Home Blog Page 1683

RBIએ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ નિયમોમાં શું ફેરફાર કર્યા છે?

1લી જુલાઈથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી અંગે નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. ક્રેડિટ કાર્ડના બાકી ચૂકવણી થર્ડ પાર્ટી એપ્લિકેશનના બદલે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS)ના માધ્યમથી કરવુ પડશે. BBPS મેનેજમેન્ટ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે HDFC બેન્ક, એક્સિસ બેન્ક જેવી બેન્કોના ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી થર્ડ પાર્ટી એપ્લીકેશન થતું હોય છે. જ્યારે મામલે RBI દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી ટોચની બેન્કો એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પોતાના બાકી બિલની ચૂકવણી કરવા માટે થર્ડ પાર્ટી એપ CRED, PhonePe, Amazon Pay અને Paytmની મદદથી ઉપયોગ કરી શકશો નહીં. ઉલ્લેખનીય છે કે બેન્કિંગ સંસ્થાઓ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પ્લેટફોર્મ સાથે રજિસ્ટર્ડ ન હોવાના લીધે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

પેમેન્ટ કલેક્શન પ્રોસેસને વધુ સારી બનાવવા માટે અને અનુકૂળ બનાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા કસ્ટમર્સ માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેન્ક અને અન્ય ટોચની બેન્કોના ક્રેડિટ કાર્ડ ધરાવતા વ્યક્તિઓ માટે આ નવા નિયમો લાગૂ થશે નહીં. આ બેન્કો ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે રજિસ્ટર્ડ છે. જેથી ગ્રાહકો પોતાની પેમેન્ટ જરૂરિયાત માટે થર્ડ પાર્ટી એપનો સરળતાથી ઉપયોગ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે SBI, કોટક બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, AU સ્મોલ ફાઈનાન્સ બેન્ક, કેનેરા બેન્ક, બેન્ક ઓફ બરોડા, ફેડરલ બેન્ક, યુનિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અ સારસ્વત બેન્ક BBPS પર રજિસ્ટર્ડ છે. જ્યારે એક્સિસ બેન્ક, HDFC બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક, ઈન્ડિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને યસ બેન્ક પણ ઝડપથી રજિસ્ટ્રેશન કરાવશે. ક્રેડિટ કાર્ડ યુઝર્સે તેમની સંબંધિત બેન્ક ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે રજિસ્ટર્ડ છે કે નહીં. તેની જાણ કરવી પડશે. જેની માહિતી તેઓ બેન્કની સત્તાવાર વેબસાઈટ અથવા ઉપલબ્ધ ગ્રાહક સેવા સંચાર ચેનલ્સના માધ્યમથી મેળવી શકે છે.

રાજસ્થાનની સરકારના કેબિનેટ મંત્રી કિરોડી લાલ મીણાનું રાજીનામું

નવી દિલ્હીઃ રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ જે કહ્યું હતું, એ કરીને પણ બતાવ્યું છે. તેમણે બધાં પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજીનામાનું એલાન કર્યું હતું. કિરોડીલાલ મીણા રાજસ્થાનની ભજનલાલ સરકાર કેબિનેટ મંત્રી છે. તેમને CM ભજનલાલે તેમને રાજીનામું આપવાની ના પાડી હતી, પણ તેમણે બધાં પદો પરથી રાજીનામું આપ્યું છે.

વાસ્તવમાં લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી અટકળોનું બજાર ગરમ હતું કે કિરોડીલાલ રાજીનામું આપે એવી શક્યતા છે. વાસ્તવમાં તેઓ દૌસાથી ચૂંટણી હારી ગયા છે. તેમને રાજસ્થાનમાં ભાજપના મોટા નેતા માનવામાં આવે છે. વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે દૌસામાં વડા પ્રધાન મોદીએ મને સાત સીટોની જવાબદારી સોંપી છે. આ વખતે જો આ સાત સીટોમાંથી એક પણ સીટ હારી ગયા તો હું કેબિનેટ મંત્રીના પદથી રાજીનામું આપી દઈશ. વિપક્ષ તેમના પર સતત નિશાન સાધતો હતો. તેમણે હારની નૈતિક જવાબદારી લીધી હતી. જોકે તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં નથી આવ્યો.

કોણ છે કિરોડી લાલ મીણા?

