યારે કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા મુસ્લિમો પાસેથી વકફની જમીન છીનવી લેવા માંગે છે, ત્યારે ઉદ્ધવના સાંસદો ગાયબ હતા.” તેમણે કહ્યું,”મહારાષ્ટ્રના મુસ્લિમો બધુ જોઈ રહ્યા છે. જ્યારે તેઓ વોટ માંગે છે, ત્યારે તેઓ મુસ્લિમો પાસે વોટ માંગવા આવે છે, પરંતુ જ્યારે કેન્દ્ર સરકાર તેમના અધિકારો છીનવી રહી છે ત્યારે તેઓ ગુમ થઈ રહ્યા છે. મુસ્લિમો આગામી સમયમાં ઉદ્ધવને જવાબ આપશે. વિધાનસભા ચૂંટણી આપશે, દરેક વસ્તુનો હિસાબ થશે.”
બિલ જેપીસીને મોકલ્યું
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગુરુવારે વકફ એમેન્ડમેન્ટ બિલ-2024 સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યું હતું. અગાઉ કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજજુ દ્વારા લોકસભામાં તેને રજૂ કરવામાં આવ્યું હતું. ચર્ચા દરમિયાન તેમણે બિલને જેપીસીને મોકલવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ બિલનો કોંગ્રેસ, SP, NCP (શરદ પવાર), AIMIM, TMC, CPI(M), IUML, DMK, RSP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વકફ પ્રોપર્ટી જાહેર મિલકત નથી. વકફ પ્રોપર્ટી એટલે મસ્જિદ અને દરગાહની જગ્યા. સરકાર કહી રહી છે કે અમે મહિલાઓને સભ્ય બનાવીશું. શું તેઓ બિલકીસ બાનોને સભ્ય બનાવશે, આ સરકાર મુસ્લિમોની દુશ્મન છે.





નીરજ ચોપરાએ સતત બીજી વાર ઓલિમ્પિક મેડલ જીત્યો છે. નીરજ એવો પહેલો ખેલાડી છે જે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હોય. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. આ પહેલા ભારતે ચાર મેડલ જીત્યા હતા. જેમાંથી ત્રણ બ્રોન્ઝ શૂટિંગમાં અને એક હોકીમાં આવ્યો હતો.
પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ભાલાફેંકની ફાઇનલ મેચમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અરશદ નદીમનો પહેલો થ્રો પણ ફાઉલ હતો પરંતુ પછીના થ્રોમાં અરશદે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સાથે તેણે નવો ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો હતો અને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. નીરજે પણ આગલા થ્રોમાં પુનરાગમન કર્યું અને 89.45 મીટર સાથે બીજું સ્થાન મેળવ્યું. નીરજના કૂલ 5 થ્રો ફાઉલ થયા હતા.
વાઈફાઈ વિના જીવી શકીશું પણ ઓક્ષિજન વિના જીવન શક્ય છે ખરું? છેલ્લા કેટલા બધા સમયથી વૃક્ષારોપણમાં તમે કેટલા વડ, પીપળા કે લીંબડા વાવ્યા? વાંસ, સપ્તપર્ણી કે ગુલમહોર એ વૃક્ષો જેટલો ઓક્સીજન આપી શકશે? વળી કોનોકાર્પાસ જેની વાવણી અઢળક પ્રમાણમાં થઇ છે એ તો કેટલાક દેશોમાં પ્રતિબંધિત છે. અન્ય દેશોમાં જે પ્રતિબંધિત છે એવા મસાલા પણ આપણે રાજી થઈને ખાઈએ છીએ. જે ખોરાક કેન્સર કરે તે પ્રતિબંધિત ન હોય તો એને સ્વાસ્થ્યના ભોગે પણ ખાવો જરૂરી છે? જીવન આપણું પોતાનું છે. અને રોગને ભોગવવાનો પણ દરેકને પોતાને હોય છે. એ સમજવું ખુબ જરૂરી છે.


