Home Blog Page 1746

રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ… CWCની બેઠકમાં ઠરાવ પસાર

કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ શનિવારે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. કોંગ્રેસ સીડબ્લ્યુસીની બેઠક બાદ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે સીડબ્લ્યુસી (કોંગ્રેસ વર્કિંગ કમિટી)એ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવા વિનંતી કરી હતી. સંસદની અંદર આ અભિયાનનું નેતૃત્વ કરવા માટે રાહુલજી સૌથી યોગ્ય વ્યક્તિ છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા 52 થી વધીને 99 થઈ ગઈ છે અને તે લોકસભામાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. 2014માં સત્તામાંથી બહાર થયા બાદ આ પહેલીવાર હશે જ્યારે કોંગ્રેસને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળશે. કોંગ્રેસ છેલ્લા 10 વર્ષમાં આ પદ મેળવી શકી ન હતી, કારણ કે ગૃહમાં તેની બેઠકો બંને વખત ઓછી થઈ હતી. 2014 અને 2019. કુલ બેઠકોના 10 ટકાથી ઓછી હતી.

તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના NDAએ 293 બેઠકો જીતી લીધી છે અને સરકાર બનાવવા માટે તૈયાર છે. 2014માં સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ વખત બનશે જ્યારે ભાજપ નીચલા ગૃહમાં બહુમતી વિના સરકાર બનાવશે.

પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં આ થયું. આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી. આ અંગેનો ઠરાવ પણ બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો.

VIDEO: સુનિતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશનમાં પહોંચતા જ કર્યો ડાન્સ

ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને સહયાત્રી બૂચ વિલ્મોરે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં સવાર થઇને સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચી ગયા છે. એરક્રાફ્ટમાંથી બહાર આવતાની સાથે જ સુનિતાએ ખુશ થઈને ડાન્સ કર્યો અને સ્પેસ સ્ટેશન પરના ક્રૂ મેમ્બર્સને ગળે લગાવ્યા. તેણીએ એક મહિલા અવકાશયાત્રી તરીકે તેની પ્રથમ સફરમાં અવકાશમાં વિમાનનું પરીક્ષણ કરીને ઇતિહાસ રચ્યો હતો. વિલિયમ્સે તેના સાથી અવકાશયાત્રી બેરી બૂચ વિલ્મોર સાથે 25 કલાક લાંબી મુસાફરી કરી. આ બંને હવે એરક્રાફ્ટનું પરીક્ષણ કરવા અને તે અવકાશમાં કેવી રીતે પ્રદર્શન કરી શકે છે તે માટે અવકાશમાં એક સપ્તાહ વિતાવશે.

સુનિતા વિલિયમ્સે બુધવારે સ્ટારલાઇનમાં સવાર થઈને અવકાશ માટે ત્રીજી વખત ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો હતો. આ ટેસ્ટ ફ્લાઇટની સુનિતા વિલિયમ્સ પાયલટ છે, જ્યારે વિલ્મોર મિશનના કમાન્ડર છે. બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઉડાન ભર્યા બાદ આશરે 25 કલાકની સફર પછી ગુરુવારે બપોરે 1:34 કલાકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સફળતાપૂર્વક ડોક થયું હતું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફર દરમિયાન આ બંને અવકાશયાત્રીઓએ અવકાશમાં સ્ટારલાઇનરના મેન્યુએલ ઉડાન સહિતના સંખ્યાબંધ પ્રયોગો કર્યા હતા. હાલમાં સ્પેશ સ્ટેશન પર બીજા સાત અવકાશયાત્રીઓ છે. તેઓ સાથે મળીને અવકાશમાં વિવિધ પરીક્ષણો અને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. મિશન ટીમોએ અવકાશયાનમાં ત્રણ હિલીયમ લીકની સમસ્યાને દૂર કરી હતી. એક લીકેજની સમસ્યા ઉડાન પહેલાની હતી. બીજી સમસ્યા ઓર્બિટ દરમિયાન ચાલુ થઈ હતી.

