Home Blog Page 1626

ગુજરાતમાં મેઘ મહેર કે મેઘ કહેર!

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચથી વધુ વરસાદ નોધાયો છે. જ્યારે વડોદરામાં 8 ઈંચથી વધુ, તિલકવાડા અને પાદરામાં 8 ઈંચ, ભરૂચ અને ખેરગામમાં 7-7 ઈંચ અને નસવાડીમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે 25 અને 26 જુલાઈના રોજા ગુજરાતાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા 28મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી સર્વત્રિક ભાર વરસાદ નોંધાયો છે. ખાસ કરી સૌરાષ્ટ્રમાં વરસાદનું મેઘ તાંડવ જોવા મળ્યું છે. તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદે તારીજી સર્જી છે. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યું છે. નોંધનિય છે કે 23મી જુલાઈના દેવભૂમિ દ્વારકામાં 3, બનાસકાંઠામાં 2, કચ્છ 2, રાજકોટ 1 અને સુરત 1 એમ કુલ 9 માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઈ જવાના કારણે નિપજ્યાં છે. તો બીજા બાજું ભારે વરસાદથી રાજ્યના જળાશયોમાં પણ નવા નીરની આવક નોંધાય છે. રાજ્યના મુખ્ય 206 જળાશયોમાંથી 46 ઓવર ફ્લો થઈ રહ્યા છે. 51 જળાશયો હાઇ એલર્ટ પર છે. રાજ્યમાં 10 નદીઓમાં પુરની સ્થિતિ છે. હાલ રાજ્યમાં સરદાર સરોવરમાં 18,2444 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના 54.61 ટકા છે.

અભિનવ બિંદ્રા ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત, PMએ આપ્યા અભિનંદન

નવી દિલ્હી: ભારતના શૂટિંગ લેજેન્ડ અભિનવ બિન્દ્રાને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા ‘ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા. બિન્દ્રાને ઓલિમ્પિક ચળવળમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દેશને ગૌરવ અપાવવા બદલઅભિનવ બિન્દ્રાને અભિનંદન પાઠવ્યા છે. બિન્દ્રાએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ’થી સન્માનિત થવા બદલ ભારતીય શૂટિંગ લેજેન્ડ અભિનવ બિન્દ્રાને અભિનંદન પાઠવ્યા. ‘ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ’એ IOC દ્વારા વ્યક્તિને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડ સમારોહ 10 ઓગસ્ટે પેરિસમાં 142મા IOC સત્રમાં યોજાશે.

ઓલિમ્પિક ઓર્ડરની સ્થાપના 1975માં કરવામાં આવી હતી. તે ઓલિમ્પિક રમતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તે ખાસ કરીને ઓલિમ્પિક ચળવળમાં વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. પરંપરાગત રીતે, IOC દરેક સંબંધિત ઓલિમ્પિક રમતોના સમાપન સમારોહમાં મુખ્ય રાષ્ટ્રીય આયોજકોને ઓલિમ્પિક ઓર્ડર આપે છે. પહેલાં આ સન્માન ઓલિમ્પિક ડિપ્લોમા ઓફ મેરિટ તરીકે આપવામાં આવતું હતું.

સેન્સેક્સમાં 600 પોઈન્ટના કડાકા સાથે માર્કેટ ખુલ્યું

મુંબઈ: ભારતીય શેરબજાર 25 જુલાઈને ગુરુવારના રોજ 600થી વધુ પોઈન્ટના ગાબડાં સાથે ખુલ્યું છે. નિફ્ટી 24,550ની નીચે છે અને સેન્સેક્સમાં 604 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. નિફ્ટી 178 પોઈન્ટના ઘટાડા સાથે ઓપન થયો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. BSEનો મિડકેપ ઈન્ડેક્સ 0.75 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.55 ટકાનો ઘટાડો નોંધાયો છે. BSEનો સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.11 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છેબુધવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે 80,148 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 65 અંક ઘટીને 24,413ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો અને 10માં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 20માં વધારો જોવા મળ્યો હતો.

