Home Blog Page 1709

કોલોરાડોથી ‘કેપિટોલ હીલ’ જશે જનકભાઇ?

દેશમાં ચૂંટણી પતી ગઇ છે. નવી સરકાર ય બની ગઇ છે. ખાધું-પીધું ને રાજ કર્યું જેવી સ્થિતિ છે હમણાં એટલે એક નજર હવે અમેરિકાની ચૂંટણી પર નાખીએ. આમેય, આપણી ગુજરાતીઓની અમેરિકા પર બાજનજર તો કાયમ હોય જ છે એટલે અમેરિકાની કોઇપણ વાતમાં આપણને રસ પડવાનો જ પડવાનો.

આજે રસ પડવાનું અને વાત કરવાનું કારણ ય છે. કારણ એ છે કે, આ વખતની ચૂંટણીમાં અમેરિકન કોંગ્રેસ (આપણી લોકસભા જેવું ગૃહ) માટે કોલોરાડો સ્ટેટમાંથી એક ગુજરાતી, નામે ડો. જનક જોષી ચૂંટણી લડી રહ્યા છે. 25 મી જૂને યોજાનારી પ્રાઇમરીમાં જનકભાઇનો કોંગ્રેસ માટેનો પથ નક્કી થશે. અમેરિકામાં આ વખતે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડોમોક્રેટીક પક્ષના જો બાઇડન વચ્ચે પ્રમુખપદ માટે જંગ ખેલાઇ રહ્યો છે એ તો તમે જાણો જ છો. આપણા જનકભાઇ વર્ષોથી રિપબ્લિકન પક્ષના સભ્ય છે અને ગયા માર્ચ મહિનામાં જ એમને કોંગ્રેસનલ એસેમ્બલીમાં રિપબ્લિકન બેલેટ માટે જરૂરી મતો મળી ચૂક્યા છે.

જનકભાઇ કહે છે એમ, રાજકારણ અને કરન્ટ અફેર્સમાં એમને નાનપણથી રસ. એમના પિતાજી અમદાવાદની ન્યૂ એજ્યુકેશન હાઇસ્કૂલમાં શિક્ષક હતા. પરિવારમાં ભાઇઓ પણ શિક્ષક અને બહેન પણ ટિચીંગનું ભણેલી એટલે આખા પરિવારમાં માહોલ વાંચવા-વિચારવાનો. ન્યૂ એજ્યુકેશન હાઇસ્કૂલ અને ભવન્સ કોલેજમાં ભણ્યા પછી જનકભાઇએ એનએચએલ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવી.

દેશ-દુનિયામાં બનતા બનાવો વિશે જાણવાનો એમનો રસ અને ઉત્કંઠા એટલી પ્રબળ કે, સ્કૂલ-કોલેજ જતી-આવતી વખતે એ દાદાભાઇ નવરોજી લાઇબ્રેરીમાં અચૂક રોકાય. ગણિત-વિજ્ઞાનના વિષયોમાં હોંશિયાર એટલે મેડિકલમાં પ્રવેશ લીધો, પણ નવું નવું જાણવાનો ચસકો એમનો આજેય અકબંધ છે. 1972માં ફેલોશિપ સાથે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા અને અમેરિકામાં જ સ્થાયી થયા એને આજે બાવન વર્ષ થયાં, પણ પત્નિ અંજના સાથે એ દુનિયાના સાતેય ખંડમાં એકસોથી વધારે દેશોમાં ફરી ચૂક્યા છે. પ્રવાસ, ગાર્ડનિંગ અને વાંચન એ ત્રણ એમના શોખ.

ચોથો રસ એમનો રાજકારણ. ‘70ના દાયકામાં એ અમેરિકા ગયા, ભણીગણીને અહીં જ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ શરૂ કરી ત્યારે અમેરિકાની આંતરિક હાલત બહુ સારી નહોતી. વિયોતનામ યુધ્ધ હજુ માંડ પૂરું થયેલું ને નિક્સને રાજીનામું આપેલું. બેંકના વ્યાજદરો ઊંચા હતા અને અર્થતંત્રની હાલત બહુ સારી નહોતી. આ માહોલમાં 1982માં અમેરિકન સિટિઝનશીપ મેળવ્યા પછી એમણે સ્થાનિક રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું અને રિપબ્લિકન પક્ષમાં સક્રિય થયા.

