Home Blog Page 1663

ઓપન ઈન્ટરવ્યુમાં મોટી દુર્ઘટના ટળી!

ગુજરાતના ભરૂત જિલ્લના અંક્લેશ્વરમાં એક થર્મેક્સ કંપનીના દ્વારા આયોજિત ઓપન ઈન્ટરવ્યૂ આયોનજ કર્યું હતું. આ ઈન્ટરવ્યૂમાં હજારોની સંખ્યામાં યુવાનો ઊમટી પડતા હોટલની રેલિંગ તૂટી પડી હતી. આ દર્ઘટનામાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા, સદનસીબે કોય પર યુવાનને મોટી ઈજા પહોંચી ન હતી.  ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

સૂત્રોના હવાલે મળતી જાણકારી પ્રમાણે, અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડિયા GIDC સ્થિત થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કંપનીમાં માત્ર 10 જેટલા જ ઉમેદવારો માટે જગ્યા હતી. જેના માટે કંપનીએ ઓપન ઈન્ટરવ્યૂનુ આયોજન કર્યું હતું. જોત જોતામાં જ હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઊમટી પડ્યા હતા, જેથી ભારે ભીડને કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી.

ઉલ્લેખનીય છે કે આ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણવા એ પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે.

મુંબઈ: અનંત અંબાણી તરફથી સામાન્ય લોકો માટે 50 દિવસ સુધી ભંડારો

મુંબઈ: મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થવાના છે. આ લગ્ન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. અંબાણી પરિવારે આ લગ્નની ઉજવણી માટે ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. અંબાણી પરિવાર તેના લોક કલ્યાણના કાર્યો માટે પણ જાણીતો છે. તાજેતરમાં આ પરિવારે 50 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ સમૂહ લગ્નમાં નીતા અંબાણીએ તરીકે દરેક કન્યાને સોનાના દાગીના સાથે એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. અંબાણી પરિવાર અનંત-રાધિકાના લગ્નની ઉજવણી માત્ર VIP લોકો સાથે જ નહીં પરંતુ સામાન્ય લોકો સાથે પણ કરી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

45 દિવસ સુધી આખો દિવસ ભંડારો

મુંબઈના સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સામાન્ય લોકો સ્વાદિષ્ટ ભોજનની મજા લેતા જોવા મળે છે. વિરલ ભાયાણીના જણાવ્યા અનુસાર એન્ટિલિયા હેઠળ ભંડારો રાખવામાં આવ્યો છે, જે સતત ચાલુ હોય છે. સામાન્ય લોકો આખો દિવસ અહીં ભોજન કરે છે. આ ભંડારા શરૂ થયાને 45 દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ ભંડારામાં દરરોજ લગભગ 9000 લોકો ભોજન કરી રહ્યા છે. ભંડારાની છેલ્લી તારીખ 15મી જુલાઈ છે. વીડિયોમાં લોકોને ભોજન પીરસવામાં આવતા જોઈ શકાય છે. અહીં આવતા લોકો ભોજનની ખૂબ પ્રશંસા કરતા જોવા મળે છે અને અનંત-રાધિકાને તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. વિરલ ભાયાણીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘અનંત અંબાણીની ઉદારતા ખરેખર અમર્યાદિત છે. 45 દિવસથી વધુ સમય થઈ ગયો છે, દિવસભર ભંડારો ચાલુ છે.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ભંડારામાં સ્વાદિષ્ટ વાનગીઓ
વાયરલ વીડિયોમાં તમે સરળતાથી ભંડારામાં પીરસવામાં આવતી વાનગીઓ જોઈ શકો છો. જેમાં વેજ પુલાવ, ઢોકળા, પુરી, ગટ્ટેની સબ્ઝી, પનીર સબ્ઝી અને રાયતાનો સમાવેશ થાય છે. અંબાણી પરિવારે તાજેતરમાં જ હલ્દી, સંગીત અને મહેંદી સેરેમનીની ઉજવણી કરી હતી. હવે લગ્નની બાકીની વિધિઓ ઉજવવાની છે. અહેવાલો અનુસાર, ‘શુભ આશીર્વાદ’ 13 જુલાઈના રોજ થવાનું છે. આ પછી 14 જુલાઈએ ‘મંગલ ઉત્સવ’ અથવા લગ્નનું રિસેપ્શન યોજવાનું છે.

