Home Blog Page 1693

ઝારખંડના ભૂતપૂર્વ CM હેમંત સોરેનને HCમાંથી મળ્યા જામીન

રાંચીઃ ઝારખંડના ભૂતપૂર્વ હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા હેમંત સોરેનને જામીન આપ્યા છે. કોર્ટે 13 જૂને ચુકાદો અનામત રાખ્યો હતો. તેઓ સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવશે.

ઝારખંડના  ભૂતપૂર્વ CM હેમંત સોરેનની જમીન કૌભાંડ કેસમાં આરોપી જામીન અરજી પર હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ પહેલાં 13 જૂને સુનાવણીમાં ED અને બચાવ પક્ષ તરફથી ચર્ચા પૂરી કરવામાં આવી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો.

EDની ટીમે કથિત જમીન કૌભાંડ કેસની તપાસ કરવા 30મી જાન્યુઆરીએ દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત સોરેનના નિવાસસ્થાને પહોંચી હતી. EDના સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડામાં રૂ. 36 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. હરિયાણા નંબર પ્લેટવાળી BMW કાર પણ મળી આવી હતી જે ‘બેનામી’ નામથી રજિસ્ટર્ડ છે.

હેમંત સોરેનની જામીન અરજી પર હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંગોન મુખોપાધ્યાયની કોર્ટમાં સુનાવણી થઈ હતી. હેમંત સોરેનની લેન્ડ સ્કેમ કેસમાં 31 જાન્યુઆરીની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ કેસમાં અફસર અલી, જેએમએમ નેતા અંતુ તિર્કી, પ્રિયરંજન સહાય, વિપિન સિંહ અને ઇરશાદ સહિત અન્ય 22 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. 

શું છે મામલો?

રાંચીમાં સેનાના કબજાવાળી જમીનના સંબંધમાં ટેક્સ કમિશનરે સરકારને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે નકલી નામ અને સરનામાને આધારે સેનાની જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. નવેમ્બર-2022માં ઉદ્યોગપતિ વિષ્ણુ અગ્રવાલ, અમિત અગ્રવાલના ઠેકાણાંઓ પર દરોડા પડાયા હતા, જેમાં EDને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા હતા.

આઠ જુલાઈ, 2022એ CMના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં EDને CM હેમંત સોરેનના બેંક એકાઉન્ટ સંબંધિત ચેક બુક મળી હતી. ત્યાર બાદ તેમનું નામ આ કેસમાં જોડવામાં આવ્યું હતું.

 

 

 

 

 

મુંબઈ: કુમાર સામયિકના શતાબ્દી વર્ષ નિમિત્તે કાંદિવલીમાં કાર્યક્રમનું આયોજન

કોઈ ગુજરાતી સામયિક 100 વર્ષ પુરાં કર્યા બાદ અકબંધ તેની યાત્રા ચાલુ રાખે એ ગૌરવની અને આનંદની વાત છે. આ આનંદને ઉત્સવ તરીકે માણવા અને કુમારના 100 વર્ષની યાત્રાના અનુભવોને લોકો સમક્ષ મુકવાના ઉમદા ઉદેશ સાથે ગુજરાતી સાહિત્ય પરિષદ અને કળા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિને વરેલી કાંદિવલીની સંસ્થા સંવિત્તિના સંયુક્ત ઉપક્રમે ‘કુમાર સામયિકની શતાબ્દીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રમણભાઈ સોની અને રમણીક ઝાપડિયા

આવતી કાલે એટલે કે 29 જૂન, શનિવારના રોજ કાંદિવલી ખાતે કે.ઈ.એસ.ઇન્ટરનેશનલ સ્કૂલના હોલમાં કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં મુખ્યત્વે ‘કુમાર સામયિક’ની વિવિધ પરિપ્રેક્ષ્યથી વાત થશે અને વિતેલા 100 વર્ષનાં સમયમાં તંત્રી, વાચકોની ભૂમિકા અને સાહિત્ય સમજણ કઈ રીતે ઘડાતી ગઈ, બદલાતી ગઈ આ અંગે ચર્ચા થશે. માત્ર ગૌરવ નહીં, પરંતુ સામયિકના સમગ્રલક્ષી ઘડતરને સમજવાનો ઉપક્રમ છે. 2014થી સંવિત્તિ ગુજરાતી સાહિત્યના સત્વશીલ કાર્યક્રમ નિયમિત કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ,(અમદાવાદ) ગુજરાત બહાર સાહિત્યના ઘડતર માટે સતત કાર્ય કરવા ઉત્સુક છે. પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી સમગ્ર ભારતમાં ગુજરાતી સાહિત્યના અનેક કાર્યક્રમ કરવા આતુર છે અને ખાસ કરીને મુંબઈના ગુજરાતી સાહિત્ય ભાવકોને પરિષદ સાથે જોડવાનું લક્ષ્ય પણ રાખે છે ત્યારે સંવિત્તિ, કાંદિવલીની સંસ્થા સાથેનું જોડાણ એક મહત્વનો આરંભ બની રહેશે.

