Home Blog Page 1678

રથયાત્રાને લઈ રેલ્વે મુસાફરોને નહીં થાય મુશ્કેલી..

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની નગરચર્યા પર નીકળવાને ગણતરીના દિવસો બાકી છે. રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવમાં આવી રહી છે. ત્યારે કેટલાક રસ્તા બંધ કરવામાં આવશે. તો રથયાત્રાને લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  રથયાત્રાના દિવસે અનેક રસ્તાઓ બંધ રહેશે.

  જેમાં જગન્નાથ મંદિર પાસે જમાલપુર ચાર રસ્તા, ફૂલ બજાર, ખમાસા પાસેનો રોડ સવારે બે વાગ્યાથી રથયાત્રા પૂર્ણ ના થાય ત્યાં સુધી બંધ રહેશે. આ ઉપરાંત આસ્ટોડિયા સર્કલથી રાયખડ સુધીનો રોડ સવારે 5 થી 11 અને સાંજે રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ જતા લોકો જમાલપુર બ્રિજથી અસ્તોડિયા થઈ જઈ શકશે. રથયાત્રા દરમિયાન સારંગપુર સર્કલથી કાલુપુર સુધીનો રોડ બંધ રહેશે. તો કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા સુધીનો રસ્તો 9.30થી 4.30 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે દર્શને આવતા લોકો માટે પાર્કિંગ પ્લોટની સુવિધા પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રથયાત્રા દરમિયાન રેલ્વેના મુસાફરોને મુશ્કેલીના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે પોલીસની બે વાનનો ઉપયોગ કરી શકાશે. એક સારંગપુર અને એક દરિયાપુરથી મુસાફરોને બેસાડી રેલવે સ્ટેશન પહોંચાડશે. ટ્રેનની ટિકિટ બતાવી પોલીસ વાનનો ઉપયોગ કરી શકાશે. જગન્નાથ મંદિર પાસે જમાલપુર ચાર રસ્તા, ફૂલ બજાર, ખમાસા પાસેનો રોડ સવારે બે વાગ્યાથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

બજેટમાં નાદારીની કલમોના પ્રસ્તાવોમાં સુધારાના એલાનની શક્યતા

નવી દિલ્હીઃ સરકાર ગયા વર્ષે ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) 2.0માં કેટલાંક સંશોધનો વિશે  વિચારી રહી છે. ઇનસોલ્વન્સી (નાદારી) ફ્રેમવર્કને મજબૂત બનાવવાનો ઇરાદો છે. આમાં મોટી કંપનીઓ માટે પ્રિ-પેક ઇનસોલ્વન્સી ફ્રેમવર્ક, ગ્રુપ ઇનસોલ્વન્સી, સમયબદ્ધ એડમિશન પ્રક્રિયા વગેરે સામેલ છે. આ મહિનાના ત્રીજા સપ્તાહમાં રજૂ થનારા બજેટમાં સરકાર આ સંશોધનોમાં સામેલ કરી શકે છે. એનાથી મુશ્કેલીમાં ફસાયેલી કંપનીઓનો સમય રિઝોલ્યુશન થઈ શકશે.

IBCમાં સંશોધન માટે પ્રયાસ ચાલી રહ્યા છે. આ વખતે મંત્રાલયોની વચ્ચે વાતચીત થઈ છે. આ વિશે જાન્યુઆરી, 2023માં લોકોની સલાહ માગવામાં આવી હતી. સરકાર ફાસ્ટટ્રેક કોર્પોરેટ ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન માટેની પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે. ફાઇનાન્શિયલ ક્રેડિટર્સનો જ્યુડિશિયલ પ્રોસેસની બહાર કોર્પોરેટ ડેટર માટે ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી શકે છે, એમ એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

 

સરકાર મોટી કંપનીઓ માટે પ્રી-પેકેજ્ડ ઇનસોલ્વન્સી પ્રક્રિયાનો વ્યાપ વધારવા પર પણ વિચાર કરી રહી છે. એનાથી સ્ટ્રેસ્ડ એસેટ માટે કોસ્ટ ઇફેક્ટિવ રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરી શકાશે.

હાલ NCLTમાં 600 દિવસ લાગે છે

સરકાર ગ્રુપ ઇન્સોલ્વન્સીને સરળ બનાવવા માટે પણ સંશોધન કરી રહી છે. એનાથી કોર્પોરેટ ગ્રુપ માટે કોન્સોલિડેટેડ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશનની મંજૂરી મળી શકે છે. એનાથી પ્રક્રિયા સરળ થશે અને કેસોને પરિણામો સુધી પહોંચાડી શકાશે. હાલ NCLTમાં કોઈ પણ કેસ ગયા પછી રિઝોલ્યુશનમાં 600 દિવસનો સમય લાગે છે. એનું મોટું કારણ લોનની કાયદેસરતા સ્થાપિત કરવામાં આવતા પડકારો છે.

સરકારી બેન્કોએ ઇનસોલ્વન્સીની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે કંપની મામલાના મંત્રાલયોને NesL રિપોઝિટરીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. એનાથી સરળતાથી લોનની કાયદેસરતા સ્થાપિત કરી શકાશે.

 

 

 

 

 

 

 

 

 

 

સુરતમાં ડાયમંડ બુર્સ થશે ધમ ધમતુ..

ડિસેમ્બરમાં 2023માં PM મોદીના હસ્તે સુરતમાં શરૂ કરાયેલા ડાયમંડ બુર્સની ઘણા સમયમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું. ઉદ્ધાટન બાદ ત્યાં કોઈ પણ ઓફિસ શરૂ કરવામાં આવી ન હતી. ત્યારે આગામી 7 તારીખના અષાઢી બીજના દિવસ સુરતના ડાયમંડ બુઝમાં 250 જેટવી ઓફિસો શરૂ થવાની બુર્સના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાળી સુધી 1000 ઓફિસ ડાયમંડ બુર્સમાં શરૂ થઈ જશે.

ગત દશેરાના દિવસે સુરતના ડાયમંડ બુર્સમાં કુંભઘડો મુકવામાં આવ્યો હતો. જે બાદ ડિસેમ્બર માસમાં સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જો કે, અત્યારસુધી સુરત ડાયમંડ બુર્સમાં એક પણ ઓફિસ શરૂ થઈ નથી. ત્યારે ફરી એક વખત ડાયમંડ બુર્સને વેગ વંતુ કરવાની કવાયતા હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને હવે ડાયમંડ બુર્સના સંચાલકો અષાઢી બીજના દિવસે 250 જેટલી ઓફિસો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ડાયમંડ બુર્સના સંચાલકોએ જણાવ્યું કે હાલ 500 જેટલી ઓફિસમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. સુરત ડાયમંડ બુર્સમાં દિવાળી સુધીમાં 1,000 ઓફિસ શરૂ થઈ જશે તેવો દાવો પણ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે.

સુરત ડાયમંડ બુર્સ ફરી ધમધમતું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં કતારગામ, મિની બજારથી સિટી બસ દોડાવાશે. તેમજ સિટી બસનું ભાડું ડાયમંડ બુર્સ ચૂકવશે. જેમાં દર કલાકે નોન સ્ટોપ બસ ચલાવામાં આવશે. 7 જુલાઈએ સુરત ડાયમન્ડ બુર્સનું રિ-ઓપનિંગ થશે. તેમજ 8 જુલાઈથી ‘ડાયમંડ બુર્સ રૂટ’ નામ હેઠળ બસ શરૂ થશે. સુરત મનપા ચાર ઈલેક્ટ્રિક બસ શરૂ કરશે. તેમાં 3થી 5 હજાર લોકોની અવરજવર શરૂ કરવાનો પ્રયાસ છે.

સોનાક્ષી-ઝહીરના લગ્ન પર મુકેશ ખન્નાનું નિવેદન, કહ્યું- આ લવ જેહાદ…

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે એકબીજાને 7 વર્ષ સુધી ડેટ કર્યા બાદ આ વર્ષે 23 જૂને તેમના બાંદ્રા ફ્લેટમાં તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા, જેના સુંદર ફોટા અને વીડિયો બંનેએ શેર કર્યા હતા. બંને આ દિવસોમાં તેમનું હનીમૂન માણી રહ્યા છે, પરંતુ તેમના ઇન્ટરફેઇથ મેરેજને લઈને શરૂ થયેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો.