અલીગઢમાં રૂ. 35 લાખની સુગર શું વાંદરાઓ ઓળવી ગયા?

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં વાંદરાઓ રૂ. 35 લાખથી વધુની કિંમતની સુગર ઓળવી ગયાનો હેરાન કરતો કેસ સામે આવ્યો છે. વાસ્તવમાં થોડાં વર્ષો પહેલાં અલીગઢની સાથે સુગર મિલમાં મોટી માત્રામાં સુગરનો જથ્થો સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો.

આ સુગરની બજારમાં કિંમત રૂ. 35 લાખથી વધુ છે, પણ જ્યારે અધિકારીઓને આ વિશે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે સુગર તો વાંદરા ખાઈ ગયા છે. આ મામલે હવે FIR નોંધવામાં આવી છે. અહેવાલ અનુસાર સુગર મિલ વર્ષ 2021 પછી બંધ છે, પણ મિલમાં બચેલો સુગરનો સ્ટોક રાખવામાં આવ્યો હતો.

આને લઈને જિલ્લા ઓડિટ અધિકારી, પંચાયત ઓડિટ સમિતિ અને સહકારી સમિતિઓની ટીમ જ્યારે ઓડિટ કરવા પહોંચી તો તેમને માલૂમ પડ્યું હતું કે અહીં સંગ્રહ કરવામાં આવેલો 1137 ક્વિન્ટલ સુગરના જથ્થાનો કોઈ અતોપતો નથી, જ્યારે આ પહેલાં જ્યારે ઓક્ટોબર, 2023માં ઓડિટ કરવામાં આવ્યું હતું, ત્યારે અહીં રાખવામાં આવેલો સુગરનો જથ્થાનો હિસાબ બિલકુલ યોગ્ય રીતે મળતો હતો. આવામાં સવાલ એ છે કે છેવટે કેટલાક મહિનાઓની અંદર 1137 ક્વિન્ટલ સુગરનો જથ્થો ક્યાં ચાલી ગયો? એ વિશે સંબંધિત અધિકારીઓને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેઓ કોઈ તાર્કિક જવાબ નહીં આપી શક્યા. હવે આ મામલે તપાસ ચાલી રહી છે.

સુગર મિલમાં રાખવામાં આવેલો 1137 ક્વિન્ટલ સુગર લાપતા વિશે સંબંધિત અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે મિલમાં ઘણા વાંદરાઓ આવે છે.  બની શકે કે વાંદરા સુગર ખાઈ ગયા હોય. જોકે સુગર ગાયબ થવાનું એક કારણ વરસાદ પણ જણાવવામાં આવ્યું છે, પણ સવાલ એ છે કે જો વરસાદને કારણે સુગર ગાયબ થઈ જાય તો માત્ર 1137 ક્વિન્ટલ જ ખતમ થઈ તો બાકીની સુગર કેવી રીતે બચી?

 

