મુંબઈ: રવિવારે રવીના ટંડનનું નામ એક વિવાદને કારણે ચર્ચામાં આવ્યું હતું. અભિનેત્રી પર તેના ડ્રાઈવર સાથે એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર પર મારપીટ કરવાનો આરોપ હતો, જેના પછી કેટલાક ગુસ્સે થયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાંદ્રાના રિઝવી લો કોલેજ પાસે બની હતી. પીડિતા મોહમ્મદે આરોપ લગાવ્યો હતો કે રવીના ટંડને નશાની હાલતમાં તેની માતા પર હુમલો કર્યો હતો. તેણે તેમની કાર પણ તેમના પર ચડાવી દીધી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો. બાદમાં પીડિતાના પરિવારે ખાર પોલીસ સ્ટેશનમાં તેની (રવીના ટંડન) વિરુદ્ધ FIR નોંધાવી હતી. હવે આ અંગે મુંબઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે.
મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે કેટલાક લોકોએ રવીના ટંડન અને તેના ડ્રાઈવર વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો. CCTV જોયા પછી સત્ય સામે આવ્યું છે. મુંબઈ પોલીસે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને ન તો રવીના ટંડન નશામાં હતી.
मुंबई में जबरन रवीना टंडन पे टूट पड़े कि महिला को गाडी से टक्कर मारी, पर ये सही नही है, वहा लगा सीसीटीवी में तो कही नही दिख रहा है कि टक्कर मारी है😇#Raveenatandon #mumbai pic.twitter.com/eB5rPleoTw
— Ritika (@riti080) June 2, 2024
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે,”અમે સોસાયટીના સમગ્ર સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે અને જાણવા મળ્યું છે કે અભિનેત્રી (રવીના ટંડન)નો ડ્રાઈવર રોડ પરથી કારને સોસાયટીમાં રિવર્સ કરી પાર્ક કરી રહ્યો હતો જ્યારે પરિવાર એ જ લેન ક્રોસ કરી રહ્યો હતો. પરિવારને લાગ્યું કે ગાડી તેઓની સાથે અથડાશે.આ કારણે બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો.”
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે,ઝઘડો મોટી દલીલમાં બદલાયો અને મોટુ સ્વરૂપ લીધું એટલે રવીના આ મામલાની તપાસ કરવા વચ્ચે પડી. જ્યારે તેણે ડ્રાઈવરને ટોળાથી બચાવવાનો પ્રયાસ કર્યો તો ટોળાએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. ઘટના બાદ તરત જ રવીના અને તેના પરિવારજનો ખાર પોલીસ સ્ટેશન ગયા અને લેખિત ફરિયાદ કરી. જોકે,અભિનેત્રીએ બાદમાં એફઆઈઆર નોંધાવી ન હતી. અધિકારીએ કહ્યું કે રવીના નશામાં ન હતી કે તેની કારે કોઈને ટક્કર મારી ન હતી. આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી.
આ મામલે અભિનેત્રીથી રાજકારણી બનેલી કંગના રનૌત રવીના ટંડનના સપોર્ટમાં આવી છે. 37 વર્ષીય કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે,’રવીના ટંડન જી સાથે જે પણ થયું તે ખૂબ જ ચિંતાજનક છે. જો તે જૂથમાં 5-6 વધુ લોકો હોત તો માર મારીને તેણીની હત્યા કરી નાખત. અમે આવી રોડ રેજની ઘટનાઓને વખોડીએ છીએ. એવા લોકોને ઠપકો આપવો જોઈએ. તેઓએ આવી હિંસા અને દુર્વ્યવહાર સહન ન કરવો જોઈએ.’





સિક્કિમમાં કોંગ્રેસને નોટાથી પણ ઓછા મતો મળ્યા છે. સિક્કિમમાં નોટાને 0.99 ટકા મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 0.32 ટકા મતો મળ્યા છે અને ભાજપને રાજ્યમાં 5.18 ટકા મતો મળ્યા છા. આ સાથે SKMને 58.38 ટકા, SDFને 27.37 ટકા અને અન્યોને 7.7 ટકા મતો મળ્યા છે. સિક્કિમના CM હાલમાં પ્રેમ સિંહ તમાંગ છે. તેઓ 2019માં રાજ્યના છઠ્ઠા મુખ્ય મંત્રી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પશ્ચિમ સિક્કિમથી આવે છે અને 1990માં તેઓ રાજકારણમાં સક્રિય થયા છે. 1993માં તેઓ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સામેલ થયા હતા અને 1994માં ચાકુંગ વિધાનસભા સીટથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા હતા. તેઓ 2009 સુધી કેબિનેટ મંત્રી બન્યા હતા.
કેટલાક લોકો બિનજરૂરી રીતે નજીકના સ્થળે જવા માટે પણ ઈંધણથી ચાલતા વાહનોનો ઉપયોગ કરે છે. જેનાથી ઈંધણ વપરાય, પર્યાવરણને નુકસાન થાય, ટ્રાફિકની સમસ્યા વધે અને પાર્કિંગ માટે પણ ફાંફા મારવા પડે. આવાં સમયે સાઇકલ શરીરને સ્વસ્થ રાખતી સરળ, સસ્તી અને સલામત સવારી સાબિત થાય છે.
જગત આખાયમાં સાઇકલ ચલાવવાની જાગૃતિ માટે રેલીઓ, હરિફાઇ યોજાય છે. મોટાં-મોટાં તબીબો, કલાકારો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ સાઇકલ ચલાવી તંદુરસ્ત રહેવા પ્રયત્નશીલ હોય છે અને લોકોને જાગૃત પણ કરે છે.
સમાજની સેલિબ્રિટીઓ સાઇકલ પ્રત્યે જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમો યોજે છે. એકસાથે સૌ સાઇકલિંગ કરતા હોય એવી અનેક ક્લબો પણ બની છે. જે સમાજમાં સત્કાર્યો પણ કરે છે. પરંતુ આ એકદમ ‘ફાસ્ટ’ જગતમાં ‘સ્લો’ ચાલતી સાઇકલના શારિરીક અને પર્યાવરણીય ફાયદાની સાથે સામાજિક મહત્વ પણ લોકો સમજે તો સાચી જાગૃતિ કહેવાય!

કેમેરાના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાનગી કંપનીના કર્મચારી ચિત્રલેખા.કોમને કહે છે બસ સ્ટેન્ડ જેવા મહત્વનાં સ્થળોએ ચાંપતી નજર રાખવા માટે 400 જેટલાં પોલ પર કેમેરા લાગી ચૂક્યા છે.
4 જૂનના રોજ મત ગણતરી થવાની છે. ત્યારે આવી VVIP મુવમેન્ટ વખતે સ્પેશિયલ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવે છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઠેર-ઠેર હેલ્પલાઇન સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. જેમાં બટન દબાવવાથી કંટ્રોલ રૂમમાં વાત થઈ શકે. જ્યારે આખાય શહેરમાં સિસ્ટમ લાગી જશે ત્યારે નાગરિકોની સહાયતા માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થશે.
લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે તમામ ચેક પોઈન્ટ પર નજર રાખવા માટે વધારાના CCTV કેમેરા પણ મુકવામાં આવ્યા છે.


ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી UPની વારાણસી સીટથી સતત બે વાર (2014 અને 2019) જીત્યા છે. આ વખતે પણ તેઓ કાશીથી તો હેટટ્રિક કરે એવી સંભાવના છે. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલનાં પરિમામો પછી સટ્ટા બજાર વધુ ગરમાયું છે. સટ્ટાબજારમાં રૂ. 300 કરોડથી વધુની રકમ દાવ પર લાગી ચૂકી છે, એમાં પણ સૌથી મોટો દાવ વડા પ્રધાન મોદીની વારાણસી સીટ પર લાગ્યા છે. વડા પ્રધાન મોદીની જીત પર રૂ. એક લાખ લગાવવા પર રૂ. 2000ના નફાનો રેટ છે. આ સાથે મોદીની હાર પર સર્વાધિક ભાવ છે. તેઓ હારે તો રૂ. એક લાખ લગાવવા પર રૂ. 3.50 લાખ મળશે.

