વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર તેમના ભાષણમાં ઘણા મહિનાઓથી હિંસાથી પીડિત મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે લોકોએ મણિપુરના મુદ્દે આગમાં બળતણ ન ઉમેરવું જોઈએ. 18મી લોકસભાની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર હિંસા અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે.
मणिपुर की स्थिति सामान्य करने के लिए सरकार निरंतर प्रयासरत है।
वहां जो घटनाएं घटीं, 11 हजार से ज्यादा FIR की गईं हैं, 500 से ज्यादा लोग अरेस्ट हुए हैं।
इस बात को भी हमें स्वीकार करना होगा कि मणिपुर में लगातार हिंसा की घटनाएं कम होती जा रही हैं।
– पीएम @narendramodi pic.twitter.com/61Hs4tYOjk
— BJP (@BJP4India) July 3, 2024
ગઈકાલે લોકસભામાં પીએમ મોદીના સંબોધન દરમિયાન, મણિપુર હિંસા પર નિવેદનની માંગ સાથે વિપક્ષ દ્વારા સતત હંગામો થયો હતો. પરંતુ બુધવારે રાજ્યસભામાં પીએમ મોદીએ મણિપુરની સ્થિતિ પર કહ્યું કે સરકાર મણિપુરમાં સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસો કરી રહી છે. મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી હિંસાની ઘટનાઓ સતત ઘટી રહી છે.
Our government has been constantly striving to normalise the situation in Manipur.
More than 11 thousand FIRs were filed in connection to the incidents that happened, and over 500 people were arrested.
We must also note that incidents of violence in Manipur are continually… pic.twitter.com/r5BgnRX2WO
— BJP (@BJP4India) July 3, 2024
મણિપુરમાં શાળાઓ અને કોલેજો ખુલી રહી છેઃ પીએમ મોદી
તેમણે કહ્યું કે મણિપુરમાં પણ શાળાઓ અને કોલેજો સામાન્ય રીતે ખુલી રહી છે. જે રીતે દેશના અન્ય રાજ્યોમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી, તેવી જ રીતે અહીં પણ પરીક્ષાઓ લેવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક સાથે વાત કરીને શાંતિ પુનઃસ્થાપિત કરવા અને સુમેળભર્યો માર્ગ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના નાના જૂથો સાથે વાતચીત કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા શાંતિ પુનઃસ્થાપનના કામનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ગૃહમંત્રી પોતે મણિપુર ગયા છે અને ઘણા દિવસો સુધી રોકાયા છે. અધિકારીઓ પણ ત્યાં સતત મુલાકાત લઈ રહ્યા છે. સમસ્યાના ઉકેલ માટે અમારી તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મણિપુર પણ પૂરથી પીડિત છે. ત્યાં ફસાયેલા લોકોને રાહત આપવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્યો મદદ પૂરી પાડવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આજે જ NDRFની 2 ટીમો મણિપુર મોકલવામાં આવી છે.




અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ કોંગ્રેસનાં 26 કાર્યકર્તાઓ સામે નામજોગ સહિત કુલ 250 ના ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે. ભાજપ તરફી નોંધાયેલ ફરિયાદમાં શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, NSUI ના સંજય સોલંકીનું નામ સામેલ છે. અત્યાર સુધી કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગત રોજ બંને પક્ષના કાર્યકર્તાઓએ એક-બીજા પર પથ્થરમારો કર્યો હતો. આ મામલે હવે કુલ 2 પોલીસ ફરિયાદ થઈ છે. માહિતી મુજબ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીએ પણ બંને પક્ષનાં 150 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે સરકાર તરફે ફરિયાદ લેવામાં આવી છે અને કેટલાક લોકોને ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા.