માર્ગો પર ચણ નાખવાથી ટ્રાફિકને અડચણ, અકસ્માત, રોગચાળાનો ભય

અમદાવાદ: રાજ્યના કોઇપણ નાના-મોટા શહેરોમાં માર્ગો પર લારી, ગલ્લા, ખૂમચા તો જોવા મળી જ જાય. રોડ ઉપર જ વેપાર ધંધો કરવા ટેવાયેલા લોકો શહેરના જૂના વિસ્તારો કે એકદમ પોશ વિસ્તારોમાં પણ પોતાની જગ્યા શોધી લેવામાં નિષ્ણાત હોય છે. સરકારી ઇમારતો, મહાનગર પાલિકાના ખાલી પ્લોટ, મેદાનો, ડીવાઈડરની જગ્યાઓ પર ધંધો કરવા કેટલાંક તત્વો ટાંપીને જ બેઠા હોય છે. શહેરની ફૂટપાથો પર સ્થાપિત હિતોની રહેમ નજર હેઠળ પાથરણાં બજાર, લારી, ગલ્લા, ખૂમચાઓ સતત વધતાં જ જાય છે. જો કે છેલ્લાં કેટલાંક સમયથી શહેરોની ફૂટપાથો અને માર્ગો પરના ડિવાઇડરની વચ્ચેની ત્રિકોણીયા, ગોળ આકારની જગ્યાઓ પર ઝડપથી પૂણ્યનો એક નવો ધંધો વિકસી રહ્યો છે. પક્ષીઓને ચણ નાંખવા માટે પૂણ્યશાળીઓ માટે દાણાં વેચતા લોકો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યાન ગયું છે. શહેરની 150 કરતાં પણ વધારે જગ્યાઓ પર માર્ગની વચ્ચે જ પક્ષીઓને ચણ નંખાઈ રહ્યું છે. જે શહેરીજનો માટે ટ્રાફિકની સમસ્યા તેમજ સ્વાસ્થ્યની સમસ્યાઓ ઉભી કરે છે. AMCના અધિકારીઓએ તાજેતરમાં જ આ તારણ કાઢ્યું છે. વહેલી સવારથી જ લોકો પૂણ્યનું ભાથું બાંધવા મંદિરો અને ધર્મ સ્થાનોએ પહોંચી જાય છે. આ સાથે જીવદયા પ્રેમીઓ માર્ગો પર દાણાં વેચતા લોકો પાસે પહોંચી જાય. કેટલાક લોકો ખુલ્લા મેદાનોમાં પક્ષીઓને ચણ નાખતા જાય.ઇન્સ્ટન્ટ અને રેડીમેઇડના આ જમાનામાં ઘેરથી પક્ષીઓ માટે ચણ ના લઇ જવું પડે એટલે રોડ પર જુદા-જુદા દાણા વેચતા લોકોનો ધંધો જોરમાં ચાલી રહ્યો છે. મોટાભાગના મંદિરો અને શહેરની ખુલ્લી જગ્યાઓમાં ઘાંસચારાની લારીઓ અને પક્ષીઓના ચણના થેલા ભરીને બેઠેલા લોકો જોવા મળે છે. પક્ષીઓને અપાતા ચણમાં જુવાર, મકાઇ, મગ, બાજરી ઉપલબ્ધ હોય છે. ઘેરથી લઇ જવાની ઝંઝટ જ નહીં. છેલ્લા કેટલાક સમયથી ચણનો ધંધો સતત વિકસતો જાય છે. માર્ગો પર દબાણ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નવી મુસીબત ઉભી થઈ છે.આ સાથે પક્ષીઓને છુટ્ટા દાણાં નાખતા હોવાથી ટ્રાફિકને અડચણની સાથે રોગી પક્ષીઓના કારણે શહેરીજનોના સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાવાની શક્યતાઓથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્ક થઈ ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

આ મ્યુઝિયમ એક સમયે રાજભવન હતું…

સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી  નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, દેશની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક અમદાવાદના શાહીબાગમાં આવેલું છે. આ સંગ્રહાલયમાં સરદાર પટેલના જીવનના કિંમતી સાહિત્યનો સંગ્રહ છે. કૉંગ્રેસના આગેવાન તરીકેના અનેક પત્રો, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગેનું સાહિત્ય, પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકેના પત્રો, નાયબ વડાપ્રધાન તરીકે તથા ગૃહમંત્રી તરીકે જે નિર્ણયો લીધા તે અંગેની ફાઇલો, સાથીઓ, સંસ્થાઓ તથા મિત્રોને માર્ગદર્શન આપતા પત્રો અહીં મૂકવામાં આવ્યા છે. મ્યુઝિયમના ‘સરદાર જીવનદર્શન પ્રદર્શન’માં સરદારના સમગ્ર જીવન અને કાર્યને આ મુજબના વિષયોને ક્રમવાર આવરી લઈ તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે.

