Home Blog Page 1714

મહારાજ ફિલ્મ પર સ્ટેઃ શું છે વિવાદ?

નેટફ્લિક્સની અપકમિંગ ફિલ્મ ‘મહારાજ’ રિલીઝ થયા પહેલા જ વિવાદના વંટોળમાં ફસાઇ છે. બોલિવૂડ એક્ટર આમિરખાનના પુત્ર જુનેદખાન મહારાજ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા હતા. જ્યારે ફિલ્મને લઈ વિવાદ વધ્યો છે. નોંધનીય છે કે ફિલ્મીમાં વૈષ્ણવ સંપ્રદાય વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે. જેને લઈને વૈષ્ણવ સંપ્રદાયથી જોડાયેલ લોકો મહારાજા ફિલ્મને લઈ મેદાને ઉતર્યા છે. વધતા વિવાદને કારણે મહારાજ ફિલ્મ પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે.

આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ છે અને જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ છે.

અગાઉની સુનાવણીમાં નેટફ્લિક્સ વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી ઓનલાઈન હાઇકોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, જોકે અઢી કલાક ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલ કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત રાખવામાં આવ્યો હતો.

શું છે મહારાજ લાયેબલ કેસ?

મહારાજ લાયેબલ કેસ એક સમયનો અંધશ્રદ્ધા અને વહેમ તોડી સમાજને નવો દ્રષ્ટીકોણ આપતો કેસ છે. વાત છે 1860ના દાયકાની. પત્રકાર કરસનદાસ મુળજી પત્રકારત્વની સાથે સમાજસુધારકની ભૂમિકા પણ ભજવી રહ્યા હતા. નાનપણથી જ લેખનનો શોખ ધરાવતા કરસનદાસે ‘સત્યપ્રકાશ’ નામના સમાચાર પત્રની શરૂઆત કરી, જેમાં એમણે સમાજના કુરિવાજોને લઈને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. પત્રકાર, સમાજ સુધારક સાથે તેઓ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા, જ્યાં તેમનું ધ્યાન પૂર્વજોના લખાયેલ ગ્રંથોમાં શબ્દો સાથે કરાયેલી રમત પર ગયું. વલ્લભ સંપ્રદાયના ગુરુ વહેમ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ નાણાં પડાવવા સાથે તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા હતા.

કરસનદાસ મુલજી, પત્રકાર અને લેખક

કરસનદાસે એ વ્યાભિચાર વિરુધ્ધ પોતાના સામયિકમાં લેખન શરૂ કર્યું. થોડા સમય બાદ સુરતના ગાદીપતિ મહારાજ જદુનાથજી મુંબઈ આવ્યા. જદુનાથજી કન્યાકેળવણી સહિતના સારા કામોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા એટલે આ કાર્યને પણ કરસનદાસજીએ પોતાના સમાચારપત્ર દ્વારા બિરદાવ્યું. સમયાંતરે કરસનદાસજીને જદુનાથજીના કુકાર્યની જાણ થતાં તેમણે આ ઇતિહાસ પ્રસિદ્ધ લેખ ‘હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લખ્યો, જેમાં લોકો સાથે થયેલા અત્યાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ લેખની સામે જદુનાથજીએ કરસનદાસ સામે રૂપિયા 40 હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. સુપ્રીમ કોર્ટ (આજની હાઈકોર્ટ)માં સુનાવણીના દોર ચાલ્યો અને આખરે કરસનદાસની જીત થઈ. ઇતિહાસમાં આ કેસ ‘મહારાજ લાયેબલ કેસ’ તરીકે જાણીતો થયો.

એ સમયે ખૂબ ચકચારી બનેલા આ કેસની વિગતો પરથી જાણીતા પત્રકાર-લેખક સૌરભ શાહે મહારાજ નામની નવલકથા લખી હતી. આ જ નવલકથા પરથી મહારાજ નામે ફિલ્મ બની છે, જે નેટફ્લિક્સ પર રજૂ થનાર હતી.