1995માં એ પહેલીવાર કોલોરાડો સ્પ્રિંગ્સ સિટી કાઉન્સિલ માટે ચૂંટણી લડ્યા એમાં જીતી ન શક્યા, પણ સ્થાનિક લોકોમાં એમની ઓળખ બની કે, આ માણસ સામાન્ય લોકો માટે વિચારે છે. એમના પર ટેક્સનું ભારણ ન આવે એ માટે એ લડે એવા છે. પોતાની પૂરી રાજકીય કારકિર્દીમાં જનકભાઇ મધ્યમવર્ગ માટે હંમેશા લડતા આવ્યા છે અને એ જ એમની ઓળખ બની છે. વધારે પડતા ટેક્સિસ, વધારે મોટી સરકાર અને વધારે પડતા સરકારી નિયંત્રણો- જનકભાઇ આ ‘વધારા’ સામે કાયમ લડતા રહ્યા છે.

2008માં, ત્રીસ વર્ષની કિડની સ્પેશ્યાલિસ્ટ તરીકેની ધીખતી પ્રેક્ટીસમાંથી નિવૃત્તિ લીધી પછી આ લડત માટે એમને વધારે સમય મળ્યો એટલે આપણે ત્યાં જેમ રાજ્યમાં વિધાનસભા હોય છે એમ કોલોરાડો હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટીવ્સની ચૂંટણી લડીને કોલોરાડો ગૃહમાં ચૂંટાનારા સૌ પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા. કોલોરાડોમાં ગાંધીનું સમ્માન કરવાની પહેલ પણ એમની જ હતી. એ પછી તો બીજી બે ટર્મ માટે એ ચૂંટાયા.

અને અમેરિકન જાહરેજીવનનું આ ભાથું લઇને હવે જનકભાઇએ વોશિંગ્ટન (DC)ની અમેરિકન કોંગ્રેસભણી દોટ મૂકી છે. સ્થાનિક રિપબ્લિકન્સમાં પાયાના કાર્યકર તરીકેની એમની ઓળખ છે. મધ્યમવર્ગીય અમેરિકનો, સ્થાનિક ભારતીય સમુદાય અને હિન્દુ-અમેરિકન પોલિટીકલ એક્શન કમિટી એમને મદદ કરી રહી છે. સ્થાનિક ભારતીયો એમને ફંડ ભેગું કરવાથી માંડીને ટેલિફોનિક કેમ્પેઇનમાં પણ મદદ કરી રહ્યા છે.

એ વાત પણ નોંધવા જેવી છે કે, અમેરિકામાં વસતા મોટાભાગના ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક છે. ભાજપની જમણેરી વિચારધારાના સમર્થક છે, પણ વાત જ્યારે અમેરિકન પ્રમુખની ચૂંટણીની હોય ત્યારે એમાંથી એક બહુ મોટો વર્ગ જમણેરી વિચારધારાની રિપબ્લિકન પાર્ટીના બદલે લિબરલ ગણાતા ડેમોક્રેટીક પક્ષને મત આપે છે!

જનકભાઇના મતે, અમેરિકામાં વસતા લગભગ ચાર મિલિયન ભારતીયોમાંથી ઘણા લોકો અમેરિકન સિસ્ટમમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. ભારતીય બિઝનેસ કમ્યુનિટીનો એક પ્રભાવ છે અમેરિકામાં. આ સંજોગોમાં, ભારત-અમેરિકા વચ્ચે હજુપણ મજબૂત આર્થિક સંબંધોને ઘણો અવકાશ છે. વળી, ચાઇના જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં બન્ન દેશો વચ્ચે મિલિટરી સહયોગ પણ વધી શકે છે. ભારતમાં તો નવી સરકાર બની ગઇ. હવે અમેરિકામાં આ વર્ષના અંતમાં નવી સરકાર બને એ પછી આ સંબંધો કેવો વળાંક લે છે એ જોવાનું રહેશે.

હા, જો એ કોંગ્રેસમાં ચૂંટાઇને આવશે તો બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને એ દિશામાં બનતા તમામ પ્રયત્નો કરશે, પણ એનો આધાર હજુ પ્રાઇમરી અને એ પછી જનરલ ઇલેક્શન પર છે. જનકભાઇ જો બન્ને પડાવ પાર કરીને વોશિંગ્ટન (DC) ના ‘કેપિટોલ હીલ’ સુધી પહોંચે છે તો સંભવતઃ પહેલા ગુજરાતી હશે.

વિડીયો માટે અહીં ક્લિક કરો…

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)


(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

 

 

 

૨૨ જૂન, ૨૦૨૪

જેકી શ્રોફે વિલન બનવાની ના પાડી દીધી

નિર્દેશક પાર્થો ઘોષની સાયકોલોજિકલ થ્રીલર ‘100 ડેઝ’ (૧૯૯૧) માં માધુરીની શરતને કારણે જાવેદ જાફરીના સ્થાને જેકી શ્રોફ આવ્યા હતા. ‘100 ડેઝ’ ની વાર્તા માધુરીને પસંદ આવી હતી. તેની પહેલી શરત એ હતી કે એની પાસે કામ વધારે હોવાથી છ મહિના પછીની તારીખો ફાળવશે. પાર્થો એ માટે રાહ જોવા તૈયાર હતા. પાર્થોનું કહેવું હતું કે માધુરીએ હા પાડી દીધી છે એ મોટી વાત છે. આટલા મહિના બેસી રહ્યા હતા તો વધુ કેટલાક મહિના રાહ જોઈશું.

બીજી શરત સાંભળીને પાર્થો વિચારમાં પડી ગયા હતા. માધુરીએ કહ્યું હતું કે તે જાવેદ જાફરી સાથે કામ કરશે નહીં. જાવેદ બીજું કોઈ પાત્ર ભજવશે તો ચાલશે. હીરો તરીકે બીજા કોઈ અભિનેતાને લેવો પડશે. પછીથી જાવેદ માટે તેના કોલેજના મિત્ર ‘સુનીલ’ ની ભૂમિકા નક્કી કરી હતી. જે જેકીથી મોટી હતી. એની હીરોઈન શીબા રાખી હતી. જાવેદને ‘ગબ્બર સિંહ યે કેહકે ગયા’ જેવા લોકપ્રિય ગીતો પણ મળ્યા હતા. બીજું ગીત ‘લે લે દિલ દે દે દિલ’ માધુરી સાથે હતું. મુનમુન સેન એમાં માધુરીની બહેન બની હતી. મુનમુનની મહેમાન ભૂમિકા હતી પણ વાર્તા એની આસપાસ જ ફરતી હતી. માધુરીએ જાવેદ માટે ના પાડી એ પછી નિર્માતા પ્રાણલાલ મહેતાએ પાર્થોને કહ્યું કે જેકી શ્રોફને હીરો તરીકે લઈ શકાય એમ છે. ત્યારે એની પાસે ખાસ કોઈ ફિલ્મ ન હતી.

એમણે જેકીને ફોન લગાવીને કહ્યું કે એક વાર્તા છે અને માધુરીએ હીરોઈન બનવા હા પાડી છે. નિર્દેશક નવો છે. જેકીએ કહ્યું કે એ માધુરી સાથે કામ કરવા માગે છે. એક હોટલમાં બેઠક યોજી પાર્થોએ ‘100 ડેઝ’ ની વાર્તા સંભળાવી. જેકી નવાઈ પામી ગયો. ફિલ્મમાં એનું પાત્ર સંપૂર્ણ નકારાત્મક હતું. જેકીએ કહ્યું કે તું તો મને વિલન બનાવી દઇશ. મારી કારકિર્દી ખતમ થઈ જશે. ફિલ્મમાં માધુરી હોવા છતાં જેકી તૈયાર ના થયો. કેમકે ત્યારે કોઈ હીરો વિલન બનતો ન હતો. શાહરૂખ ખાને ‘ડર’ (૧૯૯૩) થી હીરો વિલન બને એ પ્રથા શરૂ કરી હતી. જેકીએ પ્રાણલાલને વાત કરી. એમણે પાર્થોને કહ્યું કે જેકી ના પાડે છે.

પાર્થોએ પ્રાણલાલ મહેતાને કહ્યું કે વાંધો નહીં આપણે જેકીની ભૂમિકા સકારાત્મક કરી દઈએ. પ્રાણલાલે કહ્યું કે આ વાર્તા પર ઘણા લેખકો કામ કરી ચૂક્યા છે પણ ફેરફાર કરી શક્યા નથી. પાર્થોએ પડકાર ઝીલી લીધો અને એકાંતમાં બેસીને સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું. માત્ર પંદર મિનિટમાં પાર્થોએ ક્લાઇમેક્સમાં ફેરફાર કરીને એમને સંભળાવ્યો. એમાં જેકીને માધુરી માટે લડતો બતાવ્યો. એ માધુરીને બચાવે છે એવી વાર્તા બનાવી. એમાં લૉજિક હતું એટલે પ્રાણલાલે જેકીને સંભળાવવા કહ્યું. પાર્થો ફરી જેકીને જઈ મળ્યા અને માત્ર અંત સંભળાવ્યો. અંતમાં જેકીને પોલીસ પકડી જાય છે પણ પોતાનું પાત્ર સકારાત્મક બનેલું જોઈ એ ખુશ થઈ ગયો અને હા પાડી દીધી. પાર્થોની જેકી-માધુરી સાથેની ‘100 ડેઝ’ રજૂ થઈને વ્યાવસાયિક રીતે સારી સફળતા મેળવીને હિટ ફિલ્મ બની ગઈ હતી.

રાશિ ભવિષ્ય 22/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 22/06/2024

‘શિવચરિત્ર’ ગીત લૉન્ચ દરમિયાન લતા દીદીને યાદ કરી ભાવુક થયા ભાઈ પંડિત હૃદયનાથ

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની 350મી રાજ્યાભિષેક ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘શિવચરિત્ર – એક સોનેરી પાન’ ગીતને મંગેશકર પરિવાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મંગેશકર પરિવાર સહિત સંક્ષીત ક્ષેત્રની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન પંડિત હૃદયનાથ મંગેશકર લતા દીદીને યાદ કરી ભાવુક થયા હતાં.

લતા દીદીને યાદ કરતા પંડિત હૃદયનાથ મંગેશકરે કહ્યું કે,”જ્યારે એક હરણ તેના બચ્ચાને વાઘ દ્વારા ઉપાડી જતા જુએ છે, ત્યારે તેનું હૃદય અપાર દર્દથી ભરાઈ જાય છે. આજે આ મંચ પર હું લતા દીદીની યાદમાં તે જ પીડા અનુભવું છું.”

આ કાર્યક્રમમાં ઉષા મંગેશકર, રૂપકુમાર રાઠોડ, કૌશિકી ચક્રવર્તી, સુરેશ વાડકર, પદ્મા વાડકર, નીતિન મુકેશ, આદિનાથજી મંગેશકર, આઈઆરબીના ડાયરેક્ટર દીપાલી મહૈસ્કર, ડૉ. દીપક વાઘે, ડૉ. ગૌરી વાઘે, ડૉ. પ્રતાપ પાનરે અને આશિષ શૈલાર સહિત અનેક અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી.

પંડિત હૃદયનાથ મંગેશકર, ઉષાજી મંગેશકર, અને આશિષજી શેલારે સંયુક્ત રીતે ગીતને લોન્ચ કર્યુ હતું. જ્યારે પંડિત હૃદયનાથ મંગેશકરે લતા દીદી સાથેની કેટલીક યાદોને વાગોળી હતી, જેમ કે તેમની તાજમહેલની મુલાકાત. તેમણે યાદ કર્યું કે લતા દીદી આ સ્મારકથી કેટલા પ્રભાવિત થયા હતા. તેમણે એક ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે રાત્રે તાજમહેલમાં લતા દીદીનો અવાજ ગુંજતો હતો. એક મૌલવી જે ઠપકો આપવા આવ્યાં હતાં. પરંતુ અવાજ સાંભળી તેમણે દીદીને’કહીં દીપ જલે કહીં દિલ’ ગાવા અનુરોધ કર્યો હતો.

કૌશિકી ચક્રવર્તી, જેણે આ ગીતને અવાજ આપ્યો છે, તેણીએ આ વીર રસનું ગીત ગાવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉષા મંગેશકરે જણાવ્યું હતું કે કૌશિકીની શક્તિશાળી રજૂઆત ચોક્કસપણે શિવાજી મહારાજના 350માં રાજ્યાભિષેક સમારોહમાં પહોંચી હશે.

હૃદયનાથ મંગેશકરે જાહેરાત કરી હતી કે તેઓ શ્રી શારદા વિશ્વ મોહિની લતા મંગેશકર નામનું પુસ્તક લખી રહ્યા છે, જે તેમની પ્રિય બહેનની યાદોને તાજી કરે છે. તેમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે પણ વાત કરી, મરાઠા શાસકની આધ્યાત્મિક ઊંડાઈ અને યોદ્ધા તરીકે તેમની કાર્યક્ષમતાનો ઉલ્લેખ કર્યો.

શિવચરિત્ર કાર્યક્રમમાં કૌશિકી ચક્રવર્તી દ્વારા એક ગીત સહિત પ્રદર્શનનો સમાવેશ થતો હતો અને નિસર્ગ પાટીલ દ્વારા “શિવ સ્તુતિ” સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો. ઉષા મંગેશકર, આદિનાથજી મંગેશકર, ડૉ. દીપક વાઝે, કૌશિકી ચક્રવર્તી, આશિષ શેલાર, અને રૂપકુમાર રાઠોડ દ્વારા વક્તવ્યો આપવામાં આવ્યા હતા. યુટ્યુબ પર એલએમ મ્યુઝિક ચેનલ પર શિવચરિત્ર જોઈ અને સાંભળી શકાય છે.

કોણ સારી ચિત્રકાર અનુષ્કા શર્મા કે પુત્રી વામિકા?

મુંબઈ: વ્યક્તિ ગમે તેટલી મોટી સેલિબ્રિટી હોય, પણ પોતાના વ્યસ્ત સમયમાંથી ક્યારેક તે પોતાના પરિવાર માટે, ખાસ કરીને બાળકો માટે સમય કાઢીને હળવાશની પળો માણી લેતી હોય છે!

પોતાના કેરિયરમાં અતિ સફળ તેમજ પારિવારિક જવાબદારીમાં વ્યસ્ત એવી સેલિબ્રિટી વ્યક્તિ જ્યારે પોતાના બાળપણની મિત્ર તેમજ પોતાના બાળક સાથે પોતે પણ બાળકની જેમ હળવીફૂલ થઈને બાળસહજ મસ્તી કરતી જોવા મળે, ત્યારે જીવનનું ખરું સુખ શું છે તે ખ્યાલ આવે!

હાલમાં T20 વર્લ્ડ કપ 2024 ચાલી રહી છે. ત્યારે વિરાટ કોહલીને મેચમાં સમર્થન આપવા તેમજ ઉત્સાહ વધારવા માટે તેમની પત્ની અને જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માનું પણ ન્યૂયોર્કમાં તેમના બંને બાળકો – વામિકા અને અકાય સાથે રોકાણ છે. દરમિયાન ફુરસદના સમયમાં અનુષ્કા તેની પુત્રી વામિકા સાથે ડૂડલ સમય વિતાવી રહી છે! માતા-પુત્રીની જોડીએ બ્લેકબોર્ડ પર ફૂલો દોર્યા. અનુષ્કા ફૂલો દોરવામાં સફળ રહી, વામિકાએ બોર્ડ પર ડૂડલ કર્યું. તેણીએ હસતો ચહેરો પણ દોર્યો છે. આ હસતો ચહેરો ફૂલોની વચ્ચેથી ડોકાતો નજરે ચઢે છે. આ ક્ષણની ઝલક અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણીએ બ્લેકબોર્ડ દર્શાવતો ફોટો શેર કર્યો છે.

ગયા અઠવાડિયે, અનુષ્કા પોતાની બાળપણની મિત્ર નૈમિષા મૂર્તિ તેમજ પોતાની પુત્રી વામિકા સાથે આઈસ્ક્રીમ ડેટ માટે ગઈ હતી. અનુષ્કાની મિત્ર નૈમિષા મૂર્તિએ આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં અનુષ્કા સુંદર કેઝ્યુઅલ પરિધાનમાં આઈસ્ક્રીમ પાર્લર તરફ ચાલતી જોવા મળે છે. તે પોતાની બાળકી વામિકા સાથે સીડી ઉપર ચઢતી જોઈ શકાય છે. એક ઝલકમાં તે આઈસ્ક્રીમ સ્ટિક સાથે પોતાની બાળપણની મિત્ર સાથે પોઝ આપતી જોવા મળે છે. જ્યારે બીજી ઝલકમાં તેણી સ્ક્રેબલ બોર્ડનો ફોટો ક્લિક કરતી જોવા મળે છે. જેમાં વામિકાનું નામ લખેલું છે.

આ વિડીયો પર અનુષ્કાની મિત્ર નૈમિષા ટિપ્પણી આપે છેઃ વ્યક્તિને જીવનના દરેક તબક્કામાં મિત્રો હોય છે, પરંતુ બાળપણના થોડા મિત્રો જીવનના તમામ તબક્કામાં આઈસ્ક્રીમ શેર કરવા માટે આસપાસ વળગી રહે છે.

વળતી ટિપ્પણીમાં અનુષ્કા જવાબ આપે છેઃ એક વર્ષ માટે આઈસ્ક્રીમ ક્વોટા પૂરો થયો. જ્યાં સુધી આપણે ફરી મળીએ…

અનુષ્કાનો તેની દીકરી તેમજ મિત્ર સાથેનો આ વિડીયો જોવા માટે નીચે આપેલી લિન્ક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાપરોઃ

https://www.instagram.com/reel/C8Iz8vws0zf/?utm_source=ig_web_copy_link

મે મહિનામાં, વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂયોર્ક જવા રવાના થયો હતો. ત્યારે તેની સાથે અભિનેત્રી-પત્ની અનુષ્કા શર્મા અને તેમના બાળકો વામિકા અને અકાય પણ હતા. ચાર જણનો પરિવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે અનુષ્કાએ કેમેરા માટે પોઝ આપ્યો ન હતો. ત્યારે વિરાટે રોકાઈને ત્યાં ઉપસ્થિત ફોટોગ્રાફરને પોઝ આપ્યો હતો. તેણે તેમને અભિનેત્રીના ફોટો લેવાની ના પાડી હતી. કારણ કે, તે બાળકો સાથે હતી. ક્રિકેટરે બેજ કલરના શર્ટ અને ડેનિમ સાથે સફેદ ટી-શર્ટ પહેર્યું હતું. બીજી તરફ અનુષ્કા બ્લેક ટી-શર્ટ અને બ્લુ ડેનિમમાં સજ્જ હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર, 2017 ના રોજ લગ્ન કર્યા હતા. તેઓ બે બાળકો – વામિકા અને અકાયના માતા-પિતા છે.

શું સરકારી સંપત્તિ વેચશે પશ્ચિમ બંગાળની મમતા સરકાર?

કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2024માં જીતની સાથે પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે નવા ઉદ્યોગોના વિકાસ માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. સરકારે બંધ ઇન્ડસ્ટ્રીઝની સાથે-સાથે ચાલી રહેલી ઇન્ડસ્ટ્રીઝની ખાલી અને ઉપયોગમાં ના લેવામાં આવતી (પડતર) જમીન વેચવાની રજૂઆત શરૂ કરી દે છે.

પ્રાપ્ત માહિતી મુજબ CM મમતા બેનરજીએ વરિષ્ઠ અધિકારીઓને ખાલી પડેલાં સરકારી ભવનોની એક યાદી તૈયાર કરવા અને એની લિલામીના માધ્યમથી વેચવા માટે એક નીતિ તૈયાર કરવા માટે કહ્યું છે.

મુખ્ય મંત્રીએ વિવિધ વિભાગોના સચિવો, જિલ્લાધિકારીઓ અને કોલકાતા નગર નિગમના અધિકારીઓની સાથે એક વિડિયો કોન્ફરન્સ દરમ્યાન આ નિર્દેશ આપ્યા હતા. આ સંમેલનમાં સરકાર 2026ની વિધાનસભાની ચૂંટણી પહેલાં શક્ય હોય એટલી આવક એકઠી કરવા ઇચ્છે છે.

આ પહેલાં પશ્ચિમ બંગાળની મમતા સરકારે વિભાગોને ખાલી પડેલી પડતર જમીનોની લિલામીના માધ્યમથી વેચવાની મંજૂરી આપી હતી. હવે સરકારે એનાથી આગળ ઉપયોગમાં ના લેવાતી સરકારી ભવનોને વેચવાનો નિર્ણય કર્યો છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

આ બેઠકમાં મુખ્ય મંત્રીએ સ્પષ્ટ કરી દીધું હતું કે નાણાં વિભાગ ઉપયોગમાં ના લેવાતા સરકારી બિલ્ડિંગની નિગરાની કરશે અને એની યાદી વિવિધ વિભાગો અને જિલ્લા મેજિસ્ટ્રેટો દ્વારા તૈયાર કરવામાં આવશે. CM એ બિલ્ડિંગોની વાત કરી રહ્યાં હતાં, જેનું બાંધકામ છેલ્લાં 10 વર્ષોમાં કરવામાં આવ્યો હતો અને એમાંની મોટા ભાગની બિલ્ડિંગો ખાલી પડી છે. રાજ્ય સરકારે ઉદ્યોગો શરૂ કરવા માટે જમીનની ખેંચને હલ કરવા માટે છેલ્લા એક વર્ષમાં અનેક ઉપાયો કર્યા છે, જેમાં ચાર્જને બદલે લીઝહોલ્ડ જમીનને ફ્રીહોલ્ડમાં પરિવર્તિત કરવાનું સામેલ છે.

 

NIFT-ગાંધીનગરમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાયો

ગાંધીનગરઃ ભારત સરકાર અને NIFT-HOના નિર્દેશો અનુસાર NIFT ગાંધીનગર કેમ્પસે 21 જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ઊજવ્યો હતો. આ કાર્યક્રમ પછી વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે વૃદ્ધિ અને ટકાઉપણુંનું પ્રતીક છે. આ વર્ષની થીમ, “યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી”, યોગના સર્વગ્રાહી લાભો પર પ્રકાશ પાડે છે.

NIFT-ગાંધીનગર કેમ્પસના તમામ અધિકારીઓ, ફેકલ્ટી અને સ્ટાફ મેમ્બર્સ અને અમદાવાદમાં ટેક્સટાઇલ કમિશનર ઓફિસના અધિકારીઓએ પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરીને યોગ સત્રમાં ભાગ લીધો હતો. NIFT-ગાંધીનગરના નિર્દેશક પ્રો. ડો. સમીર સુદે તમામ સહભાગીઓને શપથ લેવડાવ્યા હતા અને યોગને નિયમિતપણે પ્રેક્ટિસ કરીને જીવનશૈલી તરીકે અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રોએ યોગના મહત્વને સ્વીકારીને 11 ડિસેમ્બર, 2014એ મહાસભાના 69મા સત્રમાં એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

આ વૈશ્વિક માન્યતાનો ઉદ્દેશ યોગની પ્રેક્ટિસના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. NIFT-ગાંધીનગર સંતુલિત અને સુમેળપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની ક્ષમતાને માન્યતા આપીને યોગની પ્રથાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

મહારાજ ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી: હાઇકોર્ટ

નેટફ્લિક્સમાં આવનારી અપકમિંગ ફિલ્મ મહારાજનો વિવાદ ખૂબ ચર્ચીત બન્યો છે. મહારાજ ફિલ્મનો પોસ્ટર રિલીઝ થતાની સાથે જ વૈષ્ણવ સંપ્રદાયમાં રોષનો માહોલ જોવા મળ્યો. જેને લઈ ફિલ્મ પર ગુજરાત હાઈકોર્ટ સ્ટે લગાવ્યો હતો. આ ફિલ્મ લઈ પાછલા ત્રણ દિવસથી બંન્ને પક્ષોથી દલીલો રજૂ કરવામાં આવી રહી હતી.

મહારાજ ફિલ્મને લઈ જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે. હાઈકોર્ટને ફિલ્મ જોઇ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી નથી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે.

શું છે મહારાજ લાયેબલ કેસ

મહારાજ લાયેબલ કેસ એક સમયનો અંધશ્રદ્ધા અને વહેમ તોડી સમાજને નવો દ્રષ્ટી કોણ આપવાનો કેસ છે. વાત છે 1860ના દાયકાની જ્યારે અંગ્રેજોની ગુલામી સાથે માણસને અંધશ્રદ્ધા પણ ગુલામીની સાંકળમાં જકળાય રહ્યા હતા. કરસનદાસ મુળજી તેઓ પત્રકાર સાથે સમાજ સુધારકની ભૂમિકા ભજવી રહ્યા હતા. નાનપણ લેખનનો શોખ ધરાવતા કરસનદાસે સત્યપ્રકાશ નામનું સમાચાર પત્રની શરૂઆત કરી. જેમાં સમાજના કુરિવાજોને લઈ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. બાળકો શિક્ષણ માટે શાળાઓ પણ શરૂ કરી હતી. પત્રકાર, સમાજ સુધારક સાથે તેઓ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા. જ્યાં તેનું ધ્યાન પૂર્વજોના લખાયેલ ગ્રંથોના શબ્દો સાથે કરેલી રમત પર ગયું. વલ્લભ સંપ્રદાયના ગુરુ વહેમ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ નાણાં પડાવવા સાથે તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર. જે બાદ તેઓ સારા કામને બિરદાવવા સાથે આ અત્યાર વિરુદ્ધ પોતાના સામાયિકમાં લેખન શરૂ કર્યું.

થોડા સમય બાદ સુરતના ગાદીપતિ મહારાજ જદુનાથજી મુંબઈ આવ્યા. જેઓ કન્યા કેળવણી સહિતના સારા કામોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. આ કાર્યને કરસનદાસજી પોતાના સમાચાર પત્ર બિરદાવ્યું હતું. સમય અંતરે કરસદાજીને જદુનાથજીના કુકાર્યની જાણ થતા ઇતિહાસ પ્રસિદ્ધ લેખ ‘હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લખ્યો. જેમાં લોકો સાથે થયેલા અત્યાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી જદુનાથજીએ કરસનદાસ સામે રૂપિયા 40 હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. જે બાદ સુપ્રીમ કોર્ટ (આજની હાઈકોર્ટ) સુનાવણી દોર ચાલ્યો અને આખરે કરસનદાસની જીત હાંસલ થઈ. ‘મહારાજ લાયેબલ કેસ’ તરીકે જાણીતો થયો.