આજનું આ મ્યુઝિયમ મૂળ તો અમદાવાદની ‘મોતીશાહી મહેલ’ નામની એક ઐતિહાસિક ઇમારત હતી.1618માં મુઘલ બાદશાહ શાહજહાંએ આ મહેલ બંધાવેલો. બ્રિટિશ કાળમાં આ ઇમારત સરકારના તાબામાં હતી. ઓગણીસમી સદીમાં સત્યેન્દ્રનાથ ટાગોરનું અમદાવાદના મૅજિસ્ટ્રેટની રૂએ સત્તાવાર નિવાસસ્થાન હતું. 1878માં રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તે અહીં રોકાયેલા. સ્વતંત્રતા પછી સરકારી ઑફિસો આ ઇમારતમાં ગોઠવાઈ. 1960માં ગુજરાતની સ્થાપના પછી શરૂઆતનાં વર્ષોમાં આ રાજ્યપાલોનું સત્તાવાર નિવાસસ્થાન હતું. જેના કારણે એ રાજભવન તરીકે ઓળખાય છે.

1975માં ગુજરાત સરકારે સરદારની જન્મશતાબ્દી ઊજવવાનું નક્કી કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ જન્મશતાબ્દી સમિતિ ઢેબરભાઈના પ્રમુખપણા હેઠળ નિમાઈ હતી. આ સમિતિએ 1980ના માર્ચની સાતમીએ આ ઇમારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલયનો પ્રારંભ કર્યો. આજે સરદાર સાહેબના સ્મારક તરીકે એ ભાવિ પેઢીને પ્રેરણા આપતું મહત્વનું સ્થાન છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ગરવી ગુર્જરીનું 50 વર્ષના ઇતિહાસમાં 25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમે(GAHHDC) આ વર્ષે વેચાણનો છેલ્લા 50 વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. નિગમ દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના સ્ટૉલ રાજ્યના અનેક સ્થળોએ અને દેશના ઘણા રાજ્યોમાં આવેલા છે. આ ગરવી-ગુર્જરીમાં હાથશાળ-હસ્તકલા ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે. વર્ષ 2023-24 દરમિયાન છેલ્લાં 50 વર્ષનાં ઇતિહાસમાં નિગમે સૌથી વધુ 25 કરોડથી વધારેનું વેચાણ કર્યુ છે. આ વેચાણ ગત વર્ષ કરતાં બમણું છે.રાજ્યમાં હસ્તકલા અને હાથશાળની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાત સરકારના સાહસ તરીકે છેલ્લાં 50 વર્ષથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ કાર્યરત છે. રાજ્યના ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાના વંશ પરંપરાગત વારસાને જીવંત રાખનાર તથા હાથશાળ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ કરવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે.નિગમના વહીવટી સંચાલક લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું, “આ મહત્વની સફળતા પાછળ રાજ્યમાં યોજાયેલી જી-20 બેઠક અને ત્યારબાદ યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો નોંધનીય ફાળો રહ્યો છે, કારણ કે આ દરમિયાન દેશ-વિદેશના અનેક અતિથિઓ ગુજરાત આવ્યાં અને તેમણે મોટી સંખ્યામાં ગરવી-ગુર્જરી સ્ટૉલ્સની મુલાકાત લીધી હતી અને હસ્તકલાની કલાકૃતિઓની ખરીદી કરી હતી.”નિગમ સાથે જોડાયેલ લગભગ 7200 કારીગરો પાસેથી 19.21 કરોડનાં ઉત્પાદનોની ખરીદી કરીને નિગમનાં રાજ્ય અને રાજ્ય બહાર આવેલ વેચાણ કેન્દ્રો દ્વારા 13 કરોડનું વેચાણ કરવામાં આવ્યું.