આ કેસ પર સંશોધન કરનાર અમદાવાદસ્થિત એનઆઇએમસીજે સંસ્થાના ડિરેક્ટર અને રાજકીય વિશ્લેષક ડો. શિરીષ કાશીકર મહારાજ ફિલ્મના વિરોધ પર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે “મહારાજ નવલકથા સૌરભ શાહે લખી છે, જે 2013 માં આર.આર.શેઠ માં પબ્લિશ કરવામાં આવી હતી. આ નવલકથાને 2017માં ગુજરાતી સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ નવલકથા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. અને 2018માં સુરતની પ્રતિષ્ઠિત સંસ્થા નર્મદ સાહિત્ય સભાએ ‘મહારાજ’ ને ‘નંદશંકર ચંદ્રક’થી નવાજી હતી. આમ જોવા જઈએ તો ઇતિહાસ પુનરાવર્તિત થાય છે. સૌરભ શાહ દ્વારા જે નવલકથા લખાઇ છે તે સત્ય આધારિત છે. જેને પાયો ગણીને મહારાજ ફિલ્મ બનાવવામાં આવી હશે. એક પોસ્ટરના આધારે વિરોધ કરવો એ યોગ્ય નથી. આપણે ફિલ્મ જોવી જોઈએ. પછી જો કાંઇ વાંધાજનક લાગે તો વિરોધના સૂર છેડવા જોઈએ.”

મહારાજ ફિલ્મ વિવાદ

યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવાયેલી મહારાજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે વિવાદ શરૂ થયો હતો. ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાય છે એ વાતને લઇને વૈષ્ણવો દ્વારા ફિલ્મનો વિરોધ કરવાનું શરૂ થયું છે. અમદાવાદ સહિત ગુજરાતના વૈષ્ણવ સંપ્રદાયે ફિલ્મ સામે રોષ પ્રગટ કરીને કોર્ટમાં અરજી દાખલ કરી. હાઈકોર્ટે હાલ પૂરતું તો ફિલ્મ પર સ્ટે લગાવી દીધો છે.

(તેજસ રાજપરા-અમદાવાદ)

નીતીશકુમારને આંચકોઃ HCએ 65 ટકા અનામતને રદ કરી

પટનાઃ હાઇકોર્ટથી બિહારની નીતીશકુમારને મોટો આંચકો લાગ્યો છે. હાઇકોર્ટે બિહારમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલામાં જાતિ આધારિત અનામતને 65 ટકા કરવાવાળો કાયદો રદ કરી દીધો છે. બિહાર સરકારે જાતિ આધારિત જનગણતરી કરાવી હતી અને એ પછી OBC, EBC, દલિત અને આદિવાસીઓ માટે અનામત વધારીને 65 ટકા કરી હતી. હવે પટના હાઇકોર્ટે એ કાયદાને રદ કરી દીધો છે.

આ કેસમાં ગૌરવકુમાર અને અન્ય દ્વારા દાખલ અરજીમાં હાઇકોર્ટમાં સુનાવણી કરી હતી. હાઇકોર્ટે સુનાવણી કરીને ચુકાદો 11 માર્ચ, 2024એ સુરક્ષિત કરી લીધો હતો, જેથી આ ચુકાદો આજે આપ્યો હતો. ચીફ જસ્ટિસ કેવી ચંદ્રનની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ અનામત આ વર્ગોને પર્યાપ્ત પ્રતિનિધિત્વ નહીં થવાને કારણે આપ્યું હતું. રાજ્ય સરકારે આ અનામત આનુષંગિક ધોરણે નહોતું આપ્યું.

રાજ્ય સરકારે આ અરજીઓમાં નવ નવેમ્બર, 2023એ પસાર કરેલા કાયદાને પડકાર આપ્યો હતો. એમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગોને 65 ટકા અનામત આપ્યું હતું, જ્યારે સામાન્ય શ્રેણીના વર્ગ માટે માત્ર 35 ટકા જ પદો પર સરકારી સર્વિસ આપી શકાતી હતી.

બિહારમાં 65 ટકા અનામત કરી દેવામાં આવ્યું હતું, ત્યાર બાદ 10 ટકા અનામત આર્થિક રીતે પછાત લોકોને મળતું હતું. આમ બિહારમાં નોકરી અને દાખલાનો ક્વોટા વધારીને 75 ટકા સુધી પહોંચી ચૂક્યું હતું. ત્યારે બાદ યુથ ફોર ઇક્વાલિટી નામના સંગઠને હાઇકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો અને એના પર સુનાવણી શરૂ થઈ હતી.