 

બંને સ્ટાર્સને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. પોતાની પુત્રી સોનાક્ષીના લગ્ન અંગે પિતા-અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે તેમની પુત્રીએ કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી. તેમજ તેણે ઝહીરને સોનાક્ષી માટે પરફેક્ટ મેચ ગણાવ્યો હતો. તે જ સમયે હવે ટીવીના ‘મહાભારત’ અને ‘શક્તિમાન’ ફેમ મુકેશ ખન્નાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી અને આજકાલ લગ્નને ધર્મ સાથે ન જોડવો જોઈએ. મુકેશ ખન્નાએ કહ્યું કે આ લવ જેહાદ નથી.

સોનાક્ષી-ઝહીરના લગ્ન પર મુકેશ ખન્નાની પ્રતિક્રિયા

મીડિયા સાથે વાત કરતા મુકેશ ખન્નાએ કહ્યું, ‘આમાં હિંદુ-મુસ્લિમ એંગલ ન નાખો. સોનાક્ષીએ તે છોકરા સાથે અચાનક લગ્ન કર્યા નથી. બંને એકબીજાને છેલ્લા 7-8 વર્ષથી ઓળખે છે. એકબીજા સાથે રહ્યા બાદ જ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં હવે તે હિન્દુ-મુસ્લિમ નથી. જેહાદ એંગલ ત્યારે થાય છે જ્યારે કોઈ આવીને નાની છોકરીને ફસાવે છે. લગ્ન એક વર્ષમાં થાય છે. ત્યાં અરાજકતા છે. આ મુદ્દો અને એંગલ રાજકીય છે.

કહ્યું- બંનેના ઘરની વાત છે

વાત કરતા મુકેશ ખન્નાએ આગળ કહ્યું, ‘પરંતુ અહીં બંને એક્ટર છે. શું હિંદુ અને મુસ્લિમ લગ્ન નથી કરતા? આપણા જમાનામાં પણ ઘણા લોકોના લગ્ન થયા છે, તે બધા જ તેમના જીવનમાં ખુશ છે. આટલું જ નહીં મુકેશ ખન્નાએ એ લોકો સામે નારાજગી વ્યક્ત કરી છે જેઓ બંને સ્ટાર્સને સતત ટ્રોલ કરી રહ્યા છે. મુકેશ ખન્નાએ શત્રુઘ્ન સિન્હાને પણ પોતાના નજીકના અને સારા મિત્ર ગણાવ્યા હતા. તેમને એક સારા અને મહાન વ્યક્તિ તરીકે પણ ટેગ કરવામાં આવ્યા હતા. કહ્યું કે આ તેના ઘરની વાત છે.

રાહુલ ગાંધી બનશે ગુજરાતના મહેમાન..

અમદાવાદ: તારીખ 6 જુલાઈના રોજ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંઘી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગુજરાત મુલાકાતે આવશે. રાહુલ ગાંધી ગુજરાતની આ મુલાકાત દરમિયાન અમદાવાદ પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આવશે. કોંગ્રેસ કાર્યલયમાં પર થયેલા ઘર્ષણની માહિતી મેળવવા સાથે તેએ કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરશે. આ ઉપરાંત આ મામલાને લઈ જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને પણ મળવા જશે.

રાહુલ ગાંધીના આ ગુજરાત પ્રવાસને લઈ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, આવતીકાલે 12.30 વાગ્યે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોને મળશે અને સંબોધન કરશે. આ ઉપરાંત ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાોના પીડિત પરિવારોને પણ રાહુલ ગાંધી મળશે. જેમાં રાજકોટ અગ્નિકાંડ,વડોદરા હરણી કાંડ,સુરત તક્ષશિલા કાંડ અને ઉના કાંડ સહિતના કેટલાક પીડિતો રાહુલ ગાંધીને મળવા આવશે. રાહુલ ગાંધી અમદાવાદમાં દોઢથી બે કલાક રોકાશે. આ ઉપરાંત કોંગ્રેસ ભવનના પાર્કિંગ પ્લોટમાં કાર્યકરોને સંબોધશે.

2 જુલાઈએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસ કચેરીએ વિરોધ કરવા આવ્યા હતા, એને લઈને કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે કોંગ્રેસ ઓફિસની બહાર જ ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણમાં બંને પક્ષે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં બંને પક્ષના કાર્યકરો અને પોલીસકર્મચારીઓને ઈજા પહોંચી હતી, જે બનાવ અંગે પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરની ધરપકડ કરી છે અને અનેકની સામે ફરિયાદ નોંધી છે. રાહુલ ગાંધી આ તમામ કાર્યકરોને મળશે.