ઉદ્ધવ ઠાકરેના બે સાંસદો CM એકનાથ શિંદેના સંપર્કમાં

નવી  દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો જાહેર થયાં પછી પણ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. પહેલાં તેમની સીટો 2019ની તુલનાએ ઓછી થઈ હવે તેમની પાર્ટીના બે નવા સાંસદોએ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેનો સંપર્ક કર્યો છે. તેમણે NDAમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. શિવસેના શિંદે જૂથે એનો દાવો કર્યો છે.

શિવસેના શિંદે જૂથના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નરેશ મ્હસ્કેએ કહ્યું હતું કે શિવસેના (UBT)થી ચૂંટાઈ આવેલા બે સાંસદોએ શિંદેનો સંપર્ક કર્યો હતો. તેઓ NDA અને શિવસેના શિંદેની સાથે આવવા ઇચ્છે છે. શિંદે જૂથે દાવો કર્યો હતો કે ઉદ્ધવ જૂથના બે સાંસદો સંપર્કમાં છે અને ચાર સાંસદો લાઇનમાં છે, જે ટૂંક સમયમાં શિંદે જૂથથી સંપર્ક કરવાના છે.

મ્હસ્કેના નિવેદનથી UBT જૂથમાં હડકંપ મચી ગયો છે. હાલ આ મુદ્દે કોઈ પણ નેતા વાત કરવા તૈયાર નથી. મુખ્ય મંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાની પાર્ટીમાં બળવા પછી મહા યુતિની સાથે મળીને પહેલી વાર લોકસભા ચૂંટણી લડી હતી. 15 સીટો પર ચૂંટણી લડનાર શિંદેની શિવસેનાને કુલ સાત સીટ મળી હતી, જ્યારે ઉદ્ધવ જૂથની શિવસેનાના ખાતામાં નવ સીટો ગઈ છે.

આ પહેલાં શિવસેનાના વિદાનસભ્ય સંજય શિરસાટે દાવો કર્યો હતો કે આગામી કેટલાક દિવસોમાં શિવસેના (UBT)ના કેટલાક નેતાઓ તેમની પાર્ટીમાં સામેલ થશે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે શિવસેના (UBT)ના કેટલાક મહત્ત્વના લોકો 10 જૂનથી પહેલાં અમારી પાર્ટીમાં સામેલ થશે.ચૂંટણી પહેલાં પણ શિવસેના (UBT)ના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે મુખ્ય મંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં પાંચ-સાત વિધાનસભ્ય ટૂંક સમયમાં પાલો બદલશે.

 

 

 

 

 

 

 

 

ભારતીય ભોજન વિશે કોરિયન દંપતિની હૃદયસ્પર્શી પ્રતિક્રિયા!

કોરિયન ફૂડ વ્લોગરે પોતાના માતા-પિતાને ભારતીય ભોજનનો પહેલીવાર આસ્વાદ કરાવ્યા બાદ તેમની વ્યક્ત થયેલી હૃદયસ્પર્શી પ્રતિક્રિયા વીડિયોમાં શેર કરી!

ભારતીય ભોજન તેના સમૃદ્ધ સ્વાદ તેમજ મોંઢામાં પાણી લાવી દેતી સોડમને લીધે દેશ-વિદેશમાં લોકો ભારતીય વાનગીના ચાહક થઈ જાય છે! સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત હવે જગજાહેર થવા લાગી છે. જેઓ ભારતીય ભોજન ખાઈને નથી ઉછર્યાં, તેઓ પણ ભારતીય વ્યંજનના રસિયા થઈ જાય છે! ભારતીય સમોસા, પાલક-પનીર, નાન, સાગ, બટર ચિકન વગેરે વાનગીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કોરિયન ફૂડ વ્લોગર અને લેખક જેમ્સ પાર્ક, જેઓ તેમની રસપ્રદ ફૂડ સમીક્ષાઓ અને દેશ-વિદેશની વિવિધ વાનગીઓની શોધખોળ માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે એક વીડિયો શેર કર્યો, જેમાં ભારતીય ભોજનનો જાદુ જોવા મળે છે!

તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે પોતાના માતા-પિતાને પહેલીવાર ભારતીય ભોજન ખવડાવે છે. આ વીડિયોમાં, સ્વાદ ચાખવા પર કોરિયન દંપતીની હૃદયસ્પર્શી આનંદદાયક પ્રતિક્રિયાઓ જોવા મળે છે! એમની પ્રતિક્રિયાઓ જોઈને આપણા અમુક ભારતીયો કે, જેઓ વિદેશી ફૂડ ખાવામાં જ પોતાની મોટાઈ સમજતા હોય, તેઓ પણ કદાચ ભારતીય ભોજન પ્રત્યે આકર્ષિત થાય! ખરેખર આ વીડિયોમાં દંપતિની નિર્દોષ પ્રતિક્રિયા નિહાળવા લાયક છે!વીડિયોમાં કોરિયન વ્લોગર પાર્કના માતા-પિતા રંગબેરંગી અને મોહક ભારતીય વાનગીની ડિશોથી ગોઠવાયેલા ડાઇનિંગ ટેબલ સામે બેઠાં છે. આ ઉજાણીની શરૂઆત થાય છે આપણા ગ્રીષ્મકાલીન મનપસંદ પેય કેરીની લસ્સીથી!

પાર્કના પિતા લસ્સીની ચુસ્કી લેતાં જ કહે છે, ‘કેરીનો સ્વાદ હંમેશા અદ્ભુત હોય છે.’ તેની માતા લસ્સી પીધાં પછી ટિપ્પણી કરે છે, ‘આ તો ઘટ્ટ અને સ્વાદિષ્ટ છે.’

ત્યારબાદ તેઓ પાણીપુરીનો પ્રયાસ કરે છે. જેનો સ્વાદ લેતાં પાર્કની માતા કહે છે, ‘યમ, સ્વાદિષ્ટ!’ ચણા ચાટ ખાતાં જ પાર્કની માતા તેની તુલના ટોનકાત્સુ સોસ સાથે કરે છે, જે કોરિયન ભોજનનો જાણીતો સ્વાદ છે.

જ્યારે તેઓ લસણિયા નાન તરફ આગળ વધે છે. ત્યારે પાર્કના પિતા તેની સરખામણી પિઝા સાથે કરે છે. બીજી બાજુ તેની માતા નાન પર બટર ચિકનની ગ્રેવી ફેલાવતી નજરે ચઢે છે. આના પર વ્લોગર કહે છે. ‘તેને આ રીતે ખાશો નહીં. તેના બદલે તેને ગ્રેવીમાં ડુબાળીને ખાઓ.’ એ રીતે નાન ચાખતાં જ તેની માતા  બોલી ઉઠે છે. ‘યમ્મ, આ ઘણું જ લહેજતદાર છે.’  ભોજનનું અન્વેષણ પંજાબી સાગ પનીર એટલે કે, પાલક પનીર સાથે ચાલુ છે.

પાર્કની માતા તેને નાન સાથે ચાખીને કહે છે, ‘આ સ્વાદ તો બહુ જ અનોખો છે.’ આગળ તેણી કહે છે, ‘આટલી વાનગીઓ ચાખી, તેમાં એક પણ મસાલો એવો નહીં હોય જે મને પસંદ ના આવ્યો હોય! આ ભાત તો, આપણે ત્યાં યેંગડેઓકમાં મળતાં કરચલા મિશ્રિત ભાત જેવો જ દેખાય છે અને તેનો સ્વાદ પણ તેના જેવો જ છે.’ તેણી ઉમેરે છે.

જ્યારે તેઓ બિરયાની ટ્રાય કરે છે, ત્યારે પાર્કના પિતા તેને પૂછે છે, ‘શું આ ફ્રાઈડ રાઈસ છે?’ જ્યારે તેની માતાએ ચાખ્યું તો તેણી ટિપ્પણી કરે છે, ‘આ પણ ખરેખર બહુ જ સ્વાદિષ્ટ છે!’

ઉજાણી પૂરી થતાં જ પાર્કના પિતા ભોજન વિશેના પોતાના અનુભવની પ્રતિક્રિયા આપતાં કહે છે, ‘આજનું ભોજન એટલે માત્ર ભારતીય ખોરાકને અજમાવવો તેના કરતાં વધુ છે! આ એક અદ્ભુત અનુભવ છે, જે મારા માટે એક મહાન સ્મૃતિરૂપ છે!’ તેની માતા કહે છે. ‘હું નથી ઈચ્છતી કે આ અનુભવ માત્ર એક સ્મૃતિના રૂપે પૂરો થઈ જાય. હું તો આ ભોજનનો આસ્વાદ ફરીવાર લેવા માંગું છું.