 

 

 

 

 

 

ઝેરી દારૂ પીવાથી 34નાં મોત, 70થી વધુ ઘાયલ

ચેન્નઈઃ તામિલનાડુના કુલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદે દારૂ પીવાથી 34 લોકોનાં મોત થયાં અને આ ઘટનામાં 70થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. AIADMKએ CM સ્ટાલિનના રાજીનામાની માગ કરી છે. જિલ્લા કલેક્ટર MS પ્રશાંતે 19 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.

આ ઝેરી દારૂ પીવાની દુર્ઘટનામાં કુલ 107 લોકોને કલ્લાકુરિચી સરકારી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 59 લોકોને સેલમ, વિલ્લુપુરમ અને પુડુચેરી જેવાં અન્ય સ્થાનોની હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે.રાજ્યના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. રાજ્યની CID આ મામલે તપાસ કરશે. મુખ્ય મંત્રીએ લોકોનાં મોત પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓ સામે સખતાઈથી ડામવામાં આવશે. તેમણે આ કેસ માટે નિષ્ણાતોની સમિતિની રચના કરી હતી. મુખ્ય મંત્રીએ મૃતકના પરિવારને રૂ. 10 લાખ આપવાની અને સારવાર હેઠળના લોકો માટે રૂ. 50,000ની જાહેરાત કરી છે.

તેમણે X પર પોસ્ટમાં કહ્યું હતું કે કલ્લાકુરિચીમાં  ભેળસેળયુક્ત દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળ્યા બાદ મને આઘાત લાગ્યો છે અને દુઃખ થયું છે.

તામિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે મને એ જાણીને ખૂબ જ દુઃખ થયું છે કે કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું.

વિપક્ષોએ સાધ્યું નિશાન

તામિલનાડુની સ્ટાલિન સરકાર પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષના નેતા ઈદાપ્પડી પલાનીસ્વામીએ કહ્યું હતું કે જ્યારથી DMK સરકાર સત્તામાં આવી છે ત્યારથી ગેરકાયદે દારૂને લોકોનાં કારણે મોત થઈ રહ્યાં છે. તેમણે કહ્યું મુખ્ય મંત્રીનું રાજીનામું પણ માગ્યું હતું.

 

 

 

 

 

ખોટી પ્રેગ્નેન્સીનો આક્ષેપ કરનારાઓને દીપિકાએ આપ્યો વળતો જવાબ

મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. જ્યારથી રણવીર સિંહ અને દીપિકાએ આ જાહેરાત કરી છે ત્યારથી આ કપલના ફેન્સ ખૂબ ખુશ છે. દરેક લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે અને બાળકની આ દુનિયામાં આવવાની રાહ જોઈ રહ્યા છે. એક તરફ ખુશીઓથી ભરેલું સકારાત્મક વાતાવરણ છે તો બીજી તરફ કેટલાક લોકો એવા છે જેઓ દીપિકા પાદુકોણ પર નકલી પ્રેગ્નન્સીનો આરોપ લગાવી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે દીપિકાએ નકલી બેબી બમ્પ પહેર્યો છે અને તે પોતે ગર્ભવતી નથી. જો કે આ બધાને જવાબ આપતા દીપિકાએ ​​એક તસવીર શેર કરી છે.

દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં અભિનેત્રીનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. દીપિકાએ આ તસવીર સાથે સવાલ ઉઠાવનારા લોકોને જવાબ આપ્યો છે. શેર કરેલી તસવીરમાં દીપિકા ફીટ બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. આમાં દીપિકાનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કદાચ આ તસવીર જોઈને દીપિકાને પણ ખાસ ફીલ થયુ હશે, એટલે જ તેણે ફેન્સ સાથે તસવીર શેર કરી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક્શન કરતી જોવા મળશે. તેણી પહેલાથી જ તેને શૂટ કરી ચૂકી છે. હાલમાં દીપિકા બ્રેક પર છે ક્યારેક તે ઇવેન્ટ્સ અને પાર્ટીઓમાં અથવા તેના પરિવાર સાથે સમય પસાર કરતી જોવા મળે છે.