પ્રફુલ રાવલ અને હસિત મહેતા

આ કાર્યક્રમની ભૂમિકા સાહિત્ય પરિષદના મંત્રી ડૉ.સેજલ શાહ રજૂ કરશે. કુમાર સામાયિકનો ઈતિહાસ :પ્રફુલ્લ રાવળ પ્રસ્તુત કરશે. તેમ જ “જ્ઞાનનાં વિશાળ ફલકનું સાંકળિયુ -કુમાર” શીર્ષક હેઠળ હસિત મહેતા રજૂઆત કરશે. કુમારના સ્થાપતિ બચુભાઈ રાવત અને રમણભાઈ સોની પોતાના વિચારો-મનોભાવ વ્યકત કરશે. ચાર દાયકા સુધી વિવિધ યુનિવસિર્ટીઓમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણભાઈ સોની ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. કલાતીર્થ દ્વારા થનાર કુમાર વિશેષનાં પાંચ અંકો -ભૂમિકા અને કારણો અંગે રમણીક ઝાપડિયા વાત કરશે. કુમાર સામયિક સાથેના કેટલાંક અંગત સંસ્મરણો સુપ્રસિધ્ધ સાહિત્યકાર ડો. દિનકર જોશી, અને સંવિત્તિના એક સ્થાપક સભ્ય અને મુખ્ય સુત્રધાર કીર્તિ શાહ રજૂ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંવિત્તિના ફાઉન્ડર્સમાંના એક સભ્ય ડૉ. હાર્દિક ભટ્ટ કરશે.

સાહિત્ય રસિક અને કુમાર પ્રેમીઓને હાર્દિક આમંત્રણ. કાર્યક્રમ નિઃશુલ્ક રહેશે અને બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલો ધોરણે રહેશે.

 

ભારે વરસાદને પગલે દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટનાઃ એકનું મોત, છ ઘાયલ

નવી દિલ્હીઃ દિલ્હી NCRમાં મોન્સુનના પહેલા વરસાદે લોકોની હાલત બગાડી દીધી હતી. મુશળધાર વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના બની છે. વરસાદને કારણે ટર્મિનલ-1ની છત તૂટી ગઈ છે. આ દુર્ઘટનામાં એક કાર છતની નીચે દબાઈ ગઈ છે. આ ઘટનામાં એકનું મોત થયું છે અને છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે ફાયરબ્રિગ્રેડની કેટલીય ગાડીઓ પહોંચી છે.

ફાયરબ્રિગ્રેડ ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારના ભારે વરસાદની વચ્ચે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-એકની છતનો એક ભાગ ટેક્સીઓ સહિત કારો પર પડવાથી છ લોકો ઘાયલ થાય છે.

આ ક્ષતિગ્રસ્ત વાહનોમાં કોઈ વધુ લોકો ના ફસાયા હોય, એ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છતની શીટ સિવાય સપોર્ટ બીમ પણ પડ્યો હતો, જેનાથી ટર્મિનલના પિક-અપ અને ડ્રોપ ક્ષેત્રમાં ઊભેલી કારોને નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત સવારે 5.30 વાગ્યે થયો હતો. દુર્ઘટનાની માહિતી મળતા જ દિલ્હી ફાયર સર્વિસની ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  છતનો ભાગ અને તેના સપોર્ટિંગ બીમ તૂટી પડ્યા, જેને કારણે ટર્મિનલના પિક-અપ અને ડ્રોપ એરિયામાં પાર્ક કરેલી કારને નુકસાન થયું. છત સીધી ત્યાં પાર્ક કરેલી કાર પર પડી, જેના કારણે ઘણું નુકસાન થયું હતું. કારની અંદરથી એક વ્યક્તિને બહાર કાઢવામાં આવી છે, જેના પર લોખંડનો બીમ પડ્યો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બાકીના લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

દિલ્હીમાં વરસાદને કારણે રસ્તા પર ઝાડ પડવાને કારણે લાંબો ટ્રાફિક જેમ થયો હતો. સૌથી વધુ મુશ્કેલી ઓફિસ જતા લોકોને ઉઠાવવી પડી હતી. વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

વાસ્તુ: માન-અપમાન વચ્ચે તમારું વ્યક્તિત્વ સાચવી રાખો

તમે સહુથી વધારે કોને પ્રેમ કરો છો? જવાબો ઘણા હશે. હવે એક પરિસ્થિતિનો વિચાર કરીએ. તમે જેનું નામ વિચાર્યું છે એ વ્યક્તિ સાથે તમે અચાનક એક ઊંડા જળાશયમાં પડી જાવ છો. તમે સહુથી પહેલા શું કરશો? આ પ્રશ્નના પણ ઘણા જવાબો હોઈ શકે. પણ સાચો જવાબ છે કે તમે શ્વાસ લેવા ઉપર આવવા પ્રયત્ન કરશો. એનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ સહુથી પહેલા પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરે છે. જો વિચારવાનો સમય મળે તો અન્ય ઘટના વિચારી શકાય. તેથી જ કદાચ આપણા ગ્રંથોમાં પ્રતિષ્ઠા, ધન, વૈભવ વિગેરેને ક્ષણિક સુખ માનવામાં આવે છે. વધારે ધન સુખ ભલે ન આપી શકે પણ અન્યનું સુખ ઓછુ કરવામાં મદદ જરૂર કરી શકે.

શું તમને દુખી થવું ગમે છે? કોઈને ન ગમે. તો પછી આપણા સુખની ચાવી આપણે અન્યના હાથમાં કેવી રીતે આપી શકીએ? કોઈ આપણી ઉપર પ્રહાર કરે તો આપણે બે ક્રિયા કરીએ. એક આત્મ રક્ષા અને બીજું સામે પ્રહાર. આમ તો ત્રીજો રસ્તો ભાગી જવાનો પણ છે. પણ એ યુદ્ધના નિયમોમાં નથી આવતું. ભાગવું અને પ્રહાર કરવો એ બંને સરળ કામ છે. માત્ર ઢાલ લઈને યુદ્ધ જીતવું કઠીન છે. અને એ ઢાલ છે આપણું વ્યક્તિત્વ. ક્યાં અટકવું, ક્યાં ઝૂકવું અને ક્યાં ખદેડવું એ સમજાઈ જાય તો પુરતું છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર જરૂર પૂછી શકો છો.

સવાલ: માણસને ખબર છે કે એ કશુજ નથી લઇ જવાનો તો પણ બધું ભેગું કરવા માટે આટલા કાવાદાવા કરે છે. અન્યનું અપમાન કરીને નીચા દેખાડે છે. અને કોઈનું છીનવી લેવાની દાનત રાખે છે. જો એ સાથે લઇ જઈ શકતા હોત તો? તો કદાચ માનવ જાતી બચી જ ન હોત. થોડા સમય પહેલા એક જગ્યાએ અમે બેઠા હતા. એક વ્યક્તિ આવી અને મારું અપમાન કરવા પ્રયત્ન કર્યો. મારું ધ્યાન ન હતું એટલે મને તો ખબર પણ ન પડી. એણે થોડા સમય પછી ફરી પ્રયત્ન કર્યો. મને એમ કે એ કોઈ બીજા વિશે કહે છે. અંતે એ વ્યક્તિએ મારું પાકીટ છીનવી લીધું. મેં ત્વરાથી એ પાછું લઇ લીધું. થોડા સમય પછી મારી એક મિત્રે સમજાવ્યું કે આ બધું તારા વિશે બોલાતું હતું. જેમને આપણે સરખું ઓળખતા નથી એવા લોકો પણ ભુરાયા થશે તો સમાજનું શું થશે? આનો ઉપાય શું?

જવાબ: તમારું અજ્ઞાન, સહજતા અને ભોળપણ એ તમારી તાકાત છે. કોઈ અપમાન કરે છે એ પણ તમને ન સમજાય તો એ તો ખાસિયત ગણાય. અન્ય કોઈએ તમને સમજાવ્યું ત્યાં સુધી તમે સુખી હતા. બસ તમારું વ્યક્તિત્વ સાચવી રાખો. કોઈ તમને દુખી નહિ કરી શકે.

ભૌતિકતાની ભૂખ એ ભારતીય વિચારધારા ન હતી. હવે ખોટા લાઈક્સ, ખોટી વાહવાહી, ક્ષણિક વખાણ એ બધાની પાછળ ભાગતો સમાજ જીવનના મુલ્યો ભૂલતો જાય છે. વળી બધાએ સ્વીકારી લીધું છે કે કળીયુગમાં આવું જ થાય. કલિયુગ તો હજારો વરસથી ચાલતો આવે છે. આપણે જ્યાં સુધી સ્વને નહિ સમજી શકીએ ત્યાં સુધી આ રેસ ચાલતી રહેવાની છે. તમે સહજ છો. એવા જ રહો.

સવાલ: હું નાની હતી ત્યારે જો છોકરો દારૂ પીતો હોય તો એ ઘરમાં કોઈ દીકરી ન દેતા. આજે એ સ્ટેટસ ગણાય છે. મારી દીકરીના લગ્ન એક સારા ધનવાન ઘરમાં થયા. જમાઈના ઘરમાં બધાને વ્યસન છે. મારી દીકરી છુટા છેડા લેવાનું કહે છે. સમાજ શું કહેશે?

જવાબ: પહેલાના જમાનામાં ગુણ અને સંસ્કાર જોવાતા હતા. હવે સંપતિ અને દેખાડો જોવાય છે. તમે લગ્ન પહેલા તપાસ કરી હોત તો સારું હતું. લગ્ન એ મજાક નથી. જે ઘરમાં દીકરી સુખી ન રહે એ ઘરમાં એને આજીવન ન રખાય. તમારા ઘરમાં શિવપૂજા અને ગાયત્રી મંત્ર કરો. એનાથી યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે.

સુચન: પ્રસાદમાં લેવાતા દ્રવ્યો તાજા હોય એ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. તેથી જ તેને પોતાના ઘરમાં બનાવવાની પરમ્પરા છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૮ જૂન, ૨૦૨૪

Chitralekha Gujarati – 08 July, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 28/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

શું તમારે ખુશીના સાગરને મળવું છે?

મીડિયા દ્વારા આજ કાલ મનની વિવિધ પરિસ્થિતિઓમાં પ્રતિક્રિયાના સબંધમાં કરવામાં આવેલ રિસર્ચ રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. આ બધા રિસર્ચ રિપોર્ટ એવા છે કે જેવી રીતે વિશાળ મેદાનની તથા વચ્ચે ક્યાંક અંગારા, ક્યાંક કાદવ અને ક્યાંક કાંટા પાથરી દેવામાં આવે. તથા વચ્ચે ધુંટણથી ચાલતા બાળકોને છોડી દેવામાં આવે. આમ કરવાથી કેટલાક બાળકો કાદવ વાળા થઈ જશે. કેટલાક બાળકો કાંટાથી લોહી લુહાણ થઈ જશે. જ્યારે કેટલાક બાળકો અગ્નિમાં દાઝી જશે. ત્યારબાદ પરિણામ કાઢવું કે કાદવ, અગ્નિ તથા કાંટાથી આકર્ષિત થવા વાળા બાળકોની ટકાવારી આટલી રહી. કેવું હાસ્યસ્પદ છે! આ બુદ્ધિના દેવાળિયાપનને સિદ્ધ કરે છે. કારણ કે વિકલ્પના અભાવમાં વ્યક્તિ જે વસ્તુને પસંદ કરે છે તેને યોગ્ય નિર્ણય માનવામાં નથી આવતો.

બહુમતીથી પ્રાપ્ત આંકડા અનુસાર ફેશન, સંગ્રહ વૃત્તિ તથા સ્વચ્છંદીપણાના આધારે પ્રાપ્ત પરિણામ ઈશ્વરીય સત્ય અનુસાર નથી હોતા. તે પરિસ્થિતિ મુજબ નબળા મનની સ્થિતિના આધારે લેવાયેલ નિર્ણયનો પરિચય આપે છે. રૂપ, રસ, ગંધ, રંગ એ બધા ઇન્દ્રિયોના વિષય છે. જાહેરાતોના પ્રભાવમાં આવીને મનુષ્ય એવું મનવા લાગે છે કે મજા આમાં જ છે. પછી ભલે તે જાહેરાતો સુખ આપનાર સંબંધ, તંદુરસ્તી, નૈતિકતા, મર્યાદા, સંસ્કૃતિ વગેરેનો નાશ કરવા વાળી હોય.

અહીં એક ઘટનાનું વર્ણન કરવું પ્રાસંગિક લાગે છે. સિગારેટની એક જાહેરાતમાં એક સુંદર યુવકને મુખ પર સ્મિત સાથે ધુમાડાને છોડતો જોઈને એક ભોળી કન્યા તેને વર તરીકે પ્રાપ્ત કરવા માટે નિશ્ચય કરી બેઠી. શા માટે? કારણ કે પૈસાના બદલે થોડા સમયની જૂઠી ખુશીને તે કન્યા કાયમી ખુશી માનવાના ભ્રમમાં ફસાઈ ગઈ. આજ રીતે વ્યક્તિનો સફેદ રંગ તથા મજબૂત બાંધો પણ ઘણીવાર લોકોને આકર્ષિત કરે છે. ધન કે પદનું આકર્ષણ પણ ખૂબ ઝેરીલું છે. આકર્ષણના પડદા પાછળ છુપાયેલ વાસ્તવિક જિંદગી જોઈએ તો તે સત્ય બહાર આવે છે કે રૂપ, રસ, રંગની માયાજાળમાં ફસાયેલ જીવન ઉદાસી, નિરાશા, પરેશાની વિગેરેથી ભરેલ છે.

રૂહાની મોજના અભાવમાં મન ખાલીપનના અંધકારમાં ભટકે છે. આ પરિસ્થિતિમાં જો કોઈ જગ્યાએથી ખુશીની ઝલક પ્રાપ્ત થાય છે તો તે મનુષ્યને આકર્ષિત કરે છે. પરંતુ થોડા સમયની ખુશીની ઝલક આપણને ખુશીઓના સાગર સાથે નથી મળાવી શકતી. જેવી રીતે હોઠ પર લાગેલ મધના ટીંપાને ચાટયા પછી જીભ ફરીથી કોરીને કોરી રહી જાય છે એવી જ રીતે મન મત પર કરવામાં આવેલ કર્મો દ્વારા પ્રાપ્ત થયેલ સુખનો અનુભવ કર્મેન્દ્રિયો દ્વારા જ કરવામાં આવે છે. મન તરસ્યુંને તરસ્યું રહી જાય છે. એ તળાવમાં ઉત્પન્ન થનાર અને તરત જ નાશ પામનાર પાણીના પરપોટાની જેમ મનના થોડા સમય માટેના સુખ દ્વારા અનેક સંકલ્પો રૂપી પરપોટા ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

ભારત ફાઈનલમાં ! ઈંગ્લેન્ડને 68 હરાવ્યું

બદલો ઓસ્ટ્રેલિયાને હરાવીને નહીં, પણ ઈંગ્લેન્ડને હરાવીને પૂરો થયો. લગભગ બે વર્ષ પહેલા એડિલેડમાં સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને એકતરફી રીતે હટાવી ચૂકેલી રોહિત શર્માની ટીમ ઈન્ડિયાએ એ જ ઈંગ્લેન્ડને એટલી જ ખરાબ રીતે હરાવીને સ્કોર સર કર્યો હતો. ગયાનામાં T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રોહિત શર્મા અને સૂર્યકુમારની મજબૂત ઇનિંગ્સની મદદથી, ભારતે મુશ્કેલ પીચ પર 171 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન સામે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ માત્ર 103 રનમાં સમાઈ ગયું હતું. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.

