સુરતના રાજકારણ ફરી એક વખત ખળભડાટ જોવા મળી રહી છે. સુરતમાં ઉત્તર વિધાનસભામાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડીયા કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જ્યારે આજે તેમણે આમ આદમ પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું કે આપમાં તેમની ઉપયોગીતા ન હોય તેવી વાત કરીને રાજીનામું આપી દીધું છે.

આપના પ્રદેશ પ્રમુખને રાજીનામું આપતા દિનેશ કાછડીયાએ જણાવ્યું છે કે, હું દિનેશ કાછડીયા, પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી-ગુજરાત. રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમજ છેલ્લાં એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવોને જોતાં આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું. મળતી માહિતી અનુસાર દિનેશ કાછડીયા આગળ કઈ પાર્ટી સાથે જોડાશે તેનું કોઈ નિર્ણય કર્યો નથી





ICAI દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન અનુસાર CA ફાઈનલ 2024ની પરીક્ષામાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા (રોલ નંબર 1,25,642) 500 (83.33%) માર્ક્સ સાથે ટોપર્સ રહ્યો છે. તેના પછી દિલ્હીની વર્ષા અરોડા 480 (80.00%) માર્ક્સ સાથે બીજા અને મુંબઈની કિરણ રાજેન્દ્ર સિંહ મનરાલ તથા ગિલમન સલીમ અંસારી બંને 477 (79.5%) સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.
આ જ રીતે સીએ ઈન્ટરમીડિયએટ 2024ની પરીક્ષામાં ભિંવાડીના કુશાગ્ર રોયે 538 (89.67%) માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે. તેના પછી અકોલાનો યુગ સચિન કરિયા અને ભાયંદરનો યાગ્ય લલિત ચાંડક બંનેએ 526 (87.67%) પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે. તેના બાદ નવી દિલ્હીનો મનિત સિંહ ભાટિયા તથા મુંબઈનો હીરેશ કાશીરામ્કા બંનેએ 519 (86.50%) માર્ક્સ સાથે ત્રીજું ક્રમ પ્રાપ્ત કર્યું છે.

પૂર્વ કચ્છના દારૂના સૌથી મોટા વોન્ટેડ બુટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં આરોપી પોલીસ કર્મચારી નીતા ચૌધરી સરેન્ડર થવાના બદલે ભૂગર્ભમાં ઉતરી જતાં પૂર્વ કચ્છ પોલીસમાં દોડધામ મચી ગઈ છે. નીતાને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. નીતાનું સંભવિત સંપર્કો અને સ્થળો પર પોલીસે સર્વેલન્સ ગોઠવી દીધું છે. પરંતુ પોલીસ ખાતાની પૂર્વ કર્મચારી અને અનુભવી નીતા પોલીસને થાપ આપી હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.
આ આરોપીઓની જમીન અરજી તેમના એડવોકેટ ગુલાબખાન પઠાણ દ્વારા અમદાવાદ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી હતી. જેની ઉપર 10 જુલાઈ, 2024 સુનાવણી હાથ ધરાઇ હતી. તેમાં અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક આરોપીઓ વિદ્યાર્થી છે, કેટલાક સારી નોકરી ધરાવે છે અને કેટલાક વૃદ્ધ છે. FIR વધારી ચઢાવીને લખવામાં આવી છે. પથ્થરમારાની આગલી રાત્રે કેટલાક લોકો કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર શાહી લગાવી ગયા હતા એટલે પોલીસને આવો બનાવ બનશે તેવી શક્યતાની ખબર હતી. ભાજપ કાર્યકરો આવવાના હોવાથી કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયા હતા. પોલીસ આ બનાવ બનતા રોકી શકતી હતી. બધા કાર્યકરો અમદાવાદના રહેવાસી હોવાથી કાનૂની કાર્યવાહીમાં સહયોગ આપશે.
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં એ.સી.પી.,કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી માથે પથ્થર વાગતાં પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહ બેભાન થયા હતા. આ અંગે કર્મરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં AMCમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, હેતા પારેખ અને કોંગ્રેસના 200થી 250 જેટલાં અને ભાજપના 150-200 કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી.