આ વીડિયો જોઈને ભારતીય તરીકે માત્ર અમે કે તમે જ નથી, જેઓ ખૂબ જ ગર્વ અનુભવે તેમજ ભોજનની ડિશ જોઈને ભૂખની લાગણી અનુભવી રહ્યાં હોય, તેવા વીડિયોના ટિપ્પણી વિભાગમાં પણ ઘણાં દર્શકોએ આવી જ લાગણીની અનુભૂતિ શેર કરી છે. એક વ્યક્તિએ લખ્યું, ‘આ કેટલું પ્યારું દેખાય છે કે, પિતાના ગાલ ઉપર બટર ચિકન સોસ લાગેલું છે! આ જોઈને ખ્યાલ આવે છે કે, તેમણે ખરેખર, ભોજનનો આસ્વાદ માણ્યો છે. આ રાત્રિભોજન બહુ જ સરસ દેખાય છે!’

અન્ય દર્શકે લખ્યું, ‘હું પણ મારા માતા-પિતા સાથે આવો જ વ્યવહાર કરવા માંગું છું.’

એક દર્શકે લખ્યું, ‘એક ભારતીય તરીકે મને ખૂબ આનંદ છે કે, તેઓએ ભોજનનો આનંદ માણ્યો!’

કોરિયન ફૂડ વ્લોગરના માતા-પિતાની હૃદયસ્પર્શી પ્રતિક્રિયા જોવા નીચે આપેલી લિન્ક વાપરોઃ

https://www.instagram.com/reel/C6w42BQvIT5/?utm_source=ig_web_copy_link

રથયાત્રાને લઈ AMC એક્શન મોડમાં, 288 મકાનને આપી નોટિસ

ગુજરાતમાં પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જ્યારં આગામી 22 જૂનના જળયાત્રા યોજાવાની છે અને આગામી 7 જુલાઈના ભગવાન જગન્નાથ નગરચર્યા પર નિકળશે. જેને લઈ રથને શણગારવા સહિતને રથયાત્રા લગતી તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

રથયાત્રાને લઈ કોઈ દુર્ઘટાના ના સર્જાય તે માટે AMC પર એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાંથી પ્રતિ વર્ષે નીકળતી રથયાત્રાના રુટ ઉપર આવેલા ભયજનક મકાનનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા સર્વે કરવામા આવ્યો છે. મધ્યઝોનમાં રથયાત્રાના રુટ ઉપર દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ 150 ભયજનક મકાન આવેલા છે.ઉપરાંત ખાડીયા વોર્ડમાં 111 ભયજનક મકાન આવેલા છે. ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવા એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શાહીબાગ ઉપરાંત દરિયાપુર, શાહપુર અને ખાડીયા વોર્ડમાં રથયાત્રા રુટ ઉપર આવેલા ભયજનક મકાન કે તેના ભયજનક ભાગ અંગે સર્વે કરીને તેને ઉતારી લેવા અંગે  નોટિસ આપવામા આવી છે. ગત વર્ષ રથયાત્રાના રુટ ઉપર આવેલા દરિયાપુરના એક મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી. ઉલ્લેખનીય છે કે અસારવા વિસ્તારમાં 3 મકાનને નોટીસ આપવામાં આવી છે. તો શાહીબાગ વિસ્તારમાં 8 નોટિસ આપી છે. જ્યારે દરિયાપુરમાં સૌથી વધુ 150, શાહપુરમાં 04, ખાડીયામાં 111 અને જમાલપુર વિસ્તારમાં 12 મકાનને નોટિલ આપવામાં આવી છે. આમ કુલ 288 મકાન ભયજનક લાગતા ઉતારી લેવાની નોટિસ મોકલવામાં આવી છે.

અભયારણ્યો-રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે બંધ

ગાંધીનગર: ચોમાસા દરમિયાન ૧૫મી જૂનથી ૧૫મી ઑક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ૧૬મી ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે ફરી ખુલી જશે.

વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૨૮ અને ૩૩ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવે છે.આ ઉપરાંત આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળનો હોય છે. જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ગુજરાતનાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

મોદીની જીતની ઉજવણી અમેરિકાના 22 શહેરોમાં થશે

અમેરિકા: ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી(OFBJP)- અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. દેશની લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા બદલ તેમણે ભાજપના સ્વયંસેવકો, OFBJPના સ્વયંસેવકોને પણ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય જીતને વધાવવા માટે હાલ OFBJPએ અમેરિકાના જ્યોર્જિયા શહેરમાં ખાસ ઉજવણીનું આયોજન કર્યું છે.OFBJPનું માનવું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 11મા સ્થાનેથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. આગામી સમયમાં નરેન્દ્ર મોદી દેશ અને વિદેશમાં વસતા ભારતીયો માટે વધુ સારા નિર્ણયો લેશે તેવી પણ તેમને આશા છે. OFBJP 8મી જૂનથી લઈને 16મી જૂન સુધી સમગ્ર યુ.એસ.એ.માં 22 જેટલાં શહેરોમાં વિજયોત્સવનું આયોજન કરી રહ્યું છે. જેના ભાગરૂપે એટલાન્ટા શહેરમાં આવેલા ઈમ્પેક્ટ હોલ, ગ્લોબલ મોલ, નોરક્રોસ, જ્યોર્જિયા ખાતે રવિવારે 9મી જૂન 2024ના રોજ વિજયની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ભારતીયો જોડાવવાના છે.

World Ocean Day: મહાસાગર શા માટે મહત્વપૂર્ણ છે?

વિશ્વ મહાસાગર દિવસ (World Ocean Day) 8 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં સમુદ્રના રક્ષણ માટે ઉજવવામાં આવે છે. આ મહાસાગર દિવસ દર વર્ષે એક અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે, તેનું મુખ્ય કારણ વિશ્વભરના લોકોને માનવ જીવનમાં મહાસાગરોની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેની જાળવણી વિશે જાગૃત કરવાનું છે. મહાસાગર એ ખોરાક, દવાઓનો મુખ્ય સ્ત્રોત અને જીવમંડળનો મહત્વનો ભાગ છે. તેથી તેમનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. મહાસાગર માત્ર પાણીનો સ્ત્રોત નથી પરંતુ તે વિશ્વના ઘણા જીવોને ખોરાક અને પોષણ બંને પ્રદાન કરે છે.

પૃથ્વીની સપાટી પર ગરમીના ચક્રનું સંતુલન જાળવવામાં મહાસાગરો મોટી ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે પૃથ્વી પરથી મનુષ્ય અને અન્ય વસ્તુઓ દ્વારા ઉત્સર્જિત ગરમી વાતાવરણમાં પહોંચે છે, જેના કારણે વાતાવરણ ગરમ થવા લાગે છે, પરંતુ ઘણી બધી ગરમી સમુદ્રમાં સમાઈ જાય છે. આ વાતાવરણ અને પૃથ્વી પર ગરમીનું દબાણ ઘટાડે છે. આ સાથે, પૃથ્વીના પર્યાવરણની ઘણી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ અને ઇકોસિસ્ટમને સંતુલિત રાખવામાં મહાસાગરની મોટી ભૂમિકા છે.

તે ક્યારે શરૂ થયું તે જાણો

વિશ્વ મહાસાગર દિવસની કલ્પના મૂળરૂપે કેનેડાના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓશન ડેવલપમેન્ટ (ICOD) અને કેનેડાની મહાસાગર સંસ્થા (OIC) દ્વારા 8 જૂન, 1992ના રોજ રિયો ડી જાનેરોમાં ગ્લોબલ ફોરમમાં પ્રસ્તાવિત કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2008માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ નિર્ણય કર્યો કે 8મી જૂનને યુનાઈટેડ નેશન્સ દ્વારા ‘વિશ્વ મહાસાગર દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ પછી વર્ષ 2009માં પ્રથમ વખત વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી ‘આપણા મહાસાગરો, આપણી જવાબદારી’ થીમ સાથે કરવામાં આવી હતી. ત્યારથી, ધ ઓશન પ્રોજેક્ટ અને વર્લ્ડ ઓશન નેટવર્કની મદદથીવિશ્વ મહાસાગર દિવસ દર વર્ષે 8 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવાનું શરૂ થયું.

