
NDAના નેતા પસંદ થવું એ સૌભાગ્યની વાતઃ PM મોદી
નવી દિલ્હીઃ NDAની આજે બેઠક છે. આ બેઠકમાં તમામ ઘટક પક્ષો સામેલ થયા છે. આ બેઠકમાં વડા પ્રધાન મોદીને સંસદીય દળના નેતા ચૂંટી કાઢવામાં આવશે. આ બેઠકમાં રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નામનો વડા પ્રધાનપદ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને અમિત શાહે ટેકો આપ્યો હતો.
આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું હતું કે હું બહુ ભાગ્યશાળી છું કે બધાએ સર્વસંમતિથી મને NDAનો નેતા ચૂંટી કાઢવામાં આવ્યો છે. તમે બધાએ મને એક નવી જવાબદારી આપી છે અને હું તમારા બધાનો બહુ આભારી છું. આપણી વચ્ચે વિશ્વાસનો પુલ મજબૂત છે. આ સંબંધ વિશ્વાસના મજબૂત પાયા પર છે અને એ સૌથી મોટી પૂંજી છે, એમ તેમણે કહ્યું હતું.ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમારે મોદીને ટેકો આપ્યો હતો. નીતીશકુમારે કહ્યું હતું કે અમે બધા ભાજપની સાથે છીએ. 10 વર્ષમાં જે કામ બચ્યું છે એને પણ આગામી પાંચ વર્ષમાં પૂરું કરી લેવામાં આવશે. બધા મળીને સાથે ચાલીશું અને સૌ સાથે છીએ. મોદી ફરી એક વાર વડા પ્રધાન બનશે, એમ તેમણે કહ્યું હતું.

રાજનાથ સિંહના પ્રસ્તાવને ભાજપના નેતા નીતીન ગડકરી અને JDS નેતા એચડી કુમારસ્વામીએ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ભારત એક નવી શક્તિ બનશે. આ બેઠકમાં ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે જે ઘડીની રાહ જોવાતી હતી, એ આવી ગઈ છે. અમારી પેલી વાર ઓડિશામાં સરકાર બની છે. આંધ્ર પ્રદેશમાં અને સિક્કિમમાં NDA સરકાર છે.
સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપાધ્યક્ષે સતત ત્રીજી વાર સત્તાવામાં વાપસીને લઈને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. એ દરમ્યાન બેઠકમાં પણ મોદી સરકારનો સૂત્રોચ્ચાર થયો હતો. આ NDA સંસદીય દળની બેઠક જૂની સંસદમાં આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં NDAના બધા પક્ષોના સાંસદ હાજર રહ્યા હતા. હવે નવ જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના વડા પ્રધાન તરીકે શપથ લેશે.
રિઝર્વ બેન્કે સતત આઠમી વાર રેપો રેટ યથાવત્ રાખ્યો
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC)એ સતત આઠમી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. બેન્કે રેપો રેટ 6.5 ટકા યથાવત્ રાખ્યો હતો. છ સભ્યોવાળી કમિટીએ 4:2ના બહુમતથી વ્યાજદરોમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નહોતો. રેપો રેટમાં બદલાવ નહીં થવાથી ગ્રાહકો પર EMIનો કોઈ બોજ નહીં વધે અને બેન્કોની લોનના વ્યાજદર પણ વધશે નહીં. આ પહેલાં RBIએ મે,2022થી ફેબ્રુઆરી 2023ની વચ્ચે રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો અને એને 6.5 ટકાએ પહોંચાડ્યો હતો.
ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદરમાં ઘટાડા બાબતે કહ્યું હતું કે જ્યાં સુધી US ફેડરલ બેન્ક વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે અને અમે સ્થાનિક કારણો પણ ધ્યાનમાં રાખી રહ્યાં છે. ત્યાં સુધી બેન્ક કોઈ વ્યાજદર અંગે નિર્ણય લેશે નહીં.MPCએ કહ્યું હતું કે છૂટક મોંઘવારી દર એક સ્થાયી સ્તરે પહોંચશે, તયાર બાદ વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ મોંઘવારી દરમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘટાડો થયો છે, પણ એ હજી પણ બેન્કના ચાર ટકાના મિડિયમ સમયમાં લક્ષ્યથી ઉપર છે. એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 10 મહિનાના નીચલા સ્તરે 4.83 ટકા પર છે, જ્યારે આ પહેલાં માર્ચમાં એ 4.85 ટકા પર હતો.
— ReserveBankOfIndia (@RBI) June 7, 2024
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ જૂના સ્તરે જાળવી રાખ્યો છે. એટલે કે જેઓ બેંકની લોનના EMI ભરે છે તેમના માથે કોઈ નવો બોજ આવશે, નહીં પરંતુ હાલ જે પ્રમાણે EMI ભરી રહ્યા છે તે યથાવત રહેશે, આ સાથે બેંકમાં FD કરાવી છે તેમને રોકાણ પર હાલ જે પ્રમાણે વ્યાજ મળી રહ્યું છે તે યથાવત્ રહેશે.
વાસ્તુ: ઈશાન કે નૈરુત્યમાં ખાડો હોય તો?
માનવીને જીતવા માટે શું જોઈએ? હથિયાર? હથિયારોની શોધ થઇ હતી માનવીને મદદ કરવા માટે. પત્થરો તોડીને
રસ્તા બનાવવા કે ખેતી કરવામાં સરળતા રહે એના માટે બનેલા હથિયાર હત્યા માટે પણ વપરાવા લાગ્યા. શું એનાથી કોઈ વ્યક્તિ વિશ્વ વિજેતા બની શક્યા? જે લોકો પ્રેમથી વિજેતા બન્યા એમના સંપ્રદાય પણ બન્યા. દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે એને કોઈ પ્રેમ કરે અને એ કોઈને પ્રેમ કરે. અલૌકિક પ્રેમની અનુભૂતિ વ્યક્તિના વ્યક્તિત્વને પણ બદલવા સક્ષમ છે. એક એવા વિશ્વની પરિકલ્પના કે જેમાં કોઈ સરહદો ન હોય. બધાજ એક બીજા સાથે એક પરિવારની માફક રહેતા હોય અને માત્ર પ્રેમનું જ સામ્રાજ્ય હોય એ કેટલી અદ્ભુત લાગે છે?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો અપ નીચે જણાવેલા ઈમેઈલ પર જરૂર પૂછી શકો છો.
સવાલ: અમારા ઘરના નૈરુત્યમાં ખાડો છે. કોઈએ અમને સમજાવ્યું કે એના કારણે ઘરમાં કંકાસ વધે છે. અમારા ઘરમાં ખુબ કંકાસ છે. કોઈ ઉપાય હોય તો બતાવવા વિનંતી.

