નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પરત લેવાની વિરુદ્ધ અદાણી પોર્ટ્સ અને SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ની અરજી પર સુનાવણી માટે સહમત થઈ છે. કોર્ટે અદાણી પોર્ટ્સથી 108 હેક્ટર જમીન પરત લેવાનો નિર્દેશ આપતાં ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ જારી કરી કરીને જવાબ માગ્યો છે.
અદાણી પોર્ટ્સને કચ્છમાં 108 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરી હતી, જેમાં જમીનની ફાળવણીને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જનહિત અરજીમાં સ્થાનિક સમુદાય માટે ગોચર ભૂમિના નુકસાનનો હવાલો આપવામાં આવ્યો હતો. ફાળવણી કરવાના નિર્દેશ એ જમીનનો આપવામાં આવ્યો હતો, જે 20 વર્ષ પહેલાં અદાણી જૂથને ફાળવણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે હાઇકોર્ટેને સૂચિત કરી હતી કે એ લગભગ 108 હેક્ટર ગોચરની જમીન પરત લેશે, જે 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા પોર્ટની પાસે અદાણી જૂથની એક કંપનીને આપવામાં આવી હતી. સરકારનો આ નિર્ણય નવીનલ ગામના રહેવાસીઓ દ્વારા અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિ.ને 231 એકર ગોચર જમીન ફાળવણી કરવાના નિર્ણયની વિરુદ્ધ હાઇકોર્ટમાં જનહિત અરજી દાખલ કર્યાના 13 વર્ષ પછી આવ્યો છે.
જોકે તેમણે હાઇકોર્ટે કહ્યું હતું કે અદાણી પોર્ટ્સને જે જમીનની ફાળવણી કરવામાં આવી છે, એ ગોચરની જમીન છે. તેમણે તેમની અરજીમાં તર્ક આપ્યો હતો કે ગામ ગોચરની ભૂમિની અછતનો સામનો કરી રહ્યું છે. રહેવાસીઓ અનુસાર 276 એકર ભૂમિમાંથી 231 એકર જમીન અદાણી પોટ્સને ફાળવણી થયા પછી ગામમાં માત્ર 45 એકર ગોચરની જમીન બચી છે.




વિપક્ષ નેતા અમિત ચાવડાએ પત્રમાં લખ્યું છે, “થોડા વર્ષ પહેલાં બનેલી બિલ્ડિંગ એકાએક ધરાશાયી થાય તે ચિંતાનો વિષય છે. આ બિલ્ડિંગના વપરાશ સહિતની જરૂરી પરવાનગીઓ કોના દ્વારા કઈ કક્ષાએથી અપાઈ તે તપાસ થવી જરૂરી છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સમયસર પગલાંઓ ના લેવાના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન અટકાવવાના કારણે બનતી દુર્ઘટનાઓમાં નિર્દોષ નાગરિકો જીવ ગુમાવે છે અને પરિવાર નોંધારા બની જાય છે. ઉપરોક્ત ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવાજનો અને ઈજાગ્રસ્તો ગરીબ અને મધ્યમ વર્ગના છે. ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવાજનોને અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાય ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.”
TRP ગેમ ઝોન અગ્નિકાંડને એક મહિના કરતા વધારે સમય વીતી ગયો છે. ત્યારે પીડિત પરિવારો પોતાના પ્રિયજનને ન્યાય મળવાની આશાએ બેઠા છે. આ અગાઉ 100 પાનાનો SITએ રિપોર્ટ હાઈકોર્ટને સુપરત કર્યો છે. જેમાં રાજકોટના ચાર સરકારી વિભાગોની સંડોવણી હોવાનું જણાવવામાં આવ્યું છે. આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માગ પીડિત પરિવારોએ કરી છે. આ અગ્નિકાંડમાં 27 લોકોના જીવ હોમાયા હતા. ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને જવાબદાર લોકો સામે પગલા ભર્યાં છે. જો કે હજુ પણ મોટાં માથાઓને બચાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સરકાર સામે થઈ રહ્યા છે.




આ ચાર્જશીટમાં EDએ પ્રોસીડ ઓફ ક્રાઇમનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી વિનોદ ચૌહાણના મોબાઇલથી હવાલા નોટ નંબરના ઘણા સ્ક્રીન શોટ જપ્ત થયા છે. ઇન્કમ ટેક્સે પણ પહેલાં જપ્ત કર્યા હતા. આ સ્ક્રીન શોર્ટ દર્શાવે છે કે કેવી રીતે વિનોદ ચૌહાણ પ્રોસીડ ઓફ ક્રાઇમ એટલે કે અપરાધથી આવેલા દિલ્હીથી ગોવા હવાલા દ્વારા ટ્રાન્સફર કરી રહ્યો હતો. આ નાણાંનો ઉપયોગ આપ પાર્ટી દ્વારા ગોવા ચૂંટણીમાં કરવામાં આવવાનો હતો.