દિલ્હી જળ બોર્ડના મામલામાં EDના દરોડા: રૂ. 41 લાખ જપ્ત

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી જળ બોર્ડ (DJB)થી જોડાયેલા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ભ્રષ્ટાચાર મામલે દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદમાં કેટલાંય સ્થળોએ દરોડા પાડ્યા હતા. એન્ટિ કરપ્શન બ્યુરો (ACB), GNCTD, નવી દિલ્હી દ્વારા નોંધાવવામાં આવેલી FIRને આધારે EDની તપાસમાં દિલ્હીમાં 10 STPના અપગ્રેડેશનમાં રૂ. 1943 કરોડના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ FIRમાં યુરોટેક એન્વાયર્નમેન્ટલ પ્રા. લિ. નામની કંપની અને અન્ય પર વધેલા દરો પર ટેન્ડર હાંસલ કરવા માટે મિલીભગત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેનાથી સરકારી તિજોરીને ઘણું નુકસાન થયું છે.

આ દરોડામા રૂ. 41 લાખ રોકડ, વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા છે. EDએ આગળની તપાસ માટે આ સામગ્રીને જપ્ત કરી છે. આ મામલે ચાર ટેન્ડર સામેલ છે, જેની કિંમત રૂ. 1943 કરોડ છે, જે ઓક્ટોબર, 2022માં ત્રણ સંયુક્ત ઓદ્યૌગિક સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. EDને તપાસ કરતાં જણાયું હતું કે આ ટેન્ડરો વધેલા દરોએ આપવામાં આવ્યા હતા અને DJB દ્વારા અપનાવવામાં આવેલા અપનાવવામાં આવેલા ખર્ચની રકમ ઓછી હતી, જ્યારે અપગ્રેડેશનનો ખર્ચ ઓછો હતો.

આ તપાસમાં માલૂમ પડ્યું હતું કે ત્રણે સંયુક્ત ઓદ્યૌગિક સંસ્થાઓએ ટેન્ટર માટે તાઇવાનના એક પ્રોજેક્ટથી જારી એક અનુભવ સર્ટિફિકેટ જારી કર્યું હતું. આ સિવાય ત્રણે કંપનીઓએ મેસર્સ યુરોટેક એન્વાયર્નમેન્ટ પ્રા. લિ.ને પેટા કોન્ટ્રેક્ટ આપ્યો હતો.

ED કથિત કૌભાંડમાં DJB અધિકારીઓ, સંયુક્ત ઉદ્યમી કંપનીઓ અને મેસર્સ યુરોટેક એન્વાયર્નમેન્ટ પ્રા. લિ.ની ભૂમિકાની તપાસ કરી રહી છે. EDએ આ મામલે મની લોન્ડરિંગ કેસ પણ નોંધ્યો છે. EDના જણાવ્યાનુસાર પ્રારંભમાં આ ટેન્ડરનો ખર્ચ રૂ. 1546 કરોડ હતો, પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયા દરમ્યાન એને વધારીને રૂ. 1943 કરોડ કરી દેવામાં આવ્યો હતો.

 

 

Bigg Boss: રણવીર શૌરીએ પૂજા ભટ્ટનું નામ લીધા વગર કર્યો આવો ખુલાસો

મુંબઈ: રણવીર શૌરી હાલમાં ‘બિગ બોસ ઓટીટી 3’ (Bigg Boss OTT)નો ભાગ છે અને સતત સમાચારમાં રહે છે. રણવીર શૌરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ ન મળવાને કારણે શોમાં આવ્યા છે, અને પોતાની અંગત જિંદગી વિશે અનેક ખુલાસા કરી રહ્યા છે. તાજેતરમાં, રણવીરે ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પૂજા ભટ્ટ વિશે વાત કરી અને તેની સાથેના તેના સંબંધોને તેના જીવનનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું. જોકે, રણવીરે ક્યાંય પૂજા ભટ્ટનું નામ લીધું નથી. પરંતુ તમને જણાવી દઈએ કે કોંકણા સેન શર્મા સાથે લગ્ન કરતા પહેલા રણવીર શૌરી એક સમયે પૂજા ભટ્ટ સાથે રિલેશનશિપમાં હતા અને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા.