જવાબ: ગૃહકંકાસ માટે ઘણા કારણો હોય છે. ભારતીય વાસ્તુ પ્રમાણે પણ માત્ર નૈરુત્યના દોષના લીધે કંકાસ થાય એવું નથી હોતું. નૈરુત્યમાં ખાડો હોય તો તે આર્થિક બાબતોને તથા સ્વાસ્થ્યને અસર કરે છે. વળી કોઈ પણ બાબતને સમજ્યા વિના એનાથી ડરવું ન જોઈએ. ભારતીય વાસ્તુ નીયમો માનવજાતિને મદદ કરવા માટે રચાયા છે. એનાથી ડરવાની જરૂર નથી. કોઈ પણ વાસ્તુને સમજ્યા વિના એના વિશે વાત કરવી અધુરી છે.
સવાલ: કોઈ પાસે વાત સાંભળી છે કે ઈશાનમાં ખાડો શુભ માનવામાં આવે છે. મારા ઘરમાં એ શક્ય નથી. તો શું કરવું જોઈએ?

જવાબ: દરેક ઈશાનમાં ખાડો કરવો જરૂરી ન હોય. વળી ભારતીય વાસ્તુના નિયમોને સમજ્યા વિના કોઈ પણ નિર્ણય ન લેવાય. શાસ્ત્રોમાં વિજ્ઞાન છે. જડતા નહિ. વળી ઈશાનમાં ખાડો હોવો જોઈએ એવી વાત ક્યાંય નથી. જે લોકો ફ્લેટમાં રહે છે એ ઈશાનમાં ખાડો કેવી રીતે કરે? અને પોતાના કમ્પાઉન્ડમાં કોઈ ખાડો શું કામ કરે?
સુચન: ઈશાનમાં પ્લોટનું લેવલ નીચે હોય એ સારું કહેવાય છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
જીવન એક યાત્રા છે, ઈચ્છાઓના ભારથી તેને વજનદાર ન બનાવો
ખુશ રહેવા માટે જીવનની એક-એક શ્રેષ્ઠ ધારણાને કર્મમાં લાવવી પડે છે. આ ચૂપચાપ મનુષ્યના સંકલ્પ રૂપી ખજાનામાં ઘુસે છે. તથા જેમ ફાવે તેમ લૂંટ મચાવે છે. પરિણામે મનુષ્ય જુએ છે કે તેની પાસે સુખ-શાંતિના બદલે ન ઈચ્છતા હોય તેવી દુ:ખ-અશાંતિ ઉત્પન્ન કરનાર બાબતો આવી ગઈ છે અને ખુશી ગુમ થઈ ગઈ છે. પરંતુ આ અંગે આપને એક વાત બતાવી દઈએ કે જેવી રીતે ખુશીના ખજાનાને લૂંટવાવાળા શત્રુ છે તેવી જ રીતે ખુશીના ખજાનાને ભરવા વાળા મિત્રો પણ છે. આ મિત્ર છે દૈવી ગુણ તથા આધ્યાત્મિક શક્તિઓ. માટે જ ખુશીને એક એવું અત્તર કહેવામાં આવે છે કે જે ગુણો રૂપી ફૂલોમાંથી નીકળેલ વિવિધ રસ રૂપી શ્રેષ્ઠ ભાવો ને મેળવીને તૈયાર કરવામાં આવે છે.