ડબલ ડિગ્રી માસ્ટર પ્રોગ્રામમાં ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયો-નેનો મટિરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ, રિમોટ સેન્સિંગ એન્ડ જિયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (GIS), જીઓટેકનિકલ અને અર્થ રિસોર્સિસ એન્જિનિયરિંગ, વોટર એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, અને સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશન સહિતની અદ્યતન શાખાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને પ્રથમ અને ચોથા સેમેસ્ટર થાઈલેન્ડમાં AIT ખાતે અને બીજા અને ત્રીજા સેમેસ્ટર ભારતમાં IIT-GN ખાતે ભણવાની અને સાથે વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસનો અનુભવ કરવાની તક મળશે. તેમને બંને સંસ્થાઓના નિષ્ણાંત ફેકલ્ટી અને શિક્ષણવિદો પાસેથી શીખવાની, ઈન્ટરડિસિપ્લિનરી રિસર્ચ ડોમેન્સને એક્સપ્લોર કરવાની અને સાથે જ વિશ્વ-સ્તરની પ્રયોગશાળાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઍક્સેસ કરવાની તક મળશે.
વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા બાદ પ્રોફેશનલ્સ બને તેની ખાતરી કરવા માટે, IIT-GN અને AIT સમગ્ર એશિયામાં ઔદ્યોગિક જૂથો, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, NGO અને સરકારી એજન્સીઓ સાથે નેટવર્કિંગની વ્યાપક તકો પણ તેમને પ્રદાન કરશે. પ્લેસમેન્ટ અને જોબ ફેરમાં સામેલ થવાથી સ્નાતક થયા પછી કારકિર્દીની પ્રગતિ માટેની ઉત્તમ તકો તેમને પ્રાપ્ત થશે. બંને સંસ્થાઓ કેમ્પસમાં રહેઠાણની સુવિધાઓ પૂરી પાડશે અને વિદ્યાર્થીઓને ઈ-વિઝા પ્રક્રિયામાં પણ મદદ કરશે. IIT-GN અને વિદ્યાર્થીઓના નાણાકીય બોજને ઘટાડવા માટે બિલ્ટ-ઇન સ્કોલરશીપ અને અન્ય નાણાકીય સહાય પણ ઓફર કરે છે.



એક અહેવાલ પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં APSEZનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે $ 37 બિલિયન સુધી પહોંચ્યું હતું. તે બીજિંગ-શાંઘાઈ હાઇ સ્પીડ રેલવે કંપનીને પણ વટાવી ગયું હતું. વધતા કાર્ગો વોલ્યુમના આ સીમાચિહ્નરૂપ આંક કંપનીના S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સમાં ઉપરની દિશા સૂચવે છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન પહેલા જ તેમની મુદત પુરી થઇ ગઇ હતી ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક પૂર્વે પ્રદેશ કારોબારીમાં કાર્યકારી પ્રમુખની નિયુક્તિ કરવામાં આવે તેવી શકયતા દર્શાવાય છે. આ સિવાય લોકસભાની ચુંટણીના પરિણામો અંગે મનોમંથન કરી ભાવી રણનીતિ તેમજ રાજકીય કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવે તેવી શકયતા છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે વિસ્તૃત માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે મીડિયાને સમગ્ર માહિતી આપી હતી. આ કારોબારી બેઠકમા કેન્દ્રીયનેતૃત્વ પણ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. કારોબારી બેઠકમા પ્રદેશના હોદ્દેદારથી મંડળના પ્રમુખ સુઘીના કાર્યકર્તાઓની હાજરી અપેક્ષિત છે. 1300થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ કારોબારી બેઠકમા ભાગ લેવાના છે.
સૌરાષ્ટ્રાના સાળંગપુર ધામ- બોટાદ ખાતે પુરુષોતમ મંદિરમાં ગુરુવારે બપોરે 3 વાગ્યાથી ભાજપની કારોબારી શરૂ થશે. જે બીજા દિવસે 5 જુલાઈ સુધી ચાલશે. કારોબારીની બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ખાસ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કારોબારીમાં હાજર રહેશે.