આ સફળતામાં ફાળો આપતા મુખ્ય પરિબળો વિશે વાત કરવામાં આવે તો,સરકારી સહાયઃ જી-20 અધ્યક્ષતા અંતર્ગત ગુજરાતમાં યોજાયેલી બેઠકો તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વેચાણના આ રેકોર્ડ બ્રેકિંગ આંકડાને પાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ઉપરાંત, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલ જેવી પહેલો દ્વારા પણ પરંપરાગત હસ્તકલાની ઓળખ ઊભી કરીને તેમજ હેન્ડલૂમ ઉત્પાદનોની બજાર હાજરીને નોંધપાત્ર રીતે વેગ આપીને મહત્તમ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી છે.

સમૃદ્ધ પ્રદર્શન આયોજનઃ આ વર્ષે ગરવી ગુર્જરીએ અગાઉથી પ્રદર્શન માટે સારા સ્થળોની ઓળખ કરી હતી અને દેશભરના ખરીદદારો માટે અદ્ભુત ખરીદદારીનો અનુભવ પૂરો પાડ્યો હતો. આ વર્ષે ગુજરાતમાં તેમજ મુંબઈ, પુણે, દિલ્હી, કોલકાતા અને હૈદરાબાદ જેવા મહત્વના શહેરોમાં સૌથી વધુ પ્રદર્શનો જોવા મળ્યા હતા. માસ્ટર કારીગરો તેમજ પુરસ્કાર મેળવનાર કારીગરોની હાજરીએ એકંદર પ્રદર્શનના અનુભવમાં સુધારો કર્યો, જેના કારણે રેકોર્ડ વેચાણ થયું.નવીન ડિઝાઇનઃ ડિઝાઇનર્સની સમર્પિત ટીમે સતત સર્જનાત્મકતાઓ સાથે નવીન ડિઝાઇન્સ રજૂ કરી છે, જે પરંપરાગત સંસ્કૃતિના મૂળમાં રહીને આધુનિકતાનો પડઘો પાડે છે. આ ડિઝાઇન્સે ગ્રાહકોને આકર્ષિત કર્યા છે. કારણકે તે તેમની માંગને અનુરૂપ હતી. જેના કારણે વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાવ્યો.

કારીગર કૌશલ્ય તાલીમઃ કારીગરોના સશક્તિકરણ અને ઉત્પાદનની ગુણવત્તા વધારવામાં કૌશલ્ય વિકાસના મહત્વને ઓળખીને, ગરવી ગુર્જરીએ ડિઝાઇન તાલીમ માટે NIFT સાથે MOU કર્યા છે. ઉપરાંત, NID તરફથી કૌશલ્ય તાલીમ વર્કશોપનું આયોજન, અને NIFT દ્વારા પ્રશિક્ષિત માસ્ટર કારીગરોએ તાલીમની ગુણવત્તામાં સુધારો કર્યો છે.

નકલી સર્ટિફિકેટથી IAS બનનારી પૂજા ખેડેકર કોણ છે? લાઈફસ્ટાઈલ જાણી ચોંકી જશો

હાલ સમગ્ર દેશમાં IAS ઓફિસર પૂજા ખેડેકરનું નામ ચર્ચામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે તેના પર નકલી દસ્તાવેજો દ્વારા IAS નોકરી લેવાનો આરોપ છે. વાસ્તવમાં, પૂજા ખેડેકર પર સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે UPSC પાસ કરવા માટે નકલી વિકલાંગતા અને અન્ય પછાત વર્ગ (OBC) પ્રમાણપત્ર સબમિટ કરવાનો આરોપ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પૂજાએ વારંવાર મેડિકલ ટેસ્ટ કરાવવાની ના પાડી છે. તો ચાલો જાણીએ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી IAS પૂજા ખેડેકર વિશે કેટલીક વાતો.

મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી

ખરેખર, પૂજા ખેડેકર મહારાષ્ટ્ર કેડરની 2023 બેચની IAS ઓફિસર છે. તે હજુ પણ તેના તાલીમ સમયગાળામાં છે પરંતુ ઘણીવાર વિવાદોમાં રહે છે. એવો આરોપ છે કે પૂજા ખેડેકરે IAS ઓફિસર બનવા માટે છેતરપિંડીનો આશરો લીધો હતો. તેના ડિસેબિલિટી સર્ટિફિકેટ પર પહેલાથી જ પ્રશ્નો ઉભા થયા હતા.

નવા વિડિયો પર હોબાળો

પોસ્ટિંગ દરમિયાન ભારે માંગ બાદ હવે પૂજા ખેડેકરની વિવાદાસ્પદ મૉક ઇન્ટરવ્યૂ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નવા વીડિયોમાં પૂજા ખેડેકર OBC ક્વોટાના ઉપયોગને લઈને પ્રશ્નમાં છે. પૂજા ખેડકરની પસંદગી ઓબીસીના નોન-ક્રીમી ક્વોટામાંથી કરવામાં આવી હતી. મોક ઈન્ટરવ્યુમાં તે દાવો કરી રહી છે કે તે તેના પિતાથી અલગ રહે છે. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં તેમના પિતા અહમદનગરથી વંચિત બહુજન અઘાડીના ઉમેદવાર હતા. તેણે 40 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી પરંતુ સોગંદનામામાં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે તેની પુત્રી કે પત્ની અલગ રહે છે.

VIP નંબર, ચેમ્બર અને મકાનની માંગ

પૂજા ખેડેકર આ પહેલા પણ હેડલાઇન્સમાં રહી ચુકી છે. પૂજાએ પૂણેમાં પોસ્ટિંગ પર VIP નંબર, ચેમ્બર અને ઘરની માંગણી કરી હતી. આ અંગે ભારે હોબાળો થયો હતો અને તેની વાશીમ બદલી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પૂજાના પિતા પણ સરકારી કર્મચારી રહી ચૂક્યા છે. અગાઉ પૂજાના વિકલાંગ પ્રમાણપત્રને લઈને વિવાદ થયો હતો.

ખાનગી ઓડી કાર અને VIP નંબર

જાણકારી અનુસાર IAS ઓફિસર પૂજા ખેડેકર પોતાની પર્સનલ ઓડી કાર રાખતી હતી અને તેના પર લાલ-વાદળી લાઇટ અને VIP નંબર પ્લેટનો ઉપયોગ કરતી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ, ખેડેકરે OBC અને દૃષ્ટિહીન વર્ગો હેઠળ સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી અને માનસિક બીમારીનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું. જ્યારે પૂજા ખેડેકરને વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી માટે એઈમ્સ દિલ્હી જવાનું કહેવામાં આવ્યું, ત્યારે તે કોરોનાને ટાંકીને ત્યાં ગઈ નહોતી.

પુણેથી વાશિમ મોકલવામાં આવી

સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે 2023 બેચની IAS પૂજા ખેડેકરને તેમની તાલીમનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરવા માટે વાશિમમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તે ત્યાં 30 જુલાઈ, 2025 સુધી અધિક મદદનીશ કલેક્ટર તરીકે કામ કરશે. પુણેના કલેક્ટર સુહાસ દિવસેના અહેવાલ મુજબ, ડ્યુટીમાં જોડાતા પહેલા જ ખેડકરે વારંવાર એક અલગ કેબિન, કાર, રહેણાંક ક્વાર્ટર અને પટાવાળાની માંગણી કરી હતી. જે પ્રોબેશન અધિકારીઓને ઉપલબ્ધ નથી. પૂજા ખેડેકર પર પુણે કલેક્ટર ઓફિસમાં એક વરિષ્ઠ અધિકારીની નેમપ્લેટ હટાવવાનો પણ આરોપ હતો.

બજેટ પહેલા PM મોદી સાથે નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓની બેઠક શરૂ થઈ ગઈ છે. 23 જુલાઈએ મોદી સરકાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટ 3.0 રજૂ કરશે. આ બજેટને લઈને આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી નિપુણ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરશે. આગામી કેન્દ્રીય બજેટ માટે તેઓ તેમની પાસેથી વિચારો અને સૂચનો લેશે. આ બેઠકમાં અર્થશાસ્ત્રીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી અને અન્ય સભ્યો પણ તેમાં સામેલ છે.