રણવીર શૌરીને બિગ બોસ OTT 3માં 2002નો એ સમય યાદ આવ્યો, જ્યારે તે ‘લક્ષ્ય’નું શૂટિંગ કરી રહ્યા હતા. તે સમયે તેને ફોન આવ્યો અને ખબર પડી કે તેની માતાની તબિયત ખરાબ છે. રણવીર શૌરીના જણાવ્યા અનુસાર, તે ફિલ્મની ટીમ સાથે લદ્દાખમાં શૂટિંગ કરી રહ્યા હતા અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તે પાછા ફરી શકે એમ નહોતા.

રણવીર શૌરીએ કહ્યું, ‘તે જ સમયે, મારે અન્ય અભિનેત્રી સાથે મારા જીવનના સૌથી મોટા કૌભાંડનો સામનો કરવો પડ્યો. હું આમાંથી સાજો થઈ શક્યો ન હોવાથી, મારા ભાઈએ મને તેની સાથે થોડા સમય માટે અમેરિકા આવવા કહ્યું. મેં અમેરિકામાં છ મહિનાનો એક્ટિંગ કોર્સ કર્યો અને મારા ભાઈ પાસેથી પૈસા ઉછીના લીધા. અમેરિકાથી પરત આવ્યા બાદ મેં 2005માં ‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’નું શૂટિંગ શરૂ કર્યું હતું.’

જ્યારે જીવન સ્થિર લાગ્યુ

રણવીર શૌરીએ વધુમાં કહ્યું, ‘તે સમયે મારી બે લાંબા સમયથી પેન્ડિંગ ફિલ્મોને રિલીઝ માટે ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. બંને એક અઠવાડિયામાં જ રિલીઝ થઈ અને હિટ થઈ ગઈ. દર્શકોને મારું કામ ગમ્યું. તે ફિલ્મો પછી આખરે મને લાગ્યું કે એક અભિનેતા તરીકે મારું જીવન સ્થિર થઈ ગયું છે અને મેં પુનરાગમન કર્યું છે.’

રણવીર શૌરી અને બ્રેકઅપ પર પૂજા ભટ્ટના ગંભીર આરોપો

એવું જાણવા મળે છે કે રણવીર શૌરી અને પૂજા ભટ્ટ 2000ના દાયકામાં મળ્યા હતા. તેઓ સારા મિત્રો બન્યા અને પછી એકબીજાને ડેટ કરવા લાગ્યા. રિપોર્ટ્સ અનુસાર રણવીર અને પૂજા ભટ્ટ પણ લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. પરંતુ થોડા સમય પછી તેઓ અલગ થઈ ગયા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રણવીર શોરીના આલ્કોહોલની લત અને અપમાનજનક વર્તનને કારણે બ્રેકઅપ થયું હતું. પૂજા ભટ્ટે રણવીર પર આલ્કોહોલિક અને અપમાનજનક વર્તનનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, રણવીરે એક ઈન્ટરવ્યુમાં આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે સામાન્ય કપલની જેમ તેમની વચ્ચે પણ મતભેદ અને ઝઘડા હતા. તે જરાય અપમાનજનક ન હતો.

કોંકણા સેન સાથે લગ્ન, છૂટાછેડા અને બાળક

બાદમાં રણવીર શૌરી અભિનેત્રી કોંકણા સેન શર્મા સાથે પ્રેમમાં પડ્યો અને તેની સાથે લગ્ન કર્યા. પરંતુ થોડા વર્ષો પછી તેમના પણ છૂટાછેડા થઈ ગયા. હવે બંને મળીને પોતાના પુત્રનો ઉછેર કરી રહ્યા છે.

વાસ્તુ: શું કુદરતનું બ્રાન્ડિંગ થઈ શકે?

શું સત્યનું બ્રાન્ડીંગ થઇ શકે? શું સાત્વિકતાનું બ્રાન્ડીંગ થઇ શકે? શું કુદરતનું બ્રાન્ડીંગ થઇ શકે? શું સંસ્કૃતિનું બ્રાન્ડીંગ થઇ શકે? અત્યારના પરિપેક્ષમાં વિચારીએ તો કેટલાક લોકો જવાબમાં હા કહે. પણ જે સનાતન છે એ બ્રાન્ડીંગ વિના પણ ચાલે જ છે. જ્યાં માર્કેટિંગ માટે મહેનત કરવી પડે અને સતત બ્રાન્ડીંગ કરતા રહેવું પડે ત્યાં વિચારવા જેવું કૈક તો હોય જ. અન્યને મોક્ષની લાલચ આપનારા પોતે ખાતરી પૂર્વક કહી શકશે કે એમને મોક્ષ મળશે જ? માણસનો મૂળભૂત સ્વભાવ કશુક વધારે મેળવી લેવાવાળો છે. અને તેથી જ કેટલાક લોકો ભગવાનનો દરજ્જો પામી અન્યનો લાભ લઇ શકે છે. ઈશ્વર તત્વ છે. એને વળી માનવ પાસેથી અપેક્ષા શું હોય? જે સમગ્ર બ્રહ્માંડનો આધાર છે એને વળી લાલચ શાની હોય?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: માણસો પાસે જે છે એમાં એ સુખી નથી. વળી સાધુને ભૌતિકતામાં રસ ન હોય એ વાત પણ વિસરાતી જાય છે. એક માણસ વાર્તા ચલાવે એટલે ભીડ જામે. પછી એ ભીડ જે બાજુ ભાગે એ બાજુ વધારે ભીડ થતી જાય. અને અંતે એ ભાગતી ભીડમાં કેટલાકનો ભોગ લેવાય જાય. આવો એક અનુભવ અમને પણ થયો. અમે મિત્રો બેગ થઇ અને એક ખુબ જાણીતા આશ્રમની એડવર્ટાઈઝ જોઈ અને યોગ શિબિરમાં ગયા. ન રહેવાની કોઈ વ્યવસ્થા, ન સરખું ખાવાનું. માણસોનો સ્વભાવ એટલો વિચિત્ર કે મન શાંત થવાના બદલે ગુસ્સો આવે. એ લોકો શિખવાડવાના બદલે મજાક કરે. ફી લઇ લીધા પછી એમને અમારી કોઈ પડી જ નહતી. ગુરુજી તો હાજર પણ નહતા. અમે ત્યાં પહોંચ્યા એટલે તરત જ એમના ગુરુ વિષે સારી સારી વાતો કરીને અમારી વિડીઓ બનાવી લીધી. હવે અમે કશું સાચું કહીએ પણ કોને? અમારા પૈસા પડી ગયા. શું આશ્રમમાં આવું ચાલે ખરું? અમારા મહેનતના પૈસા પડી ગયા એનું કાઈ નહિ?

જવાબ: ગાડરિયો પ્રવાહ દિશાહીન હોય છે. આજકાલ કેટલા સ્ટાર મળ્યા છે. કેવા રીવ્યુ છે એ બધું જ ઓનલાઈન જોવાય છે. માણસો માણસોને પૂછતા જ નથી. તમે જે વિડીયો બનાવી એ અન્ય માટે રીવ્યુ હશે. બધા સારું બોલશે તો સાચું કોણ કહેશે? તમારો સાચો અનુભવ અન્યને કહો. જેથી અન્ય આવી જગ્યાએ ન જાય. હા, દરેકના અનુભવ એક સમાન ન હોય. પણ તમારો અનુભવ અલગ છે. એ વાત અન્યને ખબર પડવી જોઈએ. ભૂલને માફ કરવી જ જોઈએ. પણ આશ્રમમાં આવું થાય એ યોગ્ય ન કહેવાય. મારી દ્રષ્ટીએ તો જો પૈસાનો આટલો મોટો વહીવટ ચાલતો હોય તો એને આશ્રમ થોડો કહેવાય? ઈશ્વરને પામવા સત્કર્મ કરો. આવા લેભાગુ લોકોમાં ન પડો. જે પોતે ભૌતિકતાથી ભરેલા છે એ તમારું શું ભલું કરશે? જાગ્યા ત્યારથી સવાર. એવું માનીને મન શાંત કરી દો. મનની શાંતિ માટે શિવ પૂજા મદદરૂપ થશે. જાતે પણ પ્રાણાયામ કરી શકાય. એ કરો.

સુચન: ઓમ નમ: શિવાયનો યોગ્ય ઉચ્ચારણ સાથેનો જાપ મનને શાંત કરી શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

ગુજરાતના 91 તાલુકામાં નોંધાયો વરસાદ..

