ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે તેના આખરી તબક્કામાં પહોંચી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીએમ મોદી 31 મી તારીખે ગુજરાતની મુલાકાત લેશે, જે છેલ્લા ત્રણ મહિનામાં તેમની સતત ત્રીજી મુલાકાત હશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમો પૂર્ણ કરી સીધા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકની મુલાકાતે જશે. અહીં નાણી ગામે તૈયાર કરવામાં આવેલી નવી એરસ્ટ્રીપના નિરીક્ષણ બાદ પીએમ મોદી એક વિશાળ જનસભાને સંબોધિત કરશે, જેની સીધી અસર આગામી ચૂંટણીઓના પરિણામો પર પડી શકે છે.

પીએમ મોદીના કાર્યક્રમની વિગતો મુજબ, તેઓ ગાંધીનગરના કોબા નજીક આવેલા સુપ્રસિદ્ધ મહાવીર જૈન મંદિરના એક વિશેષ ધાર્મિક કાર્યક્રમમાં પણ સહભાગી થશે. ત્યારબાદ તેમનું ધ્યાન સરહદી વિસ્તાર એવા વાવ-થરાદ પર કેન્દ્રિત રહેશે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના દુઃખદ અવસાન બાદ ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે, અને સાથે જ રાજ્યમાં નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પીએમ મોદીની આ મુલાકાત બાદ તુરંત જ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એરસ્ટ્રીપની સુવિધા મળવી એ સુરક્ષા અને વિકાસ બંને દ્રષ્ટિએ મહત્વનું છે, અને પીએમ મોદી પોતે આ પ્રોજેક્ટના સાક્ષી બનવા જઈ રહ્યા છે. ભાજપ સંગઠન દ્વારા આ જનસભામાં મોટી મેદની ઉમટી પડે તે માટે અત્યારથી જ આયોજન શરૂ કરી દેવાયું છે. પીએમ મોદીના આ પ્રવાસને કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને સુરક્ષા વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી રહી છે. પીએમ મોદી ગુજરાતની જનતાને કયા નવા પ્રોજેક્ટ્સની ભેટ આપે છે અને ચૂંટણી લક્ષી કયા મુદ્દાઓ પર ભાર મૂકે છે તેના પર સૌની નજર ટકેલી છે.




આ કાર્યક્રમમાં જાણીતા આર્ટ કયુરેટર અનુજ અંબાલાલ અને વિવેક દેસાઈ તેમજ સુરતના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સૌરભ દેસાઈએ આ એકિઝબિશનમાં મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી છે.
ભારતના સૌથી જીવંત સાંસ્કૃતિક રાજ્યોમાંનું એક ગણાતું ઓડિશા એક એવી ભૂમિ છે, જ્યાં પ્રાચીન પરંપરાઓ, શ્રેષ્ઠ કલા અને કુદરતી સૌંદર્યનો અદભૂત સમન્વય જોવા મળે છે. પોતાની શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ અને લોક સંસ્કૃતિથી લઈને સુંદર હસ્તકલા, હાથવણાટ અને અનોખા ભોજન વારસા સુધી, ઓડિશા ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ગૌરવનું દર્શન કરાવે છે. 
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઓડિશાની જીવંત પરંપરાઓ, કલાત્મક અભિવ્યક્તિઓ અને પ્રવાસન સંભાવનાનો એક અનોખો અનુભવ રજૂ કરવાનો છે, જેમાં સંસ્કૃતિ, ભોજન, હસ્તકલા, હાથવણાટ અને ડેસ્ટિનેશન શો કેસને એક છત નીચે એકસાથે લાવવામાં આવશે.
“અમદાવાદમાં યોજાનાર ‘ઓડિશા પરબ’માં શાસ્ત્રીય, લોક અને આદિવાસી નૃત્યોનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે, જે ઓડિશાની વાર્તાલાપ શૈલી અને શૌર્યની પરંપરાઓને રજૂ કરશે. ઓડિસી, ગોટીપુઆ, સંબલપુરી નૃત્ય, પાઈકા અખાડા, ઘુમુરા, ઢેમસા, છાઉ અને ઘુડુકી જેવી અદભૂત કૃતિઓ દ્વારા પ્રેક્ષકોને ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અનોખી ઝલક જોવા મળશે.
પ્રવાસન જોડાણોને મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમના ભાગ રૂપે, પ્રવાસન આઉટરીચ ક્રિયાપ્રતિક્રિયાઓ અને પ્રવાસ વેપાર હિસ્સેદારો સાથે જોડાણ સહિત વિશેષ પહેલનું પણ આયોજન કરવામાં આવશે.

આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું, ‘મિલેટ’ એ માત્ર આહાર નથી, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક છે. તે શરીર માટે અત્યંત ગુણકારી અને પચવામાં હળવા હોય છે. દેશના સૌ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘શ્રી અન્ન’ (મિલેટ) અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં યોજાઈ રહેલાં મિલેટ મહોત્સવ વિશે વાત કરતાં જીતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રાજ્યનાં ૧૭ મહાનગરોમાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ દ્વારા બાજરી, જુવાર, રાગી, નાગલી, કાન અને મોરૈયા જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ‘શ્રી અન્ન’નો ખોરાકમાં ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પ્રસંગે પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ વર્ષ ઉજવણીની શરૂઆત કરાવી મિલેટ્સને ભારત પૂરતું સીમિત ન રાખી, દેશ-વિદેશ સુધી પહોંચાડ્યું છે. G20ના સમિટમાં પણ વિદેશના પ્રતિનિધિઓને મિલેટ્સની વાનગી પીરસવામાં આવી હતી.” મિલેટ મહોત્સવની સફળતા વિશે વાત કરતાં તેમણે કહ્યું, “ગયા વર્ષે પાંચ લાખથી પણ વધુ લોકોએ મિલેટ મહોત્સવ અને સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.”
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ક્લાઈમેટ ચેન્જની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ કુદરતી આફતના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું હોવાની વિગતો સરકાર સુધી પહોંચી છે.

AIMIMના કાર્યકર્તાઓ હાથમાં બેનર્સ અને પ્લેકાર્ડ્સ લઈને મસ્જિદની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. દેખાવકારોએ ‘UCC હટાવો, દેશ બચાવો’, ‘UCC રદ કરો’ અને ‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’ જેવા નારા લગાવ્યા હતા. દેખાવકારોનું કહેવું છે કે આ બિલ સામાજિક માળખાને નુકસાન પહોંચાડશે અને તે લિવ-ઈન રિલેશનશિપ જેવા વિષયોને પ્રોત્સાહન આપે છે, જે સંસ્કૃતિની વિરુદ્ધ છે.