સંસદનું બજેટ સત્ર 22મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે

સંસદનું બજેટ સત્ર 22મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ હશે. ગયા મહિને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ બજેટ વિશે કહ્યું હતું કે, ‘ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ વખતે સરકાર દૂરગામી નીતિઓ સાથે બજેટ રજૂ કરશે. આમાં, મુખ્ય આર્થિક અને સામાજિક ચિંતાઓ સાથે, ઘણા ઐતિહાસિક પગલાં પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને કારણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

વિકસિત ભારતના રોડ મેપ પર ચર્ચા થઈ શકે છે

કેન્દ્ર સરકારે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર સામાન્ય બજેટ દ્વારા વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર કરવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી વિકસિત ભારતના રોડમેપ પર નિષ્ણાતોના સૂચનો પણ લેશે. કેન્દ્ર સરકારનું ધ્યાન સૌથી વધુ ગરીબ, મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગ પર છે. સરકાર ગરીબ વર્ગના સશક્તિકરણ માટે નવી યોજના શરૂ કરવાની પણ યોજના ધરાવે છે.

ત્રણ સગીર વિદ્યાર્થીઓએ આઠ વર્ષની કિશોરી પર ગેન્ગરેપ, હત્યા કરી

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. નંદયાલમાં આઠ વર્ષીય એક તરુણીની સાથે તેની જ સ્કૂલના  ત્રણ સગીર વિદ્યાર્થીઓએ ગેન્ગરેપ કર્યો છે અને તેની હત્યા કરી દીધી છે. હત્યા કર્યા પછી આરોપીઓએ તેના મૃતદેહને નહેરમાં ફેંકી દીધો હતો. આ દુર્ઘટના રવિવારે સાત જુલાઈએ મુચુમરી ગામમાં બની હતી. 10 જુલાઈએ આ કેસનો ખુલાસો થયો છે.

પોલીસના જણાવ્યાનુસાર 13-17 વર્ષના સગીર યુવકો તરુણી સાથે એક જ સ્કૂલમાં શિક્ષણ લેતા હતા. આરોપીઓએ તેને નવા રમતના મેદાનમાં લઈ જવાને બહાને એક સૂમસામ જગ્યાએ લઈ ગયા હતા.

પોલીસના જણાવ્યાનુસાર આંધ્ર પ્રદેશના નંદયાલ જિલ્લામાં આઠ વર્ષીય કિશારીની સાથે ત્રણ સગીર યુવકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેની હત્યા કરી હતી. હત્યા પછી યુવકોએ પુરાવાને નષ્ટ કરવા માટે તેના મૃતદેહને નહેરમાં ફેંકી દીધી હતી. ત્રીજા ધોરણની વિદ્યાર્થિની સાથે આરોપીઓએ પહેલાં યૌન ઉત્પીડન કર્યું હતું અને પછી તેની હત્યા કરીને તેને નહેરમાં ફેંકી દીધી હતી. પીડિતાના પિતાએ રવિવારે પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી હતી. પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે.

એક આરોપીના કબૂલનામાને આધારે પોલીસ તપાસ કરી રહી છે, કિશોરીનો મૃતદેહ હજી નથી મળી આવ્યો. સ્થાનિક લોકોએ કડક સજા આપવાની માગ કરતાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બનાવમાં પીડિતા ત્રીજા ધોરણની વિદ્યાર્થિની છે, જ્યારે 12 વર્ષીય બે આરોપી છઠ્ઠા ધોરણમાં છે, જ્યારે ત્રીજા કિશોરની વય 13 વર્ષની છે અને તે સાતમા ધોરણમાં છે.