કિરોડી લાલ મીણા રાજ્યસભા સાંસદ હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને સવાઈ માધોપુરથી ચૂંટણી ઊભા રાખ્યા હતા, જેમાં તેમણે જીત મેળવી હતી, પરંતુ લોકસભા ચૂંટણી 2024માં તેઓ દૌસાથી હારી ગયા હતા. તેઓ બે વાર લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ પાંચ વાર વિધાનસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમને ભાજપે રાજ્યમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ લોકસભા ચૂંટણીમાં દૌસાથી ચૂંટણી હાર્યા પછી તેમના રાજીનામાની અટકળો ચાલતી હતી.

 

૦૪ જુલાઈ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 04/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 04/07/2024

BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે 9 વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. 96 વર્ષના અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અડવાણીની તબિયત બગડવાના કારણે તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચંપઈ સોરેને CM પદ પરથી રાજીનામું આપ્યું

ઝારખંડના સીએમ ચંપઈ સોરેને પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજભવન પહોંચ્યા બાદ તેઓ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું. આ સાથે હેમંત સોરેને પણ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા)ના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન ગઠબંધનના ધારાસભ્યોની સર્વસંમતિ બાદ ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પરત ફરશે. ગઠબંધન નેતાઓ અને ધારાસભ્યોએ સીએમ ચંપઈ સોરેનના નિવાસસ્થાને બેઠક યોજી હતી. જેમાં સર્વસંમતિથી હેમંતને જેએમએમ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠકમાં ચંપઈ સોરેનની જગ્યાએ હેમંતને સીએમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ઝારખંડ કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીર, પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર સાથે હેમંત સોરેનના ભાઈ બસંત અને પત્ની કલ્પના પણ હાજર હતા. જો હેમંત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તો તે ઝારખંડના 13મા મુખ્યમંત્રી હશે.

હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ધરપકડના લગભગ પાંચ મહિના પછી 28 જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ધરપકડ પહેલા હેમંતે 31 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. EDએ હેમંત સોરેનની ધરપકડ કર્યા પછી, તેમના નજીકના સાથી ચંપાઈ સોરેનને રાજ્યની બાગડોર સોંપવામાં આવી હતી. ચંપાઈએ 2 ફેબ્રુઆરીએ ઝારખંડના 12મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.

હાથરસ અકસ્માત પર ભોલે બાબાએ આપી પ્રતિક્રિયા

હાથરસમાં નાસભાગને કારણે 121 લોકોના મોત થયા હતા. હજુ પણ ઘણા લોકો ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. દરમિયાન આ ઘટનાને લઈને પહેલીવાર ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિનું નિવેદન સામે આવ્યું છે. ભોલે બાબાએ એક નિવેદન જારી કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને દાવો કર્યો છે કે નાસભાગ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાએ તેમના વકીલ દ્વારા એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ડૉ. એ.પી. સિંહને નાસભાગ મચાવનારા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. હું ઘણા સમય પહેલા 2જી જુલાઈના રોજ હાથરસ ગામ ફુલારી, સિકંદરરાવ ખાતે આયોજિત સત્સંગ છોડી ગયો હતો.

તમને જણાવી દઈએ કે હાથરસ નાસભાગ કેસમાં યુપી પોલીસે સત્સંગના આયોજકો વિરુદ્ધ FIR નોંધી છે. આરોપ છે કે આ કાર્યક્રમમાં 80 હજાર લોકોને એકઠા થવા દેવામાં આવ્યા હતા, પરંતુ 2.5 લાખ લોકો ભેગા થયા હતા. જોકે, FIRમાં ભોલે બાબાના નામનો ઉલ્લેખ નથી. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આયોજકોએ પરવાનગી માંગતી વખતે સત્સંગમાં આવતા ભક્તોની વાસ્તવિક સંખ્યા છુપાવી હતી, ટ્રાફિક મેનેજમેન્ટમાં મદદ કરી ન હતી અને નાસભાગ બાદ પુરાવા છુપાવ્યા હતા.

એફઆઈઆર અનુસાર, ભોલે બાબા બપોરે 2 વાગ્યે તેમની કારમાં ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યાં જ્યાં વાહન પસાર થતું હતું ત્યાં તેમના અનુયાયીઓ ધૂળ એકઠી કરવા લાગ્યા. થોડી જ વારમાં, લાખોની બેકાબૂ ભીડ નીચે બેઠેલા અથવા નમન કરી રહેલા ભક્તોને કચડી નાખવા લાગી અને ત્યાં ચીસો પડી. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે બીજી તરફ, આયોજક સમિતિ અને સેવકોએ લાકડીઓ વડે લગભગ ત્રણ ફૂટ ઊંડા પાણી અને કાદવથી ભરેલા ખેતરોમાં દોડી રહેલી ભીડને અટકાવી દીધી, જેના કારણે ભીડ વધતી જ ગઈ અને મહિલાઓ અને બાળકો માર્યા ગયા. કચડી

આ મામલામાં બાબાના મુખ્ય સેવક દેવપ્રકાશ મધુકર અને અન્ય આયોજકો વિરુદ્ધ સિકંદરૌ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં કલમ 105 (હત્યાની રકમ ન હોવાનો દોષી માનવહત્યા), 110 (હત્યાની રકમ ન હોવાને કારણે દોષિત હત્યા કરવાનો પ્રયાસ), 126 (2) (ખોટી રીતે સંયમ), 223 (સરકારી આદેશનો અનાદર), 238 (પુરાવા છુપાવવા)નો સમાવેશ થાય છે. ઈન્ડિયન જસ્ટિસ કોડ હેઠળ આક્ષેપો કરવામાં આવ્યા છે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ ભક્તોને કરી અપીલ..

ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગ થવાથી 122 માસુમ લોકોના જીવ ગયા છે. આ દુર્ઘટનાને લઈને તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે. ત્યારે આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. સામાન્ય રીતે આ રથયાત્રામાં ભગવાનના દર્શન માટે લાખોની સંખ્યામાં લોકો ઊમટી પડતી હોય છે. આ સાથે દુર દુરથી આ રથયાત્રાનો લાહ્વો લેવા લોકો આવતા હોય છે.

ત્યારે આજે રથયાત્રાને લઈ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રકમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ, અંગ કસરતના 30 અખાડા, 18 ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડવાજાવાળા રહેશે. 1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે. જગન્નાથ મંદિરની વેબસાઇટ WWW.JAGANNATHJI AHD.ORG ઉપર ઓનલાઈન દર્શન થઈ શકશે. જમાલપુર જગન્નાથ મંદિરમાં પ્રાંગણમાં કોઈ દુર્ઘટના થાય તો 1 કરોડનો વીમો પણ લેવાયો છે.

આ ઉપરાંત ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાને લઈ અમદાવાદની રથયાત્રામાં ભાગદોડ ન થાય એ માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ ભક્તોને અપિલ કરી હતી કે, ભગવાનનાં દર્શન લોકો દૂરથી કરે. દર્શન માટે ધક્કામુક્કી કરે નહીં. ઉલ્લેખનીય છે કે રથયાત્રાને લઈ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી : ફરી થશે ભારત – પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ

આગામી ICC ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હશે જે 2025 માં પાકિસ્તાન દ્વારા યોજાવાની છે. જો કે, ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. પરંતુ પાકિસ્તાન આ ટૂર્નામેન્ટ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે એક મેચ પણ રમાવાની છે. આ મેચ ક્યારે અને ક્યાં રમાશે તે અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ભારત-પાકિસ્તાન મેચ પર મોટું અપડેટ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારત-પાકિસ્તાનની મેચની તારીખ 1 માર્ચ 2025 નક્કી કરી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, આઈસીસી બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ આ અપડેટ આપ્યું છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની આ મેચ લાહોરમાં રમાશે. પરંતુ બીસીસીઆઈએ હજુ સુધી અસ્થાયી કાર્યક્રમ પર પોતાની સંમતિ આપી નથી.

ટુર્નામેન્ટ 8 ટીમો વચ્ચે રમાશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે અને 10 માર્ચને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરમાં

આઈસીસી બોર્ડના એક સભ્યએ પીટીઆઈને જણાવ્યું કે પીસીબીએ 15 મેચની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ સબમિટ કરી દીધો છે. લાહોરમાં સાત, કરાચીમાં ત્રણ અને રાવલપિંડીમાં પાંચ મેચ રમાશે. પરંતુ સુરક્ષા અને લોજિસ્ટિકલ કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રાખવામાં આવી છે. જ્યારે, ઓપનિંગ મેચ કરાચીમાં, બે સેમી ફાઈનલ કરાચી અને રાવલપિંડીમાં, ફાઈનલ લાહોરમાં યોજાશે.

અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે

પાકિસ્તાન દ્વારા આયોજિત છેલ્લી ટુર્નામેન્ટ 2023માં એશિયા કપ હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના કારણે આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની મેચો શ્રીલંકામાં રમી હતી અને ફાઈનલ પણ અહીં રમાઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે અંગેનો નિર્ણય માત્ર ભારત સરકાર લેશે. તમને જણાવી દઈએ કે, ICC કોઈપણ બોર્ડને તેની સરકારની નીતિ વિરુદ્ધ જવા માટે દબાણ કરી શકે નહીં.