24 કલાકમાં 236 તાલુકામાં મેઘ મહેર, બોરસદ-વડોદરામાં સૌથી વધુ

અમદાવાદ: રાજ્યમાં હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે. જેના કારણે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 236 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ નોંધાયો છે. ભારે વરસાદને પગલે બોરસદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે. આ વખતે મેઘરાજાની સવારી મધ્ય ગુજરાત તરફ આગળ વધી છે. અહીં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.આ સિવાય વડોદરાના પાદરા તાલુકામાં સવા 8 ઈંચ વરસાદ થયો છે. તો ભરૂચમાં 7.5 ઈંચ વરસાદ, ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં 6.5 ઈંચ વરસાદ, તો નાંદોદ અને સિનોરમાં 6-6 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઈંચ થયો છે. દેહગામમાં 5.5 ઈંચ, હાંસોટમાં 5.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ થયો છે.

૨૫ જુલાઈ, ૨૦૨૪

સુવિચાર – ૨૫ જુલાઈ, ૨૦૨૪

પંચાંગ 25/07/2024

રાશિ ભવિષ્ય 25/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શાળાઓમાં રજા

ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના વડોદરામાં બારેમેઘ ખાંગા થયા હતા. એકધારા વરસાદથી વડોદરા શહેર જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાઈ છે. સવારથી અત્યારસુધી સૌથી વધુ પાદરામાં સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જયારે વડોદરા શહેરમાં 6 ઇંચ અને શિનોરમાં 5 ઈંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે.

વડોદરામાં ભાવે વરસાદને પગલે શાળાઓ બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અંગેનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણાધિકારી આર આર વ્યાસે આદેશ કર્યો છે કે, ગુરુવારે તમામ શાળાઓને બંધ રાખવામાં આવશે. વડોદરા શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદના કારણે વડોદરા શહેર, પાદરા અને શિનોર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શિનોરના તરવા, ટીમ્બરવા, સાધલી, અવાખલ, ઉતરાજ, બાવળિયા, દિવેર, મિંઢોળ, સુરાશામળ સહિત મોટાભાગના ગામડાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સાધલી – શિનોરના માર્ગ પર પણ વરસાદી પાણી વહેતાં થયાં છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલાં ખેતરો પણ પાણીથી તરબોળ થયા. ખેડૂતોએ નવા મૂકાયેલ બિયારણના ખેતીપાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગેનીબેને સંસદમાં ચાંદીપુરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો

બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને સંસદમાં એન્ટ્રી મેળવી છે. ત્યારે આજે લોકસભામાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળ્યો. વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી અને પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રથમવાર સંસદમાં બોલ્યા હતા. ગેનીબેને ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસને ગંભીરતાથી લેવા માટેની રજૂઆત કરી હતી. લોકસભામાં ગેનીબેને ગુજરાતમાં વકરી રહેલા ચાંદીપુરા વાયરસને જલદી નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. તેમણે આ માટે આરોગ્ય ટીમની રચના કરવાની પણ વાત કરી હતી.

લોકસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આજે હું લોકસભામાં પહેલીવાર બોલી રહી છું. જેના માટે હું સૌપ્રથમ સંસદીય ક્ષેત્ર બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. જેમણે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મોકલી. મારા સંસદીય ક્ષેત્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાલના દિવસોમાં ચાંદીપુરા વાયરસ ભયંકર રૂપ લઈ રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં 84 કેસ સામે આવી ચૂક્યા છે. તેનાથી અત્યાર સુધીમાં 37 બાળકોના જીવ ગયા છે. આ આંકડાના અનુસાર, વાયરસની ઝપેટમાં આવનારા 100માંથી માત્ર 15 ટકા દર્દીને જ બચાવી શકાય છે. ગેનીબેને કહ્યું કે, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં જીવલેણ વાયરસ વધતો જઈ રહ્યો છે.

આ વાયરસ દિવસેને દિવસે ઘાતક થઈ રહ્યો છે. બાળકોને શિકાર બનાવી રહ્યો છે. વાયરસને ખુબ જ ખતરનાક માની શકાય છે. તેને ગંભીરતાથી નોંધ નહીં લેવામાં આવે તો ફરી કોરોના જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. પ્રધાનમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીને આગ્રહ છે કે ગુજરાતમાં વાયરસને ગંભીરતાથી લેવામાં આવે અને તેને રોકવા માટે જલ્દી પગલા ભરવામાં આવે.