 

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની અગ્નિપરીક્ષા

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી શાસક પક્ષ ભાજપ માટે અગ્નિપરીક્ષાથી ઓછી નથી. આગામી થોડા મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને લોકસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપ પોતાની તાકાત જાળવી રાખવા માંગે છે. મહારાષ્ટ્રમાં બે દિવસમાં વિધાન પરિષદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યની 11 બેઠકો માટે 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સંખ્યાની વાત કરીએ તો, કોઈપણ ઉમેદવાર જે 23 મત મેળવશે તે MLC બનશે. આવી સ્થિતિમાં દરેક પક્ષ 23નો ક્વોટા પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના 103 ધારાસભ્યો છે. NCP (અજિત પવાર) પાસે 40 ધારાસભ્યો છે. શિવસેના (એકનાથ શિદેન) પાસે 38 ધારાસભ્યો છે. તે જ સમયે, 10 થી વધુ ધારાસભ્યોને મહાયુતિ એટલે કે શિવસેના, એનસીપી અને ભાજપનું સમર્થન છે.

મહાયુતિ માટે 11માંથી 10 બેઠકો જીતવી સરળ છે, પરંતુ જો ક્રોસ વોટિંગ થાય તો ત્રણ MBA ઉમેદવારો જીતી શકે છે. MVAની તાકાતની વાત કરીએ તો શરદ પવાર પાસે 12 ધારાસભ્યો છે. ઉદ્ધવ ઠાકરે પાસે 16 અને કોંગ્રેસ પાસે 38 ધારાસભ્યો છે. આ 12 ઉમેદવારોમાંથી ભાજપના પાંચ ઉમેદવારો સુરક્ષિત જણાય છે, જે પંકજા મુંડે, પરિણય ફુકે, સદભાઉ ખોત, અમિત ગોરખે, યોગેશ ટીલેકર છે. જ્યારે MVAમાંથી કોંગ્રેસના 1 ઉમેદવાર અને શિવસેના (UBT) ના 1 ઉમેદવાર, મિલિંદ નાર્વેકર અને પ્રજ્ઞા સાતવ સરળતાથી જીતી શકે છે. જયંત પાટીલને જીતાડવી હશે તો વોટ મેનેજમેન્ટ તેમના માટે કરવું પડશે.

વોટ મેનેજમેન્ટ શું છે? મહારાષ્ટ્રમાં 2 વર્ષ પહેલા વિધાન પરિષદની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં ક્રોસ વોટિંગ થયું અને ભાજપના ઘણા ઉમેદવારો જીત્યા અને એ જ રાત્રે એકનાથ શિંદે પહોંચી ન શક્યા અને સુરત ગયા. તે પછી મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયું. આ વિધાન પરિષદની ચૂંટણીઓને હળવાશથી ન લઈ શકાય જો ક્રોસ વોટિંગ થાય તો તે સરકાર માટે ખતરાની ઘંટડી છે. જો કે મહારાષ્ટ્રમાં એકથી બે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો મહાયુતિના ધારાસભ્યને સીધા મત મળે તો તે તમામ 9 બેઠકો જીતી શકે છે. જો મહા વિકાસ અઘાડીના જયંત પાટીલ જીતે અથવા ત્રણ ઉમેદવારો જીતે તો તેનો અર્થ એ કે ક્રોસ વોટિંગ થયું છે. તો ક્રોસ વોટિંગનો સૌથી મોટો ખતરો એનસીપી (અજિત પવાર)ના ધારાસભ્ય દ્વારા કહેવામાં આવી રહ્યો છે અને જ્યારથી લોકસભાની ચૂંટણી થઈ છે ત્યારથી અજિત પવારના ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં હોવાનું કહેવાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવાર બધાને બોલાવીને તેમના પર જીત મેળવવા માંગે છે. જો આમ થશે તો જયંત પાટીલ વિધાન પરિષદની ચૂંટણી જીતી જશે અને જો આમ થશે તો મહાયુતિના ઘણા ધારાસભ્યો પાર્ટી છોડીને મહા વિકાસ આઘાડી અથવા ઈન્ડિયા એલાયન્સમાંથી ચૂંટણી લડી શકે છે.