ઘટનાઓને ભૂતકાળ તરીકે રહેવા દો: શ્રી શ્રી રવિશંકરજી

ઘટનાઓ કેવી રીતે ઘટે છે એનું વિજ્ઞાન એક મોટું રહસ્ય છે. માત્ર એ જ વ્યક્તિ જે કર્મ પ્રત્યે 100 ટકા સમર્પિત છે તે ઘટનાને જાણી શકે છે. આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સમગ્ર ભૂતકાળને ઘટના તરીકે જુઓ અને વર્તમાનને કર્મ તરીકે. જો તમે ભૂતકાળને કર્મ તરીકે જોશો તો અહંકાર અને પસ્તાવો તેની સાથે સંકળાય છે. જો તમે વર્તમાનને ઘટના તરીકે જુઓ છો તો આળસ અને અસાવધપણું આવે છે. ઘટનાઓને ભૂતકાળ તરીકે રહેવા દો અને કર્મને વર્તમાન તરીકે ગણો. ભવિષ્ય આ બન્નેનું સંયોજન છે.

જ્ઞાની માણસો એક સાથે ઘટનામાં કર્મ જુએ છે અને કર્મમાં ઘટના. જે વ્યક્તિ પુષ્કળ કામ કરે છે તે ક્યારેય એવું નહીં કહે કે તેણે ઘણું કર્યું. જો કોઈ એમ કહે કે તેણે ઘણું કામ કર્યું છે તો એનો એ અર્થ થાય કે તે હજી વધારે કરી શકે છે. તેણે પૂરતું કર્યું નથી. “કર્તાભાવ” તમને જેટલા થકવે છે તેટલું કર્મ નથી થકવતું.

દરેક કાર્ય ચેતના થકી થાય છે. આ દુનિયા ચેતનાને લીધે ચાલે છે. ચેતના આ ત્રણ શક્તિઓને વ્યક્ત કરે છે-જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. જ્ઞાન,કાર્ય અને ઈચ્છા. આ શક્તિઓ એકબીજા સાથે તાલમેલમાં હોય તો જીવન ખૂબ સરળ રહે છે. જો એમ નથી તો જીવન વિષમ બને છે.

જે વસ્તુ જ્ઞાનને અનુરૂપ નથી, તેની ઈચ્છા રાખવી એ સાવ મુર્ખામી છે- જેમ કે ચંદ્ર પર પોતાનું ઘર હોવાની ઈચ્છા રાખવી. જ્ઞાનનો અભાવ હોય છે ત્યારે તમે ઈચ્છામાં સપડાઈ જાવ છો. ક્યારેક તમને થોડું જ્ઞાન હોય છે, પણ તમે એ અનુસાર કરતા નથી. ત્યારે પણ તમે દુખી થાવ છો.

ઘણીવાર તમે એવું કહો છો કે તમે અમુક કામ કરશો અથવા તમે અમુક કામ કરવા ઈચ્છો છો,પરંતુ તમે ક્યારેય તે કરતા નથી. તમે જાણો છો કે અમુક કામ પતાવાનું ઘણું સારું છે,છતાં તમે તેને ટાળ્યા કરો છો. તમને તે કામ કરવાની ઈચ્છા છે અને તમે જાણો પણ છો કે એ તમારે માટે લાભકારક છે,છતાં તમે તે કરતા નથી. આ ક્રિયા શક્તિનો અભાવ દર્શાવે છે. ઈચ્છા શક્તિ એ ઈચ્છા દર્શાવે છે,જ્ઞાન શક્તિ એ જ્ઞાનની તાકાત છે અને ક્રિયા શક્તિ એ કાર્ય કરવાની તાકાત છે.

કેટલાક લોકોમાં ક્રિયા શક્તિ પુષ્કળ હોય છે,પણ જ્ઞાન શક્તિનો અભાવ હોય છે.તેમનામાં કામ કરવાની તાકાત હોય છે, પરંતુ શું કરવું એનું જ્ઞાન નથી હોતું.આવું હોય ત્યારે લોકોને અજંપો થાય છે-ક્રિયા શક્તિ તેમને જંપવા દેતી નથી.અને બીજી બાજુએ કેટલાક લોકો એવા હોય છે જે એટલા ક્રિયાશીલ નથી-તેમનામાં ક્રિયા શક્તિનો અભાવ હોય છે.આવા લોકો શાંત બેસી રહેશે પણ તેમના મન ચાલ્યા કરશે.વળી, કેટલાક લોકોમાં ઈચ્છા શક્તિનો અભાવ હોય છે.તેમને પ્રબળ ઈચ્છા થતી નથી.તેઓ થોડા સમય માટે કંઈક કરે છે અને બે મીનીટ પછી બીજું જ કંઈ કરે છે.તેઓમાં કાર્ય પૂર્ણ કરવાની ઈચ્છા હોતી નથી અને તેમનું મન બદલાયા કરે છે.પ્રમાદ એ ઈચ્છા શક્તિના અભાવનું પરિણામ છે.કેટલાક લોકોમાં જ્ઞાન ઘણું હોય છે,પરંતુ તેને અન્યોને આપવાની ઈચ્છા હોતી નથી. તેઓમાં જ્ઞાન શક્તિ ઘણી છે, પણ ઈચ્છા શક્તિ નથી. આ ત્રણે શક્તિઓ સંપૂર્ણ સમતોલનમાં હોય એ જવલ્લે જોવા મળે છે.