વિશ્વ મહાસાગર દિવસનો હેતુ

દર વર્ષે આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ લોકોમાં સમુદ્ર વિશે જાગૃતિ ફેલાવવાનો છે અને આપણે જૈવવિવિધતા, ખાદ્ય સુરક્ષા, પર્યાવરણીય સંતુલન, આબોહવા પરિવર્તન, દરિયાઈ સંસાધનોનો આડેધડ ઉપયોગ વગેરે કેવી રીતે કરી શકીએ તે અંગે જાગૃતિ ફેલાવવાનો છે.અને આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહાસાગરો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે વિશ્વમાં જાગૃતિ લાવવાનો છે. વાસ્તવમાં, જેમ આપણા જીવનમાં પૃથ્વીનું મહત્ત્વનું સ્થાન છે, તેવી જ રીતે મહાસાગરનું પણ મહત્ત્વનું સ્થાન છે કારણ કે મહાસાગરને પૃથ્વીની હૃદય સિસ્ટમ માનવામાં આવે છે. પરંતુ હજુ પણ આપણે તેના રક્ષણ પર કોઈ ખાસ ધ્યાન આપતા નથી. તેને સાચવવાને બદલે આપણે તેને પ્રદૂષિત કરવામાં વ્યસ્ત છીએ. જેના કારણે માનવીય ગતિવિધિઓમાં વધારો થવાને કારણે વિશ્વભરના મહાસાગરો ખરાબ રીતે પ્રદૂષિત થઈ રહ્યા છે.

મહાસાગરનું નામ ભારત શા માટે રાખવામાં આવ્યું છે?

હિંદ મહાસાગર એકમાત્ર એવો મહાસાગર છે જેનું નામ ભારત (હિન્દુસ્તાન) પરથી રાખવામાં આવ્યું છે. કારણ કે આ મહાસાગર ભારતીય ઉપખંડની આસપાસ ફેલાયેલો છે. તેથી આ મહાસાગરને હિંદ મહાસાગર નામ આપવામાં આવ્યું. વિશ્વમાં 5 મુખ્ય મહાસાગરો છે, જે પેસિફિક, એટલાન્ટિક, ભારતીય, દક્ષિણ અને આર્કટિક મહાસાગર છે.

મહાસાગર શા માટે મહત્વપૂર્ણ છે?

  • મહાસાગરો આપણા હવામાન અને આબોહવાને ચલાવે છે. સૂર્યની ટીપ્સમાંથી નીકળતી 98% જેટલી ગરમી સમુદ્ર દ્વારા શોષાય છે.
  • જળ ચક્રમાં મહાસાગર મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે સૂર્ય ચમકે છે અને ગરમ પ્રવાહો સમુદ્રને ગરમ કરે છે, ત્યારે પાણીનું બાષ્પીભવન થાય છે. આ માત્ર વાદળો બનાવે છે પરંતુ હવાના તાપમાન અને ભેજમાં પણ વધારો કરે છે… હવામાન બનાવે છે.
  • જીવનનો 50% ઓક્સિજન સમુદ્રમાંથી આવે છે. નાના પ્લાન્કટોન અને સમુદ્રી છોડ પ્રકાશ પરિવહનની પ્રક્રિયા દ્વારા CO2 ને શોષી લે છે અને O2 ને વાતાવરણમાં પાછું છોડે છે.
  • જળ ચક્રમાં મહાસાગર મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે સૂર્ય ચમકે છે અને ગરમ પ્રવાહો સમુદ્રને ગરમ કરે છે, ત્યારે પાણીનું બાષ્પીભવન થાય છે. આ માત્ર વાદળો બનાવે છે પરંતુ હવાના તાપમાન અને ભેજમાં પણ વધારો કરે છે… હવામાન બનાવે છે.
  • મહાસાગર અંદાજે 3 અબજ મનુષ્યોને પ્રોટીન પ્રદાન કરે છે અને દરેક વનસ્પતિ, વનસ્પતિ અને પ્રાણી સમુદ્ર દ્વારા ચાલતા જળ ચક્ર દ્વારા ઉત્પન્ન થતા પાણીને આભારી છે.
  • ડુક્કર, માછલીઓ અને પક્ષીઓ જે આપણે ખાઈએ છીએ તેના પર આંકડા અલગ-અલગ છે, પરંતુ કેટલાક નિષ્ણાતો કહે છે કે સમુદ્રમાંથી લણવામાં આવતી તમામ માછલીઓમાંથી ત્રીજા ભાગની માછલીઓ ઉછેરવામાં આવતા પ્રાણીઓને ખવડાવવામાં જાય છે.
  • તે આપણા જીવનની ગુણવત્તાને પણ અસર કરે છે. વિતરણ સૂચવે છે કે સમુદ્રમાં, તેની ઉપર, નજીક અથવા નીચે રહેવાથી આપણે જે કરીએ છીએ તેમાં વધુ સુખી, સ્વસ્થ, વધુ જોડાયેલા અને વધુ સારા બનાવી શકીએ છીએ.

નીતીશકુમારને ઇન્ડિયા ગઠબંધનથી વડા પ્રધાનપદની ઓફર હતીઃ JDU

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી નીતીશકુમારની ઉપયોગિતા NDA માટે વધી ગઈ છે. એ સાથે ઇન્ડિયા ગઠબંધન પણ બિહારના CM નીતીશકુમારને ખેંચવા માટે આતુર હતા. જોકે એ ઝુંબેશમાં તેમને સફળતા ના મળી. નીતીશકુમારે વડા પ્રધાન મોદી અને NDA પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી હતી. તેમણે ગઈ કાલે સંસદીય દળની બેઠકમાં તેમણે PM મોદીની ખૂબ પ્રશંસા કરી હતી.

નીતીશકુમારના સલાહકાર અને તેમની પાર્ટીના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે જે ઇન્ડિયા ગઠબંધે નીતીશકુમારને રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કર્યો હતો, એ હવે નીતીશને PM બનાવવાની રજૂઆત કરી રહ્યા છે. જોકે એ પ્રસ્તાવને તેમણે ફગાવી દીધો હતો અને તેઓ NDAની સાથે મજબૂતીથી ઊભા છે. હવે નીતીશકુમાર NDAમાં જ રહેશે, એમ તેમણે કહ્યું હતું.

રાજકારણનો ખેલ એવો છે કે ક્યારે શું થાય એ કહી ના શકાય. કોંગ્રેસ અને અન્ય પક્ષોના દુર્વ્યવહારને કારણે નીતીશે આ જાન્યુઆરીમાં NDA પરત ફરવા માટે મજબૂત થવું પડ્યું હતું.પાછળ ફરીને જોવાનો કોઈ સવાલ જ નથી. હવે અમે NDAના એક મૂલ્યવાન ભાગીદાર છીએ અને અમે મોદીની પડખે ઊભા છીએ, એમ તેમણે કહ્યું હતું.નીતીશકુમાર ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષોને એકત્ર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે હવે NDAમાં ભાજપ પાસેથી અમને સન્માન  મળી રહ્યું છે અને અમે રાષ્ટ્રીય રાજકારણમાં એક મોટા ભાગીદાર છીએ.

 

 

 

 

 

 

 

મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી

રાજ્યમાં ગરમીએ ત્રાહીમામ પોકાર્યો છે. ગુજરાતમાં પાછલા સાત વર્ષોના રેકોર્ડને તોડી ગરમી 50 ડીગ્રીને પાર નોંધાઈ હતી. ત્યારે હવે રાજ્યવાસીઓ કાગ ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. ત્યારે આજે સરવારથી રાજ્યના કેટલાક વિસ્તારમાં પલટો જોવા મળી રહ્યો છે. તો કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગતમોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી બાજું મધ્ય પ્રદેશમાં રાત્રી દરમિયાન ભારે વરસાદને પગલે કવાંટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે.

જગતનો તાત વાવણી માટે તૈયાર!
મેઘની પધરામણી થતાની સાથે જ સોરઠ પંથકમાં ખેડૂતોએ વાવણી કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં મગફળીના આગોતરા પાકનું વાવેતર હવે શરૂ થયું છે. મગફળી માટે સાનુકુળ વાતાવરણ સૌરાષ્ટ્રમાં મળી રહે છે. જ્યારે વરસાદના ધીમા આગમને લઈ ખેડૂતોએ વાવાણી શરૂ કરી દીધી છે.