બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતમાં પણ હલચલ મચી ગઈ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આજે સંસદમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી, તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ સંસદમાં પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ સચિવ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ અહીં હાજર છે, જેમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અને સરહદ સુરક્ષા પર ચર્ચા કરવામાં આવશે. પૂર્વ સ્પેશિયલ ડીજી BSF વાયબી ખુરાનિયા પણ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે.

બાંગ્લાદેશની સ્થિતિ અંગે ગૃહમંત્રી અમિત શાહે પણ આજે વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને મંત્રીઓએ પાડોશી દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. તેમણે આજે સંસદમાં બાંગ્લાદેશમાં ઉભરી રહેલા રાજકીય સંકટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, જાન્યુઆરી 2024 થી તણાવ અને હિંસાની સ્થિતિ યથાવત છે, ખાસ કરીને જૂન અને જુલાઈમાં સરકારની નીતિઓ વિરુદ્ધ વિદ્યાર્થીઓના વધતા આંદોલનને કારણે, પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી.

19000 ભારતીય નાગરિકો વતન પરત ફર્યા
જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે અશાંતિ સમયે લગભગ 19,000 ભારતીય નાગરિકો બાંગ્લાદેશમાં હાજર હતા, જેમાં લગભગ 9,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આમાંથી ઘણા વિદ્યાર્થીઓ વિરોધ અને હિંસા વચ્ચે ભારત પાછા ફર્યા છે. મંત્રીએ બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવતી હિંસા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી, જેમાં તેમના વ્યવસાયો અને મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
લઘુમતીઓની સ્થિતિ પર ભારતની નજર
વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત સરકાર સ્થિતિ, ખાસ કરીને લઘુમતી જૂથોની સુરક્ષા પર નજીકથી નજર રાખી રહી છે. જયશંકરે અસરગ્રસ્ત લઘુમતીઓની સુરક્ષા માટે વિવિધ સંગઠનો દ્વારા લેવામાં આવી રહેલી પહેલોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતીય દૂતાવાસની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અપીલ કરવામાં આવી છે.





આ કાર્યક્રમમાં યુનિસેફના ન્યુટ્રીશન ઓફિસર સૌમ્યા દવેએ સ્તનપાનને પ્રોત્સાહન, સમર્થન, રક્ષણ તથા સ્તનપાનનું મહત્વ સમજાવતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ પ્રસંગે સ્તનપાન તથા પોષણ વિષયક ટેકનીકલ બાબતોની જાણકારી યુનિસેફ કન્સલ્ટન્ટ હાર્દિક શાહ અને ડૉ.કુલદીપસિંગે પૂરી પાડી હતી.



મંગળવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડિયા આ સમગ્ર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા દિવસે અને દિવસે કથળતી જાય છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા અપાયેલ એક અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે ૧૮મા ક્રમે છે જે ગુજરાત મોડેલની પોલ ખોલે છે.”
વધુમાં કોંગ્રેસ નેતાઓ આક્ષેપ લગાવ્યા કે, “ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં સરકારને વ્યાપારીકરણ અને ખાનગીકરણમાં જ રસ છે જ્યારે શિક્ષણમાં સુધાર કરવામાં ઈચ્છાશક્તિ અભાવ દેખાય છે. મૃદુને મક્કમ સરકારની શિક્ષણ ક્ષેત્રે મક્કમતા ક્યાં જતી રહે છે તે ખબર નથી પડતી. ગુજરાત મોડેલના નામે ગુલબાંગો પૌકારનારી ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે તે આ અહેવાલ દર્શાવે છે.”

તસવીર: M A Hassan Sumon (એક્સ)


અહેવાલ અનુસાર, 13109/13110 કોલકત્તા-ઢાકા-કોલકત્તા મૈત્રી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. 13129/13130 કોલકત્તા-ખુલના-કોલકત્તા બંધન એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે. 13131/13132 ઢાકા-ન્યુ જલપાઈગુડી-ઢાકા મિતાલી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. માલવાહક કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં, ભારતીય રેલવે પાસે બાંગ્લાદેશમાં 168 લોડેડ વેગન અને 187 ખાલી વેગન છે. આ ઉપરાંત બાંગ્લાદેશ માટે 8 લોડેડ રેક ભારતમાં રોકવામાં આવ્યા છે.
બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ 5મી ઓગષ્ટને, સોમવારે ઢાકા આવતી-જતી તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. એર ઇન્ડિયાએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘બાંગ્લાદેશમાં કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે તાત્કાલિક અસરથી ઢાકા અને ત્યાંથી અમારી ફ્લાઇટ્સનું નિર્ધારિત સંચાલન રદ કર્યું છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.’