ઈચ્છા, આત્મા વિશે જાગૃતિ અને કાર્ય,આ તમામ એ જ ઊર્જાના પરિણામ છે,જે તમે છો. એક સમયે આ ત્રણમાંથી એક પ્રભાવી હોય છે. જ્યારે ઈચ્છા પ્રભાવી હોય છે ત્યારે આત્મા વિશે જાગૃતિ ઓછામાં ઓછી હોય છે. દુનિયાભરના ફિલસુફોએ હંમેશા સ્વૈચ્છિક પરિત્યાગ અને ઈચ્છાઓ છોડવા પર ભાર મુક્યો છે. તમે સભાનતાની અવસ્થામાં હોવ છો ત્યારે ખુશી ઉત્પન્ન થાય છે અને જ્યારે ઈચ્છા પ્રભાવી બને છે ત્યારે માનસિક તણાવ અને દુ:ખ કબજો લઈ લે છે.

જ્યારે કાર્યો પ્રભાવી હોય છે ત્યારે અજંપો પેદા થાય છે. તમારા કાર્યો અને ઈચ્છાઓ ઈશ્વર સાથે અનુરુપ અથવા સમાજના કલ્યાણ અર્થે હોય છે ત્યારે ચેતના આપોઆપ ઉન્નત થાય છે અને આત્મા વિશેના જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. મન બે પ્રકારના છે: બૃહદ (મોટું) અને લઘુ (નાનું). ક્યારેક બૃહદ મન લઘુ મનની ઉપર હાવી થઈ જાય છે અને ક્યારેક એનાથી વિપરીત હોય છે. લઘુ મનનો પ્રભાવ વધી જાય છે ત્યારે દુ:ખ અનુભવાય છે અને જ્યારે બૃહદ મનનો પ્રભાવ વધી જાય છે ત્યારે આનંદ અવતરે છે. નાનું મન આનંદ આપવાનું વચન આપે છે,પણ પાળતું નથી. મોટું મન શરુઆતમાં પ્રતિકાર જન્માવી શકે છે પણ તમને આનંદમાં તરબોળ કરી દે છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

સુવિચાર – ૨૦ જૂન, ૨૦૨૪

૨૦ જૂન, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 20/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારી કામકાજ, સોના, ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે, વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ 20/06/2024

UGC-NEET પરીક્ષા રદ, NTAની જાહેરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બુધવારે UGC-NEET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી. એજન્સીને પ્રથમદર્શી સંકેતો મળ્યા છે કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પરીક્ષા પ્રક્રિયાની સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NEET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, નવી પરીક્ષા હાથ ધરવામાં આવશે, જેના માટે અલગથી માહિતી શેર કરવામાં આવશે. સાથે જ આ કેસને સંપૂર્ણ તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી રહ્યો છે.

NET પરીક્ષાઓ કેમ રદ કરવામાં આવી?

19 જૂન, 2024 ના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને પરીક્ષા સંબંધિત ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર કોઓર્ડિનેશન સેન્ટર તરફથી કેટલીક માહિતી અથવા તેના બદલે ઇનપુટ્સ પ્રાપ્ત થયા છે. આ ઇનપુટ્સ પ્રથમ દ્રષ્ટિએ દર્શાવે છે કે પરીક્ષામાં ગેરરીતિના સંકેતો છે. અત્રે નોંધનીય છે કે, નેટની પરીક્ષાને લઈને ગઈકાલથી વિદ્યાર્થીઓ દ્વારા આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા, જોકે પેપર લીકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી, શિક્ષણ મંત્રાલયે નિર્ણય લીધો છે કે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવી જોઈએ. હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે.