શેર માર્કેટમાં પાછલા થોડા સમયથી ઉત્તાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આજે સવારે કિંમતી ધાતું એટલેકે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. સ્થાનીય બજારમાં સોનાની કિંમતો 1000 પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમતો મંગળવારે 66400 હતી જે આજે 80 ઘટીને 65600 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. ગુજરાત મહાનગરમાંના એક અમદાવાદમાં ગઈકાલે સોનાની કિંમતો 72000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ સ્થિર રહ્યા હતા. તો ચાંદીનો ભાવ રૂ. 500 ઘટી રૂ. 80500 પ્રતિ કિગ્રા બોલાઈ રહ્યો હતો. MCX પર 7 ઓગસ્ટના 3 વાગ્યા મુજબ 69017 પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 5 સપ્ટેમ્બર વાયદો 79315 પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યું છે.

ત્યારે કોમોડિટીની આ ઉથ્થલ પાથલનું કારમએ અમેરિકી ડોલર હોવાનું જાણવા સૂત્રો પાસેથી મળી રહ્યું છે. અમેરિકી ડોલરમાં તેજીના કારણે સોનાના ભાવમાં પ્રેશર જોવા મળ્યું છે. કોમેક્સ પર સોનાનો ભાવ ઘટી 2388 ડોલર પ્રતિ ઔંશ થયો હતો. એક દિવસ પહેલાં તે 2400 ડોલર પ્રતિ ઔંશ હતો. અમેરિકામાં મંદીની ભીતિ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા સર્જાઈ છે. ડોલર ઈન્ડેક્સમાં તેજીના પગલે સોનામાં પ્રેશર જોવા મળ્યું છે. ટ્રેઝરી યીલ્ડમાં વધારો પણ કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો થયો છે. જો કે, રોકાણકારોને હજી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટે તેવી આશંકા છે. ફેડ તરફથી રેટ કટનું ચિત્ર સ્પષ્ટ થાય બાદમાં સોના-ચાંદીનું વલણ નક્કી થવાનો કોમોડિટી નિષ્ણાતે જણાવ્યુ છે.


મૂળ અમદાવાદના અને હાલમાં અમેરિકાના ડલાસ ખાતે સ્થાયી થયેલા સ્વાતંત્ર્યસેનાની દંપતી સ્વ. ગોકળદાસ પટેલ અને સ્વ. લલિતાબહેન પટેલના દીકરા અશોકભાઈ પટેલે મુખ્યમંત્રીના પ્રકૃતિ પોષક અભિયાનને ડલાસથી સમર્થન આપ્યું છે. તેમણે ડલાસ સ્થિત તેમના નિવાસસ્થાને માતાની યાદમાં છોડ રોપી અમેરિકામાં વસતા તમામ ભારતીયો અને ગુજરાતીઓને આ અભિયાનમાં જોડવાનો સંકલ્પ લીધો છે.
અશોકભાઈ જણાવે છે, “ભારતીય માટીની સુગંધ પ્રસરાવતા આવા અભિયાનોથી વિદેશની ધરતી પર ભારતીયો અને ગુજરાતીઓનું ગૌરવ વધે છે. જેથી અમેરિકામાં વસતા NRI અને NRG નાગરિકોને પણ તેમના માતાના સન્માનમાં આ અભિયાનમાં જોડવાનો અમારો સંકલ્પ છે.”
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી આઝાદીના આંદોલનમાં જોડાયેલા ગુજરાતીઓ પૈકી દંપતી ગોકળદાસભાઈ અને લલિતાબહેન પ્રથમ પંક્તિમાં સામેલ હતા. શિક્ષણ અને સમાજ સુધારા માટે પણ તેમનું યોગદાન અનન્ય છે. જેને પગલે તેમના પુત્ર અશોકભાઈ અને સમગ્ર પરિવારને રાષ્ટ્રભાવના વરસામાં મળી છે, તેમ કહેવું જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. આમ, વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો થકી ‘એક પેડ મા કે નામ’ અભિયાન વસુધેવ કુટુંબકમની તર્જ પર દુનિયાભરમાં વિસ્તરી રહ્યું છે અને દુનિયાભરના નાગરિકોને પ્રેરણા આપી રહ્યું છે.




“આ ઓરિએન્ટેશન પ્રોગ્રામના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના પૂર્વ નિયામક પંકજ ઓંધિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કરીને વિદ્યાર્થીઓ સાથે મૂલ્યવાન આંતરદૃષ્ટિ શેર કરતાં ખાસ કરીને UPSC અને GPSC જેવી સિવિલ સેવાઓમાં કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી. IAS અને IPS જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માટે પ્રારંભિક તૈયારીના મહત્વ પર ભાર મૂક્યો, તેમજ યોગ્ય અભિગમ અને સફળતા માટે નિર્ણાયક પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યાર બાદ સંસ્થાના ડિરેક્ટર ડો. નેહા શર્માએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.
કાર્યક્રમમાં ડૉ. રવિરાજ ગોહિલ, ડૉ. નીરવ વ્યાસ અને ડૉ. સુરભી પિલ્લઈ દ્વારા નિષ્ણાત સેશને લેવામાં આવ્યા હતા. ડૉ. વ્યાસે “સમસ્યા-ઉકેલ અને નવીન કૌશલ્યો, “વિદ્યાર્થીઓના વિવિધ પડકારો પર પ્રકાશ પાડતા અને સંશયવાદ અને આશાવાદ પર ભાર મૂકતા, નવીન ઉકેલો પ્રદાન કરવાની ચર્ચા કરી.” ટેક્નોલોજી ઓફ અવર ટાઈમ” પર ડૉ. ગોહિલના સેશનમાં જટિલ તકનીકી ખ્યાલોને અસરકારક રીતે સમજાવવામાં આવ્યા હતા. ડો. પિલ્લાઇએ ભાષા સુધારણા અને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપતા “કોમ્યુનિકેશન અને પર્સનાલિટી ડેવલપમેન્ટ”ના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઇન્ટરેક્ટિવ સત્રોની વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.



