Home Blog Page 1699

ડાંગના બિલીઆંબા શાળાથી શાળા પ્રવેશોત્સવ શરૂ..

ગુજરાતમાં આજથી બાળકોના શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે. આ વર્ષે ગુજરાતમાં 21મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવ યોજાયો છે. જેમાં રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે. ગુજરાતના ડાંગ જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. CM બિલીઆંબા પ્રાથમિક શાળામાં રહ્યા હાજર હતા અને બાળકોનો શાળામાં કરાવ્યો પ્રવેશ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાની બિલીઆંબા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. ડાંગ જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક સુબીર તાલુકાના અંતરીયાળ સરહદી વિસ્તારની બિલીઆંબા પ્રાથમિક શાળા ખાતે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. મુખ્યમંત્રીના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે ડાંગ ધારાસભ્ય તથા વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલ તેમજ સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા કેન્દ્ર સરકાર દ્વારા પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી 21 મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન રાજ્યભરમાં 21 મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવ યોજાશે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલ 26 જૂનના રોજ વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું.

સોનાક્ષી સિન્હાના લગ્ન બાદ સામે આવી ભાઈ લવ સિન્હાની પ્રતિક્રિયા

મુંબઈ: સોનાક્ષી સિન્હાના જોડિયા ભાઈઓ લવ સિન્હા અને કુશ સિન્હા તેની બહેનના લગ્નમાં હાજરીની અટકળોને લઈ ખૂબ ચર્ચામાં હતાં. પરંતુ હવે કુશ સિન્હાએ પુષ્ટિ કરી છે કે તે લગ્નમાં સામેલ થયો હતો. ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં પારિવારિક અણબનાવના સમાચાર પર પ્રતિક્રિયા આપતા તેણે કહ્યું, “મેં પહેલેથી જ જોયું છે કે લોકોએ ખોટી માહિતી પ્રકાશિત કરી છે. તેની શરૂઆત એક અગ્રણી પોર્ટલના એક લેખથી થઈ હતી, જેમાં એક અનામી સ્ત્રોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મને ખાતરી નથી કે આ બધું કોણ કરી રહ્યું છે અને તે ક્યાંથી આવી રહ્યું છે, પરંતુ તેમાંની કેટલીક તસવીરોમાં હું પણ છું. તેમણે એમ પણ કહ્યું કે “આ સમય પરિવાર માટે સંવેદનશીલ સમય છે.”

કુશ સિન્હા ઘણીવાર પાપારાઝી અને લાઇમલાઇટથી દૂર જોવા મળે છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, હું એક પ્રાઈવેટ વ્યક્તિ છું અને હું વધારે દેખાતો નથી પરંતુ તેનો અર્થ એ નથી કે હું ત્યાં હાજર નહોતો. હું ત્યાં હતો અને હું મારી બહેન માટે માત્ર શ્રેષ્ઠ ઈચ્છું છું અને હંમેશા તેણીની શુભકામનાઓ કરીશ.”

અગાઉ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં લવ સિન્હાએ લગ્નમાં તેમની હાજરી વિશે કહ્યું હતું કે, મને એક-બે દિવસ આપો, જ્યારે મને લાગશે કે હું કરી શકું છું ત્યારે હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ. પૂછવા માટે આભાર. આ પછી અહેવાલમાં તેના ભાઈની ગેરહાજરીનું કારણ આપતા, એક સૂત્રએ તેના લગ્નમાં હાજરી ન આપવાની માહિતી આપી, જેના પર લવ સિન્હાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પ્રતિક્રિયા આપી અને લખ્યું, એક સ્ત્રોત, તેમને એક સારો સ્રોત શોધવાની જરૂર છે.

હકીકતમાં, હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલમાં, એક સૂત્રએ જણાવ્યું હતું કે, સોનાક્ષીના માતા-પિતા લગ્નમાં સામેલ થયા હતા અને આ લગ્ન માટે ખુશ હતા. જોકે, તેનો ભાઈ લગ્ન અને રિસેપ્શનમાં પણ હાજર રહ્યા ન હતા. ફોટોગ્રાફર્સે બંનેને અંત સુધી સ્થળમાં પ્રવેશતા જોયા નહોતા અને દરેકને તે એકદમ વિચિત્ર લાગ્યું.

ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકરપદે ચૂંટાયા

નવી દિલ્હીઃ ઓમ બિરલાને લોકસભાના નવા સ્પીકર ચૂંટવામાં આવ્યા છે. આ પહેલાં સંસદની કાર્યવાહી શરૂ થતાં જ PM મોદીએ સંસદમાં લોકસભા સ્પીકર માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને રાજનાથ સિંહ અને લલન સિંહે ટેકો આપ્યો હતો.

ઓમ બિરલા ધ્વનિ મત દ્વારા સંસદમાં નવા સ્પીકર તરીકે ચૂંટાયા છે. હવે ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકર હશે. આ પહેલાં પણ તેઓ લોકસભાના સ્પીકર હતા.બુધવાર લોકસભા સ્પીકરપદ માટે ચૂંટણીની સાક્ષી બની રહી , જે 1976 પછી આ પ્રકારે પહેલો પ્રસંગ છે. કોંગ્રેસ સભ્ય કોડિકુનિલ સુરેશને NDAના ઉમેદવાર ઓમ બિરલાની વિરુદ્ધ વિપક્ષના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. સ્વતંત્ર ભારતમાં લોકસભા સ્પીકર પદ માટે માત્ર ત્રણ વાર 1952,1967 અને 1976માં ચૂંટણી થઈ હતી. વર્ષ 1952માં કોંગ્રેસ સભ્ય જીવી માવળંકરને લોકસભા સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે લોકસભા સ્પીકર પદ પર પસંદગી કરવા માટે સરકાર અને વિપક્ષની વચ્ચે સહમતી નહોતી સધાઈ. જેને કારણે ચૂંટણી કરવી પડી હતી.

કેન્દ્રમાં PM મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વાર NDA સરકારની રચના પછી સરકાર અને વિપક્ષની વચ્ચે આ પહેલું શક્તિ પ્રદર્શન હતું. એટલા માટે ભાજપના વ્યૂહરચનાકાર પક્ષના ઉમેદવાર ઓમ બિરલાને વધુ ને વધુ સાંસદોના સમર્થનની સાથે મોટી જીત અપાવવાના મિશનમાં લાગી ગયા હતા અને એની કમાન ગૃહપ્રધાન અમિત શાહે સંભાળી હતી.

PM મોદીએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યાં હતાં. PM મોદી અને રાહુલ ગાંધી બંને સાથે મળીને ઓમ બિરલાને પોતાની સીટ પર લઈ ગયા હતા.

 

 

 

 

 

 

વધેલા ભાતના રસિયા મુઠિયા

રાત્રે વધેલા ભાત બીજા દિવસે ખાવા નથી ભાવતા. પણ તેના રસિયા મુઠિયા બનાવવામાં આવે તો તે બહુ જ સ્વાદિષ્ટ વાનગી બને છે!

સામગ્રીઃ

  • રાતનો વધેલો ભાત 2 કપ
  • ધઉંનો લોટ ½ કપ
  • ચણાનો લોટ ½ કપ
  • લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • ધાણાજીરુ 2 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • દહીં ½ કપ
  • તેલ
  • સાકર 1 ટી.સ્પૂન (optional)
  • જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન

ગ્રેવી માટેઃ

  • દહીં 2 કપ
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • ધાણાજીરુ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • આદુ-મરચાં પેસ્ટ 1 ટી.સ્પૂન
  • રાઈ
  • તેલ કળી પત્તાના પાન 3-4
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હીંગ 2-3 ચપટી
  • રાઈ 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
  • લાલ સૂકા મરચાં 2

રીતઃ ભાતમાં ધઉંનો લોટ, ચણાનો લોટ, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ, હળદર , હીંગ, સ્વાદ પ્રમાણે મીઠું, દહીં,  સાકર, જીરૂ પાઉડર મેળવીને નરમ લોટ બાંધી લો.

ત્યારબાદ તેમાં ખાવાનો સોડા અને 1 ચમચી તેલ મેળવીને તેમાંથી લંબગોળ મુઠીયા વાળી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને તળી લો અથવા મુઠીયાને વરાળમાં બાફી લો.