રાજ્યમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ આજે 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું અને 13 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદની સારી  બેટીંગ જોવા મળી રહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘમહેર થઈ રહી છે. આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી આજે વરસાદી માહોલ બંધાયો હતો. ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતો ખેતી કામે જોતરાઈ ગયા છે. તો બીજી તરફ નદીમાં નવા નીર આવતા નાના ઝરણાં સક્રિય થતા હતા. ડાંગ અને સાપુતારામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. જ્યાં સુરતમાં ભારે વરસાદને પગલે મુખ્ય બજારમાં પાણી વહેતા થાય. તો નવસારી જિલ્લામાં આજે સવારે 08 થી બપોરના 12 દરમિયાન 2 ઈંચ, તો જલાલપોરમાં 2 ઈંચ, ગણદેવીમાં 2 ઈંચ, ચીખલીમાં 2 ઈંચ, વાંસદામાં 3 ઈંચ જ્યારે ખેરગામમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સુરત જિલ્લાના મિની ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે આજે સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ઉમરપાડામાં નોંધવામાં આવ્યો છે. કડાણા તાલુકામાં પોણા 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાંતામાં 202 MM, વડગામમાં 100 MM, કડાણા 84 MM,શહેરા 71 MM,તિલકવાડા 67 MM,ખાનપુર 57 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં સિઝનનો એવરેજ 21.14 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 29 ટકા વરસાદ નોંધાયો છે.

 

હાથરસ દુર્ઘટનાઃ ભોલે બાબા પાસે રૂ. 100 કરોડથી વધુની સંપત્તિ

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં થયેલી ધક્કામુક્કીમાં 121થી વધુ લોકોનાં મોત થયાં છે. કેટલાય લોકોનાં ઘર આ ભાગદોડમાં ઊજડી ગયા છે. ભોલે બાબાનું સત્સંગ મેદાન લોકો માટે કબ્રસ્તાન બની ગયું છે. આ દુર્ઘટના પછી ભોલે બાબા ફરાર છે. હવે ભોલે બાબાની સંપત્તિ પર મોટી માહિતી સામે આવી છે.

અહેવાલ અનુસાર ભોલે બાબાના આશ્રમો, ચેરિટેબલ ટ્રસ્ટને આધારે સંપત્તિનું આકલન કરવામાં આવ્યું છે. બાબાના UPના અનેક જિલ્લામાં મોટા અને ભવ્ય આલીશાન આશ્રમ છે. ટ્રસ્ટને નામે મૈનપુરી, કાસગંજ, આગ્રા, કાનપુર અને ગ્વાલિયરમાં કેટલાય મોટા આશ્રમ છે. બાબાની પાસે રૂ. 100 કરોડથી વધુની ચલ-અસલ સંપત્તિ છે.

મૈનપુરીનો એ આશ્રમ બાબાના નામ પર નથી. એને રામ કુટિર ચેરિટેબલ ટ્રસ્ટે બનાવ્યો છે. કહેવામાં આવે છે કે 200 લોકોએ એના માટે દાન કર્યું છે. આશ્રમમાં સૌથી વધુ દાન રૂ. 2.50 લાખ અને સૌથી ઓછું દાન રૂ. 10,000 બતાવવામાં આવ્યું છે.

આશ્રમની સામે 50 વીઘાની જમીન ભોલે બાબાએ લીઝ પર લઈ રાખી છે. બહાદુરનગરનો આશ્રમ આશરે 40 વીઘામાં ફેલાયેલો છે. એ સિવાય કેટલીય ધર્મશાળા પણ છે. આ સિવાય નારાયણ સાકાર હરિ ચેરિટેબલ ટ્રસ્ટને નાને સેંકડો વીઘા જમીન છે. ભોલે બાબાના ભક્તોને નામે આશરે અનેક લક્ઝરી ગાડીઓ છે.

કાનપુરના બિધનુ અલાકેના કસુઈ ગામમાં બાબાનો એક આશ્રમ છે, જે ત્રણ વીઘા જમીન છે.  ઇટાવામાં 15 વીઘા જમીનમાં બાબાનો આશ્રમ છે. નોએડા સેક્ટર 87 ઇલાબાંસ ગામમાં બાબાનો આલીશાન આશ્રમ બનેલો છે. પશ્ચિમી UP સહિત રાજ્યમાં કુલ 24 આશ્રમ બાબાએ બનાવી રખ્યો છે. દરેક જિલ્લામાં ટ્રસ્ટ અને ટ્રસ્ટે કમિટી બનાવી રાખી છે. આ કમિટી સત્સંગનું આયોજન કરાવે છે.