એકવાર એક નવાબ ઘરાનાનો યુવક આશ્રમમાં આવી ગયો. તે યુવકને આશ્રમમાં રહેવાની મંજૂરી મળી ગઈ. તેણે જોયું કે અહીં દરેક વ્યક્તિ કોઈને કોઈ સેવા કાર્ય કરે છે. તેને કામ કરવાની ટેવ ન હતી પરંતુ નિમિત્ત બહેન (ટીચર)ના દર્શન કરીને ગયો તો પોતાની જાતે જ પ્રેરણાના આધારે તેણે પણ પોતાને અનુકૂળ સેવા માંગી લીધી. ટીચર બહેને તેને બીજા દિવસે મળવાનું કહ્યું. બીજા દિવસે તે ઉત્સુકતા સાથે ટીચર પાસે ગયો.
અનુભવી ટીચરે તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું ” હંમેશા ખુશ રહો. ” આમ જોઈએ તો આ બહુ જ નાનું કાર્ય લાગે છે પરંતુ ખુશ રહેવા માટે જીવનની એક એક શ્રેષ્ઠ ધારણાને મન-વચન-કર્મમાં લાવવી પડે છે. શ્રેષ્ઠ ધારણાઓ જેવી કે અપેક્ષાઓ થી બચો, અધિકાર તથા કર્તવ્ય નું બેલેન્સ રાખો, સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો, આનુમાન ન કરો, માફ કરવાની શક્તિ ને વધારો. ત્યાગ, તપસ્યા, સેવા ને મહત્વ આપો. પોતાની ભૂલ ને સ્વીકારો, જીવન એક યાત્રા છે, ઈચ્છાઓના ભારથી તેને વજનદાર ન બનાવો.

જેવી રીતે ખુશ રહેવું જરૂરી છે તેવી જ રીતે બીજાને ખુશી આપવી પણ જરૂરી છે. પરંતુ ધ્યાન રહે કે મર્યાદા તથા ન્યાયની લક્ષ્મણ રેખાને ઓળંગીને જો બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો તો તે ખુશી અંતમાં દુઃખમાં બદલાઈ જશે. એક ઉંમર લાયક વ્યક્તિએ પોતાની નવી પરણીને આવેલ પુત્રવધુને ખુશ કરવાનું શરૂ કર્યું, એવી આશા સાથે કે મારી વૃદ્ધાવસ્થામાં તે મારી દરેક વાત માનશે. તેને ખુશ રાખવા માટે તે પુત્રવધુની યોગ્ય- અયોગ્ય તમામ ઈચ્છાઓ પૂરી કરતો રહ્યો. આના કારણે ઘરના બીજા સભ્યો રિસાઈ ગયા, કારણ કે તેમના અધિકારોને પણ છીનવી લેવામાં આવ્યા. ધીરે ધીરે તેઓ બધા તે વ્યક્તિને છોડીને બીજે જતા રહ્યા.
બધાએ મોં ફેરવી લીધા પછી વૃદ્ધાવસ્થાના કારણે ચીડિયો સ્વભાવ બનવાના કારણે તે વહુ પણ કંટાળવા લાગી. દરરોજ ઘરમાં ઝઘડા થવા માંડ્યા. તે વૃદ્ધ સહયોગ મેળવવાના બીજા દરવાજા તો પહેલેથી જ બંધ કરી ચૂકેલા હતો. વહુ વાળો દરવાજો પણ લગભગ બંધ થવાની અણી પર પહોંચી ગયો. પછી તો આશરા વગરની વ્યક્તિના જીવન જેવું તેનું જીવન બની ગયું. આમ એક પાસેથી છીનવી લઈને બીજાને ખુશ કરવાના પ્રયત્નમાં બંને સાથે મન મોટાવ થઈ જાય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
કોરાનાના 21 નવા કેસો, એક પણ મોત નહીં
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે. US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,33,618 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,06,152 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 27 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 240 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,736 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

રાશિ ભવિષ્ય 07/06/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post
![]()
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.
આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.