ગ્રેવી તૈયાર કરવા માટે દહીંમાં ચણાનો લોટ, આદુ-મરચાં પેસ્ટ તેમજ સૂકા મસાલા મેળવીને થોડું પાણી ઉમેરીને ગ્રેવી તૈયાર કરી લો.

એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી રાઈ તતડાવો. ત્યારબાદ તેમાં મરચાં નાખીને હીંગ અને કઢીપત્તાનો વઘાર કરીને દહીંવાળી ગ્રેવી હળવેથી નાખીને ઉકળવા દો. એક ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરીને મુઠીયા તેમાં ઉમેરીને ધીમી આંચે 15 મિનિટ થવા દો. જો ગ્રેવી ઘટ્ટ થઈ જાય તો થોડું પાણી ઉમેરી દો.

15 મિનિટ બાદ ગેસ બંધ કરીને મુઠીયા ઉતારીને કોથમીર ભભરાવીને પીરસો.

૨૬ જૂન, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 26/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂની ઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

નોટ આઉટ @ 91 : શારદાબહેન આત્મારામ ઠક્કર

જેમને જીવનમાં પોતાની પાંચમી પેઢીને (દોહિત્રીનો પૌત્ર) આવકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે તેવાં 91 વર્ષનાં શારદાબહેન ઠક્કરની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મોરજ (ચરોતર) ગામમાં. બે ભાઈ, ત્રણ બહેનનું કુટુંબ. પિતાને કરિયાણાનો ધંધો. પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધું. એક વર્ષની ઉંમરે શારદાબહેને માતાને ખોયાં, પણ નવી મા ઘણી સારી. 14 વર્ષની ઉંમરે તેમના લગ્ન આત્મારામભાઈ (બીજવર) સાથે થયા. તેમને બે દીકરા અને ત્રણ દીકરી. નાના દીકરા (ડૉ. મહેશભાઈ-ભાભી) સાથે સુખેથી રહે છે. તેમને નવ પૌત્ર-પૌત્રી, પાંચ પ્રપૌત્ર-પ્રપૌત્રી અને એક પાંચમી પેઢીનો દીકરો અમેરિકામાં! પતિ આત્મારામભાઈ સ્કૂલમાં શિક્ષક હતા. ધોળકા અને મુંબઈમાં લુહાણા-છાત્રાલયમાં ગૃહપતિ તરીકે સેવા આપી. લુહાણા-જ્ઞાતિની પ્રવૃત્તિઓમાં અને વિકાસના કામમાં સક્રિય રહેતા. સત્યાગ્રહની લડતના લડવૈયા હતા. ગાંધી-વિચારધારા ધરાવતા, ખાદીધારી હતા, રેંટિયો ચલાવતા. ઘણીવાર ભૂગર્ભમાં જવાનો વારો આવતો, ત્યારે શારદાબેન હિંમતથી ઘર અને બાળકોનું ધ્યાન રાખતાં. આત્મારામભાઈનું અવસાન 1996માં થયું. પતિની પ્રવૃત્તિઓને કારણે શારદાબહેનને ભણતરનું મહત્વ સમજાયું. મોટી દીકરી પાંચમાં ધોરણમાં હતી ત્યારે તેઓએ પણ પાંચમાં ધોરણનો અભ્યાસ કરી પોતાની જાતને અપડેટ કરી!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