છેલ્લા 2-3 દિવસથી વરસાદના કારણે આ મેચ ધોવાઈ જશે તેવી ભીતિ હતી અને શરૂઆતમાં આવું જ દેખાયું હતું, જ્યારે મેચ લગભગ દોઢ કલાકના વિલંબથી શરૂ થઈ હતી. ત્યારપછી થોડા સમય માટે ફરી વિરામ જોવા મળ્યો, પરંતુ આ પછી ગયાનાના વાદળો નહીં પરંતુ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પર સંપૂર્ણ રીતે વરસ્યા. પહેલા કેપ્ટન રોહિત અને સૂર્યકુમાર વચ્ચેની શાનદાર ભાગીદારીએ ઈંગ્લેન્ડની સારી શરૂઆત બગાડી. ત્યાર બાદ અક્ષરે પાવરપ્લેમાં વિકેટો ખેરવીને ઈંગ્લેન્ડની રમતનો અંત આણ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા 2014 બાદ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે.

રોહિત-સૂર્યાની જબરદસ્ત બેટિંગ

આ વખતે પણ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને વિરાટ કોહલી ફરી એકવાર સસ્તામાં આઉટ થઈ ગયો હતો, જ્યારે રિષભ પંત પણ લાંબો સમય ટકી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં પણ આવું જ કંઈક થયું હતું અને તે જ મેચની જેમ ફરી એકવાર કેપ્ટન રોહિત શર્મા (57)એ કમાન સંભાળી હતી, જ્યાં તેને સૂર્યકુમાર યાદવ (47)નો શાનદાર સાથ મળ્યો હતો. રોહિતે જોરદાર બેટિંગ કરી અને માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને સૂર્યા સાથે 73 રનની શાનદાર ભાગીદારી કરી, જે મેચમાં સૌથી મોટો તફાવત સાબિત થયો.

આ બંનેના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરોમાં ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સ રમી હતી અને ટીમને 171 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. પ્રોવિડન્સ સ્ટેડિયમની ધીમી પીચ પર ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરના નિર્ણયથી ટીમ ઈન્ડિયા ખુશ થઈ ગઈ હતી. આટલા મોટા સ્કોરથી ટીમનો આત્મવિશ્વાસ પણ વધ્યો હતો.

ઇંગ્લેન્ડે અક્ષર-કુલદીપ સામે શરણાગતિ સ્વીકારી

ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદ અને લિયામ લિવિંગસ્ટનની સ્પિન જોડીએ 8 ઓવરમાં માત્ર 49 રન આપ્યા હતા અને ટીમ ઈન્ડિયાના સ્પિન આક્રમણ સામે ઈંગ્લેન્ડે વધુ સંઘર્ષ કરવો પડશે તે નક્કી છે. આ વાત સાચી પણ સાબિત થઈ. કેપ્ટન જોસ બટલરે (23) ઈંગ્લેન્ડ માટે ઝડપી શરૂઆત કરી હતી પરંતુ ચોથી ઓવરના પહેલા જ બોલને રિવર્સ સ્વીપ કરવાની અક્ષર પટેલની (3/23) ભૂલ તેને મોંઘી પડી હતી. આમાં તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને રિષભ પંતે આસાન કેચ લીધો. અહીંથી જ ઈંગ્લેન્ડના પતનનો પ્રારંભ થયો હતો.

તેની આગલી જ ઓવરમાં જસપ્રિત બુમરાહે ફિલ સોલ્ટને એક ઉત્તમ ધીમા બોલ પર બોલ્ડ કર્યો, જ્યારે અક્ષરે બીજી ઓવરના પહેલા બોલ પર જોની બેરસ્ટોને ફરીથી બોલ્ડ કર્યો. પાવર પ્લેમાં જ ઈંગ્લેન્ડની હાલત ખરાબ થઈ ગઈ હતી. અક્ષર 8મી ઓવરમાં આવ્યો અને ફરીથી પ્રથમ બોલ પર મોઈન અલીની વિકેટ લીધી. આ પછી પણ ટીમ પાસે કેટલાક શાનદાર બેટ્સમેન હતા પરંતુ ટીમ ઈન્ડિયા પાસે કુલદીપ યાદવ (3/19) જેવા હથિયાર પણ હતા અને તેમણે પહેલા સેમ કુરન અને પછી હેરી બ્રુકની વિકેટ લીધી હતી. આ પછી, બાકીના બેટ્સમેન પણ ધીમે ધીમે બહાર થઈ ગયા અને આખી ટીમ માત્ર 16.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ.