Home Blog Page 1750

રાશિ ભવિષ્ય 07/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

પંચાંગ 07/06/2024

કંગના રનૌતને થપ્પડ મારનાર CISF મહિલા જવાન સસ્પેન્ડ

ચંદીગઢ એરપોર્ટ પર CISF કર્મચારીએ અભિનેત્રી કંગના રનૌતને થપ્પડ મારવાના મામલાની રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નોંધ લીધી છે. તેમજ CISF કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની સામે FIR નોંધવામાં આવી છે. દરમિયાન આ મામલે પંજાબ પોલીસના ડીએસપી એસ સંધુ ચંદીગઢ એરપોર્ટ પહોંચ્યા હતા. કંગના રનૌતની ઘટનાને લઈને CISF ઓફિસર સાથે બેઠક પણ કરી હતી. દરમિયાન અધિકારીઓએ કહ્યું કે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કંગના રનૌત જ્યારે દિલ્હી જઈ રહી હતી ત્યારે તેને કથિત રીતે થપ્પડ મારવામાં આવી હતી.

NCWએ મહિલા જવાન સામે કાર્યવાહીની માંગ કરી

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે ચંદીગઢ એરપોર્ટ પર નવી ચૂંટાયેલી ભાજપ સાંસદ કંગના રનૌતને કથિત રીતે થપ્પડ મારનાર મહિલા CISF કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ ગંભીર બાબત છે કારણ કે એરપોર્ટ પર સુરક્ષા માટે જવાબદાર લોકો તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એક્સ પરની એક પોસ્ટમાં તેણે કહ્યું કે મહિલા CISF જવાનો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

રાહુલ ગાંધીના આરોપો પર પીયૂષ ગોયલે આપ્યો જવાબ

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી પણ આરોપ-પ્રત્યારોપનો દોર અટકતો દેખાતો નથી. રાહુલ ગાંધીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ બીજેપી નેતા પીયૂષ ગોયલે પણ રાહુલ ગાંધીને જવાબ આપવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કર્યા હતા. પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી હજુ સુધી લોકસભા ચૂંટણીમાં વિપક્ષની હારની નિરાશામાંથી બહાર આવ્યા નથી અને તેઓ ભાજપ અને અમારા નેતાઓ પર જંગલી આક્ષેપો કરી રહ્યા છે. આ દરમિયાન પીયૂષ ગોયલે રાહુલ ગાંધી પર બજારના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધી રોકાણકારોને ગેરમાર્ગે દોરે છેઃ પિયુષ ગોયલ

તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને સમગ્ર વિશ્વ ભારતને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે સ્વીકારી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ દેશને ખાતરી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી PM મોદીના ત્રીજા કાર્યકાળમાં આવવાથી નારાજ દેખાય છે, જેના કારણે તેઓ પોતાના નિવેદનોથી વિદેશી અને સ્થાનિક રોકાણકારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

પીયૂષ ગોયલે આ સવાલ રાહુલ ગાંધીને પૂછ્યો હતો

પીયૂષ ગોયલે કહ્યું કે બજારમાં આપણા ભારતીય રોકાણકારોએ મોદી સરકારના 10 વર્ષના સફળ કાર્યનો લાભ લીધો. આ જ કારણ છે કે આજે દેશ અને દુનિયાને ભારત અને મોદીજીમાં વિશ્વાસ છે. આ દરમિયાન બીજેપી નેતાએ રાહુલ ગાંધી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આજે લોકો સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીએ કરેલા તમામ વચનોનું શું થયું?

સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહ્યું

વિવેકાનંદ યુવા ભારતી ક્રીરાંગન ખાતે ગુરુવારે ભારત અને કુવૈત વચ્ચે રમાયેલી ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થઈ હતી. રેફરીની અંતિમ વ્હીસલ સુધી બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીની 19 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પણ આ છેલ્લી મેચ હતી.ભારતીય ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધુએ શાનદાર બચાવ કર્યો અને ઘણા ગોલ બચાવ્યા, નહીંતર મેચનું પરિણામ બીજી ટીમના પક્ષમાં જઈ શકત. મેચ ડ્રો થવાને કારણે ભારત માટે વર્લ્ડ કપ ક્વોલિફાયરના ત્રીજા તબક્કામાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. હવે તેણે 11 જૂને કતાર સામે તેના જ મેદાનમાં બીજા તબક્કાની અંતિમ મેચ જીતવી પડશે.

છેત્રીને વિદાય આપવા માટે સ્ટેડિયમમાં ભીડ એકઠી થઈ હતી

સુનીલ છેત્રીની છેલ્લી મેચ જોવા માટે સ્ટેડિયમમાં ભીડ ઉમટી હતી. 70,000 દર્શકો આ યાદગાર મેચના સાક્ષી બન્યા હતા. સ્ટેડિયમમાં આવેલા મોટાભાગના લોકોએ સુનીલ છેત્રીની 11 નંબરની જર્સી પહેરી હતી. છેલ્લા 19 વર્ષથી બ્લુ જર્સીમાં ટીમ ઈન્ડિયા માટે મેદાન પર પોતાનું લોહી અને પરસેવો આપી રહેલા સુનીલ છેત્રીએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે 6 જૂન પછી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર કાયમ માટે બ્રેક લગાવી દેશે. આ મેચ પ્રશંસકો અને ટીમ ઈન્ડિયા માટે પહેલાથી જ ભાવુક બની ગઈ હતી, પરંતુ તે જ સમયે, વર્લ્ડ કપ ક્વોલિફિકેશનના આગલા રાઉન્ડમાં પહોંચવા માટે જીતવું પણ મહત્વપૂર્ણ હતું.

છેલ્લી મેચમાં નિરાશા

ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીની આ મેચ માટે કોલકાતાનું આખું સોલ્ટ લેક સ્ટેડિયમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું હતું, જેણે લગભગ 5 વર્ષ પહેલા એક વીડિયો બનાવી ચાહકોને ટીમ ઈન્ડિયાની મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાની અપીલ કરી હતી. છેત્રીના દરેક ટચ, પાસ અને શોટ સાથે ચાહકોનો ઘોંઘાટ વધી રહ્યો હતો. તેમજ ટીમ ઈન્ડિયાના ગોલ કરવાના દરેક પ્રયાસને સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કમનસીબે ટીમ ઈન્ડિયા લગભગ 100 મિનિટ સુધી ચાલેલી મેચમાં એક પણ ગોલ કરવામાં સફળ રહી ન હતી. ઘણી વખત પોતાના ગોલથી ટીમને બચાવનાર કેપ્ટન છેત્રી પણ આ વખતે મદદ કરી શક્યો નહીં.

સ્ટોક માર્કેટ પર ઘમાસાન, રાહુલ ગાંધીએ લગાવ્યો મોટો આરોપ

લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શેરબજારમાં કડાકાને લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. 1 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થયા બાદ શેરબજારે 3 જૂને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 4 જૂને પરિણામ આવ્યા બાદ શેરબજાર તૂટ્યું હતું. આ અંગે રાહુલ ગાંધીએ મોટા આક્ષેપો કર્યા છે.

3 જૂને શેરબજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે શેરબજાર ઝડપથી ઉપર જશે અને લોકોએ શેર ખરીદવો જોઈએ. 1 જૂને મીડિયા રિલીઝ કરે છે. ખોટા એક્ઝિટ પોલના આંતરિક સર્વેમાં ભાજપને 220 બેઠકો મળી હતી, એજન્સીઓએ 200થી 220 બેઠકો પણ કહી હતી, 3 જૂને શેરબજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

PMએ શા માટે રોકાણ કરવાની સલાહ આપી?

રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો “પીએમએ જનતાને રોકાણ કરવાની સલાહ કેમ આપી? અમિત શાહે લોકોને શેર ખરીદવાનું કેમ કહ્યું? જેપીસી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભૂમિકાની તપાસની માંગ કરે છે.કોંગ્રેસ નેતાએ કહ્યું, આ મામલો ઘણો મોટો છે. તે અદાણી સાથે સંબંધિત છે, પરંતુ તે ખૂબ જ મોટો મુદ્દો છે. તે સીધો વડાપ્રધાન સાથે સંબંધિત છે. ભાજપમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોએ આ કૌભાંડ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ. એ જાણવા માટે કે તેમની અને એક્ઝિટ પોલ કરાવનારાઓ વચ્ચે કોઈ સંબંધ હતો કે કેમ, અમને લાગે છે કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન આમાં સીધા સામેલ છે, તેથી અમે જેપીસી તપાસ ઈચ્છીએ છીએ.

રાહુલ ગાંધીએ જેપીસી તપાસની માંગ કરી હતી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, આમાં ભાજપના સૌથી મોટા નેતાઓએ રિટેલ રોકાણકારોને આ સંદેશ આપ્યો છે કે તમે શેર ખરીદો. તેમની પાસે માહિતી હતી કે એક્ઝિટ પોલ ખોટા છે અને ભાજપને બહુમતી મળવાની નથી, તેથી તેઓએ રાહુલ ગાંધીએ કહ્યું કે 30 લાખ કરોડનું નુકસાન થયું છે અને સત્તામાં રહેલા લોકોને ફાયદો થયો છે, તેથી અમે જેપીસી તપાસની માંગ કરીએ છીએ.

ઓડિશામાં સરપ્રાઇઝ આપશે ભાજપ?: CM પદના ત્રણ દાવેદાર

ભુવનેશ્વરઃ કોણ બનશે ઓડિશાના CM? હવે આ વાતની ચર્ચા ચોરે ને ચૌટે થઈ રહી છે. ઓડિશા વિધાનસભામાં ભાજપને મોટી જીત મળી છે. રાજ્યની 147 બેઠકોમાંથી ભાજપે 79 બેઠકો જીતી હતી. પટનાયકના બિજુ જનતા દળ (BJP)એ 51 બેઠકો જીતી હતી. હવે સવાલ એ છે કે ઓડિશાના નવા મુખ્ય મંત્રી કોણ બનશે?

BJDની ચૂંટણીમાં હાર બાદ હવે બધાની નજર ઓડિશાના આગામી મુખ્ય મંત્રી પર છે. અટકળો વચ્ચે પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનમોહન સામલે બુધવારે કહ્યું હતું કે પાર્ટીનું સંસદીય બોર્ડ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે.

તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોના આધારે મુખ્ય મંત્રીની પસંદગી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ઓડિયા વ્યક્તિ જે રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખશે તે ઓડિશાના આગામી મુખ્ય મંત્રી હશે.

મુખ્ય મંત્રીની યાદીમાં સૌથી ઉપર ધર્મેન્દ્ર પ્રધાનનું નામ ચાલી રહ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને સંબલપુર લોકસભા બેઠક પર બીજેડીના પ્રણવ પ્રકાશ દાસ સામે 1 લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી હતી. ત્યાર બાદ બૈજયંત પાંડાએ ઓડિશાની કેન્દ્રપારા લોકસભા સીટ પર જીત મેળવી છે. તેઓ એક વખત રાજ્યસભાના સાંસદ અને બે વાર BJDથી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ છ વર્ષ પહેલાx ભાજપમાં જોડાયા હતા અને 2019ની લોકસભાની ચૂંટણી કેન્દ્રપાડા લોકસભા બેઠક પરથી લડ્યા હતા જ્યાં તેઓ હારી ગયા હતા.

આ સિવાય અપરાજિતા સારંગીએ ભુવનેશ્વર બેઠક પર કોંગ્રેસના નેતા યાસિર નવાઝ અને BJD નેતા મનમથ રાઉત્રે સામે જીત મેળવી હતી. મુખ્ય મંત્રી પદ માટે પણ તે પણ મહત્વનું નામ માનવામાં આવે છે.  આ ઉપરાંત સંબિત પાત્રાએ પુરી લોકસભા બેઠક પર BJD નેતા અરૂપ પટનાયક અને કોંગ્રેસના ઉમેદવાર જય નારાયણ પટનાયક સામે જીત મેળવી હતી.

 

 

 

 

 

 

 

અહો આશ્ચર્યમઃ અધિકારીઓ હવે લાંચ પણ લે છે હપતાથી

અમદાવાદઃ રાજ્યના રાજ્યમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ લાંચ લેવાની નવી પદ્ધતિ અપનાવી છે. તમે EMI પર ચીજવસ્તુ લેવાની વાત સાંભળી પણ હશે ને ક્યાંક લીધી પણ હશે, પણ અધિકારીઓ EMI પદ્ધતિથી લાંચ લઈ રહ્યા છે, એવો ઘટસ્ફોટ એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ કર્યો હતો. રાજ્યમાં આવા અનેક કિસ્સાઓને લઈને ફરિયાદ થતાં ACBએ તપાસ હાથ ધરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે લોકોને વધુ આર્થિક બોજ ન ઉઠાવવો પડે માટે ભ્રષ્ટ અધિકારીઓ હપતા પદ્ધતિથી લાંચ લઈ રહ્યા છે. આ અધિકારીઓ પીડિતો પાસેથી માસિક હપ્તામાં લાંચની રકમ લે છે. આ વર્ષે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ જણાવ્યું હતું કે રાજ્યમાં EMIના રૂપમાં લાંચ લેવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

11 હપતામાં લીધી લાંચ

માર્ચ મહિનામાં એક કેસમાં GST નકલી બિલિંગ કૌભાંડમાં 21 લાખ રૂપિયાની લાંચની માગ કરવામાં આવી હતી. આ રકમને બે લાખ રૂપિયાના દસ હપતામાં અને એક લાખ રૂપિયાના એક હપ્તામાં વહેંચવામાં આવી હતી. મોટી રકમની ચુકવણી ટાળવા માટે આ કરવામાં આવ્યું હતું. ચોથી એપ્રિલે સુરતના એક ડેપ્યુટી સરપંચે એક ગ્રામજનોના ખેતર સમતળ કરવા માટે 85,000 રૂપિયાની લાંચ માગી હતી. ગ્રામજનોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને અધિકારીએ EMIનો વિકલ્પ સૂચવ્યો. તેણે 35,000 રૂપિયા આગળ અને બાકીના ત્રણ સમાન હપતામાં ચૂકવવાનું કહ્યું હતું.

ત્યાર બાદ સાબરકાંઠાના રહેવાસી પાસેથી ચાર લાખ રૂપિયા લઈને બે પોલીસ અધિકારીઓ ફરાર થઈ જતાં આ કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા હતા . આ રકમ તેના દ્વારા માંગવામાં આવેલા 10 લાખ રૂપિયાની લાંચનો પ્રથમ હપ્તો હતો. અન્ય એક ઘટનામાં, સાયબર ક્રાઇમનો એક પોલીસ અધિકારી રૂ. 10 લાખની લાંચને ચાર માસિક હપ્તામાં વહેંચવા સંમત થયો હતો.

DGPએ જણાવ્યું હતું કે અધિકારીઓ હપતાથી લાંચ લઈ રહ્યા હોવાની માહિતી મળી છે. હવે આ માહિતીને આધારે અમે વધુ તપાસ હાથ ધરીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું

 

 

 

 

 

 

 

 

 

કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા જવાને મારી થપ્પડ

બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડ દ્વારા થપ્પડ મારવામાં આવી છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. કંગના રનૌતના રાજકીય સલાહકાર અનુસાર, ચંદીગઢ એરપોર્ટની અંદર CISF મહિલા ગાર્ડે કંગના રનૌતને થપ્પડ મારી હતી. તેઓએ માંગ કરી છે કે સીઆઈએસએફ ગાર્ડને હટાવવા જોઈએ અને તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. એવો દાવો કરવામાં આવે છે કે CISF ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવા બદલ કંગના રનૌતથી નારાજ હતો.

 

તમને જણાવી દઈએ કે મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગનાએ કહ્યું હતું કે તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી છે.

‘હમારેં બારહ’ ફિલ્મ પર બૉમ્બે હાઈકોર્ટે લગાવી રોક

અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ની મુશ્કેલીમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. હવે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મ 7 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ બોમ્બે હાઈકોર્ટે તેની રિલીઝ પર 14 જૂન સુધી રોક લગાવી દીધી છે. વાસ્તવમાં, ન્યાયમૂર્તિ નીતિન બોરકર અને કમલ ખાટાની વેકેશન બેન્ચે અઝહર તાંબોલની અરજી પર સુનાવણી કરી, જેમાં સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા કેટલાક સંવાદો પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

 

CBFCનું ટ્રેલર પર કોઈ નિયંત્રણ નથી

આ કિસ્સામાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ બેન્ચને કહ્યું કે તે ફિલ્મને પ્રમાણપત્ર આપે છે અને YouTube પર રિલીઝ થનારા ફિલ્મના ટ્રેલર પર તેનું કોઈ નિયંત્રણ નથી. તમને જણાવી દઈએ કે અરજીધારકે અરજીમાં ફિલ્મ નિર્માતાઓ દ્વારા યુટ્યુબ પર પ્રસારિત થયેલા બે ટ્રેલર સામે વાંધો ઉઠાવતા કહ્યું કે તેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

CBFC વતી અદ્વૈત સેઠનાએ જણાવ્યું હતું કે આઠ સભ્યોની સમિતિ દ્વારા ફિલ્મની અનેક સ્તરે તપાસ કરવામાં આવી છે. સમિતિ દ્વારા કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા હતા, જેનું પાલન કરવામાં આવ્યું છે. સેથનાએ કહ્યું કે ફેરફારો પછી જ ફિલ્મને U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ફિલ્મના કેટલાક સંવાદો પર વાંધો લેવા અંગે કોર્ટના પ્રશ્નના જવાબમાં સેઠનાએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓએ તેમને હટાવી દીધા છે. તેના પર ખંડપીઠે પૂછ્યું કે જો સીબીએફસીએ ડાયલોગ્સ હટાવી દીધા છે તો અરજદારે તેને કેવી રીતે જોયો? તમે કયા આધારે કહો છો કે આ ડાયલોગ્સ હટાવવામાં આવ્યા છે? આના પર સેઠનાએ કહ્યું કે સીબીએફસીનું ઇન્ટરનેટ પર રિલીઝ થયેલા ટ્રેલર્સ પર કોઈ નિયંત્રણ નથી. તેમણે ધ્યાન દોર્યું હતું કે ટિકિટ બુકિંગ એપ પર રીલીઝ થયેલા અનુગામી ટ્રેલરમાં તે સંવાદો નથી.

રિલીઝ તારીખ મુલતવી

અરજીની સુનાવણી કર્યા પછી, કોર્ટે ફિલ્મની રિલીઝને એક અઠવાડિયા માટે મુલતવી રાખી અને સીબીએફસીને તેનો જવાબ દાખલ કરવા કહ્યું. હાઈકોર્ટે અરજી પર સુનાવણી માટે 10 જૂનની તારીખ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના નિર્માતા અને ક્રૂએ 24 મેના રોજ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને સોશિયલ મીડિયા દ્વારા અજાણ્યા લોકો તરફથી સતત જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે.