રાજ્યમાં ચોમાસું જામી ચૂક્યું છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ માટે સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતાના લગભગ વિસ્તારમાં ગાજવીજ સાથે સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે. ત્યારે આજની વાત કરવામાં આવે તો, આજે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સવારના 6 વાગ્યાથી લઈ બપોરના 4 વાગ્યા સુધીમાં લગભગ 18 તાલુકામાં વરાસદ નોંધવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. ગઈકાલે જિલ્લામાં સારો થવાથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ સુત્રાપાડા અને તાલાલા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર બાદ અનરાધાર વરસેલા વરસાદના પગલે સર્વત્ર પાણી પાણીની સ્થિતિ જોવા મળી રહી હતી. વેરાવળ શહેરમાં પણ બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે મેઘરાજા ધોધમાર વરસી પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.

અંજારમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંજારમાં ચાર કલાકમાં લગભગ એક ઇંચ વરસાદ વરસી જતા રસ્તા પર પાણીની નદીઓ વહી હતી. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ચોમાસાની ઋતુની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. ત્યારે ગત રવિવારે રાતથી સોમવારે સવાર સુધીમાં વરસી ગયેલા ચાર ઈંચ વરસાદ બાદ ગઈકાલે મંગળવારે પણ ગાજવીજ સાથે વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. ચૂડા તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો હતો. જેના લીધે તંત્ર દ્વારા નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે. તો બીજી બાજું ગઈકાલે યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી વેહતુ થયું હતું. અંબાજીમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. ધારી પંથકના ગીર કાંઠાના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેથી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં ઘોડાપુર. શેત્રુંજી નદીના પુર જોવા સ્થાનિકો ઉમટી પડ્યા હતા.







આ ગામમાં ધુરાંધર પરિવાર જીવનની કઠોર વાસ્તવિકતાઓ સાથે ઝઝૂમી રહ્યો છે. આ પડકારો વચ્ચે પણ યુવા આર. યેશુ ધુરંધરે સંજોગોથી અલગ પ્રવાહમાં તરવાનો નિર્ણય કર્યો. પરિણામે યશુએ એક ગામથી લઈ પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ગાંધીનગર (IIT-GN) સુધીની નોંધપાત્ર સફર ખેડી. IIT-GNના 13મા દીક્ષાંત સમારોહમાં, યેશુ ગર્વથી ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરીંગ તેમજ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સમાં અન્ય યુવાનો સાથે મહેનતથી મેળવેલી ડીગ્રી પ્રાપ્ત કરશે.
યેશુએ જોઈન્ટ એડમિશન એક્ઝામ (JEE) પાસ કરીને IIT ગાંધીનગરમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. જો કે, યેશુનો રસનો વિષય કોમ્પ્યુટર સાયન્સ હતો. તેણે પ્રારંભિક એડમિશન જે શાખામાં મળ્યું તે સ્વીકારી લીધું. સાથે જ કોમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને સબસ્ટિટ્યૂડ વિષય તરીકે પસંદ કર્યા.
અસામાન્ય સંજોગોમાં કેમ્પસમાં જોડાવું એ યેશુના બીજા હોસ્ટેલ જીવનની શરૂઆત રહી. શરૂઆતમાં તેણે એકલતાનો સામનો કરવો પડ્યો. કોવિડ-19ની પરિસ્થિતિ સામાન્ય થતાં વધુ બેચમેટ્સ તેની સાથે જોડાયા. અહીં 24 જેટલાં અન્ય વિદ્યાર્થીઓ સાથે યશુની મજબૂત મિત્રતા થઈ. જેઓ તેના સપોર્ટ નેટવર્ક બન્યા. યશુને સૌથી વધુ ટેકો આપનાર પ્રોફેસરોમાં પ્રો. એસ.કે. જૈન, પ્રો. નિપુન બત્રા અને પ્રો. શિવપ્રિયા કિરુબાકરનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યશુ છત્તીસગઢ સરકારની શિષ્યવૃત્તિ, સેમસંગ સ્ટાર શિષ્યવૃત્તિ અને IIT-GN તરફથી મળેલી કેટલીક શિષ્યવૃત્તિઓ માટે પણ ખૂબ આભારી છે. સતત પરિશ્રમ અને પરિવારના અવિશ્વસનીય સમર્થનથી તેણે તાજેતરમાં જ બેંગાલુરૂમાં Skan.AI ખાતે ઇન્ટર્નશિપ પૂર્ણ કરી અને જુલાઈમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે કંપનીમાં જોડાવા તૈયાર છે.
યેશુ ધુરંધરની કહાની અવરોધો દૂર કરીને, વિસમ પરિસ્થિતિમાં પણ સખત મહેનતની પ્રેરણા આપે છે. જારા જેવાં નાનકડાં ગામથી લઈને IIT-GN સુધીની પ્રતિષ્ઠિત સફર સપનાં જોવાની શક્તિ, દ્રઢ નિશ્ચય અને યોગ્ય સહકારથી કંઈ પણ કરી શકાય તે માન્યતાનો પુરાવો છે. યશુ જ્યારે ડેટા સાયન્ટિસ્ટ બનશે, ત્યારે તેની સાથે તેના પરિવારની અને તેના ગામની આશાઓ જીવંત બને છે. સાથે જ આ કહાની અસંખ્ય સામાન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બને છે.