છ વાગે ઊઠે. નાહી-ધોઈને પૂજાપાઠ કરે. નારાયણ-કવચ, હનુમાન-ચાલીસા કરે. રસોઈમાં થોડી-ઘણી મદદ કરે. શાક સુધારે, સફાઈ કરે, દાડમ છોલે. કાચબાને-ગાયને- કૂતરાને ખાવાનું નાખે. જમીને છાપુ અને ભગવાનની ચોપડીઓ વાંચે. ટીવી જુએ. વેવાણ સાથે રહે છે, જે મિત્રની ગરજ સારે છે! બપોરે કોફી પી મોબાઈલ હાથમાં લે. સ્પીડ-ડાયલથી લગભગ 25-30 ફોન કરી કુટુંબીઓ-મિત્રો સાથે વાતો કરે! સાત વાગ્યે જમે. જમવામાં ખીચડી વધુ પસંદ છે. દીકરા-વહુ સાથે વાતો કરે, ટીવી જુએ અને સુઈ જાય. મહિને એકવાર બૃહદ્-પરિવારનાં સભ્યોએ સમૂહ-ભોજન માટે ભેગાં થવાનો વણ-લખ્યો નિયમ છે! યુવાનીમાં વિધવા-તકતા, વડીલોની સેવા કરી. કેટલીએ મહિલાઓની સુવાવડો કરાવી. રોજ ઘરનાં કરતાં મહેમાનો જમનારાં વધારે હોય!

શોખના વિષયો : 

ભજનો ગાવાનો બહુ શોખ. ફરવાનું ગમે. સગા-સંબંધી અને મિત્રોને મળવાનું ગમે. કોઈ માંદુ હોય તો ખબર કાઢવા જાય. જરૂર હોય ત્યાં ટિફિન કે ખાવાનું લઈને જાય. દિવાળીમાં પરિવારમાં બધાંને મીઠાઈનાં બોક્સ જાતે આપવા જાય.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. પોતાનું કામ જાતે કરે છે. ઘરમાં હરતાં-ફરતાં છે. તેમના હૃદયના ધબકારા વર્ષોથી અનિયમિત છે તેથી ડોક્ટર દીકરો મહેશભાઈ નિયમિત દવા આપે, પણ સોશિયલ પ્રવૃત્તિઓમાં ઉત્સાહ એટલો બધો કે “શાંતિ રાખો” કહેવું પડે! જેટલા વધારે માણસો મળે તેટલો વધારે આનંદ થાય અને તબિયત પણ સારી રહે!

યાદગાર પ્રસંગ:  

આત્મારામભાઈ લુહાણા-છાત્રાલયમાં ગૃહપતિ. ગામડામાંથી રમેશને તેના પિતાએ છાત્રાલયમાં દાખલ કર્યો. વારંવાર દીકરાને મળવા આવે. આથી દીકરો છાત્રાલયમાં સેટ થાય નહીં. આત્મારામભાઈએ પિતાને વારંવાર આવવાની ના કહી. પિતાએ કહ્યું: “આ છોકરો તમને સોંપ્યો, હવે તમારે તેનું ધ્યાન રાખવાનું!” કુદરતનું કરવું તે થોડા વખતમાં રમેશના પિતાનું અવસાન થયું! આત્મારામભાઈ તથા શારદાબહેને રમેશને દત્તક-પુત્રની જેમ ઉછેર્યો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવ્યો, તેના લગ્ન કરાવ્યા. હવે તેને ઘેર પણ એક બાળક છે! આત્મારામભાઈ ગાંધીવાદી. સાદગીમાં માને. લુહાણા-જ્ઞાતિમાં સમૂહ-લગ્ન કરાવે. તેમની મોટી-દીકરીના લગ્ન સમયે, કુટુંબ ખમતીધર હોવાથી, કુટુંબીઓએ દીકરીના લગ્ન સમૂહ-લગ્નમાં કરવાનો વિરોધ કર્યો. કુટુંબીઓના વિરોધ સામે તેમણે પોતાની મોટી બંને દીકરીઓનાં લગ્ન સમૂહ-લગ્નમાં કર્યાં.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:  

મોબાઈલનો ભરપૂર ઉપયોગ કરી પરિવારનાં  સભ્યો અને મિત્રો સાથે ટચમાં રહે છે. 70 વર્ષે લેન્ડમાર્ક-ફોરમનો કોર્સ કરી “મારી ખુશીનો આધાર હું જ છું” તેવું સાબિત કર્યું! આમૂલ પરિવર્તન આવ્યું અને ફરિયાદો બંધ થઈ ગઈ. દીકરો ડોક્ટર હોવા છતાં, મોતિયાનું ઓપરેશન કરાવવા બહેનને લઈ રિક્ષામાં જાતે હોસ્પિટલ પહોંચી ગયાં!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘણો બદલાવ છે! જોકે તેઓ બધે એડજસ્ટ થઈ જાય! પહેલાં સવારે જમવામાં રોટલી-શાક હોય અને સાંજે ખીચડી-ભાખરી હોય. હવે રોજ જુદું-જુદું જમવા જોઈએ છે! કપડાં પહેરવામાં કેવા ફેરફાર થઈ ગયા છે! રહેવાનુંએ દેશ-પરદેશમાં દૂર-દૂર થઈ ગયું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘરનાં યુવાનો/બાળકો સાથે ફાવે. કોઈ દેખાય નહીં તો તરત પૂછે. છોકરાઓ પણ એમને બહુ સાચવે. તેમની બોર્ડિંગમાં 100 છોકરાઓ હતા, એટલે યુવાનો અને બાળકો સાથે તરત ફાવી જાય!

સંદેશો :  

ખાસ બહેનો માટે : ભણતરનું મહત્વ સમજો. તમે ભણો, પોતાનાં બાળકોને ભણાવો, ગરીબોનાં બાળકોને ભણાવો. કામવાળાનાં બાળકોને પણ ભણાવો!

 

પંચાંગ 26/06/2024

CBI કેજરીવાલની કરી શકે છે ધરપકડ : સંજય સિંહ

CBI દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં તેમની પૂછપરછ કરી છે. એજન્સીએ સોમવારે તેની પૂછપરછ પણ કરી હતી અને મળતી માહિતી મુજબ આજે પણ એજન્સીની ટીમ તિહારની મુલાકાતે ગઈ હતી. પૂછપરછ બાદ તેની ધરપકડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પહેલા સમાચાર આવ્યા હતા કે સીબીઆઈ દ્વારા સીએમ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેની લીગલ ટીમે સ્પષ્ટતા કરી હતી કે તેની ધરપકડ કરવામાં આવી નથી. એજન્સીએ તેની માત્ર પૂછપરછ કરી છે.

 

અરવિંદ કેજરીવાલ પહેલેથી જ ED કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હોવાથી તેમની ઔપચારિક ધરપકડ કોર્ટ સમક્ષ જ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જ્યારે તેમને બુધવારે સવારે 10 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારે સીબીઆઈ સત્તાવાર રીતે તેમની ધરપકડ કરશે અને તેમને કસ્ટડીમાં લેશે.

સીબીઆઈની હવે સીએમ કેજરીવાલ પર પકડ છે

સીબીઆઈ બુધવારે કોર્ટમાં સીએમ કેજરીવાલની ઔપચારિક ધરપકડ કરી શકે છે. સીબીઆઈએ કેજરીવાલને બુધવારે કોર્ટમાં રજૂ કરવા માટે પ્રોડક્શન વોરંટની માંગણી કરી છે.CBI કેજરીવાલની કસ્ટોડિયલ પૂછપરછ માટે પરવાનગી માંગશે. ઉદાહરણ તરીકે, તેણી તેના રિમાન્ડની માંગ કરી શકે છે. કેજરીવાલના નિવેદનમાં અન્ય લોકોના નિવેદનો સાથે વિરોધાભાસ હોવાનું દર્શાવીને કસ્ટડીની માંગ કરી શકાય છે.
AAP સાંસદ સંજય સિંહનો મોટો આરોપ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. તેમણે કહ્યું કે સીબીઆઈએ તેમની વિરુદ્ધ ખોટો કેસ બનાવ્યો છે. સંજય સિંહે કહ્યું, અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની પૂરેપૂરી સંભાવના છે. આ પહેલા કેન્દ્રની ભાજપ સરકારે CBI સાથે મળીને કેજરીવાલ જીની સામે ખોટો કેસ તૈયાર કરીને તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચ્યું છે.

રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીપીપી અધ્યક્ષે પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે.

મંગળવારે રાત્રે ખડગેના ઘરે આયોજિત બેઠક વિશે માહિતી આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને ગૃહમાં વિપક્ષના નેતા બનાવવા પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પ્રોટેમ સ્પીકરને સભામાં વિપક્ષના નેતા બનાવવા માટે પત્ર પણ લખવામાં આવ્યો છે.